રેલ્વે તંત્રમાં માહુરકર દાદા તરીકે જાણીતાં જે.જી. માહુરકરની તબિયત ગત મોડી રાત્રે લથડી હતી.
રાત્રે એક વાગ્યાના અરસામાં શરીફ ખાન કારમાં તેઓને ટ્રાય કલર હોસ્પિટલ લઈ ગયા હતાં.
તાત્કાલિક સારવાર આપવાને બદલે ટ્રાય કલર હોસ્પિટલના ઇમર્જન્સિ વિભાગના તબીબે બહાર આવવાની તસ્દી ના લીધી.
આશરે 40 મીનીટ સુધી કારમાં માહુરકર દાદા દુઃખાવાથી પીડાયા.
માહુરકર દાદાનું નિધન થયા બાદ તબીબો હરકતમાં આવ્યાં...
[caption id="attachment_1752" align="aligncenter" width="1280"] (જે. જી. માહુરકર)[/caption]
વડોદરા. ગત રાત્રે ટ્રાય કલર હોસ્પિટલના ઇમર્જન્સિ વિભાગના તબીબનાં અમાનવિય વર્તનને પગલે 86 વર્ષિય જે. જી. માહુરકરનું દુઃખદ નિધન થયું હતું. અત્રે નોંધનિય છે કે, કોરોના મહામારીના કાળમાં હોસ્પિટલ સંચાલકો દર્દીઓની મજબૂરીનો ભરપૂર લાભ ઉઠાવી રહ્યાં છે. ત્યારે કોરોનાના નામે તાત્કાલિક સારવાર આપવામાં તબીબો દ્વારા ઢીલાસ દાખવવામાં આવતી હોવાને કારણે ગંભીર દર્દીનું અવસાન થવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે.
પશ્ચિમ રેલ્વે તંત્રમાં ખૂબ જ સન્માનપૂર્વક માહુરકર દાદા તરીકે જાણીતાં જે. જી. માહુરકરની સાથે ગત રાત્રે બનેલી ઘટના અંગે શરીફ ખાન પઠાણે www.watchgujarat.com ને જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે 8 વાગ્યે મારી દાદા સાથે વાત થઈ હતી ત્યારે તેઓ સ્વસ્થ હતાં. રાત્રે તેઓને પરસેવો વળવા સાથે છાતીમાં દુઃખાવો જણાતાં તેઓને હું અને તેમના પરિવારજનો તાત્કાલિક ઘર પાસે આવેલી ટ્રાય કલર હોસ્પિટલમાં લઈ ગયા હતાં.
વધુમાં ઉમેર્યું કે, રેલ્વે તંત્ર દ્વારા ટ્રાય કલર હોસ્પિટલ સાથે કરાર કરેલો હોઈ, દાદાના ઘરની પાસે જ હોસ્પિટલ હોવાથી અમે રાત્રે 1 વાગ્યાના અરસામાં હોસ્પિટલ પર પહોંચ્યા હતાં. અમે દાદાને તાત્કાલિક સારવાર મળે તે માટે હોસ્પિટલમાં ગયાં તો ત્યાં કાચના કેબિનમાં ડોક્ટર બેઠેલા હતાં. અમે બૂમો પાડી પણ તેમણે દરવાજો ખોલીને શું થયું છે? એ જાણવાની પણ દરકાર લીધી નહીં... મેં બૂમો પાડી ત્યારે આખરે મહાપરાણે ડોક્ટર કેબિનમાંથી બહાર આવ્યા હતાં અને કોરોના ટેસ્ટ વગર ટ્રીટમેન્ટ નહીં કરી શકીએ એવી વાતો કરી હતી.
શરીફ ખાને દુઃખ સાથે જણાવ્યું કે, માહુરકર દાદાને તાત્કાલિક સારવારની જરૂર હતી પરંતુ, ડોક્ટરે તેમને એક નજર જોયા પણ નહીં અને લગભગ 40 મીનીટ સુધી કારમાં પીડા ભોગવ્યા બાદ માહુરકર દાદાનું દુઃખદ નિધન નિપજ્યું હતું. ત્યારબાદ તબીબ સારવાર આપવા હરકતમાં આવ્યા હતાં. જોકે, ત્યાં સુધીમાં તો ઘણું મોડું થઈ ગયું હતું. અમારું તો માનવું છે કે ડોક્ટરની ગંભીર બેદરકારીને લીધે જ માહુરકર દાદાનું નિધન થયું છે. કોરોનાના સમયમાં ડોક્ટરોના આવા વર્તનને કારણે ઘણાં લોકોના જીવ ગયા હશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં બરોડા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે પણ સારવારના અભાવે તાંદલજા વિસ્તારની એક મહિલા દર્દીનું મોત નિપજ્યું હતું.
રેલ્વે તંત્રમાં માહુરકર દાદા તરીકે જાણીતાં જે.જી. માહુરકરની તબિયત ગત મોડી રાત્રે લથડી હતી.
રાત્રે એક વાગ્યાના અરસામાં શરીફ ખાન કારમાં તેઓને ટ્રાય કલર હોસ્પિટલ લઈ ગયા હતાં.
તાત્કાલિક સારવાર આપવાને બદલે ટ્રાય કલર હોસ્પિટલના ઇમર્જન્સિ વિભાગના તબીબે બહાર આવવાની તસ્દી ના લીધી.
આશરે 40 મીનીટ સુધી કારમાં માહુરકર દાદા દુઃખાવાથી પીડાયા.
માહુરકર દાદાનું નિધન થયા બાદ તબીબો હરકતમાં આવ્યાં...
વડોદરા. ગત રાત્રે ટ્રાય કલર હોસ્પિટલના ઇમર્જન્સિ વિભાગના તબીબનાં અમાનવિય વર્તનને પગલે 86 વર્ષિય જે. જી. માહુરકરનું દુઃખદ નિધન થયું હતું. અત્રે નોંધનિય છે કે, કોરોના મહામારીના કાળમાં હોસ્પિટલ સંચાલકો દર્દીઓની મજબૂરીનો ભરપૂર લાભ ઉઠાવી રહ્યાં છે. ત્યારે કોરોનાના નામે તાત્કાલિક સારવાર આપવામાં તબીબો દ્વારા ઢીલાસ દાખવવામાં આવતી હોવાને કારણે ગંભીર દર્દીનું અવસાન થવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે.
પશ્ચિમ રેલ્વે તંત્રમાં ખૂબ જ સન્માનપૂર્વક માહુરકર દાદા તરીકે જાણીતાં જે. જી. માહુરકરની સાથે ગત રાત્રે બનેલી ઘટના અંગે શરીફ ખાન પઠાણે www.watchgujarat.com ને જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે 8 વાગ્યે મારી દાદા સાથે વાત થઈ હતી ત્યારે તેઓ સ્વસ્થ હતાં. રાત્રે તેઓને પરસેવો વળવા સાથે છાતીમાં દુઃખાવો જણાતાં તેઓને હું અને તેમના પરિવારજનો તાત્કાલિક ઘર પાસે આવેલી ટ્રાય કલર હોસ્પિટલમાં લઈ ગયા હતાં.
વધુમાં ઉમેર્યું કે, રેલ્વે તંત્ર દ્વારા ટ્રાય કલર હોસ્પિટલ સાથે કરાર કરેલો હોઈ, દાદાના ઘરની પાસે જ હોસ્પિટલ હોવાથી અમે રાત્રે 1 વાગ્યાના અરસામાં હોસ્પિટલ પર પહોંચ્યા હતાં. અમે દાદાને તાત્કાલિક સારવાર મળે તે માટે હોસ્પિટલમાં ગયાં તો ત્યાં કાચના કેબિનમાં ડોક્ટર બેઠેલા હતાં. અમે બૂમો પાડી પણ તેમણે દરવાજો ખોલીને શું થયું છે? એ જાણવાની પણ દરકાર લીધી નહીં... મેં બૂમો પાડી ત્યારે આખરે મહાપરાણે ડોક્ટર કેબિનમાંથી બહાર આવ્યા હતાં અને કોરોના ટેસ્ટ વગર ટ્રીટમેન્ટ નહીં કરી શકીએ એવી વાતો કરી હતી.
શરીફ ખાને દુઃખ સાથે જણાવ્યું કે, માહુરકર દાદાને તાત્કાલિક સારવારની જરૂર હતી પરંતુ, ડોક્ટરે તેમને એક નજર જોયા પણ નહીં અને લગભગ 40 મીનીટ સુધી કારમાં પીડા ભોગવ્યા બાદ માહુરકર દાદાનું દુઃખદ નિધન નિપજ્યું હતું. ત્યારબાદ તબીબ સારવાર આપવા હરકતમાં આવ્યા હતાં. જોકે, ત્યાં સુધીમાં તો ઘણું મોડું થઈ ગયું હતું. અમારું તો માનવું છે કે ડોક્ટરની ગંભીર બેદરકારીને લીધે જ માહુરકર દાદાનું નિધન થયું છે. કોરોનાના સમયમાં ડોક્ટરોના આવા વર્તનને કારણે ઘણાં લોકોના જીવ ગયા હશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં બરોડા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે પણ સારવારના અભાવે તાંદલજા વિસ્તારની એક મહિલા દર્દીનું મોત નિપજ્યું હતું.