10 સપ્ટેમ્બર 2019ના રોજ પીડિયાટ્રીક વોર્ડના NICUમાં ભિષણ આગ લાગી હતી.
8 સપ્ટેમ્બર 2020ના રોજ તાત્કાલિક સારવાર વિભાગમાં ભિષણ આગ.
વડોદરા. મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી સયાજી હોસ્પિટલમાં “ફાયર સેફ્ટી” નાદુરસ્ત સ્થિતિમાં હોવાનું સ્પષ્ટ થાય છે. કારણકે, 363 દિવસના ગાળામાં જ સયાજી હોસ્પિટલમાં બે વાર ભિષણ આગ લાગવાના બનાવો બન્યાં છે.
સયાજી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતાં હોય છે. આ સંજોગોમાં ફાયર સેફ્ટી અંગે ખૂબ જ ચોકસાઈ રાખવી જરૂરી બને છે. આગ લાગે ત્યારે લોકોનો બચાવ કેવી રીતે કરવો? એમાં ચોકસાઈ રાખવા કરતાં વધારે જરૂરી છે, આગ લાગે જ નહીં એવું આયોજન કરવું. જોકે, સયાજી હોસ્પિટલના સત્તાધિશો આગ લાગે જ નહીં એવું આયોજન કરી શકવા સક્ષમ ના હોય તેવું જણાઈ રહ્યું છે.
તા. 10/09/2019ને મંગળવાર
બપોરે 2-45 વાગ્યાના અરસામાં પીડીયાટ્રીક વિભાગના એનઆઈસીયુમાં ભિષણ આગ લાગી હતી. એનઆઇસીયુ વોર્ડમાં 35 જેટલા માસૂમ બાળકોની સારવાર ચાલી રહીં હતી. ધુમાડાના ગોટેગોટા વિકળતાં બાળકોના પરિવારજનોના જીવ તાળવે ચોંટી ગયાં હતા. અને હોસ્પિટલમાં ભારે દોડધામ મચી હતી. જોકે હોસ્પિટલના તબીબો સહીત સ્ટાફના અન્ય માણસોએ સમયસુચક્તા વાપરી એનઆઇસીયુમાં રહેલા બાળકોને તાત્કાલીક બહાર કાઢી અન્ય વોર્ડમાં શીફ્ટ કર્યાં હતા. સદનસીબે આ દુર્ઘટનામાં કોઇ પણ બાળકને નુકસાન પહોંચ્યું નહોતું.
તા. 08/09/2020ને મંગળવાર
સાંજે 6 વાગ્યાના અરસામાં તાત્કાલિક સારવાર વિભાગમાં આવેલી ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલના આઈસીયુ – 2માં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. કોરોના પોઝિટીવ સહિતના દર્દીઓ અને તેમના પરિવારજનોમાં ગભરાટ વ્યાપી ગયો હતો. જોકે, તાત્કાલિક તમામ દર્દીઓને બહાર કાઢી લેવામાં આવ્યા હતાં. સદનસીબે આ દુર્ઘટનામાં (લખાય છે ત્યાં સુધી) કોઇ દર્દીને નુકસાન પહોંચ્યું ન હોવાનું જાણવા મળે છે.
3 સપ્ટેમ્બરે યોજાયેલી ફાયર સેફ્ટીની મોકડ્રીલ – ફાયરની સ્થિતિમાં કામે લાગી.
અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટનાને પગલે તાજેતરમાં સયાજી હોસ્પિટલના કર્મચારીઓને ત્રણ દિવસ ફાયર સેફ્ટીની તાલીમ આપવામાં આવી હતી. બાદમાં ગત 3 સપ્ટેમ્બરના રોજ કર્મચારીઓએ કેવી તાલીમ પ્રાપ્ત કરી છે એની ચકાસણી કરવા મોકડ્રીલ યોજવામાં આવી હતી. આજે જ્યારે સાચ્ચે આગ લાગી ત્યારે કર્મચારીઓએ મેળવેલી ફાયરની તાલીમ કામે લાગી હોય તેવું મનાઈ રહ્યું છે.
10 સપ્ટેમ્બર 2019ના રોજ પીડિયાટ્રીક વોર્ડના NICUમાં ભિષણ આગ લાગી હતી.
8 સપ્ટેમ્બર 2020ના રોજ તાત્કાલિક સારવાર વિભાગમાં ભિષણ આગ.
વડોદરા. મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી સયાજી હોસ્પિટલમાં “ફાયર સેફ્ટી” નાદુરસ્ત સ્થિતિમાં હોવાનું સ્પષ્ટ થાય છે. કારણકે, 363 દિવસના ગાળામાં જ સયાજી હોસ્પિટલમાં બે વાર ભિષણ આગ લાગવાના બનાવો બન્યાં છે.
સયાજી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતાં હોય છે. આ સંજોગોમાં ફાયર સેફ્ટી અંગે ખૂબ જ ચોકસાઈ રાખવી જરૂરી બને છે. આગ લાગે ત્યારે લોકોનો બચાવ કેવી રીતે કરવો? એમાં ચોકસાઈ રાખવા કરતાં વધારે જરૂરી છે, આગ લાગે જ નહીં એવું આયોજન કરવું. જોકે, સયાજી હોસ્પિટલના સત્તાધિશો આગ લાગે જ નહીં એવું આયોજન કરી શકવા સક્ષમ ના હોય તેવું જણાઈ રહ્યું છે.
તા. 10/09/2019ને મંગળવાર
બપોરે 2-45 વાગ્યાના અરસામાં પીડીયાટ્રીક વિભાગના એનઆઈસીયુમાં ભિષણ આગ લાગી હતી. એનઆઇસીયુ વોર્ડમાં 35 જેટલા માસૂમ બાળકોની સારવાર ચાલી રહીં હતી. ધુમાડાના ગોટેગોટા વિકળતાં બાળકોના પરિવારજનોના જીવ તાળવે ચોંટી ગયાં હતા. અને હોસ્પિટલમાં ભારે દોડધામ મચી હતી. જોકે હોસ્પિટલના તબીબો સહીત સ્ટાફના અન્ય માણસોએ સમયસુચક્તા વાપરી એનઆઇસીયુમાં રહેલા બાળકોને તાત્કાલીક બહાર કાઢી અન્ય વોર્ડમાં શીફ્ટ કર્યાં હતા. સદનસીબે આ દુર્ઘટનામાં કોઇ પણ બાળકને નુકસાન પહોંચ્યું નહોતું.
તા. 08/09/2020ને મંગળવાર
સાંજે 6 વાગ્યાના અરસામાં તાત્કાલિક સારવાર વિભાગમાં આવેલી ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલના આઈસીયુ – 2માં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. કોરોના પોઝિટીવ સહિતના દર્દીઓ અને તેમના પરિવારજનોમાં ગભરાટ વ્યાપી ગયો હતો. જોકે, તાત્કાલિક તમામ દર્દીઓને બહાર કાઢી લેવામાં આવ્યા હતાં. સદનસીબે આ દુર્ઘટનામાં (લખાય છે ત્યાં સુધી) કોઇ દર્દીને નુકસાન પહોંચ્યું ન હોવાનું જાણવા મળે છે.
અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટનાને પગલે તાજેતરમાં સયાજી હોસ્પિટલના કર્મચારીઓને ત્રણ દિવસ ફાયર સેફ્ટીની તાલીમ આપવામાં આવી હતી. બાદમાં ગત 3 સપ્ટેમ્બરના રોજ કર્મચારીઓએ કેવી તાલીમ પ્રાપ્ત કરી છે એની ચકાસણી કરવા મોકડ્રીલ યોજવામાં આવી હતી. આજે જ્યારે સાચ્ચે આગ લાગી ત્યારે કર્મચારીઓએ મેળવેલી ફાયરની તાલીમ કામે લાગી હોય તેવું મનાઈ રહ્યું છે.