પરિવાર ચાર રસ્તા પાસે આવેલા વુડાના મકાનમાં રહેતાં 140 જેટલાં પરિવારો પાણી માટે ટળવળી રહ્યાં છે.
કોર્પોરેશન વિરોધી સૂત્રોચ્ચાર કરી સત્વરે પાણીની સમસ્યાનો નિકાલ આવે તેવી માગણી કરી.
વડોદરા. છેલ્લાં 4 વર્ષોથી પાણી માટે વલખાં મારતાં વાઘોડિયા રોડ વિસ્તારમાં પરિવાર ચાર રસ્તા પાસે આવેલાં વુડાના મકાનોના રહીશોએ આજે તંત્ર સામેનો રોષ વ્યક્ત કર્યો હતો. અને સત્વરે પાણીની સમસ્યાનો નિકાલ આવે તેવી માગણી કરી હતી.
https://youtu.be/paHsMUbJOeg
વાઘોડિયા રોડ પરિવાર ચાર રસ્તા પાસે આવેલાં વુડાના મકાનોમાં 140 જેટલાં પરિવારો નિવાસ કરે છે. છેલ્લાં ચાર વર્ષથી મોટર ના અભાવે પાણી ઇમારત પરની ટાંકીમાં ચડતું નથી. જેને કારણે મહિલાઓએ ખુલ્લા ટાંકામાંથી પાણી ખેંચવું પડી રહ્યું છે. એમાંય માત્ર અડધો કલાક પાણી આવતું હોવાથી ટાંકો પૂરો ભરાતો નથી. ટાંકો ખુલ્લો હોવાથી તેમાં કૂતરાં જેવા જાનવર પણ પડી જતાં હોય છે અને ગંદકી પણ થતી હોય છે.
આજરોજ વુડાના મકાનમાં રહેતાં લોકોએ વડોદરા શહેર લોકસરકાર કોંગ્રેસના કાર્યકર્તાઓની આગેવાનીમાં કોર્પોરેશન તંત્ર, સત્તાધારી પક્ષ સમક્ષ રોષ વ્યક્ત કર્યો હતો.
- પરિવાર ચાર રસ્તા પાસે આવેલા વુડાના મકાનમાં રહેતાં 140 જેટલાં પરિવારો પાણી માટે ટળવળી રહ્યાં છે.
- કોર્પોરેશન વિરોધી સૂત્રોચ્ચાર કરી સત્વરે પાણીની સમસ્યાનો નિકાલ આવે તેવી માગણી કરી.
વડોદરા. છેલ્લાં 4 વર્ષોથી પાણી માટે વલખાં મારતાં વાઘોડિયા રોડ વિસ્તારમાં પરિવાર ચાર રસ્તા પાસે આવેલાં વુડાના મકાનોના રહીશોએ આજે તંત્ર સામેનો રોષ વ્યક્ત કર્યો હતો. અને સત્વરે પાણીની સમસ્યાનો નિકાલ આવે તેવી માગણી કરી હતી.
વાઘોડિયા રોડ પરિવાર ચાર રસ્તા પાસે આવેલાં વુડાના મકાનોમાં 140 જેટલાં પરિવારો નિવાસ કરે છે. છેલ્લાં ચાર વર્ષથી મોટર ના અભાવે પાણી ઇમારત પરની ટાંકીમાં ચડતું નથી. જેને કારણે મહિલાઓએ ખુલ્લા ટાંકામાંથી પાણી ખેંચવું પડી રહ્યું છે. એમાંય માત્ર અડધો કલાક પાણી આવતું હોવાથી ટાંકો પૂરો ભરાતો નથી. ટાંકો ખુલ્લો હોવાથી તેમાં કૂતરાં જેવા જાનવર પણ પડી જતાં હોય છે અને ગંદકી પણ થતી હોય છે.
આજરોજ વુડાના મકાનમાં રહેતાં લોકોએ વડોદરા શહેર લોકસરકાર કોંગ્રેસના કાર્યકર્તાઓની આગેવાનીમાં કોર્પોરેશન તંત્ર, સત્તાધારી પક્ષ સમક્ષ રોષ વ્યક્ત કર્યો હતો.