શહેરની હદમાં સમાવાયા બાદ પણ રસ્તાની સમસ્યાથી પીડાતાં ભાયલીવાસીઓ.
સત્વરે સમસ્યાનું નિરાકરણ નહીં કરાય તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન છેડવાની ચિમકી.
વડોદરા. બિસ્માર માર્ગોથી ત્રસ્ત ભાયલી ગામના રહીશોએ આજરોજ કોર્પોરેશન, મેયર અને મ્યુનિ. કમિશનર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી દેવાવો કર્યા હતાં.
શહેરની હદમાં સમાવિષ્ટ કરાયેલાં ભાયલી ગામમાં રોડ – રસ્તા, સ્ટ્રિટ લાઈટ, ડ્રેનેજ જેવી પ્રાથમિક સુવિધા કોર્પોરેશન તંત્ર પુરું પાડી શક્યું નથી. હાલમાં ભાયલી ગામના સ્મશાનથી આંબેકર નગર સુધીના માર્ગ પર મોટા ખાડા પડ્યાં છે. અડધો એક ઇંચ વરસાદમાં રસ્તો પાણીમાં ગરકાવ થઈ જતો હોય છે. રસ્તા પર ચાલતાં જવું પણ મુશ્કેલ બનતું હોય છે. તેવી ફરિયાદ સાથે આજરોજ રહીશોએ વડોદરા યુવા હેલ્પ ગ્રૂપના નારાયણ રાજપૂત સાથે ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યા હતાં. રહીશોએ મેયર, મ્યુનિ. કમિશનર અને કોર્પોરેશન તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતાં. અને સમસ્યાનું સત્વરે નિરાકારણ નહીં કરાય તો આગામી દિવસોમાં ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન છેડવાની ચિમકી ઉચ્ચારી હતી.
https://youtu.be/O8DP9HAzBWk
- શહેરની હદમાં સમાવાયા બાદ પણ રસ્તાની સમસ્યાથી પીડાતાં ભાયલીવાસીઓ.
- સત્વરે સમસ્યાનું નિરાકરણ નહીં કરાય તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન છેડવાની ચિમકી.
વડોદરા. બિસ્માર માર્ગોથી ત્રસ્ત ભાયલી ગામના રહીશોએ આજરોજ કોર્પોરેશન, મેયર અને મ્યુનિ. કમિશનર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી દેવાવો કર્યા હતાં.
શહેરની હદમાં સમાવિષ્ટ કરાયેલાં ભાયલી ગામમાં રોડ – રસ્તા, સ્ટ્રિટ લાઈટ, ડ્રેનેજ જેવી પ્રાથમિક સુવિધા કોર્પોરેશન તંત્ર પુરું પાડી શક્યું નથી. હાલમાં ભાયલી ગામના સ્મશાનથી આંબેકર નગર સુધીના માર્ગ પર મોટા ખાડા પડ્યાં છે. અડધો એક ઇંચ વરસાદમાં રસ્તો પાણીમાં ગરકાવ થઈ જતો હોય છે. રસ્તા પર ચાલતાં જવું પણ મુશ્કેલ બનતું હોય છે. તેવી ફરિયાદ સાથે આજરોજ રહીશોએ વડોદરા યુવા હેલ્પ ગ્રૂપના નારાયણ રાજપૂત સાથે ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યા હતાં. રહીશોએ મેયર, મ્યુનિ. કમિશનર અને કોર્પોરેશન તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતાં. અને સમસ્યાનું સત્વરે નિરાકારણ નહીં કરાય તો આગામી દિવસોમાં ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન છેડવાની ચિમકી ઉચ્ચારી હતી.