સુરત થી પાવાગઢ તરફ જઈ રહેલા ટેમ્પોનો કન્ટેનર સાથે વાઘોડિયા ચોકડી ખાતે અકસ્માત નડ્યો
અકસ્માતમાં 9ના મોત, 18 લોકો ગંભીર રીતે ઘવાયા
વડોદરા. સુરત થી પાવાગઢ તરફ જઈ રહેલા ટેમ્પોનો કન્ટેનર સાથે વાઘોડિયા ચોકડી ખાતે અકસ્માત થયો હતો. ગમખ્વાર અકસ્માતમાં 9 લોકોના મોત થયા હતા અને 18 લોકો ગંભીર રીતે ઘવાયા હતા. મોટી સંખ્યામાંલોકો ઈજાગ્રસ્ત થતા કલેકટર શાલિની અગ્રવાલ અને એડિશનલ સીપી ચિરાગ કોરડીયા એસએસજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
બનાવની પ્રાથમિક માહિતી પ્રમાણે, સુરત થી પાવાગઢ તરફ આઇસર તેમનો લોકોને લઈ ને જઈ રહ્યો હતો. ટેમ્પામાં 25 જેટલા લોકો સવાર હતા. બુધવારે મળસ્કે અંદાજિત 3:30 વાગ્યે શહેરના છેવાડે આવેલી વાઘોડિયા ચોકડી પાસેથી પસાર થઇ રહ્યો હતો. દરમિયાન રસ્તા પર ટેન્કરમાં પાછળથી ભટકાયો હતો. અક્સમાતને કારણે ટેમ્પામાં સવાર લોકો ગંભીર રીતે ઘવાયા હતા. અકસ્માતમાં ટેમ્પાનો ખુર્દો બોલી ગયો હતો. તેમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડના લોકોની મદદ લેવી પડી હતી. કટર વડે ટેમ્પાના ભાગને કાપીને ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.
[caption id="attachment_15513" align="aligncenter" width="1280"] મૃતકો[/caption]
અકસ્માતની જાણ થતા જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલ અને એડિશનલ સીપી ચિરાગ કોરડીયા તથા હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ડો. રંજન ઐયર, પૂર્વ મેયર ભારત ડાંગર ઘટના સ્થળે દોડી ગયા હતા. એસએસજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. તબીબી સૂત્રોના જણાવ્યા પ્રમાણે 9 લોકોના મોત થયા હતા. ઉલ્લેખનીય છે કે, હાઇવે પર અકસ્માત થતા ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે અન્ય ડિપાર્ટમેન્ટ સાથે મળીને સ્થિતિ થાળે પાડવાના પ્રયાસો તેજ કરી દીધા હતા.
https://twitter.com/vijayrupanibjp/status/1328890101363970048?s=20
વાઘોડિયા ચોકડી ખાતે થયેલા અકસ્માત અંગે મુખ્યમંત્રી દ્વારા સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી.
સુરત થી પાવાગઢ તરફ જઈ રહેલા ટેમ્પોનો કન્ટેનર સાથે વાઘોડિયા ચોકડી ખાતે અકસ્માત નડ્યો
અકસ્માતમાં 9ના મોત, 18 લોકો ગંભીર રીતે ઘવાયા
વડોદરા. સુરત થી પાવાગઢ તરફ જઈ રહેલા ટેમ્પોનો કન્ટેનર સાથે વાઘોડિયા ચોકડી ખાતે અકસ્માત થયો હતો. ગમખ્વાર અકસ્માતમાં 9 લોકોના મોત થયા હતા અને 18 લોકો ગંભીર રીતે ઘવાયા હતા. મોટી સંખ્યામાંલોકો ઈજાગ્રસ્ત થતા કલેકટર શાલિની અગ્રવાલ અને એડિશનલ સીપી ચિરાગ કોરડીયા એસએસજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
બનાવની પ્રાથમિક માહિતી પ્રમાણે, સુરત થી પાવાગઢ તરફ આઇસર તેમનો લોકોને લઈ ને જઈ રહ્યો હતો. ટેમ્પામાં 25 જેટલા લોકો સવાર હતા. બુધવારે મળસ્કે અંદાજિત 3:30 વાગ્યે શહેરના છેવાડે આવેલી વાઘોડિયા ચોકડી પાસેથી પસાર થઇ રહ્યો હતો. દરમિયાન રસ્તા પર ટેન્કરમાં પાછળથી ભટકાયો હતો. અક્સમાતને કારણે ટેમ્પામાં સવાર લોકો ગંભીર રીતે ઘવાયા હતા. અકસ્માતમાં ટેમ્પાનો ખુર્દો બોલી ગયો હતો. તેમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડના લોકોની મદદ લેવી પડી હતી. કટર વડે ટેમ્પાના ભાગને કાપીને ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.
[caption id="attachment_15513" align="aligncenter" width="1280"] મૃતકો[/caption]
અકસ્માતની જાણ થતા જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલ અને એડિશનલ સીપી ચિરાગ કોરડીયા તથા હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ડો. રંજન ઐયર, પૂર્વ મેયર ભારત ડાંગર ઘટના સ્થળે દોડી ગયા હતા. એસએસજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. તબીબી સૂત્રોના જણાવ્યા પ્રમાણે 9 લોકોના મોત થયા હતા. ઉલ્લેખનીય છે કે, હાઇવે પર અકસ્માત થતા ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે અન્ય ડિપાર્ટમેન્ટ સાથે મળીને સ્થિતિ થાળે પાડવાના પ્રયાસો તેજ કરી દીધા હતા.
https://twitter.com/vijayrupanibjp/status/1328890101363970048?s=20
વાઘોડિયા ચોકડી ખાતે થયેલા અકસ્માત અંગે મુખ્યમંત્રી દ્વારા સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી.