PI ડી.એસ.ગોહિલ તેમના ભાડુતી ગુંડાઓ લઇને જમીન ખાલી કરાવવા જતા હોબાળો
તારાપુર પોલીસ સ્ટેશનમાં PI સહિત 13 લોકો સામે ફરિયાદ નોંધાઇ
PI ડી.એસ.ગોહિલ ખંભાતમાં ફરજ બજાવે છે
WatchGujarat. આણંદ તારાપુર પાસે આવેલી એક જમીનની સિવિલ કોર્ટમાં મેટર ચાલી રહી છે. દરમિયાન PI ડી.એસ.ગોહિલ અને તેમના મળતીયાઓ દ્વારા દુકાન ભાડુતી ગુંડાઓ લઇને જમીન ખાલી કરાવવા જતા તારાપુર પોલીસ સ્ટેશનમાં PI સહિત 13 લોકો સામે ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.
તારાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર, તારાપુર ચોકડી પર પેરેમાઉન્ટ હોટલની બાજુમાં આશીષ સુરેશભાઇ પટેલ શ્રી શિવમ કરીયાણા સ્ટોર નામની દુકાન ધરાવે છે. આ દુકાન શિવમના દાદા ઇ.સ. 1976 થી ચલાવતા હતા. દરમિયાન રાતના આશિષે તેના જીજાજીને રાત્રે 12 વાગ્યે ફોન કરીને કહ્યું કે, આપણી કરીયાણાની દુકાન તોડવા માટે અને ગેરકાયદેસર કબજો લઇ લેવા માટે ભરવાડોનું મોટુ ટોળું આવેલું છે. આ લોકો બળજબરી કરે છે.
સંદેશો મળતા જ આશિષના જીજાજી અને બહેન કાર લઇને તારાપુર ચોકડી ખાતે પહોંચી ગયા હતા. સ્થળ પર પહોંચતા ચાર જેસીબી મશીન અને 25 - 30 જેટલા ભરવાડોનું ટોળું લાકડી અને ડાંગ સાથે હાજર હતું. ભીડમાં PI ડી.એસ.ગોહિલ તથા અન્ય પોલીસ કર્મીઓ પણ હતા. PI ડી.એસ.ગોહિલ તથા તેમના મળતીયાઓને દુકાન મામલે તારાપુર સિવિલ કોર્ટમાં દાવા ચાલે છે તેમ કહી દુકાનો ન તોડવા માટે સમજાવ્યા હતા. દરમિયાન PI ડી.એસ.ગોહિલ સાથે આવેલા ભરવાડોએ આશિષ સાથે વાત કરી તેની કરીયાણાની દુકાનમાં ઘુસી ગયા હતા.
https://youtu.be/dLlq3X2aORw
દુકાનમાં ઘુસ્યા બાદ તેલના ડબ્બા, તમાકુ, સિગારેટ, અનાજ - કઠોળ, કોસ્મેટીક્સનો સામાન તથા ગલ્લામાં મુકેલા 30 - 40 હજાર સીલક મળીને અંદાજીત રૂ. 2 - 3 લાખનો સામાન લુંટી ગયા હતા. આશિષની દુકાનનો મામલો સિવિલ કોર્ટના મુકદમા નંબર 41/2020 દાખલ કરેલ છે. દુકાનોનો કબ્જો આશિષ પાસે હોવા છત્તા બળજબરી પુર્વક દુકાનો તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દરમિયાન રિમાક્ષીબેન પટેલને હાથમાંથી પકડી લઇ કપડા ખેંચ્યા હતા. અને ઢસડીને બહાર કાઢવામાં આવ્યા હતા. તેમ કરતા રિમાક્ષી બેનને પગના ભાગમાં લાકડીઓથી માર મારવામાં આવ્યો હતો. આશિષને પણ લાકડી વડે મારવામાં આવ્યો હતો. અને દાદી લીલાબેનને ભરવાડોએ ધક્કોમારીને નીચે પાડી દીધા હતા.
જમીન ખાલી કરાવવા મામલે રિમાક્ષીબેન ભાવીનભાઇ પટેલ દ્વારા મફતભાઇ ઉર્ફે મફો ડોન વજાભાઇ ભરવાડ(ગામ - વાલોત્રી, તાલુકો - માતર, જી - ખેડા), કરમણભાઇ ભરવાડ (ગામ - તારાપુર, તા-તારાપુર, જી-આણંદ), ગોવિંદભાઇ નારાયણભાઇ ભરવાડ (ગામ-તારાપુર, જી-આણંદ), રાજુભાઇ ખેગારભાઇ ભરવાડ, વિઠ્ઠલભાઇ ભરવાડ(ગામ- તારાપુર, જી-આણંદ), વિજયભાઇ ભોકળવા (કુમારશાળા પાછળ, ગામ-તારાપુર, જી-આણંદ), મહેશભાઇ ભરવાડ- જેસીબી વાળા (મોટી ચોકડી, તારાપુર), કાનજીભાઇ વજાભાઇ ભરવાડ, વિશાલ ભરવાડ, ગોપાલ ભરવાડ, કાળૂભાઇ ભરવાડ (દતોલી, ખેડા), વિજયભાઇ ભરવાડ (ઇન્દિરા કોલોની, તારાપુર), પુનાભાઇ ભરવાડ (ઇસનપુર, આણંદ) સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
PI ડી.એસ.ગોહિલ તેમના ભાડુતી ગુંડાઓ લઇને જમીન ખાલી કરાવવા જતા હોબાળો
તારાપુર પોલીસ સ્ટેશનમાં PI સહિત 13 લોકો સામે ફરિયાદ નોંધાઇ
PI ડી.એસ.ગોહિલ ખંભાતમાં ફરજ બજાવે છે
WatchGujarat. આણંદ તારાપુર પાસે આવેલી એક જમીનની સિવિલ કોર્ટમાં મેટર ચાલી રહી છે. દરમિયાન PI ડી.એસ.ગોહિલ અને તેમના મળતીયાઓ દ્વારા દુકાન ભાડુતી ગુંડાઓ લઇને જમીન ખાલી કરાવવા જતા તારાપુર પોલીસ સ્ટેશનમાં PI સહિત 13 લોકો સામે ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.
તારાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર, તારાપુર ચોકડી પર પેરેમાઉન્ટ હોટલની બાજુમાં આશીષ સુરેશભાઇ પટેલ શ્રી શિવમ કરીયાણા સ્ટોર નામની દુકાન ધરાવે છે. આ દુકાન શિવમના દાદા ઇ.સ. 1976 થી ચલાવતા હતા. દરમિયાન રાતના આશિષે તેના જીજાજીને રાત્રે 12 વાગ્યે ફોન કરીને કહ્યું કે, આપણી કરીયાણાની દુકાન તોડવા માટે અને ગેરકાયદેસર કબજો લઇ લેવા માટે ભરવાડોનું મોટુ ટોળું આવેલું છે. આ લોકો બળજબરી કરે છે.
સંદેશો મળતા જ આશિષના જીજાજી અને બહેન કાર લઇને તારાપુર ચોકડી ખાતે પહોંચી ગયા હતા. સ્થળ પર પહોંચતા ચાર જેસીબી મશીન અને 25 - 30 જેટલા ભરવાડોનું ટોળું લાકડી અને ડાંગ સાથે હાજર હતું. ભીડમાં PI ડી.એસ.ગોહિલ તથા અન્ય પોલીસ કર્મીઓ પણ હતા. PI ડી.એસ.ગોહિલ તથા તેમના મળતીયાઓને દુકાન મામલે તારાપુર સિવિલ કોર્ટમાં દાવા ચાલે છે તેમ કહી દુકાનો ન તોડવા માટે સમજાવ્યા હતા. દરમિયાન PI ડી.એસ.ગોહિલ સાથે આવેલા ભરવાડોએ આશિષ સાથે વાત કરી તેની કરીયાણાની દુકાનમાં ઘુસી ગયા હતા.
દુકાનમાં ઘુસ્યા બાદ તેલના ડબ્બા, તમાકુ, સિગારેટ, અનાજ - કઠોળ, કોસ્મેટીક્સનો સામાન તથા ગલ્લામાં મુકેલા 30 - 40 હજાર સીલક મળીને અંદાજીત રૂ. 2 - 3 લાખનો સામાન લુંટી ગયા હતા. આશિષની દુકાનનો મામલો સિવિલ કોર્ટના મુકદમા નંબર 41/2020 દાખલ કરેલ છે. દુકાનોનો કબ્જો આશિષ પાસે હોવા છત્તા બળજબરી પુર્વક દુકાનો તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દરમિયાન રિમાક્ષીબેન પટેલને હાથમાંથી પકડી લઇ કપડા ખેંચ્યા હતા. અને ઢસડીને બહાર કાઢવામાં આવ્યા હતા. તેમ કરતા રિમાક્ષી બેનને પગના ભાગમાં લાકડીઓથી માર મારવામાં આવ્યો હતો. આશિષને પણ લાકડી વડે મારવામાં આવ્યો હતો. અને દાદી લીલાબેનને ભરવાડોએ ધક્કોમારીને નીચે પાડી દીધા હતા.