તહેવાર ટાણે લોકો કોરોના છે જ નહિ તેવું માનીને વ્યવહારમાં બેદરકારી દાખવી રહ્યા છે.
રાજકીય હસ્તીઓ કોરોના પોઝિટિવ બાદ ખાનગી મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલમાં સારવાર લેવાનું પસંદ કરતા હોય છે
MLA જીતેન્દ્ર સુખડિયાએ સરકારી હોસ્પિટલમાં સારવાર લેવાનું પસંદ કરી ઉદાહરણીય પગલું ભર્યું
વડોદરા. કોરોના પોઝિટિવ થયા બાદ કાઉન્સિલરો અને ધારાસભ્યો ખાનગી મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. ત્યારે MLA જીતેન્દ્ર સુખડીયાએ સારવાર માટે સરકારી હોસ્પિટલ GMERS પસંદ કરી છે. તબીબી સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાલ જીતેન્દ્રભાઈની તબિયત સ્થિર છે.
'ગભરાહટ નહિ, સમજદારી અને સતર્કતા એ જ આપણી સલામતી' જેવા સૂત્રો મારફતે સરકાર દ્વારા લોકોને કોરોનાથી બચવાના ઉપાયો અનુસરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. પરંતુ તહેવાર ટાણે લોકો કોરોના છે જ નહિ તેવું માનીને વ્યવહારમાં બેદરકારી દાખવી રહ્યા છે. એક તરફ રાજકીય હસ્તીઓ કોરોના પોઝિટિવ બાદ ખાનગી મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલમાં સારવાર લેવાનું પસંદ કરતા હોય છે. તેવા સમયે MLA જીતેન્દ્ર સુખડિયાએ સરકારી હોસ્પિટલમાં સારવાર લેવાનું પસંદ કરી ઉદાહરણીય પગલું ભર્યું છે.
પૂર્વ મંત્રી અને વરિષ્ઠ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયા કોવિડ પોઝિટિવ જણાતા સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં દાખલ થયાં છે. તેમને આઈસીયુમાં રાખી ઓકસીજન સારવાર આપવામાં આવી રહી છે.તેમના ફેફસામાં કોરોના વાયરસ નો પ્રભાવ જણાયો છે. જાણકારી આપતાં આ સરકારી દવાખાનાના કોવિડ વિભાગના વહીવટી નોડલ અધિકારી ડો.શીતલ મિસ્ત્રીએ જણાવ્યું કે હાલમાં જીતુભાઈ ની હાલત સ્ટેબલ છે. અને તેમના પુત્ર હિરેન સુખડીયા સિટી સ્કેન માં શંકાસ્પદ જણાતાં તેમને પણ દાખલ કરીને નિરીક્ષણ સારવાર હેઠળ રાખવામાં આવ્યાં છે.
જીતુભાઈ એ ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવ અને ડો.શીતલ મિસ્ત્રી સાથે દાખલ થતાં પૂર્વે પરામર્શ કર્યો હતો. ડો.મિસ્ત્રીએ જણાવ્યું કે તેમને ગોત્રી દવાખાનામાં ખાનગી હોસ્પિટલો ને સમકક્ષ સારવાર મળવાની અને ઉચિત કાળજી લેવાની ધરપત આપવામાં આવી હતી.
તેઓ ડાયાબિટીસ અને લીવર ની સહ માંદગી ધરાવે છે.તે ધ્યાનમાં રાખીને હાલમાં નિર્ધારિત પ્રોટોકોલ અનુસરીને યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, MLA જીતેન્દ્ર સુખડિયાના પત્ની તાજેતરમાં કોરોના પોઝિટિવએ થયા બાદ GMERS હોસ્પિટલમાં સારવાર લઈ સજા થયા હતા. હાલ તેઓ ઘરે ક્વોરેન્ટાઇન છે.
તહેવાર ટાણે લોકો કોરોના છે જ નહિ તેવું માનીને વ્યવહારમાં બેદરકારી દાખવી રહ્યા છે.
રાજકીય હસ્તીઓ કોરોના પોઝિટિવ બાદ ખાનગી મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલમાં સારવાર લેવાનું પસંદ કરતા હોય છે
વડોદરા. કોરોના પોઝિટિવ થયા બાદ કાઉન્સિલરો અને ધારાસભ્યો ખાનગી મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. ત્યારે MLA જીતેન્દ્ર સુખડીયાએ સારવાર માટે સરકારી હોસ્પિટલ GMERS પસંદ કરી છે. તબીબી સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાલ જીતેન્દ્રભાઈની તબિયત સ્થિર છે.
'ગભરાહટ નહિ, સમજદારી અને સતર્કતા એ જ આપણી સલામતી' જેવા સૂત્રો મારફતે સરકાર દ્વારા લોકોને કોરોનાથી બચવાના ઉપાયો અનુસરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. પરંતુ તહેવાર ટાણે લોકો કોરોના છે જ નહિ તેવું માનીને વ્યવહારમાં બેદરકારી દાખવી રહ્યા છે. એક તરફ રાજકીય હસ્તીઓ કોરોના પોઝિટિવ બાદ ખાનગી મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલમાં સારવાર લેવાનું પસંદ કરતા હોય છે. તેવા સમયે MLA જીતેન્દ્ર સુખડિયાએ સરકારી હોસ્પિટલમાં સારવાર લેવાનું પસંદ કરી ઉદાહરણીય પગલું ભર્યું છે.
પૂર્વ મંત્રી અને વરિષ્ઠ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયા કોવિડ પોઝિટિવ જણાતા સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં દાખલ થયાં છે. તેમને આઈસીયુમાં રાખી ઓકસીજન સારવાર આપવામાં આવી રહી છે.તેમના ફેફસામાં કોરોના વાયરસ નો પ્રભાવ જણાયો છે. જાણકારી આપતાં આ સરકારી દવાખાનાના કોવિડ વિભાગના વહીવટી નોડલ અધિકારી ડો.શીતલ મિસ્ત્રીએ જણાવ્યું કે હાલમાં જીતુભાઈ ની હાલત સ્ટેબલ છે. અને તેમના પુત્ર હિરેન સુખડીયા સિટી સ્કેન માં શંકાસ્પદ જણાતાં તેમને પણ દાખલ કરીને નિરીક્ષણ સારવાર હેઠળ રાખવામાં આવ્યાં છે.
જીતુભાઈ એ ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવ અને ડો.શીતલ મિસ્ત્રી સાથે દાખલ થતાં પૂર્વે પરામર્શ કર્યો હતો. ડો.મિસ્ત્રીએ જણાવ્યું કે તેમને ગોત્રી દવાખાનામાં ખાનગી હોસ્પિટલો ને સમકક્ષ સારવાર મળવાની અને ઉચિત કાળજી લેવાની ધરપત આપવામાં આવી હતી.
તેઓ ડાયાબિટીસ અને લીવર ની સહ માંદગી ધરાવે છે.તે ધ્યાનમાં રાખીને હાલમાં નિર્ધારિત પ્રોટોકોલ અનુસરીને યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, MLA જીતેન્દ્ર સુખડિયાના પત્ની તાજેતરમાં કોરોના પોઝિટિવએ થયા બાદ GMERS હોસ્પિટલમાં સારવાર લઈ સજા થયા હતા. હાલ તેઓ ઘરે ક્વોરેન્ટાઇન છે.