દાહોદ. નાનીકોડી ગામના સૂકી તળાવના 30 ફૂટ ઊંડા કોતરમાં રવિવારે સવારે રીક્ષા ખાબકતા નવજાત સહિત 3 બાળકના મોત નીપજ્યા છે. અને 3 મહિલાનો બચાવ થયો છે. ઘટનાની જાણ થતાં જ દાહોદ પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી અને ફાયર બ્રિગેડની મદદ લઇને ત્રણેય બાળકોના મૃતદેહ તળાવમાંથી બહાર કાઢ્યા હતા. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી.
દાહોદ તાલુકાના ચોસાલા ગામની 25 વર્ષીય રંગલીબેન કલસિંગભાઇ માવીને પ્રસૂવની પીડા ઉપડતા ગામની અન્ય બે મહિલાઓ તેમજ બે બાળકો સાથે રેટિયા PHC સેન્ટર પર પ્રસૂતિ કરાવવા ગયા હતા. જ્યાં તેમને તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો. જેને પગગે તેના પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો.
રવિવારે સવારે રીક્ષા મારફતે માતા અને બાળક પોતાના ઘરે ચોસાલા પરત ફરતી વેળાએ રસ્તામાં નાનીડોકી ગામે 30 ફૂટ ઊંડી કોતરમાં રીક્ષા ખાબકી હતી. જેમાં નવજાત બાળક સહિત ત્રણ કમનસીબ બાળકો મોતને ભેટ્યા હતા તેમજ અન્ય ત્રણ મહિલાઓને બહાર કાઢીને 108 મારફતે દાહોદની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
પેસેન્જર ભરેલી રીક્ષા કોતરમાં ખાબકી હોવાની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરી દીધી હતી. જેથી ફાયર બ્રિગેડે ત્રણેય બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા અને પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.
દાહોદ. નાનીકોડી ગામના સૂકી તળાવના 30 ફૂટ ઊંડા કોતરમાં રવિવારે સવારે રીક્ષા ખાબકતા નવજાત સહિત 3 બાળકના મોત નીપજ્યા છે. અને 3 મહિલાનો બચાવ થયો છે. ઘટનાની જાણ થતાં જ દાહોદ પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી અને ફાયર બ્રિગેડની મદદ લઇને ત્રણેય બાળકોના મૃતદેહ તળાવમાંથી બહાર કાઢ્યા હતા. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી.
દાહોદ તાલુકાના ચોસાલા ગામની 25 વર્ષીય રંગલીબેન કલસિંગભાઇ માવીને પ્રસૂવની પીડા ઉપડતા ગામની અન્ય બે મહિલાઓ તેમજ બે બાળકો સાથે રેટિયા PHC સેન્ટર પર પ્રસૂતિ કરાવવા ગયા હતા. જ્યાં તેમને તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો. જેને પગગે તેના પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો.
રવિવારે સવારે રીક્ષા મારફતે માતા અને બાળક પોતાના ઘરે ચોસાલા પરત ફરતી વેળાએ રસ્તામાં નાનીડોકી ગામે 30 ફૂટ ઊંડી કોતરમાં રીક્ષા ખાબકી હતી. જેમાં નવજાત બાળક સહિત ત્રણ કમનસીબ બાળકો મોતને ભેટ્યા હતા તેમજ અન્ય ત્રણ મહિલાઓને બહાર કાઢીને 108 મારફતે દાહોદની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
પેસેન્જર ભરેલી રીક્ષા કોતરમાં ખાબકી હોવાની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરી દીધી હતી. જેથી ફાયર બ્રિગેડે ત્રણેય બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા અને પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.