જીમનું સંચાલન કરતા કૈલાશ જાધવે નવેમ્બર- 2015 થી ડિસેમ્બર- 2017 સુધી અનેક એન્ટ્રીઓ લીધા બાદ એકાઉન્ટ બુકમાં તેની નોંધ ન કરી
એકાઉન્ટન્ટ સંજય હલીયલ સાથે મળીને એકાઉન્ટીંગ સોફ્ટવેરમાં ડુપ્લીકેટ એન્ટ્રીઓ કરી હોવાનું તપાસમાં સામે આવ્યું
જીમ દ્વારા ફાઇલ કરવામાં આવેલા જી.એસ.ટી.આર-1 રિટર્નમાં તફાવત દેખાયો
કૈલાશ જાધવના એકાઉન્ટમાં લાખોની ડાયરેક્ટ કેશ એન્ટ્રી પકડી પડાઇ
નાણાંકિય ઉચાપત અંતેના પુરાવા એકઠા કરવા માટે વિભાગે 80 હજાર જેટલી એન્ટ્રીઓનું વેરીફીકેશન કર્યું
વડોદરા. એલાઇવ્ઝ જીમમાં પાર્ટનર ડોક્ટર દેવાંગ શાહે બીજા પાર્ટનર કૈલાશ જાધવ વિરૂદ્ધ રૂ. 3 કરોડની છેતરપીંડી મામલે ફરિયાદ નોંધાવ્યા બાદ અનેક છેતરપીંડી સામે આવી રહી છે. જીમનું સંચાલન કરતા કૈલાશ જાધવે નવેમ્બર- 2015 થી ડિસેમ્બર- 2017 સુધી અનેક એન્ટ્રીઓ લીધા બાદ એકાઉન્ટ બુકમાં તેની નોંધ ન કરી હોવાનું જી.એસ.ટી વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી નોટીસમાં બહાર આવ્યું હતું. અંદાજીત રૂ. 2.58 કરોડના બારોબાર વ્યવહાર મામલે જી.એસ.ટી વિભાગ દ્વારા એલાઇવ્ઝ જીમના સંચાલકો ડો. દેવાંગ શાહ અને કૈલાશ જાધવને શો કોઝ નોટીસ ફટકારી હતી. જીમમાં રૂ. 2.58 કરોડ ના વ્યવહારો કર્યા બાદ તેની એન્ટ્રી એકાઉન્ટ બુકમાં બતાવવામાં આવી ન હતી અને વધુ એક કૌભાંડને અંજામ આપવામાં આવ્યું હતું.
એલાઇવ્ઝ જીમની શરૂઆતમાં બધુ સારૂ ચાલ્યું હતું. પરંતુ સમય જતા જીમના પાર્ટનર ડો. દેવાંગ શાહે અન્ય પાર્ટનર કૈલાશ જાધવ પાસે હિસાબો માંગતા મામલો ગોળ ગોળ ફરવાનો શરૂ થઇ ગયો હતો. આખરે ડો. દેવાંગ શાહે પાર્ટનર કૈલાશ જાધવ સામે છેતરપીંડી કરવા મામલે શહેર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. અને ત્યારથી કૈલાશ ફરાર થયો છે. જો કે ત્યાર બાદથી લઇને અત્યાર સુધી કૈલાશ જાધવની ઠગાઇના અનેક કિસ્સાઓ સામે આવી ગયા છે. એલાઇવ્ઝ જીમમાં પાર્ટનર ડો. દેવાંગ શાહ અને કૈલાશ જાધવ હતા. મોટા ભાગે જીમનું સંચાલન કૈલાશ જાધવ દ્વારા કરવામાં આવતું હતું.
જીમ સચાલકો દ્વારા નવેમ્બર-2019 થી જી.એસ.ટી.આર-3 બી ફાઇલ કરવામાં આવ્યું નથી
જી.એસ.ટી વિભાગની તપાસમાં વાત બહાર આવી હતી કે, એલાઇવ્ઝ જીમના કર્તાહર્તા કૈલાશ જાધવ દ્વારા એકાઉન્ટન્ટ સંજય હલીયલ સાથેમળીને નવેમ્બર- 2015 થી ડિસેમ્બર- 2017 સુધીની એન્ટ્રીઓ એકાઉન્ટીંગ સોફ્ટવેરમાં બતાવવામાં આવી ન હતી. તથા એપ્રીલ -2018 થી માર્ચ- 2020 સુધી ફાઇલ કરવામાં આવેલા જી.એસ.ટી.આર-1 રિટર્નમાં તફાવત સામે આવ્યો હતો. અને નવેમ્બર-2019 થી જીમ સંચાલક દ્વારા જી.એસ.ટી.આર-3 બી ફાઇલ કરવામાં આવ્યું ન હતું.આ અંગે ફર્મને 11-06-2020 માં નોટીસ પણ ફટકારવામાં આવી હતી.
રોડક વ્યવહાર કરી એકાઉન્ટીંગ સોફ્ટવેર થકી કરવામાં આવેલી અનેક ડુપ્લીકેટ એન્ટ્રી પકડી પાડવામાં આવી
જી.એસ.ટી વિભાગ દ્વારા એલાઇવ્ઝ જીમના સીપીયુમાંથી એકત્રિત કરવામાં આવેલી વિગતોમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. જેમાં એકાઉન્ટીંગ સોફ્ટવેર થકી અનેક ડુપ્લીકેટ એન્ટ્રી પકડી પાડવામાં આવી હતી. સમગ્ર મામલાની ઝીણવટ ભરી તપાસ કરવા માટે જી.એસ.ટી વિભાગ દ્વારા 80 હજાર એન્ટ્રીઓ ચેક કરવામાં આવી હતી. આખરે રૂ. 2.58 કરોડના બારોબાર વ્યવહાર મામલે જી.એસ.ટી વિભાગ દ્વારા એલાઇવ્ઝ જીમના પાર્ટનરોને શો કોઝ નોટીસ ફટકારવામાં આવી હતી. તપાસ દરમિયાન કૈલાશ જાધવના એકાઉન્ટમાંથી લાખો રૂપિયાની કેશ એન્ટ્રી મળી હોવાનું પણ સુત્રોએ ઉમેર્યું હતું.
જીમનું સંચાલન કરતા કૈલાશ જાધવે નવેમ્બર- 2015 થી ડિસેમ્બર- 2017 સુધી અનેક એન્ટ્રીઓ લીધા બાદ એકાઉન્ટ બુકમાં તેની નોંધ ન કરી
એકાઉન્ટન્ટ સંજય હલીયલ સાથે મળીને એકાઉન્ટીંગ સોફ્ટવેરમાં ડુપ્લીકેટ એન્ટ્રીઓ કરી હોવાનું તપાસમાં સામે આવ્યું
જીમ દ્વારા ફાઇલ કરવામાં આવેલા જી.એસ.ટી.આર-1 રિટર્નમાં તફાવત દેખાયો
નાણાંકિય ઉચાપત અંતેના પુરાવા એકઠા કરવા માટે વિભાગે 80 હજાર જેટલી એન્ટ્રીઓનું વેરીફીકેશન કર્યું
વડોદરા. એલાઇવ્ઝ જીમમાં પાર્ટનર ડોક્ટર દેવાંગ શાહે બીજા પાર્ટનર કૈલાશ જાધવ વિરૂદ્ધ રૂ. 3 કરોડની છેતરપીંડી મામલે ફરિયાદ નોંધાવ્યા બાદ અનેક છેતરપીંડી સામે આવી રહી છે. જીમનું સંચાલન કરતા કૈલાશ જાધવે નવેમ્બર- 2015 થી ડિસેમ્બર- 2017 સુધી અનેક એન્ટ્રીઓ લીધા બાદ એકાઉન્ટ બુકમાં તેની નોંધ ન કરી હોવાનું જી.એસ.ટી વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી નોટીસમાં બહાર આવ્યું હતું. અંદાજીત રૂ. 2.58 કરોડના બારોબાર વ્યવહાર મામલે જી.એસ.ટી વિભાગ દ્વારા એલાઇવ્ઝ જીમના સંચાલકો ડો. દેવાંગ શાહ અને કૈલાશ જાધવને શો કોઝ નોટીસ ફટકારી હતી. જીમમાં રૂ. 2.58 કરોડ ના વ્યવહારો કર્યા બાદ તેની એન્ટ્રી એકાઉન્ટ બુકમાં બતાવવામાં આવી ન હતી અને વધુ એક કૌભાંડને અંજામ આપવામાં આવ્યું હતું.
એલાઇવ્ઝ જીમની શરૂઆતમાં બધુ સારૂ ચાલ્યું હતું. પરંતુ સમય જતા જીમના પાર્ટનર ડો. દેવાંગ શાહે અન્ય પાર્ટનર કૈલાશ જાધવ પાસે હિસાબો માંગતા મામલો ગોળ ગોળ ફરવાનો શરૂ થઇ ગયો હતો. આખરે ડો. દેવાંગ શાહે પાર્ટનર કૈલાશ જાધવ સામે છેતરપીંડી કરવા મામલે શહેર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. અને ત્યારથી કૈલાશ ફરાર થયો છે. જો કે ત્યાર બાદથી લઇને અત્યાર સુધી કૈલાશ જાધવની ઠગાઇના અનેક કિસ્સાઓ સામે આવી ગયા છે. એલાઇવ્ઝ જીમમાં પાર્ટનર ડો. દેવાંગ શાહ અને કૈલાશ જાધવ હતા. મોટા ભાગે જીમનું સંચાલન કૈલાશ જાધવ દ્વારા કરવામાં આવતું હતું.
જીમ સચાલકો દ્વારા નવેમ્બર-2019 થી જી.એસ.ટી.આર-3 બી ફાઇલ કરવામાં આવ્યું નથી
જી.એસ.ટી વિભાગની તપાસમાં વાત બહાર આવી હતી કે, એલાઇવ્ઝ જીમના કર્તાહર્તા કૈલાશ જાધવ દ્વારા એકાઉન્ટન્ટ સંજય હલીયલ સાથેમળીને નવેમ્બર- 2015 થી ડિસેમ્બર- 2017 સુધીની એન્ટ્રીઓ એકાઉન્ટીંગ સોફ્ટવેરમાં બતાવવામાં આવી ન હતી. તથા એપ્રીલ -2018 થી માર્ચ- 2020 સુધી ફાઇલ કરવામાં આવેલા જી.એસ.ટી.આર-1 રિટર્નમાં તફાવત સામે આવ્યો હતો. અને નવેમ્બર-2019 થી જીમ સંચાલક દ્વારા જી.એસ.ટી.આર-3 બી ફાઇલ કરવામાં આવ્યું ન હતું.આ અંગે ફર્મને 11-06-2020 માં નોટીસ પણ ફટકારવામાં આવી હતી.
રોડક વ્યવહાર કરી એકાઉન્ટીંગ સોફ્ટવેર થકી કરવામાં આવેલી અનેક ડુપ્લીકેટ એન્ટ્રી પકડી પાડવામાં આવી
જી.એસ.ટી વિભાગ દ્વારા એલાઇવ્ઝ જીમના સીપીયુમાંથી એકત્રિત કરવામાં આવેલી વિગતોમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. જેમાં એકાઉન્ટીંગ સોફ્ટવેર થકી અનેક ડુપ્લીકેટ એન્ટ્રી પકડી પાડવામાં આવી હતી. સમગ્ર મામલાની ઝીણવટ ભરી તપાસ કરવા માટે જી.એસ.ટી વિભાગ દ્વારા 80 હજાર એન્ટ્રીઓ ચેક કરવામાં આવી હતી. આખરે રૂ. 2.58 કરોડના બારોબાર વ્યવહાર મામલે જી.એસ.ટી વિભાગ દ્વારા એલાઇવ્ઝ જીમના પાર્ટનરોને શો કોઝ નોટીસ ફટકારવામાં આવી હતી. તપાસ દરમિયાન કૈલાશ જાધવના એકાઉન્ટમાંથી લાખો રૂપિયાની કેશ એન્ટ્રી મળી હોવાનું પણ સુત્રોએ ઉમેર્યું હતું.