મુખ્યમંત્રીના નિવાસ સ્થાને નારી શક્તિના પ્રેરક અભિવાદનના શક્તિ વંદના કાર્યક્રમ દ્વારા થઈ રહી છે નવરાત્રીની અનોખી ઉજવણી
ગુરુવારે યોજાનાર શક્તિ વંદના સંવાદમાં વડોદરાની સયાજી હોસ્પિટલના કોરોના વોરિયર એનેસ્થેટિસ્ત ડો.પીનલ બુમિયા આમંત્રિત
વડોદરા. રાજ્યના મુખ્યમંત્રીની પ્રેરણાથી તેમના નિવાસ સ્થાને હાલમાં નારી શક્તિના પ્રેરક અભિવાદનના શક્તિ વંદના કાર્યક્રમ દ્વારા શક્તિ આરાધના પર્વ નવરાત્રિની ખૂબ અનોખી ઉજવણી થઇ રહી છે.
આ કાર્યક્રમ હેઠળ જુદાં જુદાં ક્ષેત્રોમાં આગવો ચીલો ચાતરીને સમસ્ત સમાજને અને ખાસ કરીને મહિલા સમુદાયને પ્રેરણા આપનારા નારી વ્યક્તિત્વોને શક્તિ વંદનામાં આમંત્રિત કરીને,મુખ્યમંત્રી તેમની સાથે સંવાદ કરે છે. આમ,આ સબળાઓની પ્રેરણા ગાથા રાજ્ય સમક્ષ રજૂ કરવામાં આવી રહી છે
તેની આવતીકાલની કડીમાં આમંત્રિત ડો.પીનલ બૂમિયા સયાજી હોસ્પિટલમાં એનેસ્થેટિસ્ટ છે.કોરોના મહામારીમાં આઇસીયુમાં સક્ષમ પ્રબંધનમાં વડોદરાની સયાજી હોસ્પિટલમાં તેમણે ખૂબ જ નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
મહામારીની શરૂઆતના કટોકટીના સમયમાં તેમણે દર્દીઓની જીવન રક્ષા માટે ખૂબ જહેમત અને જોખમ ઉઠાવીને યોગદાન આપ્યું હતું.ફરજની અદાયગી દરમિયાન તેઓ પોતે બે વાર કોરોના સંક્રમિત થયાં હતાં તેમ છતાં,ફરજમાં તેમણે પાછી પાની કરી ન હતી.તેમની કોરોના મહામારીમાં કોરોના યોદ્ધા તરીકેની અગત્યની ભૂમિકા અંગે શક્તિ વંદના સંવાદમાં તેઓ પ્રકાશ પાડશે.
ડો. પીનલને કોરોના વોરિયર તરીકે ની ઉત્કૃષ્ઠ કામગીરી માટે ગત 15 મી ઓગસ્ટના રોજ જિલ્લા કક્ષાના ધ્વજ વંદન કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રીના નિવાસ સ્થાને નારી શક્તિના પ્રેરક અભિવાદનના શક્તિ વંદના કાર્યક્રમ દ્વારા થઈ રહી છે નવરાત્રીની અનોખી ઉજવણી
વડોદરા. રાજ્યના મુખ્યમંત્રીની પ્રેરણાથી તેમના નિવાસ સ્થાને હાલમાં નારી શક્તિના પ્રેરક અભિવાદનના શક્તિ વંદના કાર્યક્રમ દ્વારા શક્તિ આરાધના પર્વ નવરાત્રિની ખૂબ અનોખી ઉજવણી થઇ રહી છે.
આ કાર્યક્રમ હેઠળ જુદાં જુદાં ક્ષેત્રોમાં આગવો ચીલો ચાતરીને સમસ્ત સમાજને અને ખાસ કરીને મહિલા સમુદાયને પ્રેરણા આપનારા નારી વ્યક્તિત્વોને શક્તિ વંદનામાં આમંત્રિત કરીને,મુખ્યમંત્રી તેમની સાથે સંવાદ કરે છે. આમ,આ સબળાઓની પ્રેરણા ગાથા રાજ્ય સમક્ષ રજૂ કરવામાં આવી રહી છે
તેની આવતીકાલની કડીમાં આમંત્રિત ડો.પીનલ બૂમિયા સયાજી હોસ્પિટલમાં એનેસ્થેટિસ્ટ છે.કોરોના મહામારીમાં આઇસીયુમાં સક્ષમ પ્રબંધનમાં વડોદરાની સયાજી હોસ્પિટલમાં તેમણે ખૂબ જ નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
મહામારીની શરૂઆતના કટોકટીના સમયમાં તેમણે દર્દીઓની જીવન રક્ષા માટે ખૂબ જહેમત અને જોખમ ઉઠાવીને યોગદાન આપ્યું હતું.ફરજની અદાયગી દરમિયાન તેઓ પોતે બે વાર કોરોના સંક્રમિત થયાં હતાં તેમ છતાં,ફરજમાં તેમણે પાછી પાની કરી ન હતી.તેમની કોરોના મહામારીમાં કોરોના યોદ્ધા તરીકેની અગત્યની ભૂમિકા અંગે શક્તિ વંદના સંવાદમાં તેઓ પ્રકાશ પાડશે.
ડો. પીનલને કોરોના વોરિયર તરીકે ની ઉત્કૃષ્ઠ કામગીરી માટે ગત 15 મી ઓગસ્ટના રોજ જિલ્લા કક્ષાના ધ્વજ વંદન કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા હતા.