દેશભરમાં 50 બેંક લોન કૌભાંડીઓના રૂ. 67 હજાર કરોડની માંડવાળ (written off) કર્યા
સોમવારે હજારો કરોડના બેંક લોન કૌભાંડમાં સંડોવાયેલા સાંડેસરા જુથના નિતીન સાંડેસરા, ચેતન સાંડેસરા, દિપ્તી સાંડેસરા અને હિતેષ પટેલને દિલ્હીની સ્ટેશીયલ કોર્ટ દ્વારા આર્થિક ગુના માટેની વિશેષ જોગવાઇ ધરાવતા એક્ટ અંતર્ગત ભાગેડુ જાહેર કર્યા
વડોદરાના ચાર કંપનીઓના કુલ મળીને રૂ. 3,250 કરોડની માંડવાળ કરવામાં આવી
માંડવાળ (written off)ની પ્રક્રિયા પ્રત્યેક કંપનીએ બદલાય
વડોદરા. શહેરના ઉદ્યોગ સાહસીકો દ્વારા શરૂ કરવામાં આવેલી કંપનીઓના બેંક લોન કૌભાંડ પણ દેશના ટોપ 50 ના લીસ્ટમાં સ્થાન ધરાવે છે. એક આર.ટીઆઇ.ના જવાબમાં રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ડિફોલ્ટરના લિસ્ટ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં વડોદરાની ચાર નામચીન કંપનીઓનો સમાવેશ થાય છે. વડોદરાની કંપનીઓના કુલ મળીને રૂ. 3,250 કરોડ રૂપિયાની માંડવાળ કરવામાં આવી છે એટલે કે બેંકોના ચોપડે ભુસી નાંખવામાં આવ્યા છે.
સોમવારે હજારો કરોડના બેંક લોન કૌભાંડમાં સંડોવાયેલા સાંડેસરા જુથના નિતીન સાંડેસરા, ચેતન સાંડેસરા, દિપ્તી સાંડેસરા અને હિતેષ પટેલને દિલ્હીની સ્ટેશીયલ કોર્ટ દ્વારા આર્થિક ગુના માટેની વિશેષ જોગવાઇ ધરાવતા એક્ટ અંતર્ગત ભાગેડુ જાહેર કરવામાં આવ્યા હતા. અને હવે તેમની સામે હજારો કરોડની વસુલાતની કામગીરી સરળ બનશે તેવું મનાઇ રહ્યું છે. પરંતુ પોલીટીકલ એક્ટીવીસ્ટ દ્વારા માંગવામાં આવેલી આર.ટી.આઇ.ના જવાબમાં વાત બહાર આવી હતી કે, સ્ટર્લિંગ જુથની સ્ટર્લિંગ બાયોટેક લી.ના રૂ. 887કરોડ અને સ્ટર્લિંગ ઓઇલ રિસોર્સીસ લીમીડેટના રૂ. 888 કરોડ બેંકના ચોપડે માંડવાળ (written off) કરી દેવામાં આવ્યા છે.
બેંકો દ્વારા માંડવાળ કરવામાં આવ્યા હોય તેવા કૌભાંડીઓમાં સ્ટર્લિંગ જુથ સાથે ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લી.અને કેમરોક ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એક્સપોર્ટ લીમીટેડનો પણ સમાવેશ થાય છે. ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લી.ના રૂ. 2,654 કરોડના બેંક લોન કૌભાંડમાં સંડોવાયેલા અમિત ભટનાગર અને સુમિત ભટનાગર ની પત્નીઓ સામે લક્ઝુરીયસ હોટેલ બનાવવાના પૈસાની ગેરરીતી મામલે સીબીઆઇમાં ગાંધીનગર ખાતે ફરિયાદ કરવામાં આવી હતી. અમિત ભટનાગર અને સુમિત ભટનાગર હાલ વચગાળાના જામીન પર છે. ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લી.ના રૂ. 870 કરોડની માંડવાળ કરવામાં આવી છે. અને બિઝનેસમેન કલ્પેશ પટેલની કેમરોક ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એક્સપોર્ટ લી.ના રૂ. 605 કરોડની માંડવાળ કરવામાં આવી છે.
દેશના જાણીતા પોલીટીકલ એક્ટીવીસ્ટ સાકેત ગોખલે દ્વારા દેશના વીલફુલ ટોપ 50 વિલફુલ ડિફોલ્ટર અને તેમને માંડવાળ કરવામાં આવેલી રકમ સહિતની વિગતો આરટીઆઇ અંતર્ગત માંગી હતી. જેના જવાબમાં રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 30 સપ્ટેમ્બર, 2019 સુધીના ડેટા આપ્યા હતા. જેમાં 4 ડિફોલ્ટર વડોદરાના હતા. જેમના કુલ મળીને રૂ. 3,250 કરોડની માંડવાળ કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.
માંડવાળ (written off) ની પ્રક્રિયા કેવી રીતે થાય છે.
શહેરના સીએ અને રીઝોલ્યુશન પ્રોફેશનલ હિતેષ અગ્રવાલે જણાવ્યું હતું કે, બેંકો દ્વારા બે પ્રકારે માંડવાળ (written off) કરવામાં આવે છે. પહેલા પ્રકારમાં કંપનીની લોનના બાકી લેણા સામે બેંક દ્વારા વન ટાઇમ સેટલમેન્ટ પ્લાન આપવામાં આવે છે. જો બેંક અને કંપની બંન્ને પાર્ટીઓને વન ટાઇમ સેટલમેન્ટ પ્લાન મંજુર હોય તો તેના અમલીકરણથી બેંકો પોતાનું સંભવત: વસુલાત કરે છે. બીજી પ્રકારમાં બેંકો પાસેથી લોન લીધા બાદ કંપની દેવું ભરપાઇ કરવામાં નિષ્ફળ જાય ત્યારે બેંક કંપનીની સંપત્તિને ટાંચમાં લે છે. અને ત્યાર બાદ તેને વેચીને તેનું શક્ય હોય તેટલું દેવું વસુલે છે. બાકીની રકમની માંડવાળ કરવામાં આવે છે. માંડવાળ (written off)ની પ્રક્રિયા પ્રત્યેક કંપનીએ બદલાય છે.
વડોદરા. શહેરના ઉદ્યોગ સાહસીકો દ્વારા શરૂ કરવામાં આવેલી કંપનીઓના બેંક લોન કૌભાંડ પણ દેશના ટોપ 50 ના લીસ્ટમાં સ્થાન ધરાવે છે. એક આર.ટીઆઇ.ના જવાબમાં રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ડિફોલ્ટરના લિસ્ટ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં વડોદરાની ચાર નામચીન કંપનીઓનો સમાવેશ થાય છે. વડોદરાની કંપનીઓના કુલ મળીને રૂ. 3,250 કરોડ રૂપિયાની માંડવાળ કરવામાં આવી છે એટલે કે બેંકોના ચોપડે ભુસી નાંખવામાં આવ્યા છે.
સોમવારે હજારો કરોડના બેંક લોન કૌભાંડમાં સંડોવાયેલા સાંડેસરા જુથના નિતીન સાંડેસરા, ચેતન સાંડેસરા, દિપ્તી સાંડેસરા અને હિતેષ પટેલને દિલ્હીની સ્ટેશીયલ કોર્ટ દ્વારા આર્થિક ગુના માટેની વિશેષ જોગવાઇ ધરાવતા એક્ટ અંતર્ગત ભાગેડુ જાહેર કરવામાં આવ્યા હતા. અને હવે તેમની સામે હજારો કરોડની વસુલાતની કામગીરી સરળ બનશે તેવું મનાઇ રહ્યું છે. પરંતુ પોલીટીકલ એક્ટીવીસ્ટ દ્વારા માંગવામાં આવેલી આર.ટી.આઇ.ના જવાબમાં વાત બહાર આવી હતી કે, સ્ટર્લિંગ જુથની સ્ટર્લિંગ બાયોટેક લી.ના રૂ. 887કરોડ અને સ્ટર્લિંગ ઓઇલ રિસોર્સીસ લીમીડેટના રૂ. 888 કરોડ બેંકના ચોપડે માંડવાળ (written off) કરી દેવામાં આવ્યા છે.
બેંકો દ્વારા માંડવાળ કરવામાં આવ્યા હોય તેવા કૌભાંડીઓમાં સ્ટર્લિંગ જુથ સાથે ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લી.અને કેમરોક ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એક્સપોર્ટ લીમીટેડનો પણ સમાવેશ થાય છે. ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લી.ના રૂ. 2,654 કરોડના બેંક લોન કૌભાંડમાં સંડોવાયેલા અમિત ભટનાગર અને સુમિત ભટનાગર ની પત્નીઓ સામે લક્ઝુરીયસ હોટેલ બનાવવાના પૈસાની ગેરરીતી મામલે સીબીઆઇમાં ગાંધીનગર ખાતે ફરિયાદ કરવામાં આવી હતી. અમિત ભટનાગર અને સુમિત ભટનાગર હાલ વચગાળાના જામીન પર છે. ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લી.ના રૂ. 870 કરોડની માંડવાળ કરવામાં આવી છે. અને બિઝનેસમેન કલ્પેશ પટેલની કેમરોક ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એક્સપોર્ટ લી.ના રૂ. 605 કરોડની માંડવાળ કરવામાં આવી છે.
દેશના જાણીતા પોલીટીકલ એક્ટીવીસ્ટ સાકેત ગોખલે દ્વારા દેશના વીલફુલ ટોપ 50 વિલફુલ ડિફોલ્ટર અને તેમને માંડવાળ કરવામાં આવેલી રકમ સહિતની વિગતો આરટીઆઇ અંતર્ગત માંગી હતી. જેના જવાબમાં રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 30 સપ્ટેમ્બર, 2019 સુધીના ડેટા આપ્યા હતા. જેમાં 4 ડિફોલ્ટર વડોદરાના હતા. જેમના કુલ મળીને રૂ. 3,250 કરોડની માંડવાળ કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.
માંડવાળ (written off) ની પ્રક્રિયા કેવી રીતે થાય છે.
શહેરના સીએ અને રીઝોલ્યુશન પ્રોફેશનલ હિતેષ અગ્રવાલે જણાવ્યું હતું કે, બેંકો દ્વારા બે પ્રકારે માંડવાળ (written off) કરવામાં આવે છે. પહેલા પ્રકારમાં કંપનીની લોનના બાકી લેણા સામે બેંક દ્વારા વન ટાઇમ સેટલમેન્ટ પ્લાન આપવામાં આવે છે. જો બેંક અને કંપની બંન્ને પાર્ટીઓને વન ટાઇમ સેટલમેન્ટ પ્લાન મંજુર હોય તો તેના અમલીકરણથી બેંકો પોતાનું સંભવત: વસુલાત કરે છે. બીજી પ્રકારમાં બેંકો પાસેથી લોન લીધા બાદ કંપની દેવું ભરપાઇ કરવામાં નિષ્ફળ જાય ત્યારે બેંક કંપનીની સંપત્તિને ટાંચમાં લે છે. અને ત્યાર બાદ તેને વેચીને તેનું શક્ય હોય તેટલું દેવું વસુલે છે. બાકીની રકમની માંડવાળ કરવામાં આવે છે. માંડવાળ (written off)ની પ્રક્રિયા પ્રત્યેક કંપનીએ બદલાય છે.