સગર્ભાની સારવાર કરી રહેલા તબીબોએ ડીલીવરી થી લઇને મહિલાના મૃત્યુ સુધી અનેક અલગ અલગ કારણો આપી યુવક પાસેથી પૈસા તથા સારવારમાં જરૂરી સામાનની વ્યવસ્થા કરવા જણાવ્યું
સોનોગ્રાફી રિપોર્ટ આવ્યા બાદ ડો. ધર્મેશ ગાભાણીએ નરેન્દ્રને જણાવ્યું કે પેટમાં બાળકનું મૃત્યુ થયું છે. તાત્કાલીક બે કલાકમાં સીઝર કરવું પડશે. પરંતુ સીઝર કરતા બાળક જીવતું નિકળ્યું
બ્લીડીંગ રોકવા માટેના ઓપરેશન બાદ કિડની ફેઇલ થઇ હોવાનું જણાવ્યું અને વધુ સારવાર શરૂ કરવામાં આવી
કિડનીની સારવાર દરમિયાન પ્લાઝમા મશીન મંગાવવાનું હોવાથી નરેન્દ્ર પાસે રૂ. 16 હજાર જમા કરાવ્યા
નિમિષાના મૃતદેહનું એસએસજી હોસ્પિટલમાં ફોરેન્સીક પીએમ કરાવવામાં આવ્યું હતું.
પીએમ નોટમાં ડોક્ટરની બેદરકારી સામે આવી હતી. અને પોલીસે સંગમ હોસ્પિટલમા સારવાર આપી રહેલા તબિબ સામે ફરિયાદ નોંધી હતી.
વડોદરા. બોડેલીમાં પ્લંબીંગનું કામ કરતા યુવકની સગર્ભા પત્નીની સારવાર બોડેલીમાં આવેલી સંગમ હોસ્પીટલમાં ચાલતી રહીં હતી. સગર્ભાની સારવાર કરી રહેલા તબીબોએ ડીલીવરીથી લઇને મહિલાના મૃત્યુ સુધી અનેક અલગ અલગ કારણો આપી યુવક પાસેથી પૈસા તથા સારવારમાં જરૂરી સામાનની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. આખરે મહિલાનું ડીલીવરી બાદ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મહિલાના મૃતદેહનું એસ.એસ.જી હોસ્પિટલમાં ફોરેન્સીક પીએમ બાદ ડોક્ટરની બેદરકારીથી મૃત્યુ થયુ હોવાની વાત સામે આવી હતી. સમગ્ર મામલે બોડેલી પોલીસ દ્વારા સંગમ હોસ્પિટલ (લાઇફકેર એલએલપી)ના સારવાર કરનાર ડોક્ટર વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.
બોડેલીમાં આવેલા વિસાડી રામદેવ ફળીયામાં 31 વર્ષિય નરેન્દ્રકુમાર ડાહ્યાભાઇ વણકર તેના પરિવાર સાથે રહેતો હતો. બે વર્ષ પહેલા તેના લગ્ન નિમિષા સાથે થયા હતા. નિમિષા સગર્ભા થતા તેની સારવાર પહેલાથી જ બોડેલીની સંગમ હોસ્પિટલ ખાતે ચાલી રહી હતી. 26-09-2019ના રોજ સવારે દંપત્તિ સંગમ હોસ્પિટલમાં ડો. ધર્મેશ ગાભાણીને ચેકઅપ માટે ગયું હતું. જ્યાં નિમિષાની સોનોગ્રાફી કરાવવામાં આવી હતી. સોનોગ્રાફી રિપોર્ટ આવ્યા બાદ ડો. ધર્મેશ ગાભાણીએ નરેન્દ્રને જણાવ્યું કે પેટમાં બાળકનું મૃત્યુ થયું છે. તાત્કાલીક બે કલાકમાં સીઝર કરવું પડશે. પરંતુ સીઝર કરતા બાળક જીવતુ નિકળ્યુ હતું.
ત્યાર બાદ મહિલાને બ્લીડીંગ (રક્ત સ્ત્રાવ) ચાલુ રહેતા તેની સારવાર ચાલુ રાખવામાં આવી હતી. બ્લીડીંગ બંધ કરવા માટે મહિલાનું વધુ એક ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ પણ બ્લીડીંગ ચાલુ જ રહ્યું હતું.જેમાં નરેન્દ્ર પાસેથી લોહીની વ્યવસ્થા કરાવવામાં આવી હતી. 29-09-2019 ના રોજ ડોક્ટર ધર્મેશ ગાબાણીએ નરેન્દ્ર કુમારને જણાવ્યું કે, તમારી પત્નીની એક કિડની ડેમેજ થઇ ગઇ છે, ડાયાલીસીસ કરવું પડશે. ત્યાર બાદ બીજા દિવસે 30-09-2019 ના રોજ ડોક્ટરે ફરી નરેન્દ્રને બોલાવીને કહ્યું કે, તારી પત્નીની બંન્ને કિડની ફેઇલ થઇ ગઇ છે. ડાયાલીસીસ થી સારૂ થઇ જશે. ડાયાલીસીસ શરૂ કર્યાના થોડાક સમય બાદ ડોક્ટરે નરેન્દ્રને જાણ કરી કે તારી પત્નીનું લીવર ફેઇલ થઇ ગયું છે. ત્યાર બાદ પણ સંગમ હોસ્પિટલમાં તેની સારવાર ચાલુ રાખવામાં આવી હતી.
કિડનીની સારવાર દરમિયાન પ્લાઝમા મશીન મંગાવવાનું હોવાથી નરેન્દ્રએ રૂ. 16 હજાર ભર્યા હતા. 5-10-2019 ના રોજ સવારે સાડા સાત વાગ્યે પત્નીને ચા નાસ્તો કરાવ્યા બાદ ડો. ધારાક પંડ્યાએ એક વાગ્યે ઓફિસમાં બોલાવીને પત્નીના મોતના સમાચાર આપ્યા હતા.
નિમિષાના મોતમાં તબિબોની બેદરકારી સામે તપાસ કરવા માટે બોડેલી પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી હતી. નિમિષાના મૃતદેહનું ફોરેન્સીક પીએમ વડોદરા ખાતે આવેલી એસએસજી હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. પીએમ નોટમાં ડોક્ટરની બેદરકારીથી મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું હતું. જેથી સંગમ હોસ્પિટલ (લાઇફ કેર એલ.એલ.પી)ના સારવાર કરી રહેલા ડોક્ટર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.
- સગર્ભાની સારવાર કરી રહેલા તબીબોએ ડીલીવરી થી લઇને મહિલાના મૃત્યુ સુધી અનેક અલગ અલગ કારણો આપી યુવક પાસેથી પૈસા તથા સારવારમાં જરૂરી સામાનની વ્યવસ્થા કરવા જણાવ્યું
- સોનોગ્રાફી રિપોર્ટ આવ્યા બાદ ડો. ધર્મેશ ગાભાણીએ નરેન્દ્રને જણાવ્યું કે પેટમાં બાળકનું મૃત્યુ થયું છે. તાત્કાલીક બે કલાકમાં સીઝર કરવું પડશે. પરંતુ સીઝર કરતા બાળક જીવતું નિકળ્યું
- બ્લીડીંગ રોકવા માટેના ઓપરેશન બાદ કિડની ફેઇલ થઇ હોવાનું જણાવ્યું અને વધુ સારવાર શરૂ કરવામાં આવી
- કિડનીની સારવાર દરમિયાન પ્લાઝમા મશીન મંગાવવાનું હોવાથી નરેન્દ્ર પાસે રૂ. 16 હજાર જમા કરાવ્યા
- નિમિષાના મૃતદેહનું એસએસજી હોસ્પિટલમાં ફોરેન્સીક પીએમ કરાવવામાં આવ્યું હતું.
- પીએમ નોટમાં ડોક્ટરની બેદરકારી સામે આવી હતી. અને પોલીસે સંગમ હોસ્પિટલમા સારવાર આપી રહેલા તબિબ સામે ફરિયાદ નોંધી હતી.
વડોદરા. બોડેલીમાં પ્લંબીંગનું કામ કરતા યુવકની સગર્ભા પત્નીની સારવાર બોડેલીમાં આવેલી સંગમ હોસ્પીટલમાં ચાલતી રહીં હતી. સગર્ભાની સારવાર કરી રહેલા તબીબોએ ડીલીવરીથી લઇને મહિલાના મૃત્યુ સુધી અનેક અલગ અલગ કારણો આપી યુવક પાસેથી પૈસા તથા સારવારમાં જરૂરી સામાનની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. આખરે મહિલાનું ડીલીવરી બાદ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મહિલાના મૃતદેહનું એસ.એસ.જી હોસ્પિટલમાં ફોરેન્સીક પીએમ બાદ ડોક્ટરની બેદરકારીથી મૃત્યુ થયુ હોવાની વાત સામે આવી હતી. સમગ્ર મામલે બોડેલી પોલીસ દ્વારા સંગમ હોસ્પિટલ (લાઇફકેર એલએલપી)ના સારવાર કરનાર ડોક્ટર વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.
બોડેલીમાં આવેલા વિસાડી રામદેવ ફળીયામાં 31 વર્ષિય નરેન્દ્રકુમાર ડાહ્યાભાઇ વણકર તેના પરિવાર સાથે રહેતો હતો. બે વર્ષ પહેલા તેના લગ્ન નિમિષા સાથે થયા હતા. નિમિષા સગર્ભા થતા તેની સારવાર પહેલાથી જ બોડેલીની સંગમ હોસ્પિટલ ખાતે ચાલી રહી હતી. 26-09-2019ના રોજ સવારે દંપત્તિ સંગમ હોસ્પિટલમાં ડો. ધર્મેશ ગાભાણીને ચેકઅપ માટે ગયું હતું. જ્યાં નિમિષાની સોનોગ્રાફી કરાવવામાં આવી હતી. સોનોગ્રાફી રિપોર્ટ આવ્યા બાદ ડો. ધર્મેશ ગાભાણીએ નરેન્દ્રને જણાવ્યું કે પેટમાં બાળકનું મૃત્યુ થયું છે. તાત્કાલીક બે કલાકમાં સીઝર કરવું પડશે. પરંતુ સીઝર કરતા બાળક જીવતુ નિકળ્યુ હતું.
ત્યાર બાદ મહિલાને બ્લીડીંગ (રક્ત સ્ત્રાવ) ચાલુ રહેતા તેની સારવાર ચાલુ રાખવામાં આવી હતી. બ્લીડીંગ બંધ કરવા માટે મહિલાનું વધુ એક ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ પણ બ્લીડીંગ ચાલુ જ રહ્યું હતું.જેમાં નરેન્દ્ર પાસેથી લોહીની વ્યવસ્થા કરાવવામાં આવી હતી. 29-09-2019 ના રોજ ડોક્ટર ધર્મેશ ગાબાણીએ નરેન્દ્ર કુમારને જણાવ્યું કે, તમારી પત્નીની એક કિડની ડેમેજ થઇ ગઇ છે, ડાયાલીસીસ કરવું પડશે. ત્યાર બાદ બીજા દિવસે 30-09-2019 ના રોજ ડોક્ટરે ફરી નરેન્દ્રને બોલાવીને કહ્યું કે, તારી પત્નીની બંન્ને કિડની ફેઇલ થઇ ગઇ છે. ડાયાલીસીસ થી સારૂ થઇ જશે. ડાયાલીસીસ શરૂ કર્યાના થોડાક સમય બાદ ડોક્ટરે નરેન્દ્રને જાણ કરી કે તારી પત્નીનું લીવર ફેઇલ થઇ ગયું છે. ત્યાર બાદ પણ સંગમ હોસ્પિટલમાં તેની સારવાર ચાલુ રાખવામાં આવી હતી.
કિડનીની સારવાર દરમિયાન પ્લાઝમા મશીન મંગાવવાનું હોવાથી નરેન્દ્રએ રૂ. 16 હજાર ભર્યા હતા. 5-10-2019 ના રોજ સવારે સાડા સાત વાગ્યે પત્નીને ચા નાસ્તો કરાવ્યા બાદ ડો. ધારાક પંડ્યાએ એક વાગ્યે ઓફિસમાં બોલાવીને પત્નીના મોતના સમાચાર આપ્યા હતા.
નિમિષાના મોતમાં તબિબોની બેદરકારી સામે તપાસ કરવા માટે બોડેલી પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી હતી. નિમિષાના મૃતદેહનું ફોરેન્સીક પીએમ વડોદરા ખાતે આવેલી એસએસજી હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. પીએમ નોટમાં ડોક્ટરની બેદરકારીથી મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું હતું. જેથી સંગમ હોસ્પિટલ (લાઇફ કેર એલ.એલ.પી)ના સારવાર કરી રહેલા ડોક્ટર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.