કોરોનાગ્રસ્ત વિસ્તારઃ- કારેલીબાગ, માંજલપુર, મકરપુરા, આજવા રોડ, છાણી, વાઘોડિયા રોડ, સમા, સમતા, ગોત્રી, વાસણા રોડ, તાંદલજા, પાણીગેટ, વીઆઇપી રોડ, અકોટા, તરસાલી, નવી ઘરતી
ગ્રામ્યઃ- કરજણ, પાદરા, સાવલી, સેવાસી, પોર, ડભોઇ, ઉંડેરા, ભાયલી, કલાલી, વાઘોડિયા, ખટંબા
વડોદરા. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 110 પોઝિટીવ કેસ નોંધાયા છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 4,377 સેમ્પલમાંથી 110 કોરોના પોઝિટીવ અને 4,267 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 12,947 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 01 મૃત્યુના વધારા સાથે કુલ મૃત્યુ આંક 205 કરવામાં આવ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 1,823 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 1,584 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 163 ઓક્સિજન પર અને 76 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 239 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 16 સરકારી હોસ્પિટલ ખાતેથી, 06 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 42 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 64 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 10,920 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 4,328 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 0 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 4,328 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.
વડોદરા. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 110 પોઝિટીવ કેસ નોંધાયા છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 4,377 સેમ્પલમાંથી 110 કોરોના પોઝિટીવ અને 4,267 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 12,947 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 01 મૃત્યુના વધારા સાથે કુલ મૃત્યુ આંક 205 કરવામાં આવ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 1,823 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 1,584 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 163 ઓક્સિજન પર અને 76 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 239 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 16 સરકારી હોસ્પિટલ ખાતેથી, 06 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 42 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 64 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 10,920 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 4,328 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 0 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 4,328 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.