કંપનીના કર્મીને કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યા બાદ યુવક સહિત અન્ય કર્મીઓએ એન્ટીજન કોરોના રિપોર્ટ કઢાવ્યો હતો.
નવી ધરતી યુપીએચસીમાં યુવકનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો, કોઇ પણ પ્રકારના લક્ષણો ન જણાતા યુવકે 30 મીનીટની દુરી પર આવેલા કારેલીબાગ યુપીએચસી સેન્ટરમાં ટેસ્ટ કરાવતા કોરોના નેગેટીવ આવ્યો હતો.
નેગેટીવ રિપોર્ટની ખરાઇ માટે એક કલાક બાદ યુવકે જેતલપુર- યુપીએચસીમાં ફરી એન્ટીજન ટેસ્ટ કરાવ્યો હતો. જે નેગેટીવ આવ્યો હતો.
ગણતરીની મિનીટોના અંતરાયમાં કોરોના રિપોર્ટમાં પોઝીટીવ અને નેગેટીવ આવતા ટેસ્ટ કીટના ભરોસા સામે ભવિષ્યમાં અનેક સવાલો ઉભા થઇ શકે
જો આ પ્રકારના ટેસ્ટીંગ હજારોની સંખ્યામાં પણ કરવામાં આવે તો કોરોના પોઝીટીવ વ્યક્તિઓનો સાચો આંક મેળવી શકાય ?
વડોદરા કોરોના ટેસ્ટીંગ માટે કરવામાં આવતો એન્ટીજન ટેસ્ટનો શહેરના યુવકને જાદુઇ અનુભવ થયો હતો. એક જ દિવસમાં યુવકનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યના 30 મીનીટ બાદ કરવામાં આવેલા બીજા ટેસ્ટમાં કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. ત્યાર બાદ નેગેટીવ રીપોર્ટની ખરાઇ કરવા માટે 1 કલાક પછી ફરી કરવામાં આવેલા એન્ટીજન ટેસ્ટનું પરીણામ નેગેટીવ આવ્યું હતું. એન્ટીજન ટેસ્ટીંગ કીટના પરિણામમાં ગણતરીની મિનીટોમાં પોઝીટીવ થી નેગેટીવ આવવું તેના પરિણામના ભરોસા સામે સેંકડો સવાલો ખડા કરે છે.
શહેરના સલાટવાડા વિસ્તારમાં આવેલી ખાનગી ફાઇનાન્સ કંપનીમાં કામ કરતા કર્મીને થોડાક દિવસ પહેલા કોરોના પોઝીટીવ આવતા તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. અને સાથી કર્મીઓને તેમનું તબિબિ પરીક્ષણ કરાવવા તાકીદ કરવામાં આવી હતી. તેમાંથી એક સહકર્મી પોતાનો કોરોના ટેસ્ટ કરાવવા માટે ગઇ કાલે નવી ધરતી યુપીએચસી સેન્ટર ખાતે ગયો હતો. ત્યાં તેનો એન્ટીજન ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. કોરોના પોઝીટીવ આવ્યા બાદ યુવકને સેન્ટર તરફથી દવા આપી પાંચ દિવસ બાદ જરૂર પડ્યે આવવા જણાવાયું હતું. યુવકને કોઇ લક્ષણો ન હોવાને કારણે તેણે 30 મીનીટના દુરી પર આવેલી કારેલીબાગ યુપીએચસી સેન્ટરમાં જઇ ફરી એન્ટીજન ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તેનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો.
હવે યુવાનના મનમાં એન્ટીજન ટેસ્ટના પોઝીટીવ - નેગેટીવ પરીણામને લઇ દુવિધા ઉભી થઇ હતી. આખરે યુવાને જેતલપુર યુપીએચસીમાં ફરી વખત કોરોના રિપોર્ટ કરાવવાનું નક્કી કર્યું હતું. જેનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. હવે યુવાને પોતાનો કોરોના રિપોર્ટ નેગેટીવ છે તેમ માની લીધું હતું.
સરકાર દ્વારા કોરોનાને કાબુમાં લેવા માટે ટેસ્ટીંગ વધારવામાં આવી રહ્યા હોવાનો દાવો કરવામાં આવે છે અને તેના પરીણામોના આધાર લઇ કોરોનાની સ્થિતી નક્કી કરવામાં આવતી હોય છે. પરંતુ જો આવી રીતે 90 મીનીટના સમયમાં કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ નેગેટીવ આવી જતો હોય તો એન્ટીજન ટેસ્ટની વિશ્વસનીયતા પર ભવિષ્યમાં સવાલ ઉઠશે.
કંપનીના કર્મીને કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યા બાદ યુવક સહિત અન્ય કર્મીઓએ એન્ટીજન કોરોના રિપોર્ટ કઢાવ્યો હતો.
નવી ધરતી યુપીએચસીમાં યુવકનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો, કોઇ પણ પ્રકારના લક્ષણો ન જણાતા યુવકે 30 મીનીટની દુરી પર આવેલા કારેલીબાગ યુપીએચસી સેન્ટરમાં ટેસ્ટ કરાવતા કોરોના નેગેટીવ આવ્યો હતો.
નેગેટીવ રિપોર્ટની ખરાઇ માટે એક કલાક બાદ યુવકે જેતલપુર- યુપીએચસીમાં ફરી એન્ટીજન ટેસ્ટ કરાવ્યો હતો. જે નેગેટીવ આવ્યો હતો.
ગણતરીની મિનીટોના અંતરાયમાં કોરોના રિપોર્ટમાં પોઝીટીવ અને નેગેટીવ આવતા ટેસ્ટ કીટના ભરોસા સામે ભવિષ્યમાં અનેક સવાલો ઉભા થઇ શકે
જો આ પ્રકારના ટેસ્ટીંગ હજારોની સંખ્યામાં પણ કરવામાં આવે તો કોરોના પોઝીટીવ વ્યક્તિઓનો સાચો આંક મેળવી શકાય ?
વડોદરા કોરોના ટેસ્ટીંગ માટે કરવામાં આવતો એન્ટીજન ટેસ્ટનો શહેરના યુવકને જાદુઇ અનુભવ થયો હતો. એક જ દિવસમાં યુવકનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યના 30 મીનીટ બાદ કરવામાં આવેલા બીજા ટેસ્ટમાં કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. ત્યાર બાદ નેગેટીવ રીપોર્ટની ખરાઇ કરવા માટે 1 કલાક પછી ફરી કરવામાં આવેલા એન્ટીજન ટેસ્ટનું પરીણામ નેગેટીવ આવ્યું હતું. એન્ટીજન ટેસ્ટીંગ કીટના પરિણામમાં ગણતરીની મિનીટોમાં પોઝીટીવ થી નેગેટીવ આવવું તેના પરિણામના ભરોસા સામે સેંકડો સવાલો ખડા કરે છે.
શહેરના સલાટવાડા વિસ્તારમાં આવેલી ખાનગી ફાઇનાન્સ કંપનીમાં કામ કરતા કર્મીને થોડાક દિવસ પહેલા કોરોના પોઝીટીવ આવતા તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. અને સાથી કર્મીઓને તેમનું તબિબિ પરીક્ષણ કરાવવા તાકીદ કરવામાં આવી હતી. તેમાંથી એક સહકર્મી પોતાનો કોરોના ટેસ્ટ કરાવવા માટે ગઇ કાલે નવી ધરતી યુપીએચસી સેન્ટર ખાતે ગયો હતો. ત્યાં તેનો એન્ટીજન ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. કોરોના પોઝીટીવ આવ્યા બાદ યુવકને સેન્ટર તરફથી દવા આપી પાંચ દિવસ બાદ જરૂર પડ્યે આવવા જણાવાયું હતું. યુવકને કોઇ લક્ષણો ન હોવાને કારણે તેણે 30 મીનીટના દુરી પર આવેલી કારેલીબાગ યુપીએચસી સેન્ટરમાં જઇ ફરી એન્ટીજન ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તેનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો.
હવે યુવાનના મનમાં એન્ટીજન ટેસ્ટના પોઝીટીવ - નેગેટીવ પરીણામને લઇ દુવિધા ઉભી થઇ હતી. આખરે યુવાને જેતલપુર યુપીએચસીમાં ફરી વખત કોરોના રિપોર્ટ કરાવવાનું નક્કી કર્યું હતું. જેનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. હવે યુવાને પોતાનો કોરોના રિપોર્ટ નેગેટીવ છે તેમ માની લીધું હતું.
સરકાર દ્વારા કોરોનાને કાબુમાં લેવા માટે ટેસ્ટીંગ વધારવામાં આવી રહ્યા હોવાનો દાવો કરવામાં આવે છે અને તેના પરીણામોના આધાર લઇ કોરોનાની સ્થિતી નક્કી કરવામાં આવતી હોય છે. પરંતુ જો આવી રીતે 90 મીનીટના સમયમાં કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ નેગેટીવ આવી જતો હોય તો એન્ટીજન ટેસ્ટની વિશ્વસનીયતા પર ભવિષ્યમાં સવાલ ઉઠશે.