ઝારખંડના હજીરાબાગમાં ગત તા. 7 ઓકટોબરના રોજ રણજીતની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી
મૃતકના પરિવારજનોએ હજીરાબાગના ચરહી પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરીયાદ નોંધાવી
ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે નટુભાઇ સર્કલ પાસેથી ઇકો કારમાં સવાર હત્યારાઓને ઝડપી પાડ્યાં
હત્યારો અર્જુન મંડલ હરિનગર બ્રીજ પાસે સ્વાગત રેસ્ટોરન્ટ ચલાવે છે
વડોદરા. શહેરના હરિનગર બ્રીજ પાસે સ્વાગત રેસ્ટોરન્ટ ચલાવતા અર્જુન મંડલ અને તેના મિત્રએ ઝારખંડ ખાતે માસીના દિકરાની હત્યા કરી વડોદરા આવી પહોંચ્યાં હતા. આ મામલે મૃતકના ભાઇએ ચરહી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા અર્જુન અને તેની પરિવારજનો પર શંકા દર્શાવી હતી. દરમિયાન વડોદરા ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે મૃતક રણજીતના હત્યારાઓને ઝડપી પાડવામાં આવ્યાં હતા.
આ બનાવની વિગત એવી છે કે, મૃતક રણજીત મંડલ હત્યારા અર્જુન મંડલની માસીનો દિકરો થતો હતો. થોડા સમય પહેલા રણજીત વડોદરા ખાતે પરિક્ષા આપવા માટે આવ્યો હતો. તે સમયે રણજીત અને અર્જુનની પત્ની વચ્ચે શારીરીક સંબંધો બંધાયા હતા. પરિક્ષા આપ્યાં બાદ રણજીત પરત ઝારખંડ સ્થિત પોતાના ઘરે જતો રહ્યો હતો. દરમિયાન રણજીત અને માલતીદેવી વચ્ચે શારીરીક સંબંધો બંધાયા હોવાની અર્જુનને જાણ થઇ હતી.
પત્ની સાથે માસીના દિકરાએ શારીરીક સંબંધો બાંધ્યા હોવાની જાણ થતા અર્જુન ઉશ્કેરાયો હતો. જેથી તેણે રણજીતની હત્યા કરવાનુ નક્કી કરી લીધું અને મિત્ર દિપક બાવરવા સાથે ઇકો કારમાં ઝારખંડ સ્થિત રણજીતના ઘરે મોડી રાત્રે પહોંચી ગયા હતા. જ્યાં રણજીતને ઉઠાડી કામના બહાને કારમાં બેસાડી નાઇલોનની દોરી વડે ગળે દિપકે ટુંપો આપી હત્યા કરી નાખી હતી. રણજીતની હત્યા કર્યા બાદ તેની લાશને રસ્તાની બાજુમાં ફેંકી દઇ બન્ને હત્યારાઓ વડોદરા આવી પહોંચ્યાં હતા. દરમિયાન રણજીતના પરિવારજનો તેનો સતત સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યાં હતા. પરંતુ સંપર્ક થઇ શક્યો ન હતો. આખરે રણજીતના ભાઇએ હજીરાબાગના ચરહી પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ભાઇના ગુમ થયાની ફરીયાદ નોંધાવી હતી.
તેવામાં એક અજાણી લાશ પોલીસને મળતા તેની ઓળખ કરાવવામાં આવી હતી. જોકે લાશ રણજીતની જ હોવાથી તેના ભાઇએ ઓળખી કાઢી હતી. આ મામલે મૃતક રણજીતના ભાઇએ ચરહી પોલીસ સ્ટેશનમાં અર્જુન મંડલ અને તેના પરિવારજનો સામ શંકા કરતી ફરીયાદ નોંધાવી હતી. જોકે આ મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, ઝારખંડ સ્થિત હજારીબાગમાં કરાયેલી હત્યાના બન્ને આરોપીઓ નટુભાઇ સર્કલ પાસેથી ઇકો કારમાં પસાર થવાને છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઇકો કારમાં સવાર અર્જુન મંડલ અને ચકલી સર્કલ પાસે ગેરેજ ચલાવતા દિપક બાવરવાને ઝડપી પાડ્યાં હતા. તેમજ પોલીસે આ મામલે અર્જુનની પત્ની માલતીદેવીની પણ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ઝારખંડના હજીરાબાગમાં ગત તા. 7 ઓકટોબરના રોજ રણજીતની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી
મૃતકના પરિવારજનોએ હજીરાબાગના ચરહી પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરીયાદ નોંધાવી
હત્યારો અર્જુન મંડલ હરિનગર બ્રીજ પાસે સ્વાગત રેસ્ટોરન્ટ ચલાવે છે
વડોદરા. શહેરના હરિનગર બ્રીજ પાસે સ્વાગત રેસ્ટોરન્ટ ચલાવતા અર્જુન મંડલ અને તેના મિત્રએ ઝારખંડ ખાતે માસીના દિકરાની હત્યા કરી વડોદરા આવી પહોંચ્યાં હતા. આ મામલે મૃતકના ભાઇએ ચરહી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા અર્જુન અને તેની પરિવારજનો પર શંકા દર્શાવી હતી. દરમિયાન વડોદરા ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે મૃતક રણજીતના હત્યારાઓને ઝડપી પાડવામાં આવ્યાં હતા.
આ બનાવની વિગત એવી છે કે, મૃતક રણજીત મંડલ હત્યારા અર્જુન મંડલની માસીનો દિકરો થતો હતો. થોડા સમય પહેલા રણજીત વડોદરા ખાતે પરિક્ષા આપવા માટે આવ્યો હતો. તે સમયે રણજીત અને અર્જુનની પત્ની વચ્ચે શારીરીક સંબંધો બંધાયા હતા. પરિક્ષા આપ્યાં બાદ રણજીત પરત ઝારખંડ સ્થિત પોતાના ઘરે જતો રહ્યો હતો. દરમિયાન રણજીત અને માલતીદેવી વચ્ચે શારીરીક સંબંધો બંધાયા હોવાની અર્જુનને જાણ થઇ હતી.
પત્ની સાથે માસીના દિકરાએ શારીરીક સંબંધો બાંધ્યા હોવાની જાણ થતા અર્જુન ઉશ્કેરાયો હતો. જેથી તેણે રણજીતની હત્યા કરવાનુ નક્કી કરી લીધું અને મિત્ર દિપક બાવરવા સાથે ઇકો કારમાં ઝારખંડ સ્થિત રણજીતના ઘરે મોડી રાત્રે પહોંચી ગયા હતા. જ્યાં રણજીતને ઉઠાડી કામના બહાને કારમાં બેસાડી નાઇલોનની દોરી વડે ગળે દિપકે ટુંપો આપી હત્યા કરી નાખી હતી. રણજીતની હત્યા કર્યા બાદ તેની લાશને રસ્તાની બાજુમાં ફેંકી દઇ બન્ને હત્યારાઓ વડોદરા આવી પહોંચ્યાં હતા. દરમિયાન રણજીતના પરિવારજનો તેનો સતત સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યાં હતા. પરંતુ સંપર્ક થઇ શક્યો ન હતો. આખરે રણજીતના ભાઇએ હજીરાબાગના ચરહી પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ભાઇના ગુમ થયાની ફરીયાદ નોંધાવી હતી.
તેવામાં એક અજાણી લાશ પોલીસને મળતા તેની ઓળખ કરાવવામાં આવી હતી. જોકે લાશ રણજીતની જ હોવાથી તેના ભાઇએ ઓળખી કાઢી હતી. આ મામલે મૃતક રણજીતના ભાઇએ ચરહી પોલીસ સ્ટેશનમાં અર્જુન મંડલ અને તેના પરિવારજનો સામ શંકા કરતી ફરીયાદ નોંધાવી હતી. જોકે આ મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, ઝારખંડ સ્થિત હજારીબાગમાં કરાયેલી હત્યાના બન્ને આરોપીઓ નટુભાઇ સર્કલ પાસેથી ઇકો કારમાં પસાર થવાને છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઇકો કારમાં સવાર અર્જુન મંડલ અને ચકલી સર્કલ પાસે ગેરેજ ચલાવતા દિપક બાવરવાને ઝડપી પાડ્યાં હતા. તેમજ પોલીસે આ મામલે અર્જુનની પત્ની માલતીદેવીની પણ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.