વડોદરા. મકરપુરા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી ઇલેક્ટ્રોનીક બાઇકનું ઉત્પાનદ કરતી જોય વોર્ડ વિઝાર્ડ કંપનીના ગોડાઉનમાં ગુરૂવારે સવારે 11 30 કલાકે આગનો બનાવ બન્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે, જગ્યા પર રાખવામાં આવેલી 150 જેટલી ઇ બાઇક બળીને ખાખ થઇ ગઇ હતી. આગ લાગવાને કારણે કંપનીને રૂ. 1 કરોડનું નુકશાન થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે.
સરકાર દ્વારા ઇલેક્ટ્રોનીક વાહન એટલે કે બેટરી સંચાલીત વાહનોને પ્રોત્સાહન આપવામાં આવે છે. વડોદરામાં આવેલી વોર્ડ વિઝાર્ડ કંપની દ્વારા ઇ - બાઇક મોટા પાયે બનાવવામાં આવે છે. મકરપુરા જીઆઇડીસી ખાતે કંપનીનું ગોડાઉન આવેલું છે. જેમાં ઇ - બાઇક રાખવામાં આવી હતી. ગુરૂવારે સવારે 11 30 કલાકે ગોડાઉન ખાતે આગની ઘટના બની હતી. આગ લાગ્યાની જાણ તુરંત જ ફાયર વિભાગને કરી દેવામાં આવી હતી. ફાયરના લાશ્કરોએ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો.
આગ અંગે મળતી પ્રાથમીક માહિતી પ્રમાણે, મકરપુરા જીઆઇડીસીમાં આવેલા વોર્ડ વિઝાર્ડ કંપનીના ગોડાઉનમાં 150 જેટલી જોય ઇ - બાઇકના અલગ અલગ મોડલ રાખવામાં આવી હતી. આગ લાગવાને કારણે તમામ બાઇકો બળીને ખાખ થઇ હતી. શોર્ટ સર્કીટના કારણે આગ લાગ્યું હોવાનું પ્રાથમિક અનુમાન છે. આગને કારણે કંપનીને આશરે રૂ. 1 કરોડનું નુકશાન થવા પામ્યું છે.
https://youtu.be/sDboLlk_Tdk
વડોદરા. મકરપુરા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી ઇલેક્ટ્રોનીક બાઇકનું ઉત્પાનદ કરતી જોય વોર્ડ વિઝાર્ડ કંપનીના ગોડાઉનમાં ગુરૂવારે સવારે 11 30 કલાકે આગનો બનાવ બન્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે, જગ્યા પર રાખવામાં આવેલી 150 જેટલી ઇ બાઇક બળીને ખાખ થઇ ગઇ હતી. આગ લાગવાને કારણે કંપનીને રૂ. 1 કરોડનું નુકશાન થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે.
સરકાર દ્વારા ઇલેક્ટ્રોનીક વાહન એટલે કે બેટરી સંચાલીત વાહનોને પ્રોત્સાહન આપવામાં આવે છે. વડોદરામાં આવેલી વોર્ડ વિઝાર્ડ કંપની દ્વારા ઇ - બાઇક મોટા પાયે બનાવવામાં આવે છે. મકરપુરા જીઆઇડીસી ખાતે કંપનીનું ગોડાઉન આવેલું છે. જેમાં ઇ - બાઇક રાખવામાં આવી હતી. ગુરૂવારે સવારે 11 30 કલાકે ગોડાઉન ખાતે આગની ઘટના બની હતી. આગ લાગ્યાની જાણ તુરંત જ ફાયર વિભાગને કરી દેવામાં આવી હતી. ફાયરના લાશ્કરોએ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો.
આગ અંગે મળતી પ્રાથમીક માહિતી પ્રમાણે, મકરપુરા જીઆઇડીસીમાં આવેલા વોર્ડ વિઝાર્ડ કંપનીના ગોડાઉનમાં 150 જેટલી જોય ઇ - બાઇકના અલગ અલગ મોડલ રાખવામાં આવી હતી. આગ લાગવાને કારણે તમામ બાઇકો બળીને ખાખ થઇ હતી. શોર્ટ સર્કીટના કારણે આગ લાગ્યું હોવાનું પ્રાથમિક અનુમાન છે. આગને કારણે કંપનીને આશરે રૂ. 1 કરોડનું નુકશાન થવા પામ્યું છે.