શહેરમાં કોરોના પોઝિટિવ કેસો 11 હજારની પાર પહોંચ્યા
સુમનદીપ વિદ્યાપીઠ દ્વારા આગામી 12 ઓક્ટોબર ના રોજ બીએસસી નર્સિંગ ની પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું
વડોદરા. શહેરનું વહીવટી તંત્ર રોજ નવી નવી હોસ્પિટલમાં કોવિડ ના દર્દીઓની સારવાર આપવા માટે નવી નવી સુવિધાઓ કરી રહ્યા છે. તો બીજી તરફ સુમનદીપ વિદ્યાપીઠ દ્વારા આગામી 12 ઓક્ટોબર ના રોજ બીએસસી નર્સિંગ ની પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેવા સંજોગોમાં 12 ઓક્ટોબરના રોજ બીએસસી નર્સિંગના કોર્સમાં ભણતા વિદ્યાર્થીઓએ સેન્ટ્રલ હોલમાં પીપીઈ કીટ સાથે એક્ઝામ આપવા માટે આવવું પડશે.
સરકાર દ્વારા વડોદરામાં કોવિડ માટે ઓએસડી તરીકે ડો. વિનોદ રાવની નિમણૂક કરવામાં આવી હતી. ડો વિનોદ રાવ નિયમિત રીતે કોરોનાના દર્દીઓની સારવાર સારી રીતે થાય તે માટે મિટિંગ, ઇન્સ્પેકશન સાથે જરૂરી પગલાં લઈ રહ્યા છે. તેવા સમયે સુમનદીપ વિદ્યાપીઠ દ્વારા એક્ઝામ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. અને આ અંગેની નોટિસ બોર્ડ પર મારી તથા વિદ્યાર્થીઓ પહોંચાડવાના પ્રયાસો થઇ રહ્યા છે.
અન્ય કોલેજો દ્વારા ઓનલાઇન એક્ઝામ લેવામાં આવી હતી જયારે સુમનદીપ વિદ્યાપીઠ દ્વારા કોલેજમાં આવેલા સેન્ટ્રલ એક્ઝામિનેશન હોલમાં એક્ઝામ લેવાનો એક તરફી નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. અને ફોર્મ ભરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરુ કરાશે।. તેવા સમયે વિદ્યાર્થીઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. તાજેતરમાં લોકટોળા ઉમટ્યા હતા જેવી જગ્યાએ પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ અથવાતો વહીવટી તંત્ર સુમનદીપ વિદ્યાપીઠના સત્તાધિઓ સામે શું પગલાં લે છે તે હવે જોવાનું છે.
સુમનદીપ વિદ્યાપીઠ દ્વારા આગામી 12 ઓક્ટોબર ના રોજ બીએસસી નર્સિંગ ની પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું
વડોદરા. શહેરનું વહીવટી તંત્ર રોજ નવી નવી હોસ્પિટલમાં કોવિડ ના દર્દીઓની સારવાર આપવા માટે નવી નવી સુવિધાઓ કરી રહ્યા છે. તો બીજી તરફ સુમનદીપ વિદ્યાપીઠ દ્વારા આગામી 12 ઓક્ટોબર ના રોજ બીએસસી નર્સિંગ ની પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેવા સંજોગોમાં 12 ઓક્ટોબરના રોજ બીએસસી નર્સિંગના કોર્સમાં ભણતા વિદ્યાર્થીઓએ સેન્ટ્રલ હોલમાં પીપીઈ કીટ સાથે એક્ઝામ આપવા માટે આવવું પડશે.
સરકાર દ્વારા વડોદરામાં કોવિડ માટે ઓએસડી તરીકે ડો. વિનોદ રાવની નિમણૂક કરવામાં આવી હતી. ડો વિનોદ રાવ નિયમિત રીતે કોરોનાના દર્દીઓની સારવાર સારી રીતે થાય તે માટે મિટિંગ, ઇન્સ્પેકશન સાથે જરૂરી પગલાં લઈ રહ્યા છે. તેવા સમયે સુમનદીપ વિદ્યાપીઠ દ્વારા એક્ઝામ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. અને આ અંગેની નોટિસ બોર્ડ પર મારી તથા વિદ્યાર્થીઓ પહોંચાડવાના પ્રયાસો થઇ રહ્યા છે.
અન્ય કોલેજો દ્વારા ઓનલાઇન એક્ઝામ લેવામાં આવી હતી જયારે સુમનદીપ વિદ્યાપીઠ દ્વારા કોલેજમાં આવેલા સેન્ટ્રલ એક્ઝામિનેશન હોલમાં એક્ઝામ લેવાનો એક તરફી નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. અને ફોર્મ ભરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરુ કરાશે।. તેવા સમયે વિદ્યાર્થીઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. તાજેતરમાં લોકટોળા ઉમટ્યા હતા જેવી જગ્યાએ પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ અથવાતો વહીવટી તંત્ર સુમનદીપ વિદ્યાપીઠના સત્તાધિઓ સામે શું પગલાં લે છે તે હવે જોવાનું છે.