પત્નીએ પતિને તમે શેના માટે નકામો ખર્ચો કરો છો તેમ કહી આપેલી કેન્ડી ફેંકી દેતા નણંદે અને તેના બે પુત્રો ઉશ્કેરાયા
કેન્ડી બાબતે બોલાચાલી થયાબાદ મામલો મારામારી થઇ
નણંદ અને તેના બે પુત્રો વિરુદ્ધ નવાપુરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ
વડોદરા. પોલોગ્રાઉન્ડના વેરાઇમાતા મંદિરમાં ભાગવત કથાની પુર્ણાહુતીમાં જમ્યા પછી પત્નીએ પતિને તમે શેના માટે નકામો ખર્ચો કરો છો. તેમ કહી આપેલી કેન્ડી ફેંકી દેતા નણંદે અને તેના બે પુત્રોએ માર મારી કાનમાં પળદામાં કાણાં પાડી દીધા હતા. નણંદ અને તેના બે પુત્રો વિરુદ્ધ નવાપુરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
પોલોગ્રાઉન્ડ પાસે આવેલ સીટી એન્કલેવમાં રહેતા દીપકભાઈ મનુભાઈ પુરોહિત જ્યોતિષનું કામ કરે છે. તેમજ પોલો ગ્રાઉન્ડના વેરાઇમાતાના મંદિરમાં પૂજારી છે. દીપકભાઈ દીકરી અને પત્ની ધારાબેન સાથે રહે છે. ચાર મહિના પેહલા તેમના પિતાનું અવસાન થયું હતું. સસરાની યાદમાં ધારાબેને વેરાઇમાતાના મંદિરે તા. 14 ઓક્ટોબરથી ચાર દિવસની ભાગવત કથા રાખેલ હતી. ગત રોજ પુર્ણાહુતી હોવાથી સાસુ તથા નણંદ કલ્પિતાબેન અશ્વિનભાઈ પંડ્યા (રહે.ગોરવા) તેમજ તેણીના બે પુત્ર અક્ષય અને કૌશલ પણ આવ્યા હતા.
પુર્ણાહુતીમાં આવેલ લોકો માટે જમવાનું રાખ્યું હોવાથી દિપકભાઈ રાજભોગ લાવ્યા હતા. બધા લોકોએ જમી લીધું હોવાથી દિપકભાઈ 15 કેન્ડી લાવ્યા હતા. ત્યારે ધરાબેને તમે શેના માટે નકામો ખર્ચો કરો છો તેમ કહી દીપકભાઈએ આપેલી કેન્ડી ફેંકી દીધી હતી. દરમિયાન કલ્પિતાબેન એકદમથી ઉશ્કેરાઇ ગયા હતા અને હવે તને જણાવી દઉં તેમ કહી ધારાને ગળદા પાટુનો માર માર્યો હતો. તે બાબતનું ઉપરાણું લઇ કલ્પિતાબેનના બંને પુત્ર અક્ષય અને કૌશલે પણ તેણીને માર મારતા કાનમાં પળદામાં બે કાણાં પડી ગયા હોવાનું જણાયું હતું. જેથી ધારાબેને નણંદ કલ્પિતાબેન અશ્વિનભાઈ પંડ્યા, અક્ષય અશ્વિનભાઈ પંડ્યા અને કૌશલ અશ્વિનભાઈ પંડ્યા વિરુદ્ધ નવાપુરા પોલીસમાં ફરિયાદ નોંધવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પત્નીએ પતિને તમે શેના માટે નકામો ખર્ચો કરો છો તેમ કહી આપેલી કેન્ડી ફેંકી દેતા નણંદે અને તેના બે પુત્રો ઉશ્કેરાયા
કેન્ડી બાબતે બોલાચાલી થયાબાદ મામલો મારામારી થઇ
નણંદ અને તેના બે પુત્રો વિરુદ્ધ નવાપુરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ
વડોદરા. પોલોગ્રાઉન્ડના વેરાઇમાતા મંદિરમાં ભાગવત કથાની પુર્ણાહુતીમાં જમ્યા પછી પત્નીએ પતિને તમે શેના માટે નકામો ખર્ચો કરો છો. તેમ કહી આપેલી કેન્ડી ફેંકી દેતા નણંદે અને તેના બે પુત્રોએ માર મારી કાનમાં પળદામાં કાણાં પાડી દીધા હતા. નણંદ અને તેના બે પુત્રો વિરુદ્ધ નવાપુરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
પોલોગ્રાઉન્ડ પાસે આવેલ સીટી એન્કલેવમાં રહેતા દીપકભાઈ મનુભાઈ પુરોહિત જ્યોતિષનું કામ કરે છે. તેમજ પોલો ગ્રાઉન્ડના વેરાઇમાતાના મંદિરમાં પૂજારી છે. દીપકભાઈ દીકરી અને પત્ની ધારાબેન સાથે રહે છે. ચાર મહિના પેહલા તેમના પિતાનું અવસાન થયું હતું. સસરાની યાદમાં ધારાબેને વેરાઇમાતાના મંદિરે તા. 14 ઓક્ટોબરથી ચાર દિવસની ભાગવત કથા રાખેલ હતી. ગત રોજ પુર્ણાહુતી હોવાથી સાસુ તથા નણંદ કલ્પિતાબેન અશ્વિનભાઈ પંડ્યા (રહે.ગોરવા) તેમજ તેણીના બે પુત્ર અક્ષય અને કૌશલ પણ આવ્યા હતા.
પુર્ણાહુતીમાં આવેલ લોકો માટે જમવાનું રાખ્યું હોવાથી દિપકભાઈ રાજભોગ લાવ્યા હતા. બધા લોકોએ જમી લીધું હોવાથી દિપકભાઈ 15 કેન્ડી લાવ્યા હતા. ત્યારે ધરાબેને તમે શેના માટે નકામો ખર્ચો કરો છો તેમ કહી દીપકભાઈએ આપેલી કેન્ડી ફેંકી દીધી હતી. દરમિયાન કલ્પિતાબેન એકદમથી ઉશ્કેરાઇ ગયા હતા અને હવે તને જણાવી દઉં તેમ કહી ધારાને ગળદા પાટુનો માર માર્યો હતો. તે બાબતનું ઉપરાણું લઇ કલ્પિતાબેનના બંને પુત્ર અક્ષય અને કૌશલે પણ તેણીને માર મારતા કાનમાં પળદામાં બે કાણાં પડી ગયા હોવાનું જણાયું હતું. જેથી ધારાબેને નણંદ કલ્પિતાબેન અશ્વિનભાઈ પંડ્યા, અક્ષય અશ્વિનભાઈ પંડ્યા અને કૌશલ અશ્વિનભાઈ પંડ્યા વિરુદ્ધ નવાપુરા પોલીસમાં ફરિયાદ નોંધવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.