ગાંધીનગર સર્કિટહાઉસમાં ઇચ્છુક લોકોના સ્વજન ધુતારા હર્ષિલ લિંબાચીયાના સંપર્ક માં આવ્યા હતા
પૈસા મળ્યાના 5 દિવસમાં વીજ કંપનીમાં જોબ લેટર મળી જશે તેવું ખાતરી હર્ષિલ લિંબાચીયાએ આપી અલગ અલગ લોકો પાસેથી રૂ. 45 લાખ પડાવ્યા
પૈસા લીધા બાદ હર્ષિલે ગોળ ગોળ જવાબ આપવાનું શરુ કરી દીધું હતું
પૈસા અથવાતો જોબ લેટર મેળવવા વડોદરા આવેલા લોકો સાથે ઝગડો કરી તેમના પર ધુતારાના મળતીયાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો
માંજલપુર પોલીસ સ્ટેશનને પોતાનું ઘર સમજતો હર્ષિલ અગાઉ અનેક ગુનાહોમાં સંડોવાયેલો છે.
હર્ષિલ લિંબાચીયા વગદાર લોકો સાથેના ફોટા મુકીને પોતે પણ વગધરાવતી વ્યક્તિ છે અને કંઇ પણ કરવા સક્ષમ છે, તેવો હાવ ઉભો કરી લોકોને ઝાંસામાં લેતો હોય હોય છે
વડોદરા. વડોદરાના યુવા ઠગ હર્ષિલ લિંબાચીયાનું નોકરી આપવાનું નવું રૂ. 45 લાખનું કૌભાંડ સામે આવ્યું છે. પૈસા લીધા બાદ ગોળ ગોળ જવાબ મળતા છેતરાયેલા લોકો નોકરી મેળવવા પેટે આપેલા પૈસા અથવાતો જોબ લેટર લેવા માટે વડોદરા આવ્યા હતા. જ્યાં યુવાનોની ગાડી પર હર્ષિલ લિંબાચીયા અને તેના મળતીયાઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. નોકરી અપાવવાના બહાને છેતરાયેલા તમામ યુવાનો મોડી સાંજે માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી.
કોરોનાના કહેર બાદ દેશમાં લાખોની સંખ્યામાં લોકો બેરોજગાર બન્યા છે. તેવા સમયે સ્થિતીનો લાભ હર્ષિલ લિંંબાચીયા જેવા ધુતારાઓ લઇ રહ્યા છે. પોલીસ ફરિયાદ પ્રમાણે, કૌભાંડી હર્ષિય લિંબાચીયા દ્વારા ગાંધીનગરના સર્કિટહાઉસમાં પાર્થ રબારી થકી, જબ્બર સિંહ ગંભીરસિંહ રાઠોડના સંપર્કમાં આવ્યો હતો. દરમિયાન હર્ષિલે ગાંધીનગરમાં સારી ઓળખાણ હોવાનું જણાવ્યું હતું. લોકડાઉન પહેલા લેવાયેલી વીજ કંપનીની પરીક્ષા આપ્યા બાદ નોકરી લગાડવા અંગે હર્ષિલને કહેતા હું તમારુ કામ કરી આપીશ તેમ જણાવ્યું હતું. પૈસા મળ્યા બાદ તમારો ઓર્ડર 5 દિવસમાં થઇ જશે તેવી ખાતરી આપી હતી. આવી જ રીતે અનેક લોકોને વીજકંપનીમાં નોકરીની ખાતરી આપી કુલ રૂ. 45 લાખ હર્ષિલ લીંબાચીયાએ લીધા હતા.
[caption id="attachment_6928" align="aligncenter" width="1280"] ગાંધીનગર થી આવેલા લોકો પર માંજલપુર ખાતે હર્ષિલ લીંબાચીયા અને તેના મળતિયાઓએ જીવલેણ હુમલો કર્યો[/caption]
પૈસા મળ્યા બાદ નોકરી અંગે ગોળ ગોળ જવાબ મળતા પૈસા આપનાર છેતરાયા હોવાનું અનુભવી રહ્યા હતા. જેથી હર્ષિલ ને જોબ લેટર માટે મળવા માટે કાપુરાઇ ચોકડી ભેગા થયા હતા. દરમિયાન હર્ષિલ લીંબાચીયાએ પ્રથમ બોલાચાલી કરી ત્યાર બાદ પોતાના માણસો બોલાવીને ઝગડો કર્યો હતો. ત્યાર બાદ સમાધાન માટે તમામને હર્ષિલે દરબાર ચોકડી બોલાવ્યા હતા. ગાંધીગનર થી આવેલા લોકો નોકરીનો ઓર્ડર અથવાતો પૈસા પરત લેવા માટે માંગણી કરી તો હર્ષિલના મળતિયાઓએ તેમની પર લોખંડના પાઇપ અને પથ્થરો વડે જીલવેણ હુમલો કર્યો હતો. આ અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા હર્ષિલના મળતીયાઓ સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. હર્ષિલ લિંબાચીયાથી છેતરાયેલા તમામ ફરિયાદ કરવા માંજલપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. માંજલપુર પોલીસે પ્રથમ તેની ફરિયાદ લેવામાં આનાકાની કરી હતી. અને ગાંધીનગરમાં ફરિયાદ નોંધાવવાનું રટણ ચાલુ કર્યું હતું. આખરે માંજલપુર પોલીસ સ્ટેશનમાં મોડી સાંજે ફરિયાદ નોંધાઈ હતી.
હર્ષિલ લિંબાચીયા અગાઉ પણ બોગસ માર્કશીટ અને અમુલ ડેરી ના કૌભાંડમાં સંડોવાયેલો હતો. અનેક વખત અલગ અલગ પોલીસ સ્ટેશનના કર્મીઓ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અમુલ પાર્લરના કૌભાંડમાં તો આણંદ પોલીસે હર્ષિલની વડોદરા એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી.
[caption id="attachment_6929" align="aligncenter" width="826"] ધુતારા હર્ષિલ દ્વારા લખો રૂપિયા પડાવી આપવામાં આવેલા બનાવટી જોબ લેટર[/caption]
હર્ષિલ લિંબાચીયા સોશિયલ મિડીયા પર રાજકીય અને પોલીસ કર્મીઓ સાથે ફોટા મુકી પોતે વગદાર વ્યક્તિ હોવાનો હાવ ઉભો કરે
હર્ષિલ લિંબાચીયા તેના સોશિયલ મિડીયા પર ભારતીય જનતા પાર્ટીના રાજકીય લોકોના ફોટા અવારનવાર મુકતો હોય છે. તેની સાથે માંજલપુર પોલીસ સ્ટેશન સહિત અન્ય જગ્યાના પોલીસ કર્મીઓ સાથે પણ તેના ફોટા તેના સોશિયલ મિડીયા એકાઉન્ટ પર જોઇ શકાય છે. વગદાર લોકો સાથેના ફોટા મુકીને પોતે પણ વગધરાવતી વ્યક્તિ છે અને કંઇ પણ કરવા સક્ષમ છે, તેવો હાવ ઉભો કરી લોકોને ઝાંસામાં લેતો હોય હોય છે. અગાઉ અનેક ગુનામાં સંડોવાયેલો હર્ષિલ લિંબાચીયા બેખૌફ બનીને લોકોને ધુતતો ફરે છે. તેની વાતોમાં અવાર-નવાર રાજકીય સંપર્કો તથા પોલીસના અધિકારીઓ સાથે કેટલો ઘરોબો ધરાવે છે તે છલકાતું હોય છે.
ગાંધીનગર સર્કિટહાઉસમાં ઇચ્છુક લોકોના સ્વજન ધુતારા હર્ષિલ લિંબાચીયાના સંપર્ક માં આવ્યા હતા
પૈસા મળ્યાના 5 દિવસમાં વીજ કંપનીમાં જોબ લેટર મળી જશે તેવું ખાતરી હર્ષિલ લિંબાચીયાએ આપી અલગ અલગ લોકો પાસેથી રૂ. 45 લાખ પડાવ્યા
પૈસા લીધા બાદ હર્ષિલે ગોળ ગોળ જવાબ આપવાનું શરુ કરી દીધું હતું
પૈસા અથવાતો જોબ લેટર મેળવવા વડોદરા આવેલા લોકો સાથે ઝગડો કરી તેમના પર ધુતારાના મળતીયાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો
માંજલપુર પોલીસ સ્ટેશનને પોતાનું ઘર સમજતો હર્ષિલ અગાઉ અનેક ગુનાહોમાં સંડોવાયેલો છે.
હર્ષિલ લિંબાચીયા વગદાર લોકો સાથેના ફોટા મુકીને પોતે પણ વગધરાવતી વ્યક્તિ છે અને કંઇ પણ કરવા સક્ષમ છે, તેવો હાવ ઉભો કરી લોકોને ઝાંસામાં લેતો હોય હોય છે
વડોદરા. વડોદરાના યુવા ઠગ હર્ષિલ લિંબાચીયાનું નોકરી આપવાનું નવું રૂ. 45 લાખનું કૌભાંડ સામે આવ્યું છે. પૈસા લીધા બાદ ગોળ ગોળ જવાબ મળતા છેતરાયેલા લોકો નોકરી મેળવવા પેટે આપેલા પૈસા અથવાતો જોબ લેટર લેવા માટે વડોદરા આવ્યા હતા. જ્યાં યુવાનોની ગાડી પર હર્ષિલ લિંબાચીયા અને તેના મળતીયાઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. નોકરી અપાવવાના બહાને છેતરાયેલા તમામ યુવાનો મોડી સાંજે માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી.
કોરોનાના કહેર બાદ દેશમાં લાખોની સંખ્યામાં લોકો બેરોજગાર બન્યા છે. તેવા સમયે સ્થિતીનો લાભ હર્ષિલ લિંંબાચીયા જેવા ધુતારાઓ લઇ રહ્યા છે. પોલીસ ફરિયાદ પ્રમાણે, કૌભાંડી હર્ષિય લિંબાચીયા દ્વારા ગાંધીનગરના સર્કિટહાઉસમાં પાર્થ રબારી થકી, જબ્બર સિંહ ગંભીરસિંહ રાઠોડના સંપર્કમાં આવ્યો હતો. દરમિયાન હર્ષિલે ગાંધીનગરમાં સારી ઓળખાણ હોવાનું જણાવ્યું હતું. લોકડાઉન પહેલા લેવાયેલી વીજ કંપનીની પરીક્ષા આપ્યા બાદ નોકરી લગાડવા અંગે હર્ષિલને કહેતા હું તમારુ કામ કરી આપીશ તેમ જણાવ્યું હતું. પૈસા મળ્યા બાદ તમારો ઓર્ડર 5 દિવસમાં થઇ જશે તેવી ખાતરી આપી હતી. આવી જ રીતે અનેક લોકોને વીજકંપનીમાં નોકરીની ખાતરી આપી કુલ રૂ. 45 લાખ હર્ષિલ લીંબાચીયાએ લીધા હતા.
[caption id="attachment_6928" align="aligncenter" width="1280"] ગાંધીનગર થી આવેલા લોકો પર માંજલપુર ખાતે હર્ષિલ લીંબાચીયા અને તેના મળતિયાઓએ જીવલેણ હુમલો કર્યો[/caption]
પૈસા મળ્યા બાદ નોકરી અંગે ગોળ ગોળ જવાબ મળતા પૈસા આપનાર છેતરાયા હોવાનું અનુભવી રહ્યા હતા. જેથી હર્ષિલ ને જોબ લેટર માટે મળવા માટે કાપુરાઇ ચોકડી ભેગા થયા હતા. દરમિયાન હર્ષિલ લીંબાચીયાએ પ્રથમ બોલાચાલી કરી ત્યાર બાદ પોતાના માણસો બોલાવીને ઝગડો કર્યો હતો. ત્યાર બાદ સમાધાન માટે તમામને હર્ષિલે દરબાર ચોકડી બોલાવ્યા હતા. ગાંધીગનર થી આવેલા લોકો નોકરીનો ઓર્ડર અથવાતો પૈસા પરત લેવા માટે માંગણી કરી તો હર્ષિલના મળતિયાઓએ તેમની પર લોખંડના પાઇપ અને પથ્થરો વડે જીલવેણ હુમલો કર્યો હતો. આ અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા હર્ષિલના મળતીયાઓ સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. હર્ષિલ લિંબાચીયાથી છેતરાયેલા તમામ ફરિયાદ કરવા માંજલપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. માંજલપુર પોલીસે પ્રથમ તેની ફરિયાદ લેવામાં આનાકાની કરી હતી. અને ગાંધીનગરમાં ફરિયાદ નોંધાવવાનું રટણ ચાલુ કર્યું હતું. આખરે માંજલપુર પોલીસ સ્ટેશનમાં મોડી સાંજે ફરિયાદ નોંધાઈ હતી.
હર્ષિલ લિંબાચીયા અગાઉ પણ બોગસ માર્કશીટ અને અમુલ ડેરી ના કૌભાંડમાં સંડોવાયેલો હતો. અનેક વખત અલગ અલગ પોલીસ સ્ટેશનના કર્મીઓ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અમુલ પાર્લરના કૌભાંડમાં તો આણંદ પોલીસે હર્ષિલની વડોદરા એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી.
[caption id="attachment_6929" align="aligncenter" width="826"] ધુતારા હર્ષિલ દ્વારા લખો રૂપિયા પડાવી આપવામાં આવેલા બનાવટી જોબ લેટર[/caption]
હર્ષિલ લિંબાચીયા સોશિયલ મિડીયા પર રાજકીય અને પોલીસ કર્મીઓ સાથે ફોટા મુકી પોતે વગદાર વ્યક્તિ હોવાનો હાવ ઉભો કરે
હર્ષિલ લિંબાચીયા તેના સોશિયલ મિડીયા પર ભારતીય જનતા પાર્ટીના રાજકીય લોકોના ફોટા અવારનવાર મુકતો હોય છે. તેની સાથે માંજલપુર પોલીસ સ્ટેશન સહિત અન્ય જગ્યાના પોલીસ કર્મીઓ સાથે પણ તેના ફોટા તેના સોશિયલ મિડીયા એકાઉન્ટ પર જોઇ શકાય છે. વગદાર લોકો સાથેના ફોટા મુકીને પોતે પણ વગધરાવતી વ્યક્તિ છે અને કંઇ પણ કરવા સક્ષમ છે, તેવો હાવ ઉભો કરી લોકોને ઝાંસામાં લેતો હોય હોય છે. અગાઉ અનેક ગુનામાં સંડોવાયેલો હર્ષિલ લિંબાચીયા બેખૌફ બનીને લોકોને ધુતતો ફરે છે. તેની વાતોમાં અવાર-નવાર રાજકીય સંપર્કો તથા પોલીસના અધિકારીઓ સાથે કેટલો ઘરોબો ધરાવે છે તે છલકાતું હોય છે.