ગાંધીજીના નામે ચરતાં આખલાંઓ અલમસ્ત પણ બકરી સલામત નથી
માંજલપુર વિસ્તારમાં ત્રણ બકરી ચોરનાર કારચાલકોની શોધખોળ કરતી પોલીસ
વડોદરા. ગત 2જી ઓક્ટોબરે દેશભરમાં મહાત્મા ગાંધીની જન્મજયંતિની ઉજવણી કરાઈ હતી. ત્યારે બીજી તરફ, માંજલપુર વિસ્તારમાં કારમાં ત્રાટકેલાં તસ્કરોએ ખેતરમાં ચરતી ત્રણ બકરી ચોરીને જાણે મહાત્મા ગાંધીને આડકતરી તસ્કરાંજલી આપી હોય તેવો ઘાટ સર્જાયો હતો. તસ્કરોએ કદાચ સિદ્ધ કર્યું છે કે, દેશમાં ગાંધીજીના નામે મનફાવે તેમ ચરી જતાં આખલાંઓ સલામત છે પરંતુ, ગાંધીજીના નામ સાથે આગવી ઓળખ પામેલી સામાન્ય બકરી સલામત નથી. અત્રે ઉલ્લેખનિય છે કે, ગર્ભવતી સહિતની ત્રણ બકરીઓ કારમાં ચોરીને ફરાર થયેલાં તસ્કરોની માંજલપુર પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.
માંજલપુર વિસ્તારમાં દરબાર ચોકડી પાસે રહેતાં શ્રમજીવી કનુભાઈ ડાહ્યાભાઈ છુટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમણે ત્રણ બકરી ઉછેરી છે. ગત તા. 2 ઓક્ટોબરના રોજ બપોરેના ત્રણ વાગ્યાના અરસામાં એક ગર્ભવતી સહિતની કુલ 3 કાળા રંગની બકરીઓ કનુભાઈએ ઘર પાસેના ખેતરમાં ચરવા માટે છુટી મુકી હતી.
અડધા કલાક બાદ આશરે 3.30 કલાકે તેઓ ખેતરમાં ચરતી બકરીઓને લેવા ગયા હતાં. ત્યારે ત્યાં બકરીઓ જોવા ન મળતાં તેમણે આસપાસમાં તપાસ કરી હતી. બાદમાં તેમને જાણવા મળ્યું કે, બકરીઓ ખેતરમાં ચરતી હતી ત્યારે એક કારચાલક આવ્યો હતો અને તે ત્રણેય બકરીઓને કારમાં નાંખીને જતો રહ્યો હતો.
તેઓએ રૂ. 15,000ની કિંમતની ત્રણ બકરીની ચોરી થયાની ફરિયાદ માંજલપુર પોલીસમાં નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.
ગાંધીજીના નામે ચરતાં આખલાંઓ અલમસ્ત પણ બકરી સલામત નથી
માંજલપુર વિસ્તારમાં ત્રણ બકરી ચોરનાર કારચાલકોની શોધખોળ કરતી પોલીસ
વડોદરા. ગત 2જી ઓક્ટોબરે દેશભરમાં મહાત્મા ગાંધીની જન્મજયંતિની ઉજવણી કરાઈ હતી. ત્યારે બીજી તરફ, માંજલપુર વિસ્તારમાં કારમાં ત્રાટકેલાં તસ્કરોએ ખેતરમાં ચરતી ત્રણ બકરી ચોરીને જાણે મહાત્મા ગાંધીને આડકતરી તસ્કરાંજલી આપી હોય તેવો ઘાટ સર્જાયો હતો. તસ્કરોએ કદાચ સિદ્ધ કર્યું છે કે, દેશમાં ગાંધીજીના નામે મનફાવે તેમ ચરી જતાં આખલાંઓ સલામત છે પરંતુ, ગાંધીજીના નામ સાથે આગવી ઓળખ પામેલી સામાન્ય બકરી સલામત નથી. અત્રે ઉલ્લેખનિય છે કે, ગર્ભવતી સહિતની ત્રણ બકરીઓ કારમાં ચોરીને ફરાર થયેલાં તસ્કરોની માંજલપુર પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.
માંજલપુર વિસ્તારમાં દરબાર ચોકડી પાસે રહેતાં શ્રમજીવી કનુભાઈ ડાહ્યાભાઈ છુટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમણે ત્રણ બકરી ઉછેરી છે. ગત તા. 2 ઓક્ટોબરના રોજ બપોરેના ત્રણ વાગ્યાના અરસામાં એક ગર્ભવતી સહિતની કુલ 3 કાળા રંગની બકરીઓ કનુભાઈએ ઘર પાસેના ખેતરમાં ચરવા માટે છુટી મુકી હતી.
અડધા કલાક બાદ આશરે 3.30 કલાકે તેઓ ખેતરમાં ચરતી બકરીઓને લેવા ગયા હતાં. ત્યારે ત્યાં બકરીઓ જોવા ન મળતાં તેમણે આસપાસમાં તપાસ કરી હતી. બાદમાં તેમને જાણવા મળ્યું કે, બકરીઓ ખેતરમાં ચરતી હતી ત્યારે એક કારચાલક આવ્યો હતો અને તે ત્રણેય બકરીઓને કારમાં નાંખીને જતો રહ્યો હતો.