રીપેરીંગ દરમિયાન લિફ્ટ ચાલુ થતા યુવકનું માથુ આવી ગયું
સ્વજનના મોતના સમાચાર આપવા માટે બહેન ભાઇનો ફોન કરતી રહી, પરંતુ તેણે ન ઉપાડતા કંપનીમાં જાણ કરાઇ
બનેવી તેની ભાળ મેળવવા માટે સ્થળ પર ગયા તો લિફ્ટમાં માથુ આવી ગયેલી હાલતમાં કર્મીની ભાળ મળી
બપોરના બનેલી ઘટનાની કલાકો બાદ પરિવારજનોને જાણ થઇ
વડોદરા. મંગળવારે રિપેરીંગ દરમિયાન લિફ્ટ ચાલુ થઇ જતા યુવકનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. સ્વજનના મૃત્યુના સમાચાર આપવા માટે ફોન ન ઉપાડતા કંપનીમાં આ અંગે જાણ કરવામાં આવી હતી. કંપનીના કર્મચારીઓ સ્થળ પર ગયા તો લિફ્ટમાં આવી ગયેલી હાલતમાં સહકર્મી મળી આવ્યો હતો.
શહેરના હાથીખાના વિસ્તારમાં આવેલા અંબર એપાર્ટમેન્ટમાં 22 વર્ષિય એઝાઝ ધોબી રહેતો હતો. તે સ્કાયલાઇન કંપનીમાં લિફ્ટ રીપેરીંગનું કામ કરતો હતો. મંગળવારે બપોરે 12-30 કલાકે એઝાઝ વાઘોડિયા રોડ પર આવેલી શ્રીજી દર્શન એપાર્ટમેન્ટમાં લિફ્ટ રીપેરીંગનું કામ કરી રહ્યો હતો. ત્યારે અકસ્માત સર્જાયો હતો અને તેનું માથુ લિફ્ટમાં આવી ગયું હતું.
દરમિયાન એઝાઝની બહેન તેના સ્વજનના અવસાન અંગેના સમાચાર આપવા માટે સતત ફોન કરતી હતી. પરંતુ તેનો ભાઇ કોઇ જવાબ આપતો ન હતો. જેને કારણે આખરે તેના બનેવીએ આ અંગેની જાણ કંપનીમાં કરી હતી. અને બનેવી એઝાઝની ભાળ મેળવવા માટે રીપેરીંગના સ્થળે જોવા ગયા હતા. એઝાઝની ભાળ મેળવવા જતા તેનો મૃતદેહ મળી આવ્યો હતો. તાત્કાલીક તેને સયાજી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેને તબિબોએ મૃત જાહેર કર્યો હતો. એક પરિવારે એક જ દિવસમાં પોતાના બે સ્વજન ગુમાવ્યા હતા.
રીપેરીંગ દરમિયાન લિફ્ટ ચાલુ થતા યુવકનું માથુ આવી ગયું
સ્વજનના મોતના સમાચાર આપવા માટે બહેન ભાઇનો ફોન કરતી રહી, પરંતુ તેણે ન ઉપાડતા કંપનીમાં જાણ કરાઇ
બનેવી તેની ભાળ મેળવવા માટે સ્થળ પર ગયા તો લિફ્ટમાં માથુ આવી ગયેલી હાલતમાં કર્મીની ભાળ મળી
બપોરના બનેલી ઘટનાની કલાકો બાદ પરિવારજનોને જાણ થઇ
વડોદરા. મંગળવારે રિપેરીંગ દરમિયાન લિફ્ટ ચાલુ થઇ જતા યુવકનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. સ્વજનના મૃત્યુના સમાચાર આપવા માટે ફોન ન ઉપાડતા કંપનીમાં આ અંગે જાણ કરવામાં આવી હતી. કંપનીના કર્મચારીઓ સ્થળ પર ગયા તો લિફ્ટમાં આવી ગયેલી હાલતમાં સહકર્મી મળી આવ્યો હતો.
શહેરના હાથીખાના વિસ્તારમાં આવેલા અંબર એપાર્ટમેન્ટમાં 22 વર્ષિય એઝાઝ ધોબી રહેતો હતો. તે સ્કાયલાઇન કંપનીમાં લિફ્ટ રીપેરીંગનું કામ કરતો હતો. મંગળવારે બપોરે 12-30 કલાકે એઝાઝ વાઘોડિયા રોડ પર આવેલી શ્રીજી દર્શન એપાર્ટમેન્ટમાં લિફ્ટ રીપેરીંગનું કામ કરી રહ્યો હતો. ત્યારે અકસ્માત સર્જાયો હતો અને તેનું માથુ લિફ્ટમાં આવી ગયું હતું.
દરમિયાન એઝાઝની બહેન તેના સ્વજનના અવસાન અંગેના સમાચાર આપવા માટે સતત ફોન કરતી હતી. પરંતુ તેનો ભાઇ કોઇ જવાબ આપતો ન હતો. જેને કારણે આખરે તેના બનેવીએ આ અંગેની જાણ કંપનીમાં કરી હતી. અને બનેવી એઝાઝની ભાળ મેળવવા માટે રીપેરીંગના સ્થળે જોવા ગયા હતા. એઝાઝની ભાળ મેળવવા જતા તેનો મૃતદેહ મળી આવ્યો હતો. તાત્કાલીક તેને સયાજી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેને તબિબોએ મૃત જાહેર કર્યો હતો. એક પરિવારે એક જ દિવસમાં પોતાના બે સ્વજન ગુમાવ્યા હતા.