સરકારના બદનામ કરવા આવશે, તે વિસ્તારમાં પાણી બંધ કરી દેવાશે - મંત્રી યોગેશ પટેલ
ચુંટણીમાં તો અમે જ આવીશું તેવો આશાવાદ મંત્રી યોગેશ પટેલે વ્યક્ત કર્યો
ઇલેક્શન ટાણે લાઇટ-પાણી બંધ કરીને કોંગ્રેસીઓની રજુઆત બાદ શરૂ કરાતા, મતદારોમાં અમારૂ કંઇ ઉપજતું નથી તેવો સંકેત જાય છે
હજુ પણ કોર્પોરેટર મિત્રોને વિનંતી કરૂ છું કે, તમે તમારો ફોન બંધ ન રાખો. તમે લોકો પર ધ્યાન આપો.
વિકાસના કામોના લોકાર્પણ સમયે મંત્રીઓ અધિકારીઓ વિપક્ષના લોકોને મદદ કરતા હોવાનું જાહેર મંચ પરથી આક્ષેપ કર્યો
વડોદરા. શુક્રવારે વડોદરા મહાનગર પાલિકા આયોજિત રૂ.232 કરોડના વિકાસ કામોના ઇ લોકાર્પણ અને ખાતમુહૂર્ત ઓનલાઇન કરવામાં આવ્યા હતા. પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, મંત્રી યોગેશ પટેલ સહિતના શહેર અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન મંત્રી યોગેશ પટેલે પોતાના સંબોધન દરમિયાન જણાવ્યું કે, ચુંટણી ટાણે ભાજપના મત વિસ્તારમાં પાણી અને લાઇટ બંધ કરી દેવામાં આવે છે. અને કોંગ્રેસી અગ્રણીની રજુઆત બાદ પાછુ ચાલુ કરી દેવામાં આવે છે. આમ થવાથી મતદાતાઓમાં અમારૂ કંઇ ઉપજતું નથી તેવી અસર થાય છે.
મંત્રી યોગેશ પટેલ દ્વારા સંબોધન દરમિયાન કરવામાં આવેલા આક્ષેપો:
પાલીકાના અધિકારીઓ ઇલેક્શન ટાઇમે ભાજપના વિસ્તારમાં પાણી બંધ કરી દે છે. કોંગ્રેસ વાળા આવીને કહે તો પાણી ચાલુ કરી દે છે. આવી બધી ચાલાકી ના કરતા. તેમાં મતદાર પર તેવી અસર થાય છે કે અમારૂ કંઇ ઉપજતું નથી. અગાઉ ઘણી વખત થયું છે કે, આખા વિસ્તારમાં લાઇટ બંધ કરી દે. આ બધી કરામત જુની થઇ ગઇ છે. સોસાયટી વાળાને લઇને જાય અને કોંગ્રેસ વાળા લાઇટ ચાલુ કરાવી દે. ચુંટણી ટાણે આવું ન થાય. સોસાયટીઓમાં પાણી આવતું હોય તો એકાએક કેવી રીતે બંધ થઇ જાય. આવી બધી નાની નાની બાબતોમાં ભાજપને વધારે નુકશાન થાય છે. છેવટે તો અમે જ આવવાના છે. મગજ મારી ન થાય તેવું કરજો.
હજુ પણ કોર્પોરેટર મિત્રોને વિનંતી કરૂ છું કે, તમે તમારો ફોન બંધ ન રાખો. તમે લોકો પર ધ્યાન આપો. હવે આપણી પાસે ગટર અને પાણીની મશીનરી છે. જો બધા કામ ઝડપથી કરીશુ તો નવા સીમાંકનનો લાભ મળશે. કામગીરી સારી કરી હશે તો તમને ટીકીટ મળશે. છેલ્લા દિવસોમાં અમારી શું જવાબદારી તેવું સમજીને કોઇ કામ ન કરતા. હું માંજલપુર લડતો હતો ત્યારે 12 માંથી 1 સીટ અમારી આવતી હતી, હવે 11 સીટ આવે છે.
સંબોધન બાદ મિડીયા સમક્ષ મંત્રી યોગેશ પટેેલે જણાવ્યું કે, છેલ્લા ઘણા દિવસથી અમુક સોસાયટી અને નગરોમાં પાણી માટે માટલા ફોડવામાં આવે છે. આ વાત જાણી અને મેં જે તે સંબંધીત અધિકારીને પુછુયું કે આ શું છે. અધિકારીએ જણાવ્યું કે વિસ્તારમાં પાણી મળે છે. કોંગ્રેસના અગ્રણી - કાર્યકર્તાઓ તેને રાજકીય સ્વરૂપ આપે છે. અને પાણી આવ્યું હોવા છત્તા જે તે નગર - સોસાયટીમાં તેમનું પ્રભુત્વ હોય ત્યાં પાણી મળતું હોવા છત્તા માટલા ફોડે છે. મેં સ્ટ્રીક્ટલી સુચના આપી કે, જે તે નગર - સોસાયટી આ ધંધો કરતી હોય તેને પાણી બંધ કરો. કારણકે જો રાજકીય રોટલા શેકતા હોય અને સરકાર કે કોર્પોરેશનનો બદનામ કરતા હોય તે ચલાવી લેવાય નહી. અધિકારીઓની વચ્ચે અધિકારીઓને જણાવ્યું કે, ભુતકાળમાં અનેક અધિકારીઓ આમાં સંડોવાયેલા છે. કોંગ્રેસના મત વિસ્તારમાં પાણીનો વાલ્વ ઓછો ખોલાવડાવે છે. અને લોકો પાસે વિરોધ કરાવે છે. અને ત્યાં જઇને કહે કે અમે બધુ કરાવી દઇએ છીએ. આવા લોકોના વિસ્તારમાં પાણી બંધ કરાવી દેવામાં આવશે.
વડોદરામાં છેલ્લા પાંચ વર્ષમાં રોડ - રસ્તા, પાણી સહિતના અનેક પ્રશ્નો છે. દુર્ગંધ મારતું ,રંગીન પાણી શહેરના અનેક વિસ્તારોમાં આવતા હતા. વડોદરા શહેરમાં વિપક્ષ અવાર નવાર આક્ષેપ કરતું રહે છે કે સત્તાપણને વહીવટી તંત્રના અધિકારીઓ ગાંઠતા નથી. જે આજે મંત્રી યોગેશ પટેલે ખુલ્લા મંચ પર સ્વીકાર્યું હતું. નર્મદા મંત્રી યોગેશ પટેલે આ વાતને મહોર મારી હતી.
ઉલ્લેખનીય છે કે, ભુતકાળમાં અધિકારીઓ સાંભળતા ન હોવાની અનેક ફરિયાદ વડોદરા શહેર જિલ્લાના ધારાસભ્યોએ ઉચ્ચ સ્તરીય રજુઆત કરી હતી. ત્યારે આજે મંત્રી યોગેશ પટેલનો આ વાતને પુન:દોહરાવતા અન્ય ધારાસભ્યો અગાઉ કરેલી રજુઆતને સમર્થન મળ્યું છે.
- સરકારના બદનામ કરવા આવશે, તે વિસ્તારમાં પાણી બંધ કરી દેવાશે - મંત્રી યોગેશ પટેલ
- ચુંટણીમાં તો અમે જ આવીશું તેવો આશાવાદ મંત્રી યોગેશ પટેલે વ્યક્ત કર્યો
- ઇલેક્શન ટાણે લાઇટ-પાણી બંધ કરીને કોંગ્રેસીઓની રજુઆત બાદ શરૂ કરાતા, મતદારોમાં અમારૂ કંઇ ઉપજતું નથી તેવો સંકેત જાય છે
- હજુ પણ કોર્પોરેટર મિત્રોને વિનંતી કરૂ છું કે, તમે તમારો ફોન બંધ ન રાખો. તમે લોકો પર ધ્યાન આપો.
- વિકાસના કામોના લોકાર્પણ સમયે મંત્રીઓ અધિકારીઓ વિપક્ષના લોકોને મદદ કરતા હોવાનું જાહેર મંચ પરથી આક્ષેપ કર્યો
વડોદરા. શુક્રવારે વડોદરા મહાનગર પાલિકા આયોજિત રૂ.232 કરોડના વિકાસ કામોના ઇ લોકાર્પણ અને ખાતમુહૂર્ત ઓનલાઇન કરવામાં આવ્યા હતા. પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, મંત્રી યોગેશ પટેલ સહિતના શહેર અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન મંત્રી યોગેશ પટેલે પોતાના સંબોધન દરમિયાન જણાવ્યું કે, ચુંટણી ટાણે ભાજપના મત વિસ્તારમાં પાણી અને લાઇટ બંધ કરી દેવામાં આવે છે. અને કોંગ્રેસી અગ્રણીની રજુઆત બાદ પાછુ ચાલુ કરી દેવામાં આવે છે. આમ થવાથી મતદાતાઓમાં અમારૂ કંઇ ઉપજતું નથી તેવી અસર થાય છે.
મંત્રી યોગેશ પટેલ દ્વારા સંબોધન દરમિયાન કરવામાં આવેલા આક્ષેપો:
પાલીકાના અધિકારીઓ ઇલેક્શન ટાઇમે ભાજપના વિસ્તારમાં પાણી બંધ કરી દે છે. કોંગ્રેસ વાળા આવીને કહે તો પાણી ચાલુ કરી દે છે. આવી બધી ચાલાકી ના કરતા. તેમાં મતદાર પર તેવી અસર થાય છે કે અમારૂ કંઇ ઉપજતું નથી. અગાઉ ઘણી વખત થયું છે કે, આખા વિસ્તારમાં લાઇટ બંધ કરી દે. આ બધી કરામત જુની થઇ ગઇ છે. સોસાયટી વાળાને લઇને જાય અને કોંગ્રેસ વાળા લાઇટ ચાલુ કરાવી દે. ચુંટણી ટાણે આવું ન થાય. સોસાયટીઓમાં પાણી આવતું હોય તો એકાએક કેવી રીતે બંધ થઇ જાય. આવી બધી નાની નાની બાબતોમાં ભાજપને વધારે નુકશાન થાય છે. છેવટે તો અમે જ આવવાના છે. મગજ મારી ન થાય તેવું કરજો.
હજુ પણ કોર્પોરેટર મિત્રોને વિનંતી કરૂ છું કે, તમે તમારો ફોન બંધ ન રાખો. તમે લોકો પર ધ્યાન આપો. હવે આપણી પાસે ગટર અને પાણીની મશીનરી છે. જો બધા કામ ઝડપથી કરીશુ તો નવા સીમાંકનનો લાભ મળશે. કામગીરી સારી કરી હશે તો તમને ટીકીટ મળશે. છેલ્લા દિવસોમાં અમારી શું જવાબદારી તેવું સમજીને કોઇ કામ ન કરતા. હું માંજલપુર લડતો હતો ત્યારે 12 માંથી 1 સીટ અમારી આવતી હતી, હવે 11 સીટ આવે છે.
સંબોધન બાદ મિડીયા સમક્ષ મંત્રી યોગેશ પટેેલે જણાવ્યું કે, છેલ્લા ઘણા દિવસથી અમુક સોસાયટી અને નગરોમાં પાણી માટે માટલા ફોડવામાં આવે છે. આ વાત જાણી અને મેં જે તે સંબંધીત અધિકારીને પુછુયું કે આ શું છે. અધિકારીએ જણાવ્યું કે વિસ્તારમાં પાણી મળે છે. કોંગ્રેસના અગ્રણી - કાર્યકર્તાઓ તેને રાજકીય સ્વરૂપ આપે છે. અને પાણી આવ્યું હોવા છત્તા જે તે નગર - સોસાયટીમાં તેમનું પ્રભુત્વ હોય ત્યાં પાણી મળતું હોવા છત્તા માટલા ફોડે છે. મેં સ્ટ્રીક્ટલી સુચના આપી કે, જે તે નગર - સોસાયટી આ ધંધો કરતી હોય તેને પાણી બંધ કરો. કારણકે જો રાજકીય રોટલા શેકતા હોય અને સરકાર કે કોર્પોરેશનનો બદનામ કરતા હોય તે ચલાવી લેવાય નહી. અધિકારીઓની વચ્ચે અધિકારીઓને જણાવ્યું કે, ભુતકાળમાં અનેક અધિકારીઓ આમાં સંડોવાયેલા છે. કોંગ્રેસના મત વિસ્તારમાં પાણીનો વાલ્વ ઓછો ખોલાવડાવે છે. અને લોકો પાસે વિરોધ કરાવે છે. અને ત્યાં જઇને કહે કે અમે બધુ કરાવી દઇએ છીએ. આવા લોકોના વિસ્તારમાં પાણી બંધ કરાવી દેવામાં આવશે.
વડોદરામાં છેલ્લા પાંચ વર્ષમાં રોડ - રસ્તા, પાણી સહિતના અનેક પ્રશ્નો છે. દુર્ગંધ મારતું ,રંગીન પાણી શહેરના અનેક વિસ્તારોમાં આવતા હતા. વડોદરા શહેરમાં વિપક્ષ અવાર નવાર આક્ષેપ કરતું રહે છે કે સત્તાપણને વહીવટી તંત્રના અધિકારીઓ ગાંઠતા નથી. જે આજે મંત્રી યોગેશ પટેલે ખુલ્લા મંચ પર સ્વીકાર્યું હતું. નર્મદા મંત્રી યોગેશ પટેલે આ વાતને મહોર મારી હતી.
ઉલ્લેખનીય છે કે, ભુતકાળમાં અધિકારીઓ સાંભળતા ન હોવાની અનેક ફરિયાદ વડોદરા શહેર જિલ્લાના ધારાસભ્યોએ ઉચ્ચ સ્તરીય રજુઆત કરી હતી. ત્યારે આજે મંત્રી યોગેશ પટેલનો આ વાતને પુન:દોહરાવતા અન્ય ધારાસભ્યો અગાઉ કરેલી રજુઆતને સમર્થન મળ્યું છે.