નિકાહ પછી સલમા પતિના સંયુક્ત કુટુંબમાં રહેવા ગઈ હતી
બહેનની ચઢામણીને કારણે અબ્દુલહમીદ નાની નાની વાતમા ઝગડો કરી સલમાને માર મારતો હતો
સલમાએ ભુવા પાસે જવાની ના પડતા પતિ સહીત ઘરમાં તમામ સભ્યોએ ભેગા મળી મૂઢ માર માર્યો
સલમાને નણંદ સાથે ઝગડો થતા તેને ખુબ માર મારવામાં આવ્યો હતો. જેને કારણે સલમાને કાનમાં સંભળાવવાનું ઓછું થઇ ગયું હતું.
સલમાને ઘરમાંથી કાઢી મુક્યા બાદ તેના પતિએ વોટ્સએપ પર તલાક આપ્યા હતા
વડોદરા. સલમાને લગ્ન બાદ થોડાક સમય સુધી સાસરીયાઓ સાથે સારૂ બનતું હતું. પરંતુ નણંદની ચઢામણીને કારણે ઘરમાં અવાર-નવાર ઝગડા થવાનું ચાલું થઇ ગયું હતું. એક દિવસ ઝગડો ઉગ્ર થતા પતિએ નણંદ સાથે મળીને સલમાને મારી હતી. પતિએ સલમાને વોટ્સએપ પર તલાક આપતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
શહેરમાં રહેતી સલમા (નામ બદલેલ છે)ના નિકાહ 2016માં અબ્દુલહમીદ કાલુભાઈ લાખાવાલા સાથે થયા હતા. નિકાહ પછી સલમા પતિના સંયુક્ત કુટુંબમાં રહેવા ગઈ હતી. નિકાહના બે મહિના સુધી પતિએ તેમજ સાસરિયાઓએ સલમાને સારી રીતે રાખી હતી. ત્યારબાદ બહેનની ચઢામણીને કારણે પોતાનું પોત પ્રકાશ્યું હતું. પતિ અબ્દુલહમીદ નાની નાની વાતમા ઝગડો કરી માર મારતો હતો.
નણંદ જોહરાબાનુ ભુવા જાગરિયાનું કામ કરતી હતી. અને તેણીને ભુવા જાગરિયા ઉપર શ્રદ્ધા હતી. જેથી જોહરાબાનુ સલમાને ભુવા પાસે જવા માટે દબાણ કરતી હતી. ત્યારે સલમાએ ભુવા પાસે જવાની ના પડતા પતિ સહીત ઘરમાં તમામ સભ્યોએ ભેગા મળી મૂઢ માર માર્યો હતો.
વર્ષ 2018માં સલમા પતિ અબ્દુલહમીદની દુકાને ગઈ હતી. ત્યારે સલમાએ આપણે બધુ ભૂલી જઈએ, અને લગ્ન સંસાર આગળ ધપાવીએ તેવી વાત પતિ અબ્દુલહમીદને કરતા તેણે રાજી ખૂશીથી હામી ભરી હતી.દરમિયાન જોહરબાનું પણ દુકાન ઉપર પહોંચી હતી. અને તું અહીંયા શું કરે છે. તેમ સલમાને કહી ઝગડો કરી મારઝૂડ કરતાં કાનમાં ઇજા પહોંચી હતી. જેના કારણે તેને સંભળાવવાનું પણ ઓછું થઈ ગયું હતું. બાદમાં ઉશ્કેરાયેલા પતિએ મારે તને છૂટી કરી દેવી છે, અને હવે તને રાખવી નથી. તેમ કહી ઘરેથી કાઢી મૂકી હતી.
ગત તા. 15 ઓક્ટોબરના રોજ અબ્દુલહમીદે વકીલ ઇસ્તીયાઝ હુસેન દ્વારા વોટ્સએપ ઉપર સલમાને તલાકનામું ટાઈપ કરી તલાક આપી દીધો હતો. જેથી સલમાએ પતિ અબ્દુલહમીદ, દિયર ગુલામનબી ઉર્ફે લાલા, નણંદ જોહરાબાનુ, જેઠ ઇબ્રાહિમ, જેઠાણી ફરીદા અને ભત્રીજા મોહંમદ મતીન વિરુદ્ધ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તાપસ હાથ ધરી છે. જો કે હવે ત્રિપલ તલાકના કાયદાને સરકાર દ્વારા નાબુદ કરી દેવામાં આવ્યો છે.
નિકાહ પછી સલમા પતિના સંયુક્ત કુટુંબમાં રહેવા ગઈ હતી
બહેનની ચઢામણીને કારણે અબ્દુલહમીદ નાની નાની વાતમા ઝગડો કરી સલમાને માર મારતો હતો
સલમાએ ભુવા પાસે જવાની ના પડતા પતિ સહીત ઘરમાં તમામ સભ્યોએ ભેગા મળી મૂઢ માર માર્યો
સલમાને નણંદ સાથે ઝગડો થતા તેને ખુબ માર મારવામાં આવ્યો હતો. જેને કારણે સલમાને કાનમાં સંભળાવવાનું ઓછું થઇ ગયું હતું.
સલમાને ઘરમાંથી કાઢી મુક્યા બાદ તેના પતિએ વોટ્સએપ પર તલાક આપ્યા હતા
વડોદરા. સલમાને લગ્ન બાદ થોડાક સમય સુધી સાસરીયાઓ સાથે સારૂ બનતું હતું. પરંતુ નણંદની ચઢામણીને કારણે ઘરમાં અવાર-નવાર ઝગડા થવાનું ચાલું થઇ ગયું હતું. એક દિવસ ઝગડો ઉગ્ર થતા પતિએ નણંદ સાથે મળીને સલમાને મારી હતી. પતિએ સલમાને વોટ્સએપ પર તલાક આપતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
શહેરમાં રહેતી સલમા (નામ બદલેલ છે)ના નિકાહ 2016માં અબ્દુલહમીદ કાલુભાઈ લાખાવાલા સાથે થયા હતા. નિકાહ પછી સલમા પતિના સંયુક્ત કુટુંબમાં રહેવા ગઈ હતી. નિકાહના બે મહિના સુધી પતિએ તેમજ સાસરિયાઓએ સલમાને સારી રીતે રાખી હતી. ત્યારબાદ બહેનની ચઢામણીને કારણે પોતાનું પોત પ્રકાશ્યું હતું. પતિ અબ્દુલહમીદ નાની નાની વાતમા ઝગડો કરી માર મારતો હતો.
નણંદ જોહરાબાનુ ભુવા જાગરિયાનું કામ કરતી હતી. અને તેણીને ભુવા જાગરિયા ઉપર શ્રદ્ધા હતી. જેથી જોહરાબાનુ સલમાને ભુવા પાસે જવા માટે દબાણ કરતી હતી. ત્યારે સલમાએ ભુવા પાસે જવાની ના પડતા પતિ સહીત ઘરમાં તમામ સભ્યોએ ભેગા મળી મૂઢ માર માર્યો હતો.
વર્ષ 2018માં સલમા પતિ અબ્દુલહમીદની દુકાને ગઈ હતી. ત્યારે સલમાએ આપણે બધુ ભૂલી જઈએ, અને લગ્ન સંસાર આગળ ધપાવીએ તેવી વાત પતિ અબ્દુલહમીદને કરતા તેણે રાજી ખૂશીથી હામી ભરી હતી.દરમિયાન જોહરબાનું પણ દુકાન ઉપર પહોંચી હતી. અને તું અહીંયા શું કરે છે. તેમ સલમાને કહી ઝગડો કરી મારઝૂડ કરતાં કાનમાં ઇજા પહોંચી હતી. જેના કારણે તેને સંભળાવવાનું પણ ઓછું થઈ ગયું હતું. બાદમાં ઉશ્કેરાયેલા પતિએ મારે તને છૂટી કરી દેવી છે, અને હવે તને રાખવી નથી. તેમ કહી ઘરેથી કાઢી મૂકી હતી.
ગત તા. 15 ઓક્ટોબરના રોજ અબ્દુલહમીદે વકીલ ઇસ્તીયાઝ હુસેન દ્વારા વોટ્સએપ ઉપર સલમાને તલાકનામું ટાઈપ કરી તલાક આપી દીધો હતો. જેથી સલમાએ પતિ અબ્દુલહમીદ, દિયર ગુલામનબી ઉર્ફે લાલા, નણંદ જોહરાબાનુ, જેઠ ઇબ્રાહિમ, જેઠાણી ફરીદા અને ભત્રીજા મોહંમદ મતીન વિરુદ્ધ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તાપસ હાથ ધરી છે. જો કે હવે ત્રિપલ તલાકના કાયદાને સરકાર દ્વારા નાબુદ કરી દેવામાં આવ્યો છે.