લગ્નની પહેલી રાતે પતિ નપુંસક હોવાની ખબર પડતા પત્ની પર આભ ફાટ્યું, શારીરિક સંબંધ બાંધવામાં નિષ્ફળ પતિ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો
પત્નીએ પતિની નપુંસકતા અંગે સાસુને વાત કરી તો ઝઘડો કર્યો, શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું
સાસુ-સસરાએ દહેજ પેટે 5 હજારની માંગણી કરીને પરિણિતાને ધક્કો મારીને ઘરમાંથી કાઢી મૂકી
પત્નીએ પતિ, સાસુ-સસરા સહિત ચાર સાસરિયાઓ વિરૂદ્ધ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
વડોદરા. લગ્નની પહેલી રાતે પતિ નપુંસક હોવાની પત્નીને ખબર પડતા તેની આભ ફાટી પડ્યું હતું અને દીકરો નપુંસક હોવાનું છુપાવી લગ્ન બાદ વહુ જોડે મારઝૂડ કરી ઘરમાંથી કાઢી મૂકવાનો બનાવ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. પીડિતાની ફરીયાદના આધારે પોલીસે સાસરીયાના સભ્યો વિરૂદ્ધ ગુનો નોંધીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પતિ નપુંસક હોવાની વાત કરતા સાસુએ ઝઘડો કર્યો, કડવા વેણ પણ સંભળાવ્યા
વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર રહેતી 38 વર્ષીય રીયાબેન પટેલે(નામ બદલ્યું છે) પાણીગેટ પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ-2019માં તેઓના લગ્ન જયેન્દ્ર ઘનશ્યામભાઇ પટેલ સાથે થયા હતા. લગ્નની પહેલી રાતે પતિએ શારીરિક સંબંધ બાંધવાની કોશિશ કરી હતી, પરંતુ, સંબંધ બાંધી શક્યા ન હતા. સતત 7 દિવસ સુધી શારીરિક સંબંધ બાંધવામાં પતિ નિષ્ફળ રહ્યા હતા. પતિમાં નપુંસકતા હોવાની જાણ થતાં જયાબેન ભાંગી પડ્યા અને આ અંગે તેઓની સાસુને જાણ કરતાં સાસુએ બેફામ બોલીને ઝઘડો કર્યો હતો. જયાબેન પતિને લઇને ઘણી હોસ્પિટલ ફર્યાં હતા અને હોસ્પિટલોમાં તપાસ કરાવી દવાઓ આરોગ્યા બાદ પણ કોઇ ફરક પડ્યો ન હતો.
નપુંસક પતિ પત્ની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો
પતિ શારીરિક સંબંધ બાંધવામાં નિષ્ફળ જતા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા હતા. જેના કારણે ગર્ભાશયમાં ફંગસ થઇ જતા રક્તસ્ત્રાવ વહેતો હતો. આ અંગેની જાણ સાસુ-સસરાને કરતા તેઓએ દીકરાને સમજાના બદલે કરિયાવરમાં કંઇ લાવી નથી, તેવા મેણા મારીને શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો અને અપશબ્દો બોલીને 5 હજાર રૂપિયાની માંગ કરીને ધક્કો મારી ઘરમાંથી કાઢી મૂકી હતી.
પોલીસે મહિલાની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી
મહિલાની ફરિયાદના આધારે પાણીગેટ પોલીસે પતિ જયેન્દ્ર, સસરા ઘનશ્યામભાઇ સાસુ ઉર્મિલાબેન અને કનુભાઇ વિરૂદ્ધ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
- લગ્નની પહેલી રાતે પતિ નપુંસક હોવાની ખબર પડતા પત્ની પર આભ ફાટ્યું, શારીરિક સંબંધ બાંધવામાં નિષ્ફળ પતિ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો
- પત્નીએ પતિની નપુંસકતા અંગે સાસુને વાત કરી તો ઝઘડો કર્યો, શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું
- સાસુ-સસરાએ દહેજ પેટે 5 હજારની માંગણી કરીને પરિણિતાને ધક્કો મારીને ઘરમાંથી કાઢી મૂકી
- પત્નીએ પતિ, સાસુ-સસરા સહિત ચાર સાસરિયાઓ વિરૂદ્ધ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
વડોદરા. લગ્નની પહેલી રાતે પતિ નપુંસક હોવાની પત્નીને ખબર પડતા તેની આભ ફાટી પડ્યું હતું અને દીકરો નપુંસક હોવાનું છુપાવી લગ્ન બાદ વહુ જોડે મારઝૂડ કરી ઘરમાંથી કાઢી મૂકવાનો બનાવ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. પીડિતાની ફરીયાદના આધારે પોલીસે સાસરીયાના સભ્યો વિરૂદ્ધ ગુનો નોંધીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પતિ નપુંસક હોવાની વાત કરતા સાસુએ ઝઘડો કર્યો, કડવા વેણ પણ સંભળાવ્યા
વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર રહેતી 38 વર્ષીય રીયાબેન પટેલે(નામ બદલ્યું છે) પાણીગેટ પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ-2019માં તેઓના લગ્ન જયેન્દ્ર ઘનશ્યામભાઇ પટેલ સાથે થયા હતા. લગ્નની પહેલી રાતે પતિએ શારીરિક સંબંધ બાંધવાની કોશિશ કરી હતી, પરંતુ, સંબંધ બાંધી શક્યા ન હતા. સતત 7 દિવસ સુધી શારીરિક સંબંધ બાંધવામાં પતિ નિષ્ફળ રહ્યા હતા. પતિમાં નપુંસકતા હોવાની જાણ થતાં જયાબેન ભાંગી પડ્યા અને આ અંગે તેઓની સાસુને જાણ કરતાં સાસુએ બેફામ બોલીને ઝઘડો કર્યો હતો. જયાબેન પતિને લઇને ઘણી હોસ્પિટલ ફર્યાં હતા અને હોસ્પિટલોમાં તપાસ કરાવી દવાઓ આરોગ્યા બાદ પણ કોઇ ફરક પડ્યો ન હતો.
નપુંસક પતિ પત્ની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો
પતિ શારીરિક સંબંધ બાંધવામાં નિષ્ફળ જતા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા હતા. જેના કારણે ગર્ભાશયમાં ફંગસ થઇ જતા રક્તસ્ત્રાવ વહેતો હતો. આ અંગેની જાણ સાસુ-સસરાને કરતા તેઓએ દીકરાને સમજાના બદલે કરિયાવરમાં કંઇ લાવી નથી, તેવા મેણા મારીને શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો અને અપશબ્દો બોલીને 5 હજાર રૂપિયાની માંગ કરીને ધક્કો મારી ઘરમાંથી કાઢી મૂકી હતી.
પોલીસે મહિલાની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી
મહિલાની ફરિયાદના આધારે પાણીગેટ પોલીસે પતિ જયેન્દ્ર, સસરા ઘનશ્યામભાઇ સાસુ ઉર્મિલાબેન અને કનુભાઇ વિરૂદ્ધ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.