માહી બેવરેજીસ કંપનીના વહીવટ કર્તાની ગંભીર બેદરકારીને કારણે કંપનીમાં કામ કરતી 23 વર્ષિય યુવતીએ જીવ ગુમાવ્યો
ખાલી જગ લઇને જગ ઘોવાના મશીનથી જગ ધોઇ પાણી ભરતી હતી. તે વખતે અચાનક રાધાને વીજકરંટ લાગવાની ઘટના સામે આવી
રાધાના પિતાએ માહી બેવરેજીસના વહીવટ કર્તા રીતુ વિક્રમ શાહ સામે પોલીસ ફરિયાદ કરી
વડોદરા. મંગળવારે માહી બેવરેજીસ કંપનીના વહીવટ કર્તાની ગંભીર બેદરકારીને કારણે કંપનીમાં કામ કરતી 23 વર્ષિય યુવતીએ જીવ ગુમાવ્યો હતો. પોર રમણગામડી સ્થિત માહી બેવરેજીસ કંપનીના વહીવટ કર્તા સામે બેદરકારી અને નિષ્કાળજી બદલ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.
પોર રમણગામડી જીઆઇડીસીમાં આવેલી માહી બેવરેજીસ કંપનીમાં 23 વર્ષિય રાધા બેન કામ કરતા હતા. 6 ઓક્ટોબરના રોજ સાંજે સાડા પાંચ વાગ્યે રાઘાબેનના પરિવારજનને ફોન આવ્યો કે, રાધા ખાલી જગ લઇને જગ ઘોવાના મશીનથી જગ ધોઇ પાણી ભરતી હતી. તે વખતે અચાનક રાધાને વીજકરંટ લાગ્યો છે.
વિજ કરંટ લાગતા રાધાને કંપનીમાં કામ કરતા અંકુરભાઇ પોર સરકારી દવાખાને લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. પરિવારજનોની હાજરીમાં યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટેની પ્રક્રિયા આગળ વધારવામાં આવી હતી. પરિવારજનોએ યુવતીના મૃતદેહને જોયો ત્યારે તેને વિજ કરંટ લાગવાને કારણે જમણા કાન નીચેના ભાગે કાણું પડી ગયું હતું અને તેમાંથી લોહી નિકળતું હતું.
પોલીસ ફરિયાદ પ્રમાણે, પોર રમણગામડીમાં આવેલી માહી બેવરેજીસમાં પાણીના જગ ધોવાનું મશીન મુકેલું છે. આ મશીનથી પાણીના મોટા જગ ધોવાય છે. પાણીના જગ ધોવાના મશીનની કંપનીના વહીવટ કર્તા રીતુ વિક્રમ શાહે યોગ્ય જાળવણી અને મેઇન્ટેનન્સ કરાવેલ નહી હોય અને બેદરકારી અને નિષ્કાળજી દાખવતા રાધા પાણીના જગ ધોઇ ભરતી વખતે કરંટ લાગતા મૃત્યુ પામી હતી.
માહી બેવરેજીસ કંપનીના વહીવટ કર્તા રીતુ વિક્રમ શાહે સામે કરંટ લાગવાથી મૃત્યુ પામેલી રાધાના પિતા કરશનભાઇ મનસુખભાઇ રાઠાવાએ વરણામા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
- માહી બેવરેજીસ કંપનીના વહીવટ કર્તાની ગંભીર બેદરકારીને કારણે કંપનીમાં કામ કરતી 23 વર્ષિય યુવતીએ જીવ ગુમાવ્યો
- ખાલી જગ લઇને જગ ઘોવાના મશીનથી જગ ધોઇ પાણી ભરતી હતી. તે વખતે અચાનક રાધાને વીજકરંટ લાગવાની ઘટના સામે આવી
- રાધાના પિતાએ માહી બેવરેજીસના વહીવટ કર્તા રીતુ વિક્રમ શાહ સામે પોલીસ ફરિયાદ કરી
વડોદરા. મંગળવારે માહી બેવરેજીસ કંપનીના વહીવટ કર્તાની ગંભીર બેદરકારીને કારણે કંપનીમાં કામ કરતી 23 વર્ષિય યુવતીએ જીવ ગુમાવ્યો હતો. પોર રમણગામડી સ્થિત માહી બેવરેજીસ કંપનીના વહીવટ કર્તા સામે બેદરકારી અને નિષ્કાળજી બદલ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.
પોર રમણગામડી જીઆઇડીસીમાં આવેલી માહી બેવરેજીસ કંપનીમાં 23 વર્ષિય રાધા બેન કામ કરતા હતા. 6 ઓક્ટોબરના રોજ સાંજે સાડા પાંચ વાગ્યે રાઘાબેનના પરિવારજનને ફોન આવ્યો કે, રાધા ખાલી જગ લઇને જગ ઘોવાના મશીનથી જગ ધોઇ પાણી ભરતી હતી. તે વખતે અચાનક રાધાને વીજકરંટ લાગ્યો છે.
વિજ કરંટ લાગતા રાધાને કંપનીમાં કામ કરતા અંકુરભાઇ પોર સરકારી દવાખાને લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. પરિવારજનોની હાજરીમાં યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટેની પ્રક્રિયા આગળ વધારવામાં આવી હતી. પરિવારજનોએ યુવતીના મૃતદેહને જોયો ત્યારે તેને વિજ કરંટ લાગવાને કારણે જમણા કાન નીચેના ભાગે કાણું પડી ગયું હતું અને તેમાંથી લોહી નિકળતું હતું.
પોલીસ ફરિયાદ પ્રમાણે, પોર રમણગામડીમાં આવેલી માહી બેવરેજીસમાં પાણીના જગ ધોવાનું મશીન મુકેલું છે. આ મશીનથી પાણીના મોટા જગ ધોવાય છે. પાણીના જગ ધોવાના મશીનની કંપનીના વહીવટ કર્તા રીતુ વિક્રમ શાહે યોગ્ય જાળવણી અને મેઇન્ટેનન્સ કરાવેલ નહી હોય અને બેદરકારી અને નિષ્કાળજી દાખવતા રાધા પાણીના જગ ધોઇ ભરતી વખતે કરંટ લાગતા મૃત્યુ પામી હતી.
માહી બેવરેજીસ કંપનીના વહીવટ કર્તા રીતુ વિક્રમ શાહે સામે કરંટ લાગવાથી મૃત્યુ પામેલી રાધાના પિતા કરશનભાઇ મનસુખભાઇ રાઠાવાએ વરણામા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.