કોરોનાગ્રસ્ત વિસ્તારઃ- સમા, કપુરાઇ, કારેલીબાગ, તાંદલજા, માંજલપુર, છાણી, બાપોદ, શિયાબાગ, ગોકુલનગર, અકોટા, સવાદ, ગોત્રી, મકરપુરા, નવાયાર્ડ, ફતેપુરા, ગોરવા, નવાપુરા, વડસર, કિશનવાડી
ગ્રામ્યઃ- કેલનપુર, ભાયલી, ડભોઇ, પાદરા, બીલ, ડેસર, કરજણ, ઉંડેરા, જરોદ, શિનોર, સાધલી
વડોદરા. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 124 પોઝિટીવ કેસ નોંધાયા છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 4,226 સેમ્પલમાંથી 124 કોરોના પોઝિટીવ અને 4,102 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 11,442 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 01 મૃત્યુના વધારા સાથે કુલ મૃત્યુ આંક 191 કરવામાં આવ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 1,616 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 1,365 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 181 ઓક્સિજન પર અને 70 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 251 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 01 સરકારી હોસ્પિટલ ખાતેથી, 23 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 68 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 92 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 9,635 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 5,041 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 14 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 5,055 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.
વડોદરા. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 124 પોઝિટીવ કેસ નોંધાયા છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 4,226 સેમ્પલમાંથી 124 કોરોના પોઝિટીવ અને 4,102 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 11,442 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 01 મૃત્યુના વધારા સાથે કુલ મૃત્યુ આંક 191 કરવામાં આવ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 1,616 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 1,365 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 181 ઓક્સિજન પર અને 70 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 251 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 01 સરકારી હોસ્પિટલ ખાતેથી, 23 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 68 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 92 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 9,635 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 5,041 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 14 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 5,055 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.