WatchGujarat. Vadodara - તહેવાર પછી વકરેલા કોરોનાને ડામવા માટે વહીવટી તંત્ર દ્વારા જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ બનાવવામાં આવી હતી. ટીમ દ્વારા શનિવારે ધડાધડ દુકાનો અને મોલ બંધ કરાતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો. રવિવારે સાંસદ તથા શહેર બીજેપી પ્રમુખની દરમિયાન ગીરીથી મામલો થાળે પડ્યો હતો. અને માત્ર બજાર ખોલવાની મંજુરી આપવામાં આવી હતી. વેપારીઓને નિયમોના ઉલ્લંઘન બદલ દંડ કરાશે પરંતુ દુકાન સીલ નહિ કરાય તેવી જાહેરાત કરી હતી. પરંતુ ગણતરીના કલાકોમાં જ OSD વિનોદ રાવ દ્વારા જણાવાયું કે વેપારીઓ દ્વારા આપવામાં આવેલી નિયમોના પાલન અંગેની લેખીત 'બાંહેધારી'નું ઉલ્લંઘન થયું તો દુકાન સીલ કરાશે.
શહેરમાં દુકાનો ખોલવા મામલે વેપારીઓ અને વહીવટી તંત્ર વચ્ચે ચાલતા વિરોધમાં ગત રોજ રાજકીય દરમિયાનગીરી કરવામાં આવી હતી. વેપારી સંગઠનોના અગ્રણીઓ સાંસદ રંજનબેન ભટ્ટ અને શહેર બીજેપી પ્રમુખ વિજય શાહને મળ્યા હતા. ત્યાર બાદ માત્ર દુકાનો ખોલવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. તેની સાથે દુકાનદાર દ્વારા વિશેષ તૈયારીઓ અંગેનું સુચન પણ કરવામાં આવ્યું હતું. વેપારી સંગઠનો દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર કોઇ દુકાનોને સીલ નહિ કરાય, પરંતુ જો નિયમનો ભંગ કરશે તો દંડ કરાશે.
જ્યારે સોમવારે કોરોના બાદ શહેરમાં ઓએસડી તરીકે નિમવામાં આવેલા ડો વિનોદ રાવે જણાવ્યું હતું કે, જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ દ્વારા ખુબ જ સારી કામગીરી કરવામાં આવી રહી છે. આગળ પણ કામગીરી ચાલુ રહેશે. શનિ-રવિમાં હોટ સ્પોટ પર લોકોને એકઠા થતા રોકવામાં તંત્ર સફળ રહ્યું હતું. શહેરમાં આજથી દુકાનો ચાલુ થશે. વેપારીઓ દ્વારા આપવામાં આવેલી નિયમોનું પાલન કરવાની લેખીત બાંહેધારીનું ઉલ્લંઘન થશે તો ફરી દુકાનો સીલ કરી દેવામાં આવશે. Vadodara
વાંચો વેપારી સંગઠન અને ઓએસડી ડો. વિનોદ રાવ દ્વારા જાહેર કરવામાં આવેલા સંદેશ
વેપારી સંગઠનોએ રવિવારે મોડી સાંજે સંદેશ જાહેર કર્યો હતો. જે નીચે મુજબ હતો -
આપણે સૌ વેપારી અને વડોદરા ની પ્રજા એ ફરજીયાત રાખવા ની તકેદારી
(૧) કરફ્યુ રાબેતા મુજબ રાતે 9.00 કલાક થી શરૂ થશે( ૨) કાયદાકીય જોગવાઈ પ્રમાણે દરેક વેપારીઓ અને પ્રજાએ માસ્ક પહેરવું પડે. ન પહેરનાર ને દંડ થશે જ...અને social ડિસ્ટન્સ ફરજીયાત રાખવું પડશે(૩) દુકાન માં પ્રવેશનાર દરેક ઘરાક ને ફરજીયાત માસ્ક પહેરવાનું કહેવું પડશે(૪) દરેક દુકાન દારે 10 માસ્ક અને સેનેટાઈઝર ની બોટલ ફરજીયાત રાખવી પડશે.(૫) કોઈ દુકાનો સિલ નહિ થાય પરંતુ જે દંડ ને જોગવાઈ છે એ ચાલુ જ રહેશે.(૬) નાના દુકાનદારો ખાસ ધ્યાન રાખે. દુકાન માં એક સાથે વધુ ગ્રાહકો ને પ્રવેશ ના આપવો.(૭) સરકારી અધિકારીઓ ને ચેકીંગ કરવાની પૂરી સત્તા છે. પરંતુ ગ્રાહક માસ્ક નહિ પહેર્યો હોઈ તો દુકાનદાર ને દંડ નહિ થાય.
ઓએસડી ડો. વિનોદ રાવ દ્વારા સોમવારે સવારે સંદેશો જાહેર કર્યો હતો. જે નીચે મુજબ હતો.
1. All JETs are doing excellent work since last two days. We succeeded in minimizing crowding in Hot Spots this Saturday and Sunday. 2. We have given conditional approval to reopen Bazaars and Markets from today, upon their written undertaking to follow all guidelines. If they violate the guidelines we will again seal them for 3 days. 3. All Malls and bigger shops sealed will continue to remain sealed till the 3 days period from the date of sealing is over. 4. Our JETs will continue to do good work today too. Together we will break this cycle of doubling in the next 10-14 days and keep our City safe.
#OSD #Dr Vinod Rao #Vadodara
WatchGujarat. Vadodara - તહેવાર પછી વકરેલા કોરોનાને ડામવા માટે વહીવટી તંત્ર દ્વારા જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ બનાવવામાં આવી હતી. ટીમ દ્વારા શનિવારે ધડાધડ દુકાનો અને મોલ બંધ કરાતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો. રવિવારે સાંસદ તથા શહેર બીજેપી પ્રમુખની દરમિયાન ગીરીથી મામલો થાળે પડ્યો હતો. અને માત્ર બજાર ખોલવાની મંજુરી આપવામાં આવી હતી. વેપારીઓને નિયમોના ઉલ્લંઘન બદલ દંડ કરાશે પરંતુ દુકાન સીલ નહિ કરાય તેવી જાહેરાત કરી હતી. પરંતુ ગણતરીના કલાકોમાં જ OSD વિનોદ રાવ દ્વારા જણાવાયું કે વેપારીઓ દ્વારા આપવામાં આવેલી નિયમોના પાલન અંગેની લેખીત 'બાંહેધારી'નું ઉલ્લંઘન થયું તો દુકાન સીલ કરાશે.
શહેરમાં દુકાનો ખોલવા મામલે વેપારીઓ અને વહીવટી તંત્ર વચ્ચે ચાલતા વિરોધમાં ગત રોજ રાજકીય દરમિયાનગીરી કરવામાં આવી હતી. વેપારી સંગઠનોના અગ્રણીઓ સાંસદ રંજનબેન ભટ્ટ અને શહેર બીજેપી પ્રમુખ વિજય શાહને મળ્યા હતા. ત્યાર બાદ માત્ર દુકાનો ખોલવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. તેની સાથે દુકાનદાર દ્વારા વિશેષ તૈયારીઓ અંગેનું સુચન પણ કરવામાં આવ્યું હતું. વેપારી સંગઠનો દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર કોઇ દુકાનોને સીલ નહિ કરાય, પરંતુ જો નિયમનો ભંગ કરશે તો દંડ કરાશે.
જ્યારે સોમવારે કોરોના બાદ શહેરમાં ઓએસડી તરીકે નિમવામાં આવેલા ડો વિનોદ રાવે જણાવ્યું હતું કે, જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ દ્વારા ખુબ જ સારી કામગીરી કરવામાં આવી રહી છે. આગળ પણ કામગીરી ચાલુ રહેશે. શનિ-રવિમાં હોટ સ્પોટ પર લોકોને એકઠા થતા રોકવામાં તંત્ર સફળ રહ્યું હતું. શહેરમાં આજથી દુકાનો ચાલુ થશે. વેપારીઓ દ્વારા આપવામાં આવેલી નિયમોનું પાલન કરવાની લેખીત બાંહેધારીનું ઉલ્લંઘન થશે તો ફરી દુકાનો સીલ કરી દેવામાં આવશે. Vadodara
વાંચો વેપારી સંગઠન અને ઓએસડી ડો. વિનોદ રાવ દ્વારા જાહેર કરવામાં આવેલા સંદેશ
વેપારી સંગઠનોએ રવિવારે મોડી સાંજે સંદેશ જાહેર કર્યો હતો. જે નીચે મુજબ હતો -
આપણે સૌ વેપારી અને વડોદરા ની પ્રજા એ ફરજીયાત રાખવા ની તકેદારી
(૧) કરફ્યુ રાબેતા મુજબ રાતે 9.00 કલાક થી શરૂ થશે ( ૨) કાયદાકીય જોગવાઈ પ્રમાણે દરેક વેપારીઓ અને પ્રજાએ માસ્ક પહેરવું પડે. ન પહેરનાર ને દંડ થશે જ...અને social ડિસ્ટન્સ ફરજીયાત રાખવું પડશે (૩) દુકાન માં પ્રવેશનાર દરેક ઘરાક ને ફરજીયાત માસ્ક પહેરવાનું કહેવું પડશે (૪) દરેક દુકાન દારે 10 માસ્ક અને સેનેટાઈઝર ની બોટલ ફરજીયાત રાખવી પડશે. (૫) કોઈ દુકાનો સિલ નહિ થાય પરંતુ જે દંડ ને જોગવાઈ છે એ ચાલુ જ રહેશે. (૬) નાના દુકાનદારો ખાસ ધ્યાન રાખે. દુકાન માં એક સાથે વધુ ગ્રાહકો ને પ્રવેશ ના આપવો. (૭) સરકારી અધિકારીઓ ને ચેકીંગ કરવાની પૂરી સત્તા છે. પરંતુ ગ્રાહક માસ્ક નહિ પહેર્યો હોઈ તો દુકાનદાર ને દંડ નહિ થાય.
ઓએસડી ડો. વિનોદ રાવ દ્વારા સોમવારે સવારે સંદેશો જાહેર કર્યો હતો. જે નીચે મુજબ હતો.
1. All JETs are doing excellent work since last two days. We succeeded in minimizing crowding in Hot Spots this Saturday and Sunday. 2. We have given conditional approval to reopen Bazaars and Markets from today, upon their written undertaking to follow all guidelines. If they violate the guidelines we will again seal them for 3 days. 3. All Malls and bigger shops sealed will continue to remain sealed till the 3 days period from the date of sealing is over. 4. Our JETs will continue to do good work today too. Together we will break this cycle of doubling in the next 10-14 days and keep our City safe.