દિલ્હીના ફાઇનાન્સરની ઠંડા કલેજે ગળુ કાપી હત્યા કરી અને લાશને સુટકેસમાં મૂકી દીધી હતી.
હત્યા કર્યા બાદ લોહીમાં લથબથ લાશને પાણીથી સાફ કરી સુટકેસમાં મુકવામાં આવી
ગોવા જતી દિલ્હી મડગાંવ ટ્રેનની પેન્ટ્રીમાં લાશ મુકેલી સુટકેસ કરજણ રેલ્વે સ્ટેશન પાસે ફેંકી દેવામાં આવી
ગત તા. 14 નવેમ્બરના રોજ રેલ્વે પોલીસને જાણ થતા વડોદરા રેલ્વે પોલીસમાં હત્યાનો ગુનો નોંધાયો હતો.
RPFના વોટ્સઅપ ગૃપથી પોલીસે હત્યારાઓનુ પગેરૂ મેળવ્યું
પ્રેમિકા ફૈઝલના ઘરે લાગેલા CCTV કેમેરાની તપાસ કરતા પોલીસને કાળા રંગની સુટકેસ જોવા મળી હતી
વડોદરા. ગત તા. 14 નવેમ્બરના રોજ કરજણ રેલ્વે સ્ટેશન નજીક ટ્રેક પરથી એક અજાણ્યા વ્યક્તિની ગળુ કપાયેલી અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવી હતી. લાશ નજીકથી પોલીસને એક કાળા રંગની સુટકેસ પણ મળી આવી હતી. જોકે આ સુટકેસ લોહીથી રંગાયેલી હતી. જેથી હત્યા કર્યા બાદ લાશને સુટકેસમાં મુકી રેલ્વે ટ્રેક પર ફેંકી દેવામાં આવી હોવાનુ સ્પષ્ટ થયુ હતુ. બનાવને પગલે વડોદરા રેલ્વે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસનો દોર શરૂ કર્યો હતો. આ બનાવમાં RPF, સુરત રેલ્વે પોલીસ અને દિલ્હી પોલીસ પણ જોડાતા ગણત્રીના દિવસોમાં અજાણી લાશની ઓળખ છતી થઇ અને હત્યાનો ભેદ ઉકેલાયો હતો.
કરજણ રેલ્વે સ્ટેશન નજીકથી અર્ધનગ્ન હાલતમાં ગળુ કપાયેલી લાશ કોની?
દિલ્હીના મોર્ડન ટાઉનમાં રહેતો 46 વર્ષીય નિરજ ગુપ્તા ફાઇનાન્સના ધંધા સાથે સંકળાયેલો હતો. નિરજ એક પરણીત વ્યક્તિ હતો અને પત્ની આંચલ અને બે સંતાનો સહીત પરિવાર સાથે રહેતો હતો. નિરજ કરોલ બાગ ખાતે પણ પોતાની ફાઇનાન્સની ઓફીસ ધરવતો હતો. જ્યાં છેલ્લા 10 વર્ષથી ફૈઝલ પઠાણ નામની યુવતિ કામ કરતી હતી. નિરજ ગુપ્તા અને ફૈસલ વચ્ચે ગાઢ પ્રેમસંબંધો પણ હતા.
નિરજ ગુપ્તા અને ફૈસલ વચ્ચે શુ સંબંધો હતા ?
ફાઇનાન્સના ધંધા સાથે સંકળાયેલા નિરજ ગુપ્તાની ઓફીસમાં કામ કરતી ફૈઝલ પઠાણ સાથે તેને ગાઢ પ્રેમ સબંધો હતા. નિરજ પરણીત અને બે સંતાનોનો પિતા હોવા છતાં ફૈઝલ સૈયદ રફીક અહેમદ ના ગળા ડૂબ પ્રેમમાં હતો. ફૈઝલને તમામ પ્રકારની સવલતો પુરી પાડી દિવસ રાત તેની સાથે જ રહેતો હતો. બન્ને કેટલીક હદે પતિ-પત્ની તરીકે વ્યવહારીક જીવન જીવતા હતા. નિરજ પરણીત હોવા છતાં ફૈઝલ સાથે લગ્નેત્તર સબંધો ધરાવતો હતો. પરંતુ ફૈઝલના પરિવારને તે મંજૂર ન હતુ.
ફૈઝલ અન્ય કોઇ સાથે સબંધ રાખે કે પરણે તે નિરજને મંજૂર ન હતુ.
નિરજના ફૈઝલ સાથેના લગ્નેત્તર સબંધ હતા. જોકે ફૈઝલના પરિવારને તે મંજૂર ન હતુ. બીજી તરફ ફૈઝલને ઝુબેર ખાન નામના યુવક સાથે પણ પ્રેમસંબંધો હતા. જે બાબત ફૈઝલનો પરિવાર જાણતા હતો. જેથી બન્નેની સગાઇની વાતો ચાલી રહીં હતી. પરંતુ ફૈઝલ અન્ય કોઇ સાથે સબંધ રાખે કે પરણે તે નિરજને મંજૂર ન હતુ.
[caption id="attachment_16177" align="aligncenter" width="1280"] બેગમાં નિરજની લાશને કરજણ પાસે ફેંકી દેવામાં આવી હતી.[/caption]
ગત તા. 12મી નવેમ્બરે ફૈઝલે નિરજને મળવા માટે પોતાના ધરે બોલાવ્યો
નિરજ ગુપ્તા અને ફૈઝલના સબંધો અંગે બન્નેનો પરિવાર વાકેફ હતો. તેવામાં ફૈઝલ અને ઝુબેરની સગાઇની વાતો ચાલતા નિરજ રોષે ભરાયો હતો. નિરજે ફૈઝલને અન્ય કોઇ વ્યક્તિ સાથે સબંધ રાખવાની સખ્ત ના પાડી દીધી હતી. પરંતુ ફૈઝલની માતા શાહીન ઇચ્છતી હતી કે દિકરીના લગ્ન ઝુબેર સાથે થાય. આ બાબતનુ નિરાકરણ લાવવા માટે ફૈઝલે નિરજને ગત તા. 12મી નવેમ્બરના રોજ પોતાના ઘરે (દિલ્હી સ્થિત આદર્શનગર, પાર્ક કોલોની) મળવા માટે બોલાવ્યો હતો. જ્યાં ખેલાયો ખૂની ખેલ.
ફૈઝલના પ્રેમી ઝુબેરે નિરજ ગુપ્તાની કંઇ રીતે હત્યા કરી ?
ફૈઝલના બોલાવા પર નિરજ આદર્શનગર સ્થિત પાર્ક કોલોનીમાં પહોંચ્યો હતો. જ્યાં ફૈઝલ, તેની માતા શાહીન અને પ્રેમી ઝુબેર પઠાણ પણ હાજર હતા. નિરજ અને ફૈઝલના સંબંધોથી બધા ખૂબ સારી રીતે વાકેફ હતા. નિરજ નહોતો ઇચ્છતો કે ફૈઝલ અને ઝુબેરના લગ્ન થાય, આ બાબતે ચર્ચા કરવા જતા નિરજ ઉશ્કેરાયો અને ઝુબેરને ધક્કો મારી દીધો હતો. આ ઘટના બાદ ઝુબેર રોષે ભરાયો અને નજીકમાં પડેલી ઇંટ ઉઠાવી નિરજના માથામાં મારી દેતા તે ઢળી પડ્યો હતો. નિરજ હજી જીવી રહ્યો હતો, ત્યાં તો ઝુબેરે ઉપરા છાપરી ત્રણ જેટલા ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા, છતાય નિરજ જીવીત હતો. જે જોતા ઝુબેરે ઠંડા કલેજે નિરજના ગળા પર ચપ્પુ ફેરવી ગળુ કાપી નાખ્યું હતુ.
નિરજની હત્યા કરી લાશને સાફ કરવા માટે બાથરૂમમાં લઇ જવાઇ હતી.
ગત તા. 12 નવેમ્બરના રોજ આદર્શ નગર સ્થિત પાર્ક કોલોનીમાં રહેતી ફૈઝલ પઠાણના ઘરમાં નિરજની કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. આખા ઘરમાં લોહીના ખાબોચીયા ભરાઇ ગયા હતા. જેથી હત્યારા ઝુબેર અને ફૈઝલની માતાએ મળીને પુરાવાનો નાશ કરવા માટે નિરજના મૃતદેહને બાથરૂમમાં લઇ જઇ પાણીથી સાફ કર્યો હતો. ત્યારબાદ કાળા રંગની સુટકેસમાં નિરજની લાશને મુકી દેવામાં આવી હતી. નિરજની લાશનો નિકાલ કયાં અને કંઇ રીતે કરવો તે હવે સૌથી મોટો પ્રશ્ન હતો.
નિરજની લાશને કંઇ રીતે દિલ્હીથી 1038 કી.મી દુર કરજણ રેલ્વે સ્ટેશન લાવવામાં આવી
નિરજ ગુપ્તાનો હત્યારો ઝુબેર નિઝામુદ્દીન ત્રિવેન્દ્રમ એક્સપ્રેસ ટ્રેનની પેન્ટ્રીમાં કામ કરે છે. જેથી નિરજની લાશને રાત્રીના સમયે સુટેકસમાં મુકી ગોવા જતી દિલ્હી મડગાંવ ટ્રેનની પેન્ટ્રીમાં મુકી દેવામાં આવી હતી. ઝુબેર આજ ટ્રેનમાં સવાર હતો. જેથી સમય મળતા જ તેને અંધારાનો લાભ ઉઠાવી કરજણ રેલ્વે સ્ટેશન નજીક લાશ મુકેલી સુટકેસ રેલ્વે ટ્રેક પર ફેંકી દીધી હતી. જોકે સુટકેસ જોરથી નિચે પટકાતા ખુલી ગઇ હતી અને નિરજનો મૃતદેહ બહાર આવી ગયો હતો. ગત તા. 14મી નવેમ્બરે રેલ્વે પોલીસને આ લાશ મળતા વડોદરા રેલ્વે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
દિલ્હીના ફાઇનાન્સરની ઠંડા કલેજે ગળુ કાપી હત્યા કરી અને લાશને સુટકેસમાં મૂકી દીધી હતી.
હત્યા કર્યા બાદ લોહીમાં લથબથ લાશને પાણીથી સાફ કરી સુટકેસમાં મુકવામાં આવી
ગોવા જતી દિલ્હી મડગાંવ ટ્રેનની પેન્ટ્રીમાં લાશ મુકેલી સુટકેસ કરજણ રેલ્વે સ્ટેશન પાસે ફેંકી દેવામાં આવી
ગત તા. 14 નવેમ્બરના રોજ રેલ્વે પોલીસને જાણ થતા વડોદરા રેલ્વે પોલીસમાં હત્યાનો ગુનો નોંધાયો હતો.
પ્રેમિકા ફૈઝલના ઘરે લાગેલા CCTV કેમેરાની તપાસ કરતા પોલીસને કાળા રંગની સુટકેસ જોવા મળી હતી
વડોદરા. ગત તા. 14 નવેમ્બરના રોજ કરજણ રેલ્વે સ્ટેશન નજીક ટ્રેક પરથી એક અજાણ્યા વ્યક્તિની ગળુ કપાયેલી અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવી હતી. લાશ નજીકથી પોલીસને એક કાળા રંગની સુટકેસ પણ મળી આવી હતી. જોકે આ સુટકેસ લોહીથી રંગાયેલી હતી. જેથી હત્યા કર્યા બાદ લાશને સુટકેસમાં મુકી રેલ્વે ટ્રેક પર ફેંકી દેવામાં આવી હોવાનુ સ્પષ્ટ થયુ હતુ. બનાવને પગલે વડોદરા રેલ્વે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસનો દોર શરૂ કર્યો હતો. આ બનાવમાં RPF, સુરત રેલ્વે પોલીસ અને દિલ્હી પોલીસ પણ જોડાતા ગણત્રીના દિવસોમાં અજાણી લાશની ઓળખ છતી થઇ અને હત્યાનો ભેદ ઉકેલાયો હતો.
દિલ્હીના મોર્ડન ટાઉનમાં રહેતો 46 વર્ષીય નિરજ ગુપ્તા ફાઇનાન્સના ધંધા સાથે સંકળાયેલો હતો. નિરજ એક પરણીત વ્યક્તિ હતો અને પત્ની આંચલ અને બે સંતાનો સહીત પરિવાર સાથે રહેતો હતો. નિરજ કરોલ બાગ ખાતે પણ પોતાની ફાઇનાન્સની ઓફીસ ધરવતો હતો. જ્યાં છેલ્લા 10 વર્ષથી ફૈઝલ પઠાણ નામની યુવતિ કામ કરતી હતી. નિરજ ગુપ્તા અને ફૈસલ વચ્ચે ગાઢ પ્રેમસંબંધો પણ હતા.
નિરજ ગુપ્તા અને ફૈસલ વચ્ચે શુ સંબંધો હતા ?
ફાઇનાન્સના ધંધા સાથે સંકળાયેલા નિરજ ગુપ્તાની ઓફીસમાં કામ કરતી ફૈઝલ પઠાણ સાથે તેને ગાઢ પ્રેમ સબંધો હતા. નિરજ પરણીત અને બે સંતાનોનો પિતા હોવા છતાં ફૈઝલ સૈયદ રફીક અહેમદ ના ગળા ડૂબ પ્રેમમાં હતો. ફૈઝલને તમામ પ્રકારની સવલતો પુરી પાડી દિવસ રાત તેની સાથે જ રહેતો હતો. બન્ને કેટલીક હદે પતિ-પત્ની તરીકે વ્યવહારીક જીવન જીવતા હતા. નિરજ પરણીત હોવા છતાં ફૈઝલ સાથે લગ્નેત્તર સબંધો ધરાવતો હતો. પરંતુ ફૈઝલના પરિવારને તે મંજૂર ન હતુ.
ફૈઝલ અન્ય કોઇ સાથે સબંધ રાખે કે પરણે તે નિરજને મંજૂર ન હતુ.
નિરજના ફૈઝલ સાથેના લગ્નેત્તર સબંધ હતા. જોકે ફૈઝલના પરિવારને તે મંજૂર ન હતુ. બીજી તરફ ફૈઝલને ઝુબેર ખાન નામના યુવક સાથે પણ પ્રેમસંબંધો હતા. જે બાબત ફૈઝલનો પરિવાર જાણતા હતો. જેથી બન્નેની સગાઇની વાતો ચાલી રહીં હતી. પરંતુ ફૈઝલ અન્ય કોઇ સાથે સબંધ રાખે કે પરણે તે નિરજને મંજૂર ન હતુ.
[caption id="attachment_16177" align="aligncenter" width="1280"] બેગમાં નિરજની લાશને કરજણ પાસે ફેંકી દેવામાં આવી હતી.[/caption]
ગત તા. 12મી નવેમ્બરે ફૈઝલે નિરજને મળવા માટે પોતાના ધરે બોલાવ્યો
નિરજ ગુપ્તા અને ફૈઝલના સબંધો અંગે બન્નેનો પરિવાર વાકેફ હતો. તેવામાં ફૈઝલ અને ઝુબેરની સગાઇની વાતો ચાલતા નિરજ રોષે ભરાયો હતો. નિરજે ફૈઝલને અન્ય કોઇ વ્યક્તિ સાથે સબંધ રાખવાની સખ્ત ના પાડી દીધી હતી. પરંતુ ફૈઝલની માતા શાહીન ઇચ્છતી હતી કે દિકરીના લગ્ન ઝુબેર સાથે થાય. આ બાબતનુ નિરાકરણ લાવવા માટે ફૈઝલે નિરજને ગત તા. 12મી નવેમ્બરના રોજ પોતાના ઘરે (દિલ્હી સ્થિત આદર્શનગર, પાર્ક કોલોની) મળવા માટે બોલાવ્યો હતો. જ્યાં ખેલાયો ખૂની ખેલ.
ફૈઝલના પ્રેમી ઝુબેરે નિરજ ગુપ્તાની કંઇ રીતે હત્યા કરી ?
ફૈઝલના બોલાવા પર નિરજ આદર્શનગર સ્થિત પાર્ક કોલોનીમાં પહોંચ્યો હતો. જ્યાં ફૈઝલ, તેની માતા શાહીન અને પ્રેમી ઝુબેર પઠાણ પણ હાજર હતા. નિરજ અને ફૈઝલના સંબંધોથી બધા ખૂબ સારી રીતે વાકેફ હતા. નિરજ નહોતો ઇચ્છતો કે ફૈઝલ અને ઝુબેરના લગ્ન થાય, આ બાબતે ચર્ચા કરવા જતા નિરજ ઉશ્કેરાયો અને ઝુબેરને ધક્કો મારી દીધો હતો. આ ઘટના બાદ ઝુબેર રોષે ભરાયો અને નજીકમાં પડેલી ઇંટ ઉઠાવી નિરજના માથામાં મારી દેતા તે ઢળી પડ્યો હતો. નિરજ હજી જીવી રહ્યો હતો, ત્યાં તો ઝુબેરે ઉપરા છાપરી ત્રણ જેટલા ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા, છતાય નિરજ જીવીત હતો. જે જોતા ઝુબેરે ઠંડા કલેજે નિરજના ગળા પર ચપ્પુ ફેરવી ગળુ કાપી નાખ્યું હતુ.
નિરજની હત્યા કરી લાશને સાફ કરવા માટે બાથરૂમમાં લઇ જવાઇ હતી.
ગત તા. 12 નવેમ્બરના રોજ આદર્શ નગર સ્થિત પાર્ક કોલોનીમાં રહેતી ફૈઝલ પઠાણના ઘરમાં નિરજની કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. આખા ઘરમાં લોહીના ખાબોચીયા ભરાઇ ગયા હતા. જેથી હત્યારા ઝુબેર અને ફૈઝલની માતાએ મળીને પુરાવાનો નાશ કરવા માટે નિરજના મૃતદેહને બાથરૂમમાં લઇ જઇ પાણીથી સાફ કર્યો હતો. ત્યારબાદ કાળા રંગની સુટકેસમાં નિરજની લાશને મુકી દેવામાં આવી હતી. નિરજની લાશનો નિકાલ કયાં અને કંઇ રીતે કરવો તે હવે સૌથી મોટો પ્રશ્ન હતો.
નિરજની લાશને કંઇ રીતે દિલ્હીથી 1038 કી.મી દુર કરજણ રેલ્વે સ્ટેશન લાવવામાં આવી
નિરજ ગુપ્તાનો હત્યારો ઝુબેર નિઝામુદ્દીન ત્રિવેન્દ્રમ એક્સપ્રેસ ટ્રેનની પેન્ટ્રીમાં કામ કરે છે. જેથી નિરજની લાશને રાત્રીના સમયે સુટેકસમાં મુકી ગોવા જતી દિલ્હી મડગાંવ ટ્રેનની પેન્ટ્રીમાં મુકી દેવામાં આવી હતી. ઝુબેર આજ ટ્રેનમાં સવાર હતો. જેથી સમય મળતા જ તેને અંધારાનો લાભ ઉઠાવી કરજણ રેલ્વે સ્ટેશન નજીક લાશ મુકેલી સુટકેસ રેલ્વે ટ્રેક પર ફેંકી દીધી હતી. જોકે સુટકેસ જોરથી નિચે પટકાતા ખુલી ગઇ હતી અને નિરજનો મૃતદેહ બહાર આવી ગયો હતો. ગત તા. 14મી નવેમ્બરે રેલ્વે પોલીસને આ લાશ મળતા વડોદરા રેલ્વે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.