જિલ્લા કલેકટરશ્રી એ ભાયલી સેવાસી અને અંકોડિયા ગામોની મુલાકાત લીધી
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધન્વંતરિ રથ દ્વારા અને સર્વે ટીમો દ્વારા કોવિડ વિષયક થઈ રહેલી સઘન કામગીરી નું નિરીક્ષણ કર્યું
વહીવટી તંત્રની કામગીરી અંગે લોક અભિપ્રાયો મેળવ્યા
WatchGujarat. જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે વડોદરા તાલુકાના ગ્રામ વિસ્તારોની મુલાકાત લઈને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે,ધન્વંતરિ આરોગ્ય રથ દ્વારા અને ડોર ટુ ડોર સર્વેક્ષણ ની ટીમો દ્વારા કોવિડ નો ચેપ રોકવા માટે થઈ રહેલી સઘન આરોગ્ય કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. સમીક્ષા મુલાકાત દરમિયાન તેમણે અગાઉ જે લોકો કોરોના મુક્ત થયાં છે, એવા ગ્રામ જનોની ભાળ લેવાની સાથે આરોગ્ય ટીમોની કામગીરી અંગે લોક અભિપ્રાયો મેળવ્યા હતા. અને હકારાત્મક લોક અભિપ્રાય માટે આરોગ્યના કર્મયોગીઓને બિરદાવ્યા હતા. તેમણે ખાસ કરીને સગર્ભા મહિલા તબીબ અને એ. એન.એમ.બહેનની ફરજ પરસ્તીને પ્રેરક ગણાવીને બિરદાવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય ટીલાવત આ મુલાકાત દરમિયાન તેમની સાથે રહ્યાં હતા.
જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે ભાયલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત સમયે રેપિડ એન્ટીજન ટેસ્ટ માટેના સેમ્પલિંગ ની કાર્યવાહી નું નિરીક્ષણ કરવાની સાથે,જેમનો ટેસ્ટ નેગેટિવ આવે અને તેમ છતાં,કોરોના ના લક્ષણો જણાતા હોય તેવા લોકોનો આર.ટી.પી.સી.આર. ટેસ્ટ અવશ્ય કરવાની સૂચના આપી હતી.
હાલમાં જિલ્લામાં 32 ધન્વંતરિ આરોગ્ય રથો દ્વારા , પ્રત્યેક રથ દીઠ દિવસના 100 થી 120 લોકોને જરૂરી આરોગ્ય સેવાઓ આપવામાં આવી રહી છે.કલેકટરે સેવાસી ખાતે આરોગ્ય રથ દ્વારા નિદાન,સારવાર અને સેમ્પ્લીંગ ની થઈ રહેલી કામગીરીનું નિરીક્ષણ કરવાની સાથે કામગીરીને વધુ અસરકારક બનાવવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તેવી જ રીતે જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે અંકોડીયા ગામે આરોગ્ય ટીમ દ્વારા થઈ રહેલી ડોર ટુ ડોર સર્વે ની કામગીરી નિહાળવાની સાથે વડીલો અને બાળકો ની આરોગ્ય વિષયક અને સેવા વિષયક પૃચ્છા કરી હતી.લોકો એ આરોગ્ય સેવાઓને સંતોષજનક ગણાવી હતી. તેમણે લોકો સાથે સંવાદ કર્યો હતો અને આરોગ્ય અંગે પૃચ્છા કરવાની સાથે માસ્ક અવશ્ય પહેરવા,બિન જરૂરી અવર જવર સદંતર ટાળવા અને સોશીયલ ડિસ્ટન્સ પાળવા, સેનિટાઇઝેસન અને સાબુ થી હાથ ધોવા ના નિયમો નું પાલન કરવા અને ભીડભાડ કરવાથી અને એવી જગ્યાઓ થી દુર રહેવા ખાસ અનુરોધ કર્યો હતો. અને સાવચેતી ને જ શ્રેષ્ઠ ગણવા જણાવ્યું હતું.
સગર્ભા મહિલા ડો.ભૂમિકા ઘોડાસરા નિષ્ઠા સાથે કોરોના વિષયક આરોગ્ય સેવા આપી રહ્યાં છે
જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલની આજની વડોદરા તાલુકાની મુલાકાત અને આરોગ્ય સેવાઓના નિરીક્ષણ સમયે નારી તું નારાયણી ની ઉકિત સાર્થક કરતી બે ઘટનાઓ સામે આવી હતી. સેવાસી ખાતે ધન્વંતરિ રથ સાથે આર.બી.એસ.કે. તબીબ ડો.ભૂમિકા ઘોડાસરા આરોગ્ય સેવાઓ આપતાં નજરે પડ્યા હતા. ખાસ વાત એ છે કે, તેઓ સાત મહિનાની સગર્ભાવસ્થા હોવા છતાં ખૂબ જ નિષ્ઠા સાથે આરોગ્ય સેવાઓ આપી રહ્યાં હતાં. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદયે જણાવ્યું કે તેઓ કોવિડ કટોકટીની શરૂઆતથી જ સમર્પિત રીતે સેવાઓ આપી રહ્યાં છે અને ફરજમાં જરાય પાછી પાની કરી નથી.
તેવી જ રીતે, અંકોડિયા ના એ.એન.એમ.લક્ષ્મી બહેન ગુરખાની નિષ્ઠા સભર આરોગ્ય સેવાઓ ની ગવાહી ખુદ ગ્રામજનોએ આપી હતી. કલેકટરે આ બંને મહિલા આરોગ્ય કર્મયોગીનીઓ ને અભિનંદન આપવાની સાથે તેમની ફરજ નિષ્ઠાને પ્રેરક અને અનુકરણીય ગણાવી ને બિરદાવી હતી.
More #શાલિની અગ્રવાલ #Collector #Vadodara News
જિલ્લા કલેકટરશ્રી એ ભાયલી સેવાસી અને અંકોડિયા ગામોની મુલાકાત લીધી
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધન્વંતરિ રથ દ્વારા અને સર્વે ટીમો દ્વારા કોવિડ વિષયક થઈ રહેલી સઘન કામગીરી નું નિરીક્ષણ કર્યું
વહીવટી તંત્રની કામગીરી અંગે લોક અભિપ્રાયો મેળવ્યા
WatchGujarat. જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે વડોદરા તાલુકાના ગ્રામ વિસ્તારોની મુલાકાત લઈને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે,ધન્વંતરિ આરોગ્ય રથ દ્વારા અને ડોર ટુ ડોર સર્વેક્ષણ ની ટીમો દ્વારા કોવિડ નો ચેપ રોકવા માટે થઈ રહેલી સઘન આરોગ્ય કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. સમીક્ષા મુલાકાત દરમિયાન તેમણે અગાઉ જે લોકો કોરોના મુક્ત થયાં છે, એવા ગ્રામ જનોની ભાળ લેવાની સાથે આરોગ્ય ટીમોની કામગીરી અંગે લોક અભિપ્રાયો મેળવ્યા હતા. અને હકારાત્મક લોક અભિપ્રાય માટે આરોગ્યના કર્મયોગીઓને બિરદાવ્યા હતા. તેમણે ખાસ કરીને સગર્ભા મહિલા તબીબ અને એ. એન.એમ.બહેનની ફરજ પરસ્તીને પ્રેરક ગણાવીને બિરદાવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય ટીલાવત આ મુલાકાત દરમિયાન તેમની સાથે રહ્યાં હતા.
જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે ભાયલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત સમયે રેપિડ એન્ટીજન ટેસ્ટ માટેના સેમ્પલિંગ ની કાર્યવાહી નું નિરીક્ષણ કરવાની સાથે,જેમનો ટેસ્ટ નેગેટિવ આવે અને તેમ છતાં,કોરોના ના લક્ષણો જણાતા હોય તેવા લોકોનો આર.ટી.પી.સી.આર. ટેસ્ટ અવશ્ય કરવાની સૂચના આપી હતી.
હાલમાં જિલ્લામાં 32 ધન્વંતરિ આરોગ્ય રથો દ્વારા , પ્રત્યેક રથ દીઠ દિવસના 100 થી 120 લોકોને જરૂરી આરોગ્ય સેવાઓ આપવામાં આવી રહી છે.કલેકટરે સેવાસી ખાતે આરોગ્ય રથ દ્વારા નિદાન,સારવાર અને સેમ્પ્લીંગ ની થઈ રહેલી કામગીરીનું નિરીક્ષણ કરવાની સાથે કામગીરીને વધુ અસરકારક બનાવવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તેવી જ રીતે જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે અંકોડીયા ગામે આરોગ્ય ટીમ દ્વારા થઈ રહેલી ડોર ટુ ડોર સર્વે ની કામગીરી નિહાળવાની સાથે વડીલો અને બાળકો ની આરોગ્ય વિષયક અને સેવા વિષયક પૃચ્છા કરી હતી.લોકો એ આરોગ્ય સેવાઓને સંતોષજનક ગણાવી હતી. તેમણે લોકો સાથે સંવાદ કર્યો હતો અને આરોગ્ય અંગે પૃચ્છા કરવાની સાથે માસ્ક અવશ્ય પહેરવા,બિન જરૂરી અવર જવર સદંતર ટાળવા અને સોશીયલ ડિસ્ટન્સ પાળવા, સેનિટાઇઝેસન અને સાબુ થી હાથ ધોવા ના નિયમો નું પાલન કરવા અને ભીડભાડ કરવાથી અને એવી જગ્યાઓ થી દુર રહેવા ખાસ અનુરોધ કર્યો હતો. અને સાવચેતી ને જ શ્રેષ્ઠ ગણવા જણાવ્યું હતું.
સગર્ભા મહિલા ડો.ભૂમિકા ઘોડાસરા નિષ્ઠા સાથે કોરોના વિષયક આરોગ્ય સેવા આપી રહ્યાં છે
જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલની આજની વડોદરા તાલુકાની મુલાકાત અને આરોગ્ય સેવાઓના નિરીક્ષણ સમયે નારી તું નારાયણી ની ઉકિત સાર્થક કરતી બે ઘટનાઓ સામે આવી હતી. સેવાસી ખાતે ધન્વંતરિ રથ સાથે આર.બી.એસ.કે. તબીબ ડો.ભૂમિકા ઘોડાસરા આરોગ્ય સેવાઓ આપતાં નજરે પડ્યા હતા. ખાસ વાત એ છે કે, તેઓ સાત મહિનાની સગર્ભાવસ્થા હોવા છતાં ખૂબ જ નિષ્ઠા સાથે આરોગ્ય સેવાઓ આપી રહ્યાં હતાં. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદયે જણાવ્યું કે તેઓ કોવિડ કટોકટીની શરૂઆતથી જ સમર્પિત રીતે સેવાઓ આપી રહ્યાં છે અને ફરજમાં જરાય પાછી પાની કરી નથી.
તેવી જ રીતે, અંકોડિયા ના એ.એન.એમ.લક્ષ્મી બહેન ગુરખાની નિષ્ઠા સભર આરોગ્ય સેવાઓ ની ગવાહી ખુદ ગ્રામજનોએ આપી હતી. કલેકટરે આ બંને મહિલા આરોગ્ય કર્મયોગીનીઓ ને અભિનંદન આપવાની સાથે તેમની ફરજ નિષ્ઠાને પ્રેરક અને અનુકરણીય ગણાવી ને બિરદાવી હતી.