એજન્સીમાં તપાસ દરમિયાન પુરાવા તપાસવા જતા સમગ્ર કૌભાંડ સપાટી પર આવ્યું
બોગસ પુરાવાઓ આપીને કાર્ડ કઢાવનારા 35 કાર્ડ બ્લોક કરાયા
શહેર ક્રાઇમ બ્રાન્ચે 7 આરોપીઓ સામે ફરિયાદ નોંધી, વધુ એજન્ટોની સંડોવણીની બહાર આવે તેવી શક્યતા
WatchGujarat. સરકાર દ્વારા ચોક્કસ આવક મર્યાદા ધરાવતા લોકોને સારી તબિબિ સેવાઓ પુરી પાડવા માટે મા અમૃતમ / મા વાસ્તલ્ય કાર્ડ આપવામાં આવે છે. કેટલાક લાલચુઓ દ્વારા સરકારની સ્કિમનો ફાયદો ઉઠાવવા માટે એજન્ટો મારફતે ખોટા પુરાવાઓ આપી કાર્ડ કઢાવવામાં આવ્યા હોય તેવો એક કિસ્સો સામે આવ્યો છે. સમગ્ર મામલે અત્યાર સુધી 35 લાભાર્થીઓમાં કાર્ડ બ્લોક કરી દેવામાં આવ્યા છે. અને જવાબદારો સામે શહેર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બનાવ અંગે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર ચીરાગ પટેલે નોંધાવેલી ફરિયાદ અનુસાર, 1/10/2020 ના રોજ સુદામાપુરી અર્બન હેલ્થ સેન્ટર, મહાવારી ચાર રસ્તા, વાઘોડિયા ખાતે માં વાત્સલ્ય યોજનાના કાર્ડ સંદર્ભે જમા કરાવેલા દસ્તાવેજો શંકાસ્પદ જણાઇ આવ્યા હતા.
મા અમૃતમ / મા વાસ્તલ્ય યોજનાના કાર્ડ બનાવવાની કામગીરી ઇમેજીનરીંગ પ્રા.લી. નામની એજન્સી દ્વારા કરવામાં આવે છે. મા અમૃતમ / મા વાસ્તલ્ય યોજનાના કાર્ડ બનાવવા માટે વિવિધ પ્રકારના પુરાવાઓ ઉપયોગમાં લેવામાં આવે છે. એજન્સી થકી બનાવવામાં આવેલા 35 જેટલા મા અમૃતમ / મા વાસ્તલ્ય યોજનાના કાર્ડ માટે જમા કરાવવામાં આવેલા આવકના પુરાવાઓ શંકાસ્પદ જણાયા હતા. જેને લઇને સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી હતી. વાત જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદય ટીલાવતના ધ્યાને આવતા તેમણે વધુ તપાસ માટે વિવિધ ડિપાર્ટમેન્ટ સાથે સંકલન સાધ્યું હતું.
પુરાવાઓની તપાસમાં વાત બહાર આવી હતી કે, કાર્ડ બનાવવા માટે આપેલા આવકના દાખલાઓના ફોરમેટમાં ટાઇપ કરેલા શબ્દો તથા લાભાર્થીનો ફોટો શંકાસ્પદ હતો. તેથી તેની ખરાઇ કરવા માટે મામલતદાર કચેરી ખાતે મોકલવામાં આવ્યા હતા. જેમાંથી 35 લાભાર્થીઓ દ્વારા જમા કરાવવામાં આવેલા દસ્તાવેજો મામલતદારની કચેરી દ્વારા ઇશ્યુ નહિ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા 35 લાભાર્થીઓના મા અમૃતમ / મા વાસ્તલ્ય કાર્ડને બ્લોક કરી દેવામાં આવ્યા હતા.
સમગ્ર મામલે શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુપ્તરાહે તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસમાં વાત સામે આવી કે, મા વાત્સલ્ય કાર્ડ કઢાવવા માટે 35 લોકોએ એજન્ટો મારફતે કામગીરી શરૂ કરાવી હતી. જેમાં એજન્ટોને આવકના કોઇ દાખલા આપ્યા ન હતા, કે અર્બન હેલ્થ સેન્ટર ખાતે રજૂ કર્યા ન હતા. એજન્ટો દ્વારા ખોટા અને બનાવટી આવકના દાખલાઓ બનાવી અર્બન હેલ્થ સેન્ટરમાં રજૂ કરી કાર્ડ કઢાવ્યું હતું. કૌભાંડ આચરવા માટે જનસેવા કેન્દ્રના નાયબ મામલતદારની ખોટી સહી સિક્કા કરી દાખલાઓ બનાવવામાં આવ્યા હતા. પોલીસે મામલે મનીષભાઇ, પટેલ, મનોજ સોની, નરેશ, જીતુ ભાઇ, પ્રવિણભાઇ, સતિષ, સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં વધુ લોકોની સંડોવણી બહાર આવી શકે તેમ છે.
એજન્સીમાં તપાસ દરમિયાન પુરાવા તપાસવા જતા સમગ્ર કૌભાંડ સપાટી પર આવ્યું
શહેર ક્રાઇમ બ્રાન્ચે 7 આરોપીઓ સામે ફરિયાદ નોંધી, વધુ એજન્ટોની સંડોવણીની બહાર આવે તેવી શક્યતા
WatchGujarat. સરકાર દ્વારા ચોક્કસ આવક મર્યાદા ધરાવતા લોકોને સારી તબિબિ સેવાઓ પુરી પાડવા માટે મા અમૃતમ / મા વાસ્તલ્ય કાર્ડ આપવામાં આવે છે. કેટલાક લાલચુઓ દ્વારા સરકારની સ્કિમનો ફાયદો ઉઠાવવા માટે એજન્ટો મારફતે ખોટા પુરાવાઓ આપી કાર્ડ કઢાવવામાં આવ્યા હોય તેવો એક કિસ્સો સામે આવ્યો છે. સમગ્ર મામલે અત્યાર સુધી 35 લાભાર્થીઓમાં કાર્ડ બ્લોક કરી દેવામાં આવ્યા છે. અને જવાબદારો સામે શહેર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બનાવ અંગે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર ચીરાગ પટેલે નોંધાવેલી ફરિયાદ અનુસાર, 1/10/2020 ના રોજ સુદામાપુરી અર્બન હેલ્થ સેન્ટર, મહાવારી ચાર રસ્તા, વાઘોડિયા ખાતે માં વાત્સલ્ય યોજનાના કાર્ડ સંદર્ભે જમા કરાવેલા દસ્તાવેજો શંકાસ્પદ જણાઇ આવ્યા હતા.
મા અમૃતમ / મા વાસ્તલ્ય યોજનાના કાર્ડ બનાવવાની કામગીરી ઇમેજીનરીંગ પ્રા.લી. નામની એજન્સી દ્વારા કરવામાં આવે છે. મા અમૃતમ / મા વાસ્તલ્ય યોજનાના કાર્ડ બનાવવા માટે વિવિધ પ્રકારના પુરાવાઓ ઉપયોગમાં લેવામાં આવે છે. એજન્સી થકી બનાવવામાં આવેલા 35 જેટલા મા અમૃતમ / મા વાસ્તલ્ય યોજનાના કાર્ડ માટે જમા કરાવવામાં આવેલા આવકના પુરાવાઓ શંકાસ્પદ જણાયા હતા. જેને લઇને સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી હતી. વાત જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદય ટીલાવતના ધ્યાને આવતા તેમણે વધુ તપાસ માટે વિવિધ ડિપાર્ટમેન્ટ સાથે સંકલન સાધ્યું હતું.
પુરાવાઓની તપાસમાં વાત બહાર આવી હતી કે, કાર્ડ બનાવવા માટે આપેલા આવકના દાખલાઓના ફોરમેટમાં ટાઇપ કરેલા શબ્દો તથા લાભાર્થીનો ફોટો શંકાસ્પદ હતો. તેથી તેની ખરાઇ કરવા માટે મામલતદાર કચેરી ખાતે મોકલવામાં આવ્યા હતા. જેમાંથી 35 લાભાર્થીઓ દ્વારા જમા કરાવવામાં આવેલા દસ્તાવેજો મામલતદારની કચેરી દ્વારા ઇશ્યુ નહિ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા 35 લાભાર્થીઓના મા અમૃતમ / મા વાસ્તલ્ય કાર્ડને બ્લોક કરી દેવામાં આવ્યા હતા.
સમગ્ર મામલે શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુપ્તરાહે તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસમાં વાત સામે આવી કે, મા વાત્સલ્ય કાર્ડ કઢાવવા માટે 35 લોકોએ એજન્ટો મારફતે કામગીરી શરૂ કરાવી હતી. જેમાં એજન્ટોને આવકના કોઇ દાખલા આપ્યા ન હતા, કે અર્બન હેલ્થ સેન્ટર ખાતે રજૂ કર્યા ન હતા. એજન્ટો દ્વારા ખોટા અને બનાવટી આવકના દાખલાઓ બનાવી અર્બન હેલ્થ સેન્ટરમાં રજૂ કરી કાર્ડ કઢાવ્યું હતું. કૌભાંડ આચરવા માટે જનસેવા કેન્દ્રના નાયબ મામલતદારની ખોટી સહી સિક્કા કરી દાખલાઓ બનાવવામાં આવ્યા હતા. પોલીસે મામલે મનીષભાઇ, પટેલ, મનોજ સોની, નરેશ, જીતુ ભાઇ, પ્રવિણભાઇ, સતિષ, સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં વધુ લોકોની સંડોવણી બહાર આવી શકે તેમ છે.