ભાજપ પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલની સરભરા કરવામાં વડોદરાવાસીઓને હેરાન કરવાનો સ્થાનિક અગ્રણીઓને કોઈ અધિકાર નથી
માસ્ક નાકની નીચે હોય તો નાગરીકને રૂ. 1000નો દંડ ફટકારતી પોલીસને સી.આર. પાટીલનું નાકથી નીચે ઉતરેલું માસ્ક ના દેખાયું
કોર્પોરેશનની ચૂંટણીમાં દાવેદારી મજબૂત કરવા પ્રદેશ પ્રમુખની જીહજુરી કરવા પહોંચેલા અગ્રણીઓએ મનુભાઈ ટાવર બહાર આડેધડ વાહનો પાર્ક કર્યા
WatchGujarat. શિસ્તની મોટી મોટી વાતો કરતાં ભારતીય જનતા પક્ષના અગ્રણીઓ દ્વારા જ છાશવારે છડેચોક સત્તાનો મદ પ્રદર્શિત કરવામાં આવતો હોય છે. પ્રજાની હેરાનગતિના ભાગે – પક્ષની શિસ્તના ભોગે આજે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનાં વ્હાલા થવાની લ્હાયમાં શહેર ભાજપ દ્વારા કોઈપણ જાતની પોલીસ પરવાનગી વિના રેલી – સરઘસ કાઢીને સત્તાનો મદ વ્યક્ત કરાયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, માસ્ક નાકથી નીચે ઉતરેલું હોય તો સામાન્ય પ્રજાજનને રૂ. 1000નો દંડ ફાટકારવામાં સ્ફૂર્તિભેર ફરજ બજાવતાં પોલીસ તંત્રએ રેલીમાં મુંગા મોંઢે ટ્રાફિક નિયમનની કામગીરી કરી હતી. જોકે, સી. આર. પાટીલના નાકથી નીચે ઉતરેલું માસ્ક પોલીસને દેખાયું નહોતું.
પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રી શહેરની મુલાકાતે આવતાં હોય છે ત્યારે તેઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી પ્રજાજનો ટ્રાફિક જામની સમસ્યા મુંગા મોંઢે સહન કરી લેતાં હોય છે. પરંતુ, પહેલીવાર એવું જોવા મળ્યું કે, ભાજપાના પ્રદેશ પ્રમુખની સરભરા કરવાના સ્થાનિક અગ્રણીઓના કોડને કારણે પ્રજાજનોને હાલાકી ભોગવવી પડી હોય તેવો કિસ્સો જવલ્લે જ બનતો હોય છે.
છેલ્લાં સાતેક વર્ષોથી સ્થાનિક ભાજપા અગ્રણીઓ દ્વારા હાંસિયામાં ધકેલી દેવાયેલા ડો. વિજય શાહને ગત તા. 9 નવેમ્બરે શહેર ભાજપ પ્રમુખનો હોદ્દો પ્રાપ્ત થયો હતો. ડો. વિજય શાહ શહેર ભાજપ પ્રમુખ તરીકે નિયુક્ત થયા બાદ સ્થાનિક ભાજપના લોહીનો રંગ જ જાણે બદલાઈ ગયો હોય તેમ જણાય છે. એવી પણ ચર્ચા છે કે, 7 વર્ષનું સાટું વાળવા માટે ડો. વિજય શાહ પણ હવે લોહી તરસ્યા બન્યાં છે. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનાં સીધા આર્શિવાદ હોવાથી ડો. શાહ બધાં હિસાબો સરભર કરવાના મૂડમાં હોવાનું પણ સૂત્રો જણાવે છે.
https://twitter.com/PatilOffice/status/1330494490398892034?s=20
સી.આર. પાટીલ પોતાનું જ ટ્વિટ ભુલી ગયાં
દિવાળી બાદ કોરોના કેસોની સંખ્યામાં ઉછાળ્યો આવ્યો હતો. ત્યારે ગત તા. 22 નવેમ્બરના બોટાદના ધારાસભ્ય અને ઉર્જા મંત્રી સૌરભ પટેલ દ્વારા દિવાળી નિમિત્તનો સ્નેહ મિલન સમારોહ યોજ્યો હતો. જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરાં ઉડ્યા હતાં. આ કાર્યક્રમને લોકોએ વખોડ્યો હતો. તે વખતે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ગુજરાતભરના તમામ ભાજપાના આગેવાનો તેમજ કાર્યકરોને સુચના આપતી ટ્વિટ કરી હતી. જેમાં જણાવાયું હતું કે, અત્યારના સંજોગોને ધ્યાનમાં રાખઈને નવી સૂચના ન મળે ત્યાં સુધી ભાજપા તરફથી કોઈપણ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવું નહીં.
સૌરભ પટેલના સ્નેહ મિલન બાદ યોગાનુયોગ કાર્યક્રમો નહીં યોજવા ભાજપાના અગ્રણીઓ – કાર્યકરોને સૂચના આપનાર સી. આર. પાટીલ આજરોજ ડો. વિજય શાહના નેતૃત્વ હેઠળ યોજાયેલા કાર્યક્રમ ટાણે પોતાની ટ્વિટની સૂચના કદાચ ભુલી ગયા હતાં.
રેલ્વે સ્ટેશનમાં અંદર સુધી ભાજપા અગ્રણીઓને પ્રવેશ કેમ?
સામાન્ય નાગરીકોને રેલ્વે સ્ટેશનમાં પ્રવેશ માટે અનેક નિયમો લાગુ પડતાં હોય છે. ટિકીટ લીધા વગર મુસાફર પ્રવેશ કરી શકતાં નથી. કોરોનાને પગલે પ્લેટફોર્મ ટિકીટ આપવાનું બંધ કરી દેવાયું છે. જોકે, આજે નવસારીના સાંસદ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલને લેવા માટે સ્થાનિક અગ્રણીઓ ઠેઠ પ્લેટફોર્મ નંબર 4 સુધી પહોંચ્યા હતાં.
રેલી કાઢવા માટે પરવાનગી લેવામાં આવી નથી, આ તો સ્વાગત કાર્યક્રમ હતોઃ પી.આઈ. સોલંકી
કોરોનાનો વ્યાપ દિવાળી બાદ વધ્યો છે. કોરોનાને ડામવા માટે સરકારે ચાર મહાનગરોમાં રાત્રી કર્ફયુ લાદી દીધો છે. કોવિડની સરકારની ગાઇડલાઇન મૂજબ લગ્ન પ્રસંગમાં 100 લોકોને જ મંજૂરી આપવામાં આવી છે. તથા કોઇપણ પ્રકારના જાહેર કાર્યક્રમો પર રોકી લગાવી જુલુસ કે સરઘસ/રેલી કાઢવા પર પણ પાબંદી લગાવવામાં આવી છે. જોકે, પોતાની જ સરકાર હોવાથી ભાજપાને સરકારી ગાઈડલાઈન લાગુ પડતી ના હોય એ સ્વાભાવિક છે. આજે વડોદરા રેલ્વે સ્ટેશનથી સયાજીગંજ – મનુભાઈ ટાવર સુધી સી.આર. પાટીલની રેલી આરામથી પસાર થઈ શકે તે માટે સયાજીગંજ પોલીસ દ્વારા ટ્રાફિક રોકી દેવાયો હતો. જેને પગલે સેંકડો લોકોને હાલાકી ભોગવવી પડી હતી.
રેલી માટે પરવાનગી લેવામાં આવી છે કે કેમ? એ પ્રશ્નના ઉત્તરમાં સયાજીગંજ પી.આઈ. એસ.જી. સોલંકીએ Watch Gujaratને જણાવ્યું હતું કે, રેલી કાઢવા માટે પરવાનગી લેવામાં આવી નથી, આ તો સ્વાગત કાર્યક્રમ હતો. નોંધનિય છે કે, પરવાનગી ના લેવાઈ હોવાથી પી.આઈ. સોલંકીએ વાતચિતમાં સ્વાગત કાર્યક્રમ પર વિશેષ ભાર મુકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, રેલી ગણો – સરઘસ ગણો કે સ્વાગત કાર્યક્રમ પરવાનગી લેવામાં આવી નહોતી.
મનુભાઈ ટાવર ખાતે સી.આર. પાટીલને મોં બતાવવાં નેતાઓની હોડ જામી
શહેર ભાજપ પ્રમુખ પદે ડો. વિજય શાહની નિયુક્તિ બાદ કોર્પોરેશનની આગામી ચૂંટણીના રાજકીય સમીકરણોમાં મોટા ફેરફાર જોવા મળે તેવી શક્યતાઓ છે. ત્યારે પહેલીવાર પ્રદેશ પ્રમુખ વડોદરાના મહેમાન બન્યા હોય ત્યારે ટિકીટનો તખ્તો ગોઠવવાનો આનાથી રૂડો અવસર સ્થાનિક અગ્રણીઓ માટે બીજો કયો હોય!? આજે મનુભાઈ ટાવર સ્થિત ભાજપા કાર્યાલય ખાતે સી. આર. પટેલને મોં બતાવવા નેતાઓની હોડ જામી હતી. વૈભવી કારોનો કાફલો મનુભાઈ ટાવરની બહાર પાર્ક થયેલો જોવા મળ્યો હતો. કાર્યાલયમાં કોને રેડ – કોને ગ્રિન અને કોને યલો સિગ્નલ મળ્યું એ તો આગામી દિવસોમાં જોવા મળશે. પણ, રાહદારીઓને તો ટ્રાફિક જામને કારણે હેરાનગતિ ભોગવવી પડી હતી.
ભાજપ પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલની સરભરા કરવામાં વડોદરાવાસીઓને હેરાન કરવાનો સ્થાનિક અગ્રણીઓને કોઈ અધિકાર નથી
માસ્ક નાકની નીચે હોય તો નાગરીકને રૂ. 1000નો દંડ ફટકારતી પોલીસને સી.આર. પાટીલનું નાકથી નીચે ઉતરેલું માસ્ક ના દેખાયું
કોર્પોરેશનની ચૂંટણીમાં દાવેદારી મજબૂત કરવા પ્રદેશ પ્રમુખની જીહજુરી કરવા પહોંચેલા અગ્રણીઓએ મનુભાઈ ટાવર બહાર આડેધડ વાહનો પાર્ક કર્યા
WatchGujarat.શિસ્તની મોટી મોટી વાતો કરતાં ભારતીય જનતા પક્ષના અગ્રણીઓ દ્વારા જ છાશવારે છડેચોક સત્તાનો મદ પ્રદર્શિત કરવામાં આવતો હોય છે. પ્રજાની હેરાનગતિના ભાગે – પક્ષની શિસ્તના ભોગે આજે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનાં વ્હાલા થવાની લ્હાયમાં શહેર ભાજપ દ્વારા કોઈપણ જાતની પોલીસ પરવાનગી વિના રેલી – સરઘસ કાઢીને સત્તાનો મદ વ્યક્ત કરાયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, માસ્ક નાકથી નીચે ઉતરેલું હોય તો સામાન્ય પ્રજાજનને રૂ. 1000નો દંડ ફાટકારવામાં સ્ફૂર્તિભેર ફરજ બજાવતાં પોલીસ તંત્રએ રેલીમાં મુંગા મોંઢે ટ્રાફિક નિયમનની કામગીરી કરી હતી. જોકે, સી. આર. પાટીલના નાકથી નીચે ઉતરેલું માસ્ક પોલીસને દેખાયું નહોતું.
પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રી શહેરની મુલાકાતે આવતાં હોય છે ત્યારે તેઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી પ્રજાજનો ટ્રાફિક જામની સમસ્યા મુંગા મોંઢે સહન કરી લેતાં હોય છે. પરંતુ, પહેલીવાર એવું જોવા મળ્યું કે, ભાજપાના પ્રદેશ પ્રમુખની સરભરા કરવાના સ્થાનિક અગ્રણીઓના કોડને કારણે પ્રજાજનોને હાલાકી ભોગવવી પડી હોય તેવો કિસ્સો જવલ્લે જ બનતો હોય છે.
છેલ્લાં સાતેક વર્ષોથી સ્થાનિક ભાજપા અગ્રણીઓ દ્વારા હાંસિયામાં ધકેલી દેવાયેલા ડો. વિજય શાહને ગત તા. 9 નવેમ્બરે શહેર ભાજપ પ્રમુખનો હોદ્દો પ્રાપ્ત થયો હતો. ડો. વિજય શાહ શહેર ભાજપ પ્રમુખ તરીકે નિયુક્ત થયા બાદ સ્થાનિક ભાજપના લોહીનો રંગ જ જાણે બદલાઈ ગયો હોય તેમ જણાય છે. એવી પણ ચર્ચા છે કે, 7 વર્ષનું સાટું વાળવા માટે ડો. વિજય શાહ પણ હવે લોહી તરસ્યા બન્યાં છે. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનાં સીધા આર્શિવાદ હોવાથી ડો. શાહ બધાં હિસાબો સરભર કરવાના મૂડમાં હોવાનું પણ સૂત્રો જણાવે છે.
દિવાળી બાદ કોરોના કેસોની સંખ્યામાં ઉછાળ્યો આવ્યો હતો. ત્યારે ગત તા. 22 નવેમ્બરના બોટાદના ધારાસભ્ય અને ઉર્જા મંત્રી સૌરભ પટેલ દ્વારા દિવાળી નિમિત્તનો સ્નેહ મિલન સમારોહ યોજ્યો હતો. જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરાં ઉડ્યા હતાં. આ કાર્યક્રમને લોકોએ વખોડ્યો હતો. તે વખતે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ગુજરાતભરના તમામ ભાજપાના આગેવાનો તેમજ કાર્યકરોને સુચના આપતી ટ્વિટ કરી હતી. જેમાં જણાવાયું હતું કે, અત્યારના સંજોગોને ધ્યાનમાં રાખઈને નવી સૂચના ન મળે ત્યાં સુધી ભાજપા તરફથી કોઈપણ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવું નહીં.
સૌરભ પટેલના સ્નેહ મિલન બાદ યોગાનુયોગ કાર્યક્રમો નહીં યોજવા ભાજપાના અગ્રણીઓ – કાર્યકરોને સૂચના આપનાર સી. આર. પાટીલ આજરોજ ડો. વિજય શાહના નેતૃત્વ હેઠળ યોજાયેલા કાર્યક્રમ ટાણે પોતાની ટ્વિટની સૂચના કદાચ ભુલી ગયા હતાં.
રેલ્વે સ્ટેશનમાં અંદર સુધી ભાજપા અગ્રણીઓને પ્રવેશ કેમ?
સામાન્ય નાગરીકોને રેલ્વે સ્ટેશનમાં પ્રવેશ માટે અનેક નિયમો લાગુ પડતાં હોય છે. ટિકીટ લીધા વગર મુસાફર પ્રવેશ કરી શકતાં નથી. કોરોનાને પગલે પ્લેટફોર્મ ટિકીટ આપવાનું બંધ કરી દેવાયું છે. જોકે, આજે નવસારીના સાંસદ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલને લેવા માટે સ્થાનિક અગ્રણીઓ ઠેઠ પ્લેટફોર્મ નંબર 4 સુધી પહોંચ્યા હતાં.
રેલી કાઢવા માટે પરવાનગી લેવામાં આવી નથી, આ તો સ્વાગત કાર્યક્રમ હતોઃ પી.આઈ. સોલંકી
કોરોનાનો વ્યાપ દિવાળી બાદ વધ્યો છે. કોરોનાને ડામવા માટે સરકારે ચાર મહાનગરોમાં રાત્રી કર્ફયુ લાદી દીધો છે. કોવિડની સરકારની ગાઇડલાઇન મૂજબ લગ્ન પ્રસંગમાં 100 લોકોને જ મંજૂરી આપવામાં આવી છે. તથા કોઇપણ પ્રકારના જાહેર કાર્યક્રમો પર રોકી લગાવી જુલુસ કે સરઘસ/રેલી કાઢવા પર પણ પાબંદી લગાવવામાં આવી છે. જોકે, પોતાની જ સરકાર હોવાથી ભાજપાને સરકારી ગાઈડલાઈન લાગુ પડતી ના હોય એ સ્વાભાવિક છે. આજે વડોદરા રેલ્વે સ્ટેશનથી સયાજીગંજ – મનુભાઈ ટાવર સુધી સી.આર. પાટીલની રેલી આરામથી પસાર થઈ શકે તે માટે સયાજીગંજ પોલીસ દ્વારા ટ્રાફિક રોકી દેવાયો હતો. જેને પગલે સેંકડો લોકોને હાલાકી ભોગવવી પડી હતી.
રેલી માટે પરવાનગી લેવામાં આવી છે કે કેમ? એ પ્રશ્નના ઉત્તરમાં સયાજીગંજ પી.આઈ. એસ.જી. સોલંકીએ Watch Gujaratને જણાવ્યું હતું કે, રેલી કાઢવા માટે પરવાનગી લેવામાં આવી નથી, આ તો સ્વાગત કાર્યક્રમ હતો. નોંધનિય છે કે, પરવાનગી ના લેવાઈ હોવાથી પી.આઈ. સોલંકીએ વાતચિતમાં સ્વાગત કાર્યક્રમ પર વિશેષ ભાર મુકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, રેલી ગણો – સરઘસ ગણો કે સ્વાગત કાર્યક્રમ પરવાનગી લેવામાં આવી નહોતી.
મનુભાઈ ટાવર ખાતે સી.આર. પાટીલને મોં બતાવવાં નેતાઓની હોડ જામી
શહેર ભાજપ પ્રમુખ પદે ડો. વિજય શાહની નિયુક્તિ બાદ કોર્પોરેશનની આગામી ચૂંટણીના રાજકીય સમીકરણોમાં મોટા ફેરફાર જોવા મળે તેવી શક્યતાઓ છે. ત્યારે પહેલીવાર પ્રદેશ પ્રમુખ વડોદરાના મહેમાન બન્યા હોય ત્યારે ટિકીટનો તખ્તો ગોઠવવાનો આનાથી રૂડો અવસર સ્થાનિક અગ્રણીઓ માટે બીજો કયો હોય!? આજે મનુભાઈ ટાવર સ્થિત ભાજપા કાર્યાલય ખાતે સી. આર. પટેલને મોં બતાવવા નેતાઓની હોડ જામી હતી. વૈભવી કારોનો કાફલો મનુભાઈ ટાવરની બહાર પાર્ક થયેલો જોવા મળ્યો હતો. કાર્યાલયમાં કોને રેડ – કોને ગ્રિન અને કોને યલો સિગ્નલ મળ્યું એ તો આગામી દિવસોમાં જોવા મળશે. પણ, રાહદારીઓને તો ટ્રાફિક જામને કારણે હેરાનગતિ ભોગવવી પડી હતી.