ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે મંગળબજાર મોલની ગરજ સારે છે
કોવિડ ગાઇડલાઇન્સના ભંગ બદલ બજાર બંધ કરી દેવાયું
શહેરની મધ્યમાં ધમધમતા મોટા માર્કેટમાં સન્નાટો છવાયો
WatchGujarat. દેશ દુનિયામાં રજાના દિવસોમાં માર્કેટમાં લોકોની ભીડ ખરીદી કરવા માટે ભેગી થતી હોય છે. કોરોનાને કારણે શનિવારે પાલીકાની જોઇન્ટ એન્ફોર્સમેન્ટ સ્કવોર્ડ દ્વારા મોટાભાગના મોલ સીલ કરી દીધા હતા. બાકી બચેલા મોલ સંચાલકોએ સ્વૈચ્છિક રીતે બંધ પાળ્યો હતો. ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે મોલ ગણાતા મંગળબજાર રજાના દિવસે સુમસામ બન્યું હતું.
દિવાળી પછી કોરોનાના કેસોમાં વધારો થતા વહીવટી તંત્ર દ્વારા કોવિડ ગાઇડલાઇન્સનું ચુસ્ત પણે અમલીકરણ કરાવવામાં આવી રહ્યું છે. જેના અનુસંઘાને પાલીકા અને પોલીસ તંત્ર દ્વારા જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમની રચના કરી હતી. ટીમ દ્વારા શુક્રવારે શહેરના મોટાભાગના મોલ કોવિડ ગાઇડલાઇન્સના ઉલ્લંઘન બદલ સીલ કરી દીધા હતા. બાકી બચેલા મોલ સંચાલકોએ સ્વૈચ્છિક રીતે બંધ જાહેર કર્યો હતો. શહેરની મધ્યમાં આવેલું મંગળબજાર ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે મોલ ગણાય છે.
સામાન્ય રીતે શનિ-રવિની રજાઓમાં મંગળબજારમાં લોકોની ખરીદી કરવા માટે ભારે ભીડ જોવા મળતી હોય છે. શનિવારે સાંજે પાલીકા તંત્ર દ્વારા કોવિડ ગાઇડલાઇન્સના પાલન ન કરવા બદલ અનેક દુકાનો બંધ કરાવી હતી. સામાન્ય રીતે લોકોની ભારે ચહલ પહલ રહે તેવા મંગળબજારમાં રવિવારે સન્નાટો જોવા મળ્યો હતો.
માત્ર મંગળબજાર બંધ કરાયું, આસપાસના વિસ્તારમાં દુકાનો ચાલુ જોવા મળી હતી
જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ દ્વારા મંગળબજારને સંપુર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યું હતું. જેને લઇને લોકોમાં અનેક મત પ્રવર્તી રહ્યા છે. પરંતુ મંગળબજારની આસપાસના વિસ્તારમાં અનેક દુકાનો ખુલ્લી જોવા મળી હતી. જેને પગલે લોકોમાં તંત્રની એકતરફી કામગીરીને લઇને રોષ જોવા મળ્યો હતો. રજાના દિવસોમાં ગ્રાહકો આવવાની આશા લઇને બેઠેલા વેપારીને નીરાશા સાંપડી હતી.
More #મંગળબજાર #Mangal Bazar #Mall #Vadodara News
ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે મંગળબજાર મોલની ગરજ સારે છે
કોવિડ ગાઇડલાઇન્સના ભંગ બદલ બજાર બંધ કરી દેવાયું
શહેરની મધ્યમાં ધમધમતા મોટા માર્કેટમાં સન્નાટો છવાયો
WatchGujarat. દેશ દુનિયામાં રજાના દિવસોમાં માર્કેટમાં લોકોની ભીડ ખરીદી કરવા માટે ભેગી થતી હોય છે. કોરોનાને કારણે શનિવારે પાલીકાની જોઇન્ટ એન્ફોર્સમેન્ટ સ્કવોર્ડ દ્વારા મોટાભાગના મોલ સીલ કરી દીધા હતા. બાકી બચેલા મોલ સંચાલકોએ સ્વૈચ્છિક રીતે બંધ પાળ્યો હતો. ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે મોલ ગણાતા મંગળબજાર રજાના દિવસે સુમસામ બન્યું હતું.
દિવાળી પછી કોરોનાના કેસોમાં વધારો થતા વહીવટી તંત્ર દ્વારા કોવિડ ગાઇડલાઇન્સનું ચુસ્ત પણે અમલીકરણ કરાવવામાં આવી રહ્યું છે. જેના અનુસંઘાને પાલીકા અને પોલીસ તંત્ર દ્વારા જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમની રચના કરી હતી. ટીમ દ્વારા શુક્રવારે શહેરના મોટાભાગના મોલ કોવિડ ગાઇડલાઇન્સના ઉલ્લંઘન બદલ સીલ કરી દીધા હતા. બાકી બચેલા મોલ સંચાલકોએ સ્વૈચ્છિક રીતે બંધ જાહેર કર્યો હતો. શહેરની મધ્યમાં આવેલું મંગળબજાર ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે મોલ ગણાય છે.
સામાન્ય રીતે શનિ-રવિની રજાઓમાં મંગળબજારમાં લોકોની ખરીદી કરવા માટે ભારે ભીડ જોવા મળતી હોય છે. શનિવારે સાંજે પાલીકા તંત્ર દ્વારા કોવિડ ગાઇડલાઇન્સના પાલન ન કરવા બદલ અનેક દુકાનો બંધ કરાવી હતી. સામાન્ય રીતે લોકોની ભારે ચહલ પહલ રહે તેવા મંગળબજારમાં રવિવારે સન્નાટો જોવા મળ્યો હતો.
માત્ર મંગળબજાર બંધ કરાયું, આસપાસના વિસ્તારમાં દુકાનો ચાલુ જોવા મળી હતી
જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ દ્વારા મંગળબજારને સંપુર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યું હતું. જેને લઇને લોકોમાં અનેક મત પ્રવર્તી રહ્યા છે. પરંતુ મંગળબજારની આસપાસના વિસ્તારમાં અનેક દુકાનો ખુલ્લી જોવા મળી હતી. જેને પગલે લોકોમાં તંત્રની એકતરફી કામગીરીને લઇને રોષ જોવા મળ્યો હતો. રજાના દિવસોમાં ગ્રાહકો આવવાની આશા લઇને બેઠેલા વેપારીને નીરાશા સાંપડી હતી.