રાજકીય હસ્તક્ષેપ બાદ સકારાત્મક નિરાકરણ આવ્યા છે
કોવિડ ગાઇડલાઇન્સના ઉલ્લંઘનને પગલે દુકાનો બંધ કરાતા વેપારીઓમાં રોષ ફાટી નિકળ્યો હતો, જે રાજકીય દરમિયાનગીરીથી થાળે પડ્યો હતો
ખેડુત આંદોલનને સમર્થન આપવા માટે હાથીખાના માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. જે રાજકીય દરમિયાનગીરીથી નિર્ણય મુલતવી રખાયો હતો
WatchGujarat. Vadodara - શહેર BJP પ્રમુખ તરીકે ડો. વિજય શાહની નિયુક્તિને પગલે અનેક લોકો ચોંકી ઉઠ્યા હતા. ત્યાર બાદ તેમના દ્વારા સ્થાનિક માળખું જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં પણ કેટલાક ઇચ્છુક હોદ્દેદારોને નિરાશા સાંપડી હતી. છેલ્લા 8 દિવસમાં એવા બે કિસ્સાઓ સામે આવ્યાં છે. જ્યાં રાજકીય હસ્તક્ષેપ બાદ સકારાત્મક નિરાકરણ આવ્યા છે.
પહેલો કિસ્સો, 29 નવેમ્બરના રોજ પાલીકા, પોલીસની જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ દ્વારા શહેરના મોટાભાગના બજાર અને મોલ બંધ કરાવી દીધા હતા. જો કે તે પહેલાથી દુકાનોમાં સોશિયલ ડિસ્ટન્સીંગ અને માસ્ક પહેરવાના નિયમોનું પાલન ન કરવા બદલ અનેક દુકાનો ત્રણ દિવસની મુદત માટે બંધ કરાવવામાં આવી હતી. દુકાનો બંધ કરાવવાના નિર્ણયનો વેપારી સંગઠનો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ OSD ડો.વિનોદ રાવની સુચના અનુસાર દુકાનો સીલ કરવાની કામગીરી ચાલતી રહી હતી. 29 નવેમ્બરના સાંજ સુધીમાં શહેરના મોટાભાગના બજાર અને મોલ બંધ કરાયા બાદ શહેરમાં ભારે અનિશ્ચિતતાનો માહોલ જોવા મળ્યો હતો. પરંતુ એકાએક સાંજે 7:40 કલાકે સંદેશો મળ્યો કે, વેપારીઓની દુકાનો ખુલશે. પણ મોલ બંધ રહેશે. સમગ્ર મામલે સાંસદ રંજન બેન ભટ્ટ અને શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ દ્વારા દરમિયાનગીરીથી વેપારીઓની લાંબા સમયથી પડતર માંગણી પુરી થઇ હતી. #Vadodara
[caption id="attachment_29551" align="aligncenter" width="1024"] સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસો.ના અગ્રણીઓ દ્વારા સાંસદ અને શહેર પ્રમુખની મિટીંગ બાદ સુખદ સમાઘાન આવ્યું હતું[/caption]
બીજો કિસ્સો, 8 ડિસેમ્બરના રોજ કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવતા કૃષિ બીલના સમર્થનમાં ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેમાં વડોદરામાંથી માત્ર હાથીખાના માર્કેટ દ્વારા બંધમાં જોડાવવાની જાહેરાત 6 ડિસેમ્બરના રોજ કરવામાં આવી હતી. 7 ડિસેમ્બર સાંજ સુધી માત્ર હાથીખાના માર્કેટ વડોદરામાં બંધ પાળશે તેવું નક્કી હતુ. અચાનક સાંજે 5:40 કલાકે જાહેર કરવામાં આવ્યું કે હાથીખાના માર્કેટ 8 ડિસેમ્બરના રોજ ખેડુત આંદોલનના સમર્થનમાં બંધ નહિ પાળે. #Vadodara
[caption id="attachment_29550" align="aligncenter" width="1280"] હાથીખાના માર્કેટના અગ્રણીઓ શહેર ભાજપ પ્રમુખની મુલાકાત બાદ ખેડુતોના સમર્થનમાં બંધનો નિર્ણય પરત ખેંચ્યો હતો[/caption]
સામાન્ય રીતે શહેરમાં રાજકીય દરમિયાનગીરીથી મામલા થાળે પડતા હોય છે. કેટલીક વખત કોઇ પક્ષ કે વ્યક્તિ દ્વારા તેનો જશ લેવામાં આવે છે. તો કેટલીક વખત મામલા ખાનગીમાં પતી જતા હોય છે. પરંતુ છેલ્લા 8 દિવસમાં બનેલા 2 કિસ્સાઓ શહેરમાં કંઇક નવો જ ચીલો ચાતરવામાં આવી રહ્યો હોય તે તરફ દિશાનિર્દેશ કરી રહ્યા છે. જુની સમસ્યાઓમાં અચાનક રાજકીય દરમિયાનગીરીથી બધુ સારુ થઇ જવું આ વાતને સકારાત્મક રીતે લેવી કે નકારાત્મક રીતે તે સામાન્ય જન નક્કી કરે. Vadodara
More #Hathikhana Market #Trade-association #BJP #President #Dr. Vijay Shah #Vadodara News
રાજકીય હસ્તક્ષેપ બાદ સકારાત્મક નિરાકરણ આવ્યા છે
કોવિડ ગાઇડલાઇન્સના ઉલ્લંઘનને પગલે દુકાનો બંધ કરાતા વેપારીઓમાં રોષ ફાટી નિકળ્યો હતો, જે રાજકીય દરમિયાનગીરીથી થાળે પડ્યો હતો
ખેડુત આંદોલનને સમર્થન આપવા માટે હાથીખાના માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. જે રાજકીય દરમિયાનગીરીથી નિર્ણય મુલતવી રખાયો હતો
WatchGujarat. Vadodara - શહેર BJP પ્રમુખ તરીકે ડો. વિજય શાહની નિયુક્તિને પગલે અનેક લોકો ચોંકી ઉઠ્યા હતા. ત્યાર બાદ તેમના દ્વારા સ્થાનિક માળખું જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં પણ કેટલાક ઇચ્છુક હોદ્દેદારોને નિરાશા સાંપડી હતી. છેલ્લા 8 દિવસમાં એવા બે કિસ્સાઓ સામે આવ્યાં છે. જ્યાં રાજકીય હસ્તક્ષેપ બાદ સકારાત્મક નિરાકરણ આવ્યા છે.
પહેલો કિસ્સો, 29 નવેમ્બરના રોજ પાલીકા, પોલીસની જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ દ્વારા શહેરના મોટાભાગના બજાર અને મોલ બંધ કરાવી દીધા હતા. જો કે તે પહેલાથી દુકાનોમાં સોશિયલ ડિસ્ટન્સીંગ અને માસ્ક પહેરવાના નિયમોનું પાલન ન કરવા બદલ અનેક દુકાનો ત્રણ દિવસની મુદત માટે બંધ કરાવવામાં આવી હતી. દુકાનો બંધ કરાવવાના નિર્ણયનો વેપારી સંગઠનો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ OSD ડો.વિનોદ રાવની સુચના અનુસાર દુકાનો સીલ કરવાની કામગીરી ચાલતી રહી હતી. 29 નવેમ્બરના સાંજ સુધીમાં શહેરના મોટાભાગના બજાર અને મોલ બંધ કરાયા બાદ શહેરમાં ભારે અનિશ્ચિતતાનો માહોલ જોવા મળ્યો હતો. પરંતુ એકાએક સાંજે 7:40 કલાકે સંદેશો મળ્યો કે, વેપારીઓની દુકાનો ખુલશે. પણ મોલ બંધ રહેશે. સમગ્ર મામલે સાંસદ રંજન બેન ભટ્ટ અને શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ દ્વારા દરમિયાનગીરીથી વેપારીઓની લાંબા સમયથી પડતર માંગણી પુરી થઇ હતી. #Vadodara
[caption id="attachment_29551" align="aligncenter" width="1024"] સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસો.ના અગ્રણીઓ દ્વારા સાંસદ અને શહેર પ્રમુખની મિટીંગ બાદ સુખદ સમાઘાન આવ્યું હતું[/caption]
બીજો કિસ્સો, 8 ડિસેમ્બરના રોજ કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવતા કૃષિ બીલના સમર્થનમાં ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેમાં વડોદરામાંથી માત્ર હાથીખાના માર્કેટ દ્વારા બંધમાં જોડાવવાની જાહેરાત 6 ડિસેમ્બરના રોજ કરવામાં આવી હતી. 7 ડિસેમ્બર સાંજ સુધી માત્ર હાથીખાના માર્કેટ વડોદરામાં બંધ પાળશે તેવું નક્કી હતુ. અચાનક સાંજે 5:40 કલાકે જાહેર કરવામાં આવ્યું કે હાથીખાના માર્કેટ 8 ડિસેમ્બરના રોજ ખેડુત આંદોલનના સમર્થનમાં બંધ નહિ પાળે. #Vadodara
[caption id="attachment_29550" align="aligncenter" width="1280"] હાથીખાના માર્કેટના અગ્રણીઓ શહેર ભાજપ પ્રમુખની મુલાકાત બાદ ખેડુતોના સમર્થનમાં બંધનો નિર્ણય પરત ખેંચ્યો હતો[/caption]
સામાન્ય રીતે શહેરમાં રાજકીય દરમિયાનગીરીથી મામલા થાળે પડતા હોય છે. કેટલીક વખત કોઇ પક્ષ કે વ્યક્તિ દ્વારા તેનો જશ લેવામાં આવે છે. તો કેટલીક વખત મામલા ખાનગીમાં પતી જતા હોય છે. પરંતુ છેલ્લા 8 દિવસમાં બનેલા 2 કિસ્સાઓ શહેરમાં કંઇક નવો જ ચીલો ચાતરવામાં આવી રહ્યો હોય તે તરફ દિશાનિર્દેશ કરી રહ્યા છે. જુની સમસ્યાઓમાં અચાનક રાજકીય દરમિયાનગીરીથી બધુ સારુ થઇ જવું આ વાતને સકારાત્મક રીતે લેવી કે નકારાત્મક રીતે તે સામાન્ય જન નક્કી કરે. Vadodara
More #Hathikhana Market #Trade-association #BJP #President #Dr. Vijay Shah #Vadodara News