વડસર વિસ્તારમાં પાલિકાને કચરાની ગાડીઓ મુકવા માટેની જગ્યાપર સુનિયોજિત રીતે પાઇપ લાઇન ગોઠવી તેજાબનો નિકાલ કરવાનું કૌભાંડ પકડાયું
GPCBના ઇન્ચાર્જ પ્રાદેશીક અધિકારી એચ. સી. પાદરિયાએ માંજલપુર પોલીસમાં નોંધાવી ફરિયાદ
WatchGujarat. શહેરના વડસર વિસ્તારમાં પાલિકાને કચરાની ગાડીઓ મુકવા માટેની જગ્યાપર સુનિયોજિત રીતે પાઇપ લાઇન ગોઠવીને વિશ્વામિત્રી નદીમાં જલદ એસિડ છોડનારા પાંચ શખ્સ અને કંપનીના માલિક સહિત પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વડસરના ભીખા ભાલીયા અને તેનો પુત્ર દિપક તથા મહેશ ભાલીયા નામના શખ્સો આ કૌભાંડ આચરી રહ્યા હોવાનું બહાર આવ્યું છે.
GPCBના ઇન્ચાર્જ પ્રાદેશીક અધિકારી એચ. સી. પાદરિયાએ માંજલપુર પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, વિશ્વામિત્રી નદીમાં કેમિકલયુક્ત પ્રવાહી છોડવા બાબતેની ફરિયાદો ઓક્ટોબર-2020 માં વિવિધ ગ્રામ પંચાયતોમાં મળી હતી. જેના પગલે મામલાની તાપસ અધિકારીઓને સોંપવામાં આવી હતી. દરમિયાન ગઈકાલે રાત્રે વિશ્વામિત્રી નદીમાં દુર્ગંધ વાળું જોખમી તેજાબી એસિડીક પાણી મારેઠા ગામ પાસે જોવા મળ્યું હતું. જે પાણીના નમૂના એકત્રિત કર્યા હતા. ત્યારબાદ આવું પ્રદૂષિત પાણી વિશ્વામિત્રી નદીમાં કેવી રીતે આવે છે, તે દિશામાં તપાસ આરંભી હતી. તપાસ દરમિયાન વડસર પુલ પાસે આવેલા VMC ના કચરા ની ગાડીઓ મૂકવાના સ્ટેશનની જગ્યામાં જોખમી પ્રદૂષિત ઔદ્યોગિક એસિડિક પાણી ( તેજાબ ) ફલેક્સિબલ હોઝ પાઇપલાઇન થકી વિશ્વામિત્રી નદીમાં નિકાલ કરવા માટેની વ્યવસ્થા કરી હોવાનું જાણવા મળ્યું હતું. જેનું નિરિક્ષણ કરતા અગાઉ એકત્રિત કરેલ સેમ્પલોમાં મળી આવેલ પ્રવાહી પાઇપલાઇનમાં પણ જણાઈ આવ્યું હતુ.
કેટલાક શખ્સો દ્વારા પાઇપ લાઇનનો ઉપયોગ કરી આયોજનપૂર્વક વિશ્વામિત્રી નદીમાં ગેરકાયદેસર રીતે જોખમી પ્રદૂષિત ઔદ્યોગિક એસિડિક પાણી અને દુર્ગંધ મારતું પાણીનો નિકાલ કરવાનું ગંભીર કૃત્ય આચર્યું છે. આ જગ્યા વિજેશ ભાઈ ગાંધી દ્વારા ભાડે રાખવામાં આવી છે અને તેના સુપરવાઇઝર તરીકે રવિભાઈ છે. આ અંગે વડોદરા મહાનગર પાલિકાને મૌખિક જાણ કરવામાં આવી છે.
જો કે, ત્રણ વર્ષ અગાઉ આ જગ્યા ઉપર આ પ્રકારનું જ ગેરકાયદેસર કૃત્ય પકડી પાડવામાં આવ્યું હતું અને જે સંદર્ભે માંજલપુર પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ હતી. જેમાં વડસર ગામના ભીખાભાઈ ભાલીયા, દિપક ભાઈ ભાલીયા અને મહેશભાઈ ભાલિયાની સંડોવણી બહાર આવી હતી. વિશ્વામિતરી નદી અંતે ઢાઢર નદીમાં ભળે છે અને વિશ્વામિત્રી નદીમાં વિપુલ માત્રામાં મગરોનો વસવાટ છે. લાંબા સમયથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાનું જણાવી જીપીસીબીએ આ એસિડની પીએચ-2 હોવાનું બહાર આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરાની આસપાસ મોટા ઔદ્યોગિક એકમો આવેલા છે. એકમો દ્વારા ઔદ્યોગિક કચરાનો ગેરકાયદેસર નિકાલ કરવામાં આવતો હોવાની ઘટનાઓ વારંવાર સામે આવતી હોય છે. પરંતુ નક્કર કાર્યવાહીના અભાવે તેના પર રોક લગતી નથી. તાજેતરમાં મહીસાગર નદીના તટ વિસ્તારમાં અજાણ્યા પ્રદાર્થના ફીણ પાણી પર પથરાયેલી જોવા મળ્યું હતું. જે કોઈ કંપની દ્વારા કેમિકલનો નિકાલ કરવામાં આવ્યો હોવાનું આશંકા સેવાઈ રહી છે. જો અપને પર્યાવરણ પ્રત્યે જાગૃતતા નહીં દાખવીએ તો આવનાર પર્યાવરણીય દ્રષ્ટિએ મુશ્કેલી ભર્યો રહેશે.
More #Chemical #acid #discharge #illegally #વિશ્વામિત્રી #River #Vadodara News
વડસર વિસ્તારમાં પાલિકાને કચરાની ગાડીઓ મુકવા માટેની જગ્યાપર સુનિયોજિત રીતે પાઇપ લાઇન ગોઠવી તેજાબનો નિકાલ કરવાનું કૌભાંડ પકડાયું
WatchGujarat.શહેરના વડસર વિસ્તારમાં પાલિકાને કચરાની ગાડીઓ મુકવા માટેની જગ્યાપર સુનિયોજિત રીતે પાઇપ લાઇન ગોઠવીને વિશ્વામિત્રી નદીમાં જલદ એસિડ છોડનારા પાંચ શખ્સ અને કંપનીના માલિક સહિત પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વડસરના ભીખા ભાલીયા અને તેનો પુત્ર દિપક તથા મહેશ ભાલીયા નામના શખ્સો આ કૌભાંડ આચરી રહ્યા હોવાનું બહાર આવ્યું છે.
GPCBના ઇન્ચાર્જ પ્રાદેશીક અધિકારી એચ. સી. પાદરિયાએ માંજલપુર પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, વિશ્વામિત્રી નદીમાં કેમિકલયુક્ત પ્રવાહી છોડવા બાબતેની ફરિયાદો ઓક્ટોબર-2020 માં વિવિધ ગ્રામ પંચાયતોમાં મળી હતી. જેના પગલે મામલાની તાપસ અધિકારીઓને સોંપવામાં આવી હતી. દરમિયાન ગઈકાલે રાત્રે વિશ્વામિત્રી નદીમાં દુર્ગંધ વાળું જોખમી તેજાબી એસિડીક પાણી મારેઠા ગામ પાસે જોવા મળ્યું હતું. જે પાણીના નમૂના એકત્રિત કર્યા હતા. ત્યારબાદ આવું પ્રદૂષિત પાણી વિશ્વામિત્રી નદીમાં કેવી રીતે આવે છે, તે દિશામાં તપાસ આરંભી હતી. તપાસ દરમિયાન વડસર પુલ પાસે આવેલા VMC ના કચરા ની ગાડીઓ મૂકવાના સ્ટેશનની જગ્યામાં જોખમી પ્રદૂષિત ઔદ્યોગિક એસિડિક પાણી ( તેજાબ ) ફલેક્સિબલ હોઝ પાઇપલાઇન થકી વિશ્વામિત્રી નદીમાં નિકાલ કરવા માટેની વ્યવસ્થા કરી હોવાનું જાણવા મળ્યું હતું. જેનું નિરિક્ષણ કરતા અગાઉ એકત્રિત કરેલ સેમ્પલોમાં મળી આવેલ પ્રવાહી પાઇપલાઇનમાં પણ જણાઈ આવ્યું હતુ.
કેટલાક શખ્સો દ્વારા પાઇપ લાઇનનો ઉપયોગ કરી આયોજનપૂર્વક વિશ્વામિત્રી નદીમાં ગેરકાયદેસર રીતે જોખમી પ્રદૂષિત ઔદ્યોગિક એસિડિક પાણી અને દુર્ગંધ મારતું પાણીનો નિકાલ કરવાનું ગંભીર કૃત્ય આચર્યું છે. આ જગ્યા વિજેશ ભાઈ ગાંધી દ્વારા ભાડે રાખવામાં આવી છે અને તેના સુપરવાઇઝર તરીકે રવિભાઈ છે. આ અંગે વડોદરા મહાનગર પાલિકાને મૌખિક જાણ કરવામાં આવી છે.
જો કે, ત્રણ વર્ષ અગાઉ આ જગ્યા ઉપર આ પ્રકારનું જ ગેરકાયદેસર કૃત્ય પકડી પાડવામાં આવ્યું હતું અને જે સંદર્ભે માંજલપુર પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ હતી. જેમાં વડસર ગામના ભીખાભાઈ ભાલીયા, દિપક ભાઈ ભાલીયા અને મહેશભાઈ ભાલિયાની સંડોવણી બહાર આવી હતી. વિશ્વામિતરી નદી અંતે ઢાઢર નદીમાં ભળે છે અને વિશ્વામિત્રી નદીમાં વિપુલ માત્રામાં મગરોનો વસવાટ છે. લાંબા સમયથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાનું જણાવી જીપીસીબીએ આ એસિડની પીએચ-2 હોવાનું બહાર આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરાની આસપાસ મોટા ઔદ્યોગિક એકમો આવેલા છે. એકમો દ્વારા ઔદ્યોગિક કચરાનો ગેરકાયદેસર નિકાલ કરવામાં આવતો હોવાની ઘટનાઓ વારંવાર સામે આવતી હોય છે. પરંતુ નક્કર કાર્યવાહીના અભાવે તેના પર રોક લગતી નથી. તાજેતરમાં મહીસાગર નદીના તટ વિસ્તારમાં અજાણ્યા પ્રદાર્થના ફીણ પાણી પર પથરાયેલી જોવા મળ્યું હતું. જે કોઈ કંપની દ્વારા કેમિકલનો નિકાલ કરવામાં આવ્યો હોવાનું આશંકા સેવાઈ રહી છે. જો અપને પર્યાવરણ પ્રત્યે જાગૃતતા નહીં દાખવીએ તો આવનાર પર્યાવરણીય દ્રષ્ટિએ મુશ્કેલી ભર્યો રહેશે.
More #Chemical #acid #discharge #illegally #વિશ્વામિત્રી #River #Vadodara News