મુજપુરથી દુમાડ જવા માટે બાઇક પર નિકળેલા પરિમારને ભીમપૂરા કેનાલ નજીક અકસ્માત નડ્યો
અકસ્માતમાં પત્ની અને પુત્ર પટકાયા, બાઇક ચાલક કેનાલમાં પડ્યો
વડીવાડી ફાયર બ્રિગેડની ટીમે ચાલકની શોધખોળ માટે રેસ્ક્યૂ ટીમ કામે લગાડી
વડોદરા. મંગળવારે સવારે ભીમપુરા કેનાલ પાસેથી બાઇક ચાલક પોતાના પરિવાર સાથે પસાર થઇ રહ્યો હતો. દરમિયાન કાર સાથે અકસ્માત થયા પત્ની અને પુત્ર નીચે પટકાયા હતા, જ્યારે બાઇક ચાલક કેનાલમાં પડી ગયો હતો. બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડના લાશ્કરોએ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચીને શોધખોળ ચાલુ કરી દીધી હતી.
મુજપુરના રહેવાસી વિનુભાઇ ભીખાભાઇ તેમની પત્ની અને પુત્ર સાથે મંગળવારે સવારે દુમાડ જવા માટે બાઇક પર નિકળ્યા હતા. બાઇક પર ભીમપુરા કેનાલ પાસેથી પસાર થઇ રહ્યા હતા, દરમિયાન કેનાલ પાસેથી પસાર થઇ રહેલી કાર સાથે અકસ્માત થયો હતો. અકસ્માતમાં વિનુભાઇની પત્ની અને પુત્ર જમીન પર પટકાયા હતા. અને વિનુભાઇ કેનાલમાં પડી ગયા હતા. ઘટનાની જાણ થતા સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યા હતા. ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતા વડીવાડી ફાયર સ્ટેશનથી સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને રેસ્ક્યૂની કામગીરી શરૂ કરી દીધી હતી.
[caption id="attachment_14859" align="aligncenter" width="720"] બાઇક પર નિકળેલા વિનુભાઇ અને તેમનો પરિવાર[/caption]
ફાયર ઓફિસર ઓમ જાડેજાએ જણાવ્યું હતું કે, કોલ મળતા જ ફાયર બ્રિગેડના લાશ્કરો દ્વારા કેનાલમાં પડી ગયેલા વિનુભાઇ ભીખાભાઇની શોધખોળ ચાલુ કરી હતી. પાણીનું વહેણ વધારે હોવાને કારણે વિનુભાઇનો દેહ તણાયો હોવાનું અનુમાન લગાડવામાં આવતું હતું. જો કે મોડી સાંજ સુધી ફાયર બ્રિગેડ અને એસડીઆરએફ દ્વારા વિનુભાઇની શોધખોળ ચાલુ રાખવામાં આવી હતી. સાંજે 5-30 કલાકની આસપાસ ભીમપુરા ચોકડી પાસેથી વિનુભાઇનો મૃતદેહ મળી આવ્યો હતો.
મુજપુરથી દુમાડ જવા માટે બાઇક પર નિકળેલા પરિમારને ભીમપૂરા કેનાલ નજીક અકસ્માત નડ્યો
અકસ્માતમાં પત્ની અને પુત્ર પટકાયા, બાઇક ચાલક કેનાલમાં પડ્યો
વડોદરા. મંગળવારે સવારે ભીમપુરા કેનાલ પાસેથી બાઇક ચાલક પોતાના પરિવાર સાથે પસાર થઇ રહ્યો હતો. દરમિયાન કાર સાથે અકસ્માત થયા પત્ની અને પુત્ર નીચે પટકાયા હતા, જ્યારે બાઇક ચાલક કેનાલમાં પડી ગયો હતો. બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડના લાશ્કરોએ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચીને શોધખોળ ચાલુ કરી દીધી હતી.
મુજપુરના રહેવાસી વિનુભાઇ ભીખાભાઇ તેમની પત્ની અને પુત્ર સાથે મંગળવારે સવારે દુમાડ જવા માટે બાઇક પર નિકળ્યા હતા. બાઇક પર ભીમપુરા કેનાલ પાસેથી પસાર થઇ રહ્યા હતા, દરમિયાન કેનાલ પાસેથી પસાર થઇ રહેલી કાર સાથે અકસ્માત થયો હતો. અકસ્માતમાં વિનુભાઇની પત્ની અને પુત્ર જમીન પર પટકાયા હતા. અને વિનુભાઇ કેનાલમાં પડી ગયા હતા. ઘટનાની જાણ થતા સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યા હતા. ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતા વડીવાડી ફાયર સ્ટેશનથી સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને રેસ્ક્યૂની કામગીરી શરૂ કરી દીધી હતી.
[caption id="attachment_14859" align="aligncenter" width="720"] બાઇક પર નિકળેલા વિનુભાઇ અને તેમનો પરિવાર[/caption]
ફાયર ઓફિસર ઓમ જાડેજાએ જણાવ્યું હતું કે, કોલ મળતા જ ફાયર બ્રિગેડના લાશ્કરો દ્વારા કેનાલમાં પડી ગયેલા વિનુભાઇ ભીખાભાઇની શોધખોળ ચાલુ કરી હતી. પાણીનું વહેણ વધારે હોવાને કારણે વિનુભાઇનો દેહ તણાયો હોવાનું અનુમાન લગાડવામાં આવતું હતું. જો કે મોડી સાંજ સુધી ફાયર બ્રિગેડ અને એસડીઆરએફ દ્વારા વિનુભાઇની શોધખોળ ચાલુ રાખવામાં આવી હતી. સાંજે 5-30 કલાકની આસપાસ ભીમપુરા ચોકડી પાસેથી વિનુભાઇનો મૃતદેહ મળી આવ્યો હતો.