ગોરવા કેનાલમાંથી મહિલાની લાશ અને તેની નજીકથી કંકાલના અવશેષો મળ્યા
ફાયરના લાશ્કરોએ લાશ બહાર કાઢી, કંકાલના અવશેષો FSL તપાસ માટે મોકલ્યા
કંકાલ અવશેષોની માહિતી વૈજ્ઞાનિક તપાસ બાદ સ્પષ્ટ થશે
વડોદરા. ગુરુવારે સવારે ગોરવા કેનાલમાં મહિલાની લાશ તરતી જોવા મળી હતી. સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરતા લાશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને કામગીરી ચાલુ કરી હતી. મહિલાની લાશ નજીક કંકાલ અવશેષો મળી આવતા તેને વધુ તપાસ અર્થે FSL માં મોકલવામાં આવ્યા હતા.
ફતેહગંજ પોલીસ સ્ટેશન કસ્ટોડિયલ ડેથ કેસમાં મરનાર શેખ બાબુની લાશ મેળવવા માટે CID ક્રાઇમની ટીમે શંકાના આધારે 2 વખત કેનાલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પરંતુ નિષ્ફળતા જ સાંપડી હતી. બીજી વખત સર્ચ બાદ ગુરુવારે સવારે ગોરવાથી અંકોડીયા તરફના વહેણમાં એક મહિલાની લાશ તરતી જોવા મળી હતી. જેને પગલે સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયરમાં જવાનોએ મહિલાની લાશને બહાર કાઢવાની કામગીરી શરુ કરી દીધી હતી. મહિલાની લાશની નજીકથી એક પોટલામાં બાંધેલા કંકાલના અવશેષો પણ મળી આવ્યા હતા. ફાયરના લાશ્કરોએ મહિલાની લાશને બહાર કાઢીને વધુ તાપસ અર્થે મોકલી આપી હતી.
સમગ્ર મામલે ફાયર ઓફિસર ઓમ જાડેજાએ જણાવ્યું હતું કે, મહિલાની લાશ અંગેના સમાચાર મળતા ગોરવા અને વડીવાડી ફાયર સ્ટેશનનો સ્થાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. લાશની નજીક પોટલામાં કંકાલ અવશેષો પણ મળી આવ્યા હતા. જેને તપાસાર્થે FSL માં મોકલી આપવામાં આવ્યા હતા. FSL ની તાપસ બાદ કંકાલ અંગે વધુ સ્પષ્ટતા થશે.
ગોરવા કેનાલમાંથી મહિલાની લાશ અને તેની નજીકથી કંકાલના અવશેષો મળ્યા
ફાયરના લાશ્કરોએ લાશ બહાર કાઢી, કંકાલના અવશેષો FSL તપાસ માટે મોકલ્યા
કંકાલ અવશેષોની માહિતી વૈજ્ઞાનિક તપાસ બાદ સ્પષ્ટ થશે
વડોદરા. ગુરુવારે સવારે ગોરવા કેનાલમાં મહિલાની લાશ તરતી જોવા મળી હતી. સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરતા લાશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને કામગીરી ચાલુ કરી હતી. મહિલાની લાશ નજીક કંકાલ અવશેષો મળી આવતા તેને વધુ તપાસ અર્થે FSL માં મોકલવામાં આવ્યા હતા.
ફતેહગંજ પોલીસ સ્ટેશન કસ્ટોડિયલ ડેથ કેસમાં મરનાર શેખ બાબુની લાશ મેળવવા માટે CID ક્રાઇમની ટીમે શંકાના આધારે 2 વખત કેનાલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પરંતુ નિષ્ફળતા જ સાંપડી હતી. બીજી વખત સર્ચ બાદ ગુરુવારે સવારે ગોરવાથી અંકોડીયા તરફના વહેણમાં એક મહિલાની લાશ તરતી જોવા મળી હતી. જેને પગલે સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયરમાં જવાનોએ મહિલાની લાશને બહાર કાઢવાની કામગીરી શરુ કરી દીધી હતી. મહિલાની લાશની નજીકથી એક પોટલામાં બાંધેલા કંકાલના અવશેષો પણ મળી આવ્યા હતા. ફાયરના લાશ્કરોએ મહિલાની લાશને બહાર કાઢીને વધુ તાપસ અર્થે મોકલી આપી હતી.
સમગ્ર મામલે ફાયર ઓફિસર ઓમ જાડેજાએ જણાવ્યું હતું કે, મહિલાની લાશ અંગેના સમાચાર મળતા ગોરવા અને વડીવાડી ફાયર સ્ટેશનનો સ્થાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. લાશની નજીક પોટલામાં કંકાલ અવશેષો પણ મળી આવ્યા હતા. જેને તપાસાર્થે FSL માં મોકલી આપવામાં આવ્યા હતા. FSL ની તાપસ બાદ કંકાલ અંગે વધુ સ્પષ્ટતા થશે.