સુરસાગરની આસપાસ પક્ષીઓ માટે લોકો ચણ નાખતા હોય છે
પક્ષીઓને ચણ નાખવા પર પાલીકા તંત્ર દ્વારા પ્રતિબંધ મુકી સિક્યુરીટીનો પહેરો લગાડ્યો
રોજ પક્ષીઓને ચણ નાંખવા આવતા લોકો અને સિક્યુરીટી વચ્ચે બોલાચાલીના દ્રશ્યો સર્જાયા
WatchGujarat. શહેરની મધ્યમાં આવેલા સુરસાગરની આસપાસ પક્ષીઓ માટે લોકો ચણ નાખતા હોય છે. પક્ષીઓને ચણ નાખવા પર પાલીકા તંત્ર દ્વારા પ્રતિબંધ મુકી સિક્યુરીટીનો પહેરો લગાડ્યો હતો. જેને લઇને રોજ ચણ નાંખવા આવતા વ્યક્તિઓ અને સિક્યુરીટી વચ્ચે બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા.
વડોદરા શહેરના સુરસાગર તળાવ ફરતે પક્ષીઓની સંખ્યાં મોટા પ્રમાણમાં જોવા મળે છે. અને લોકો પક્ષીઓ માટે ચણ નાખતા હોય છે. તેના કારણે શિવજીની પ્રતિમા અને આસપાસ પક્ષીઓ ચરકતા ગંદકી ફેલાતી હોય છે. પરિણામે તંત્ર દ્વારા સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરી ચણ નાખવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેને કારણે રોજ પક્ષીઓને ચણ નાંખવા આવતા લોકો અને સિક્યુરીટી વચ્ચે બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા.
વડોદરા શહેરની મધ્યમાં આવેલ સુરસાગર તળાવના ફરતે નાગરિકો પક્ષીઓને ચણ નાખવા માટે આવતા હોય છે. ચણ ચણવા માટે પક્ષીઓ મોટી સંખ્યામાં રોજ અહિંયા આવતા હોય છે. અને જેના કારણે સુરસાગર તળાવ કિનારે ફરતે તેમજ ભગવાન શિવજીની પ્રતિમા ઉપર પક્ષીઓ ચરકતા ગંદકી થતી હોય છે. જેથી ગંદકી ના થાય અને સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુસર પાલિકા દ્વારા સુરસાગર તળાવ કિનારે ફરતે સિક્યુરિટી તૈનાત કરી દેવામાં આવી છે. કોઈ ચણ ના નાખે તે માટે છ જેટલા સિક્યુરિટી જવાનો મુકવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરસાગર તળાવનું બ્યુટીફીકેશન કર્યા બાદ શિવજીની પ્રતિમા સોને મઢાવવા જઈ રહી છે. ત્યારે સ્વચ્છતાન જળવાય તે ઉદ્દેશ્યથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
#Vadodara #સુરસાગર
સુરસાગરની આસપાસ પક્ષીઓ માટે લોકો ચણ નાખતા હોય છે
પક્ષીઓને ચણ નાખવા પર પાલીકા તંત્ર દ્વારા પ્રતિબંધ મુકી સિક્યુરીટીનો પહેરો લગાડ્યો
રોજ પક્ષીઓને ચણ નાંખવા આવતા લોકો અને સિક્યુરીટી વચ્ચે બોલાચાલીના દ્રશ્યો સર્જાયા
WatchGujarat. શહેરની મધ્યમાં આવેલા સુરસાગરની આસપાસ પક્ષીઓ માટે લોકો ચણ નાખતા હોય છે. પક્ષીઓને ચણ નાખવા પર પાલીકા તંત્ર દ્વારા પ્રતિબંધ મુકી સિક્યુરીટીનો પહેરો લગાડ્યો હતો. જેને લઇને રોજ ચણ નાંખવા આવતા વ્યક્તિઓ અને સિક્યુરીટી વચ્ચે બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા.
વડોદરા શહેરના સુરસાગર તળાવ ફરતે પક્ષીઓની સંખ્યાં મોટા પ્રમાણમાં જોવા મળે છે. અને લોકો પક્ષીઓ માટે ચણ નાખતા હોય છે. તેના કારણે શિવજીની પ્રતિમા અને આસપાસ પક્ષીઓ ચરકતા ગંદકી ફેલાતી હોય છે. પરિણામે તંત્ર દ્વારા સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરી ચણ નાખવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેને કારણે રોજ પક્ષીઓને ચણ નાંખવા આવતા લોકો અને સિક્યુરીટી વચ્ચે બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા.
વડોદરા શહેરની મધ્યમાં આવેલ સુરસાગર તળાવના ફરતે નાગરિકો પક્ષીઓને ચણ નાખવા માટે આવતા હોય છે. ચણ ચણવા માટે પક્ષીઓ મોટી સંખ્યામાં રોજ અહિંયા આવતા હોય છે. અને જેના કારણે સુરસાગર તળાવ કિનારે ફરતે તેમજ ભગવાન શિવજીની પ્રતિમા ઉપર પક્ષીઓ ચરકતા ગંદકી થતી હોય છે. જેથી ગંદકી ના થાય અને સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુસર પાલિકા દ્વારા સુરસાગર તળાવ કિનારે ફરતે સિક્યુરિટી તૈનાત કરી દેવામાં આવી છે. કોઈ ચણ ના નાખે તે માટે છ જેટલા સિક્યુરિટી જવાનો મુકવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરસાગર તળાવનું બ્યુટીફીકેશન કર્યા બાદ શિવજીની પ્રતિમા સોને મઢાવવા જઈ રહી છે. ત્યારે સ્વચ્છતાન જળવાય તે ઉદ્દેશ્યથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.