ગત તા. 12મી નવેમ્બરના રોજ દિલ્હીના આદર્શ કોલોનીમાં આવેલી પાર્ક કોલોનીમાં ખૂની ખેલ ખેલાયો હતો.
દિવાળીના દિવસે કરજણ રેલ્વે ટ્રેક પરથી નિરજ ગુપ્તાનો મૃતદેહ મળ્યો
RPFના ઉચ્ચઅધિકારીઓનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો અને હત્યાનો ભેદ ઉકેલવા પશ્ચિમ ઝોનના વોટ્સઅપ ગૃપમાં લાશનો ફોટો શેર કરાયો
વલસાડના સિપાહી કમલેશકુમારે તસ્વીર દિલ્હી આદર્શનગર પોલીસ સ્ટેશનમાં મોકલી અને હત્યારોઓ પકડાયા
RPF, ગુજરાત રેલ્વે પોલીસની મદદથી દિલ્હી પોલીસે હત્યારા ઝુબેર ખાન, ફૈઝલ અને તેની માતા શાહીનની ધરપકડ કરી
ગુરૂવારે સવારે દિલ્હી પોલીસ ફ્લાઇટમાં વડોદરા પહોંચી અને મૃતદેહ દિલ્હી ખાતે લઇ જવાયો હતો.
વડોદરા. દિલ્હી ખાતે ફાઇનાન્સના વ્યવસાય ખાતે સંકળાયેલા નિરજ ગુપ્તાની ઠંડા કલેજે ગળુ કાપી હત્યા કરી લાશને કરજણ રેલ્વે સ્ટેશન પાસે ગત તા. 13 નવેમ્બરના રોજ ફેંકી દેવામાં આવી હતી. આ મામલની વડોદરા RPF દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી હતી અને હત્યાનો ભેદ ઉકેલવા મૃતદેહનો ફોટો પશ્ચિમ રેલ્વેના વોટ્સઅેપ ગૃપમાં મોકલવામાં આવ્યો હતો. RPF દ્વારા મૃતદેહનો ફોટો શેર કરતા દિલ્હી પોલીસને હત્યારાઓ સુધી પહોંચવામાં સફળતા મળી હતી. જેના પરિણામે દિલ્હી પોલીસે હત્યારા ઝુબેર ખાન, નિરજની પ્રેમીકા ફૈઝલ અને તેની માતા શાહીનની ધરપકડ કરી છે. આ મામલે DSP, Dharmendra Guryani (Assistant Security Commisioner, RPF)એ watchgujarat.com સાથે વાત કરતા નીચે મૂજબની વિગતો જણાવી હતી.
ગત તા. 12મી નવેમ્બરના રોજ દિલ્હીના આદર્શનગરની પાર્ક કોલોની શુ બન્યું હતુ.
46 વર્ષીય નિરજ ગુપ્તા ફાઇનાન્સનો વ્યવસાય કરતો હતો. તેની ઓફીસમાં કામ કરતી 29 વર્ષીય ફૈઝલ સૈયદ રફીક અહેમદ સાથે તેના લગ્નેત્તન સબંધો હતા. નિરજ બે સંતાનોનો પિતા હોવા છતાં છેલ્લા 10 વર્ષથી ફૈઝલ સાથે સંબંધ ધરાવતો હતો. જોકે ફૈઝલને માતાને તે મંજૂર ન હતુ. જેથી ફૈઝલ અને તેના પ્રેમી ઝુબેરના લગ્ન કરાવવાનુ નક્કી થયુ હતુ. જે બાબતની જાણ નિરજને થતા તે રોષે ભરાયો હતો. ફૈઝલના કહેવા પર નિરજ તેના ઘરે ગયો હતો. જ્યાં ઝુબેરે ઠંડા કલેજે નિરજનુ ગળુ કાપુ ઉપરા છાપરી ચાકુના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધુ હતુ.
ગોવા જતી રાજધાની ટ્રેનમાંથી નિરજ ગુપ્તાની લાશને કરજણ પાસે ફેંકી દેવામાં આવી હતી.
નિરજ ગુપ્તાનો હત્યારો ઝુબેર નિઝામુદ્દીન ત્રિવેન્દ્રમ એક્સપ્રેસ ટ્રેનની પેન્ટ્રીમાં મેનેજર તરીકે ફરજ બજાવતો હતો. જેથી તેનો લાભ ઉઠાવી નિરજની લાશને સુટકેસમાં મુકી ગત તા. 13 નવેમ્બરના રોજ ટ્રેનની પેન્ટ્રીમાં લઇ જવામાં આવી હતી. દરમિયાન દિલ્હીથી ઉપડેલી ટ્રેન ગોવા પહોંચે તે પહેલા જ અંધારાનો લાભ ઉઠાવી સુટકેસમાં ભરેલી નિરજની લાશને કરજણ રેલ્વે સ્ટેશન પાસે ફેંકી દેવામાં આવી હતી. જ્યાં દિવાળીની સવારે એટલે કે, ગત તા. 14મી નવેમ્બરના રોજ ટ્રેકની ચેકિંગમાં નિકળેલા કર્મીએ અર્ધનગ્ન હાલતમાં પડેલી લાશ જોઇ તાત્કાલીક RPF ને જાણ કરી હતી.
રેલ્વે ટ્રેક પરથી સુટકેસમાં ભરેલી લાશ મળી અને RPF ના ઉચ્ચઅધિકારીઓ સ્થળ પર દોડ્યા
DSP Dharmendra Guryani એ જણાવ્યુ કે, આ બાબતની જાણ થતાં હું સ્ટાફ સાથે સ્થળ પર પહોંચ્યો હતો. જ્યાં ટ્રેક પર પડેલી લાશ હત્યા કરાયેલી લાશ 30થી 40 કલાક જૂની હોવાનુ જણાઇ આવ્યું હતુ. તથા હત્યા ટ્રેનમાં નહીં પણ અન્ય સ્થળે કરાઇ હોવાનુ પણ જણાઇ આવ્યું હતુ. હત્યાનો ભેદ ઉકેલવા અમે પશ્ચિમ રેલ્વેના વોટ્સ ગૃપમાં મૃતદેહની તસ્વીર શેર કરી હતી. અલબત વડોદરાથી પસાર થયેલી ટ્રેન મુંબઇના દાદર, સેન્ટ્રલ અથવા તો બાન્દ્રા પહોંચી હોવાથી તમામ ટ્રેન એટેન્ડરને જાણ કરાઇ કે, કોઇ પણ ટ્રેનમાં લોહીના ડાઘા જોવા મળે તો તાત્કાલીક સંપર્ક કરવો. દરમિયાન વલસાડના અમારા એક સિપાહી કમલેશ કુમાર જેઓ દિવાળીની રજા પર હતા, તેમણે ગૃપમાં મૃતદેહની તસ્વીર જોઇ અને દિલ્હી પોલીસ એક્શનમાં આવી હતી.
વલસાડથી દિલ્હી આદર્શ નગર પોલીસ સ્ટેશનમાં મૃતદેહની તસ્વીર પહોંચી
RPF ના સિપાહી કમલેશ કુમારના જીજાજી દિલ્હીના આદર્શ નગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. જેથી તેમણે આ મૃતદેહની તસ્વીર જીજાજીને મોકલી હતી. તસ્વીર જોયા બાદ બન્નેએ ફોન પર વાત કરતા કમલેશને જાણવા મળ્યુ કે આદર્શ નગર પોલીસ સ્ટેશનમાં એક નિરજ ગુપ્તા નામના વ્યક્તિની મીસીંગ ફરીયાદ નોંધાઇ છે. આ પછી વડોદરા RPF અને દિલ્હી પોલીસે નિરજની જુદી જુદી તસ્વીરો એક બીજાના વોટ્સઅપ પર શેર કરી અને ઓળખ છતી થઇ હતી.
નિરજની ઓળખ છતી થઇ અને દિલ્હી પોલીસે ઝુબેરની શંકાના આધારે અટકાયત કરી
નિરજ બે દિવસથી સંપર્ક વિહોણો થતાં તેની પત્નીએ આદર્શ નગર પોલીસ સ્ટેશનમાં મીસીંગની ફરીયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ ઝુબેર ખાન પર શંકા વ્યક્ત કરી હતી. જેથી દિલ્હી પોલીસે શંકાના આધારે ઝુબેરની અટકાયત કરી પુછતાછ હાથ ધરી હતી. પોલીસ પુછતાછમાં ઝુબેર ભાંગી પડ્યો અને કહ્યું કે, ગત તા. 12મી નવેમ્બરના રોજ નિરજની હત્યા ફૈઝલના ઘરે કરી, ત્યારબાદ લાશને પાણીથી સાફ કરી સુટકેસમાં મુકી અને ગત તા. 13મી નવેમ્બરના રોજ ગોવા જતી 02414 ટ્રેનમાંથી નિરજની લાશને કરજણ રેલ્વે સ્ટેશન પાસે ફેંકી દીધી હતી. બનાવને પગલે પોલીસે ઝુબેર ખાનની ધરપકડ કરી હતી. આ મામલે દિલ્હી પોલીસે અપહરણનો ગુનો નોંધી નિરજની પ્રેમીકા ફૈઝલ અને તેની માતા શાહીન સૈયદ રફીક અહેમદની પણ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
હત્યાનો ભેદ ઉકેલાતા દિલ્હી પોલીસ તાત્કાલીક ફ્લાઇટમાં વડોદરાની સયાજી હોસ્પિટલાં પહોંચી હતી.
DSP Dharmendra Guryani એ વધુમાં જણાવ્યું કે, RPF ની સમયસુચકતાથી દિલ્હીના નિરજ ગુપ્તા હત્યા કેસનો ભેદ ઉકેલાયો હતો. નિરજ ગુપ્તાના મૃતદેહનો કબજો મેળવવા માટે દિલ્હી પોલીસ આરોપી ઝુબેર ખાનને લઇ વડોદરા પહોંચી હતી. જ્યાં સયાજી હોસ્પિટલના કોલ્ડ રૂમમાં મુકાયેલા નિરજ ગુપ્તાના મૃતદેહનો દિલ્હી પોલીસે કબજો મેળવ્યો હતો. RPF અને ગુજરાત રેલ્વે પોલીસની ઉત્કૃષ્ટ કામગીરીથી દિલ્હી પોલીસ પ્રભાવિત થઇ હતી અને ગણત્રીના દિવસોમાં ગુંચવણ ભર્યો હત્યાનો કેસ ઉકેલાતા સરાહના કરી હતી.
ગત તા. 12મી નવેમ્બરના રોજ દિલ્હીના આદર્શ કોલોનીમાં આવેલી પાર્ક કોલોનીમાં ખૂની ખેલ ખેલાયો હતો.
દિવાળીના દિવસે કરજણ રેલ્વે ટ્રેક પરથી નિરજ ગુપ્તાનો મૃતદેહ મળ્યો
RPFના ઉચ્ચઅધિકારીઓનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો અને હત્યાનો ભેદ ઉકેલવા પશ્ચિમ ઝોનના વોટ્સઅપ ગૃપમાં લાશનો ફોટો શેર કરાયો
RPF, ગુજરાત રેલ્વે પોલીસની મદદથી દિલ્હી પોલીસે હત્યારા ઝુબેર ખાન, ફૈઝલ અને તેની માતા શાહીનની ધરપકડ કરી
ગુરૂવારે સવારે દિલ્હી પોલીસ ફ્લાઇટમાં વડોદરા પહોંચી અને મૃતદેહ દિલ્હી ખાતે લઇ જવાયો હતો.
વડોદરા. દિલ્હી ખાતે ફાઇનાન્સના વ્યવસાય ખાતે સંકળાયેલા નિરજ ગુપ્તાની ઠંડા કલેજે ગળુ કાપી હત્યા કરી લાશને કરજણ રેલ્વે સ્ટેશન પાસે ગત તા. 13 નવેમ્બરના રોજ ફેંકી દેવામાં આવી હતી. આ મામલની વડોદરા RPF દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી હતી અને હત્યાનો ભેદ ઉકેલવા મૃતદેહનો ફોટો પશ્ચિમ રેલ્વેના વોટ્સઅેપ ગૃપમાં મોકલવામાં આવ્યો હતો. RPF દ્વારા મૃતદેહનો ફોટો શેર કરતા દિલ્હી પોલીસને હત્યારાઓ સુધી પહોંચવામાં સફળતા મળી હતી. જેના પરિણામે દિલ્હી પોલીસે હત્યારા ઝુબેર ખાન, નિરજની પ્રેમીકા ફૈઝલ અને તેની માતા શાહીનની ધરપકડ કરી છે. આ મામલે DSP, Dharmendra Guryani (Assistant Security Commisioner, RPF)એ watchgujarat.com સાથે વાત કરતા નીચે મૂજબની વિગતો જણાવી હતી.
46 વર્ષીય નિરજ ગુપ્તા ફાઇનાન્સનો વ્યવસાય કરતો હતો. તેની ઓફીસમાં કામ કરતી 29 વર્ષીય ફૈઝલ સૈયદ રફીક અહેમદ સાથે તેના લગ્નેત્તન સબંધો હતા. નિરજ બે સંતાનોનો પિતા હોવા છતાં છેલ્લા 10 વર્ષથી ફૈઝલ સાથે સંબંધ ધરાવતો હતો. જોકે ફૈઝલને માતાને તે મંજૂર ન હતુ. જેથી ફૈઝલ અને તેના પ્રેમી ઝુબેરના લગ્ન કરાવવાનુ નક્કી થયુ હતુ. જે બાબતની જાણ નિરજને થતા તે રોષે ભરાયો હતો. ફૈઝલના કહેવા પર નિરજ તેના ઘરે ગયો હતો. જ્યાં ઝુબેરે ઠંડા કલેજે નિરજનુ ગળુ કાપુ ઉપરા છાપરી ચાકુના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધુ હતુ.
ગોવા જતી રાજધાની ટ્રેનમાંથી નિરજ ગુપ્તાની લાશને કરજણ પાસે ફેંકી દેવામાં આવી હતી.
નિરજ ગુપ્તાનો હત્યારો ઝુબેર નિઝામુદ્દીન ત્રિવેન્દ્રમ એક્સપ્રેસ ટ્રેનની પેન્ટ્રીમાં મેનેજર તરીકે ફરજ બજાવતો હતો. જેથી તેનો લાભ ઉઠાવી નિરજની લાશને સુટકેસમાં મુકી ગત તા. 13 નવેમ્બરના રોજ ટ્રેનની પેન્ટ્રીમાં લઇ જવામાં આવી હતી. દરમિયાન દિલ્હીથી ઉપડેલી ટ્રેન ગોવા પહોંચે તે પહેલા જ અંધારાનો લાભ ઉઠાવી સુટકેસમાં ભરેલી નિરજની લાશને કરજણ રેલ્વે સ્ટેશન પાસે ફેંકી દેવામાં આવી હતી. જ્યાં દિવાળીની સવારે એટલે કે, ગત તા. 14મી નવેમ્બરના રોજ ટ્રેકની ચેકિંગમાં નિકળેલા કર્મીએ અર્ધનગ્ન હાલતમાં પડેલી લાશ જોઇ તાત્કાલીક RPF ને જાણ કરી હતી.
રેલ્વે ટ્રેક પરથી સુટકેસમાં ભરેલી લાશ મળી અને RPF ના ઉચ્ચઅધિકારીઓ સ્થળ પર દોડ્યા
DSP Dharmendra Guryani એ જણાવ્યુ કે, આ બાબતની જાણ થતાં હું સ્ટાફ સાથે સ્થળ પર પહોંચ્યો હતો. જ્યાં ટ્રેક પર પડેલી લાશ હત્યા કરાયેલી લાશ 30થી 40 કલાક જૂની હોવાનુ જણાઇ આવ્યું હતુ. તથા હત્યા ટ્રેનમાં નહીં પણ અન્ય સ્થળે કરાઇ હોવાનુ પણ જણાઇ આવ્યું હતુ. હત્યાનો ભેદ ઉકેલવા અમે પશ્ચિમ રેલ્વેના વોટ્સ ગૃપમાં મૃતદેહની તસ્વીર શેર કરી હતી. અલબત વડોદરાથી પસાર થયેલી ટ્રેન મુંબઇના દાદર, સેન્ટ્રલ અથવા તો બાન્દ્રા પહોંચી હોવાથી તમામ ટ્રેન એટેન્ડરને જાણ કરાઇ કે, કોઇ પણ ટ્રેનમાં લોહીના ડાઘા જોવા મળે તો તાત્કાલીક સંપર્ક કરવો. દરમિયાન વલસાડના અમારા એક સિપાહી કમલેશ કુમાર જેઓ દિવાળીની રજા પર હતા, તેમણે ગૃપમાં મૃતદેહની તસ્વીર જોઇ અને દિલ્હી પોલીસ એક્શનમાં આવી હતી.
વલસાડથી દિલ્હી આદર્શ નગર પોલીસ સ્ટેશનમાં મૃતદેહની તસ્વીર પહોંચી
RPF ના સિપાહી કમલેશ કુમારના જીજાજી દિલ્હીના આદર્શ નગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. જેથી તેમણે આ મૃતદેહની તસ્વીર જીજાજીને મોકલી હતી. તસ્વીર જોયા બાદ બન્નેએ ફોન પર વાત કરતા કમલેશને જાણવા મળ્યુ કે આદર્શ નગર પોલીસ સ્ટેશનમાં એક નિરજ ગુપ્તા નામના વ્યક્તિની મીસીંગ ફરીયાદ નોંધાઇ છે. આ પછી વડોદરા RPF અને દિલ્હી પોલીસે નિરજની જુદી જુદી તસ્વીરો એક બીજાના વોટ્સઅપ પર શેર કરી અને ઓળખ છતી થઇ હતી.
નિરજની ઓળખ છતી થઇ અને દિલ્હી પોલીસે ઝુબેરની શંકાના આધારે અટકાયત કરી
નિરજ બે દિવસથી સંપર્ક વિહોણો થતાં તેની પત્નીએ આદર્શ નગર પોલીસ સ્ટેશનમાં મીસીંગની ફરીયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ ઝુબેર ખાન પર શંકા વ્યક્ત કરી હતી. જેથી દિલ્હી પોલીસે શંકાના આધારે ઝુબેરની અટકાયત કરી પુછતાછ હાથ ધરી હતી. પોલીસ પુછતાછમાં ઝુબેર ભાંગી પડ્યો અને કહ્યું કે, ગત તા. 12મી નવેમ્બરના રોજ નિરજની હત્યા ફૈઝલના ઘરે કરી, ત્યારબાદ લાશને પાણીથી સાફ કરી સુટકેસમાં મુકી અને ગત તા. 13મી નવેમ્બરના રોજ ગોવા જતી 02414 ટ્રેનમાંથી નિરજની લાશને કરજણ રેલ્વે સ્ટેશન પાસે ફેંકી દીધી હતી. બનાવને પગલે પોલીસે ઝુબેર ખાનની ધરપકડ કરી હતી. આ મામલે દિલ્હી પોલીસે અપહરણનો ગુનો નોંધી નિરજની પ્રેમીકા ફૈઝલ અને તેની માતા શાહીન સૈયદ રફીક અહેમદની પણ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
DSP Dharmendra Guryani એ વધુમાં જણાવ્યું કે, RPF ની સમયસુચકતાથી દિલ્હીના નિરજ ગુપ્તા હત્યા કેસનો ભેદ ઉકેલાયો હતો. નિરજ ગુપ્તાના મૃતદેહનો કબજો મેળવવા માટે દિલ્હી પોલીસ આરોપી ઝુબેર ખાનને લઇ વડોદરા પહોંચી હતી. જ્યાં સયાજી હોસ્પિટલના કોલ્ડ રૂમમાં મુકાયેલા નિરજ ગુપ્તાના મૃતદેહનો દિલ્હી પોલીસે કબજો મેળવ્યો હતો. RPF અને ગુજરાત રેલ્વે પોલીસની ઉત્કૃષ્ટ કામગીરીથી દિલ્હી પોલીસ પ્રભાવિત થઇ હતી અને ગણત્રીના દિવસોમાં ગુંચવણ ભર્યો હત્યાનો કેસ ઉકેલાતા સરાહના કરી હતી.