એમ.કે. ટ્રેડર્સ દ્વારા સુરત, અમદાવાદ, ભાવનગર તથા મુંબઇ ખાતે રજીસ્ટર્ડ ફેક ફર્મ બનાવીને રૂ. 432.51 કરોડની રકમ પર જીએસટી ભરપાઇ ન કરી
સેન્ટ્રલ જીએસટી એન્ડ સેન્ટ્રલ એક્સાઇઝ, વડોદરા - 1 દ્વારા ચોક્કસ બાતમી તથા ડેટા માઇનીંગના આધારે મોટી જીએસટી ચોરી પકડી પાડી
કંપની સંચાલક મુકીમ નુરમહંમદ પઠાણ ઉર્ફે ભોલાભાઇ જેલ હવાલે
વડોદરા. સેન્ટ્રલ જીએસટી એન્ડ સેનટ્રલ એક્સાઇઝ, વડોદરા - 1 દ્વારા જીએસટી નેટવર્ક અને ઇવે બીલની ઝીણવટભરી તપાસ કરી રજીસ્ટર્ડ ફેક ફર્મ બનાવી ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. વડોદરાની એમ.કે. ટ્રેડર્સ દ્વારા સુરત, અમદાવાદ, ભાવનગર તથા મુંબઇ ખાતે ફેક ફર્મ બનાવીને રૂ. 432.51 કરોડની રકમ પર જીએસટી ભરપાઇ કરી ન હતી.
સેન્ટ્રલ જીએસટી એન્ડ સેન્ટ્રલ એક્સાઇઝ, વડોદરા - 1 દ્વારા ચોક્કસ બાતમી તથા ડેટા માઇનીંગના આધારે મોટી જીએસટી ચોરી પકડી પાડવામાં આવી છે. મેસર્સ એમ.કે. ટ્રેડર્સ મકરપુરા જીઆઇડીસીમાં પોતાનું યુનિટ ધરાવે છે. કંપની દ્વારા જીએસટી ભર્યા વગર ઇનવોઇઝ જનરેટ કરવામાં આવતા હતા. કંપની દ્વારા ટેક્સ લાગુ થાય તેવા માલસામાનને રજીસ્ટર્ડ ફેક ફર્મ થકી ઇવેબીલ જનરેટ કરીને ટેક્સ ચોરી કરવામાં આવતી હતી. અમદાવાદ, સુરત, ભાવનગર, અને મુંબઇ ખાતે ફેક ફર્મ શરૂ કરવામાં આવી હતી.
ફેક ફર્મ દ્વારા ઇવેબીલ જનરેટ કરીને માલની હેરફેર કરવામાં આવતી હતી. જીએસટી વિભાગની કાર્યવાહીમાં મેસર્સ એમ.કે. ટ્રેડર્સ દ્વારા રૂ. 432.51 કરોડના માલની હેરફેર જીએસટી ચુકવ્યા વગર કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. આમ કરીને ગઠીયાએ રૂ. 73.89 કરોડની જીએસટી ચોરી કરી હતી.
જીએસટી ચોરી કેસમાં કંપનીના સંચાલક મુકીમ નુરમહંમદ પઠાણ ઉર્ફે ભોલાભાઇની ધરપકડ કરી હતી. ત્યાર બાદ તેને ચીફ જ્યુડિશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. કોર્ટે આરોપીને જેલ મોકલી આપવામાં આવ્યો હતો. જીએસટી વિભાગ દ્વારા મામલાની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
એમ.કે. ટ્રેડર્સ દ્વારા સુરત, અમદાવાદ, ભાવનગર તથા મુંબઇ ખાતે રજીસ્ટર્ડ ફેક ફર્મ બનાવીને રૂ. 432.51 કરોડની રકમ પર જીએસટી ભરપાઇ ન કરી
સેન્ટ્રલ જીએસટી એન્ડ સેન્ટ્રલ એક્સાઇઝ, વડોદરા - 1 દ્વારા ચોક્કસ બાતમી તથા ડેટા માઇનીંગના આધારે મોટી જીએસટી ચોરી પકડી પાડી
વડોદરા. સેન્ટ્રલ જીએસટી એન્ડ સેનટ્રલ એક્સાઇઝ, વડોદરા - 1 દ્વારા જીએસટી નેટવર્ક અને ઇવે બીલની ઝીણવટભરી તપાસ કરી રજીસ્ટર્ડ ફેક ફર્મ બનાવી ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. વડોદરાની એમ.કે. ટ્રેડર્સ દ્વારા સુરત, અમદાવાદ, ભાવનગર તથા મુંબઇ ખાતે ફેક ફર્મ બનાવીને રૂ. 432.51 કરોડની રકમ પર જીએસટી ભરપાઇ કરી ન હતી.
સેન્ટ્રલ જીએસટી એન્ડ સેન્ટ્રલ એક્સાઇઝ, વડોદરા - 1 દ્વારા ચોક્કસ બાતમી તથા ડેટા માઇનીંગના આધારે મોટી જીએસટી ચોરી પકડી પાડવામાં આવી છે. મેસર્સ એમ.કે. ટ્રેડર્સ મકરપુરા જીઆઇડીસીમાં પોતાનું યુનિટ ધરાવે છે. કંપની દ્વારા જીએસટી ભર્યા વગર ઇનવોઇઝ જનરેટ કરવામાં આવતા હતા. કંપની દ્વારા ટેક્સ લાગુ થાય તેવા માલસામાનને રજીસ્ટર્ડ ફેક ફર્મ થકી ઇવેબીલ જનરેટ કરીને ટેક્સ ચોરી કરવામાં આવતી હતી. અમદાવાદ, સુરત, ભાવનગર, અને મુંબઇ ખાતે ફેક ફર્મ શરૂ કરવામાં આવી હતી.
ફેક ફર્મ દ્વારા ઇવેબીલ જનરેટ કરીને માલની હેરફેર કરવામાં આવતી હતી. જીએસટી વિભાગની કાર્યવાહીમાં મેસર્સ એમ.કે. ટ્રેડર્સ દ્વારા રૂ. 432.51 કરોડના માલની હેરફેર જીએસટી ચુકવ્યા વગર કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. આમ કરીને ગઠીયાએ રૂ. 73.89 કરોડની જીએસટી ચોરી કરી હતી.
જીએસટી ચોરી કેસમાં કંપનીના સંચાલક મુકીમ નુરમહંમદ પઠાણ ઉર્ફે ભોલાભાઇની ધરપકડ કરી હતી. ત્યાર બાદ તેને ચીફ જ્યુડિશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. કોર્ટે આરોપીને જેલ મોકલી આપવામાં આવ્યો હતો. જીએસટી વિભાગ દ્વારા મામલાની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.