દિવાળીપુરા વિસ્તારમાં આવેલી આઇટી કંપનીમાં કામ કરતી 25 વર્ષિય દિપીકા રાજપુતે પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું
ઘટના બાદથી ગોત્રી પોલીસ દ્વારા મામલાની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી
પોલીસે આઇફોન કબ્જે કરી આત્મહત્યાના કારણો જાણવાના પ્રયાસો તેજ કર્યા
વડોદરા. શહેરની આઈટી કંપનીમાં એચઆર તરીકે ફરજ બજાવતી મુળ મહેસાણાની 25 વર્ષિય યુવતિએ ગત રોજ અકોટા વિસ્તારમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવને પગલે સ્થળ પર પહોંચેલી આપઘાત પાછળનુ ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસને યુવતિનો આઇફોન મળી આવ્યો હતો. જેથી પોલીસે આઇફોન કબજે કરી તેની તપાસ હાથ ધરી છે. ઘટનાને 24 કલાક વિતી ગયા છતાં યુવિતાના આપઘાત પાછળનુ ચોક્કસ કારણ હજી સુધી પોલીસને જાણવા મળ્યું નથી. ત્યારે દિપીકાનો આઇફોન રાઝ ખોલી તેવી શક્યતાઓ સેવાઇ રહીં છે.
શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલી આઇટી કંપનીમાં કામ કરતી 25 વર્ષિય દિપીકા રાજપુતે ગત રોજ પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું. ઘટના બાદથી ગોત્રી પોલીસ દ્વારા મામલાની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ સુત્રના જણાવ્યા પ્રમાણે, દિપીકાના આઇફોનને કબ્જે કરી લેવામાં આવ્યા છે. અને તેના દ્વારા હત્યાનું કારણ જાણવા માટેના પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યા છે.
પોલીસ તપાસમાં વાત બહાર આવી હતી કે, આત્મહત્યા અગાઉ દિપીકા તેની ઓફિસમાં હાજર હતી. જો કે પોતે એચઆર હોવાના નાતે દિવાળી પહેલા કંપનીના કર્મચારીઓને પગાર અંગેની ચર્ચામાં દિપીકાએ ભાગ લીધો હતો. ત્યારબાદ તે બીમાર છે તેમ કહીને પોતાના ઘરે નિકળી ગઇ હતી. ઓફીસથી ઘરે જવા નિકળ્યાં બાદ દિપીકાએ સહકર્મીઓ સાથે સંપર્ક કરવાનુ ટાળ્યું હતુ. જેથી ચિંતીત થયેલા સહકર્મીઓ આખી રાત સંપર્ક કર્યા બાદ સવારે ઘરે દિપીકાના ઘરે પહોંચ્યાં હતા. જ્યાં ઘરનો દરવાજો ખટખટાવતા અંદરથી કોઇ પણ પ્રકારનો જવાબ મળ્યો ન હતો.
આખરે આ બાબતે પોલીસને જાણ કરવામાં આવી હતી. સ્થલ પર પહોંચેલી પોલીસે ફાયર બ્રિગેડની મદદથી દરવાજો તોડીને રૂમમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો. રૂમમાં પ્રવેશતા જ દિપીકાની ગળે ફાંસો ખાધેલી લાશ મળી હતી. દિપીકાના આપઘાત અંગે તેના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. દિપીકા વર્ષોથી પોતાના પરિવારજનોથી દુર રહેતી હતી. તેના ભાઇ સાથે તેના બોલવાના સંબંધ હતા. પોલીસે દિપીકાના પરિવારને જાણ કરતા તેનો ભાઇ વડોદરા આવી પહોંચ્યો હતો. અને દિપીકાના મૃતદેહનો કબ્જો મેળવ્યો હતો.
દિવાળીપુરા વિસ્તારમાં આવેલી આઇટી કંપનીમાં કામ કરતી 25 વર્ષિય દિપીકા રાજપુતે પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું
ઘટના બાદથી ગોત્રી પોલીસ દ્વારા મામલાની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી
પોલીસે આઇફોન કબ્જે કરી આત્મહત્યાના કારણો જાણવાના પ્રયાસો તેજ કર્યા
વડોદરા. શહેરની આઈટી કંપનીમાં એચઆર તરીકે ફરજ બજાવતી મુળ મહેસાણાની 25 વર્ષિય યુવતિએ ગત રોજ અકોટા વિસ્તારમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવને પગલે સ્થળ પર પહોંચેલી આપઘાત પાછળનુ ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસને યુવતિનો આઇફોન મળી આવ્યો હતો. જેથી પોલીસે આઇફોન કબજે કરી તેની તપાસ હાથ ધરી છે. ઘટનાને 24 કલાક વિતી ગયા છતાં યુવિતાના આપઘાત પાછળનુ ચોક્કસ કારણ હજી સુધી પોલીસને જાણવા મળ્યું નથી. ત્યારે દિપીકાનો આઇફોન રાઝ ખોલી તેવી શક્યતાઓ સેવાઇ રહીં છે.
શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલી આઇટી કંપનીમાં કામ કરતી 25 વર્ષિય દિપીકા રાજપુતે ગત રોજ પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું. ઘટના બાદથી ગોત્રી પોલીસ દ્વારા મામલાની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ સુત્રના જણાવ્યા પ્રમાણે, દિપીકાના આઇફોનને કબ્જે કરી લેવામાં આવ્યા છે. અને તેના દ્વારા હત્યાનું કારણ જાણવા માટેના પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યા છે.
પોલીસ તપાસમાં વાત બહાર આવી હતી કે, આત્મહત્યા અગાઉ દિપીકા તેની ઓફિસમાં હાજર હતી. જો કે પોતે એચઆર હોવાના નાતે દિવાળી પહેલા કંપનીના કર્મચારીઓને પગાર અંગેની ચર્ચામાં દિપીકાએ ભાગ લીધો હતો. ત્યારબાદ તે બીમાર છે તેમ કહીને પોતાના ઘરે નિકળી ગઇ હતી. ઓફીસથી ઘરે જવા નિકળ્યાં બાદ દિપીકાએ સહકર્મીઓ સાથે સંપર્ક કરવાનુ ટાળ્યું હતુ. જેથી ચિંતીત થયેલા સહકર્મીઓ આખી રાત સંપર્ક કર્યા બાદ સવારે ઘરે દિપીકાના ઘરે પહોંચ્યાં હતા. જ્યાં ઘરનો દરવાજો ખટખટાવતા અંદરથી કોઇ પણ પ્રકારનો જવાબ મળ્યો ન હતો.
આખરે આ બાબતે પોલીસને જાણ કરવામાં આવી હતી. સ્થલ પર પહોંચેલી પોલીસે ફાયર બ્રિગેડની મદદથી દરવાજો તોડીને રૂમમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો. રૂમમાં પ્રવેશતા જ દિપીકાની ગળે ફાંસો ખાધેલી લાશ મળી હતી. દિપીકાના આપઘાત અંગે તેના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. દિપીકા વર્ષોથી પોતાના પરિવારજનોથી દુર રહેતી હતી. તેના ભાઇ સાથે તેના બોલવાના સંબંધ હતા. પોલીસે દિપીકાના પરિવારને જાણ કરતા તેનો ભાઇ વડોદરા આવી પહોંચ્યો હતો. અને દિપીકાના મૃતદેહનો કબ્જો મેળવ્યો હતો.