મુંબઈથી વતન જઇ રહેલા રમકડાના વેપારીએ સીટની નીચે મુકેલા થેલામાંથી રૂ. 4.25 લાખના ઘરેણા અને રોકડની ચોરી
હાઇવેની હોટલ ઉપર ચા નાસ્તો કરવા ઉતરેતા બસ રોકાય હતી ત્યારે બસમાં રહેલા થેલામાંથી ચોરી થઇ
ચા નાસ્તો કરી પરત બસમાં આવેલા વેપારીએ થેલો તપાસ કરતા ચોરી થયાની જાણ થઇ હતી
કરજણ પોલીસએ સ્થાનિક શખ્સ ઉપર શંકા જતાવી તપાસ હાથ ધરી
વડોદરા. હાઇવે ઉપરની હોટલોમાં અવાર-નવાર મુસાફરોના સામાનની ચોરીના બનાવો બને છે. તેવો જ એક કિસ્સો સામે આવ્યો છે. નેશનલ હાઇ-વે 48 ના કરજણ હાઇવેની હોટલ ઉપર ચા-નાસ્તા માટે રોકાયેલી લકઝરી બસમાં મુસાફરી કરી રહેલ મુંબઇના રમકડાંના વેપારીએ સીટની નીચે મુકેલ થેલામાંથી ગિઠયાએ ઘરેણાં અને રોકડ લઇ રફૂચક્કર થઇ ગયો હતો. પત્ની સાથે મુંબઇથી વતનમાં જઇ રહેલા મુસાફરે રૂપિયા 4.25 લાખની ચોરીની ફરિયાદ કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવી છે.
મુંબઇના લેમીગટન રોડ ખાતે રહેતા કાંતિલાલ ધીરારામ પુરોહિત મૂળ ઝાલોર જિલ્લાના ચીત્તલવાણા તાલુકના ખીરોડી ગામના વતની છે. તેઓ મુંબઇમાં રમકડાંનો વેપાર કરે છે. તા.19 ઓક્ટોબરના રોજ ખેતેશ્વર ટ્રાવેલ્સની લકઝરી બસમાં પત્ની સાથે વતન જવા માટે નીકળ્યા હતા.બસમાં કાંતિલાલ સહિત 15 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. રાત્રે 9 થી 10 વાગ્યાના સમયમાં લકઝરી બસ નેશનલ હાઇવે 48ના કરજણ હાઇવે ઉપર આવેલા બાબા રામદેવ હોટલમાં ચા-નાસ્તો કરાવવા માટે રોકાઇ હતી. હોટલ ઉપર બસ ચાલક, કંડક્ટર, તેમજ મુસાફરો ચા-નાસ્તો કરવા ઉતર્યા હતા.
દરમિયાન કાંતિલાલ પુરોહિતે સીટને નીચે મુકેલા થેલાને ગઠીયાએ કાપી થેલામાં રહેલા પત્નીના ઘરેણાં અને રોકડ લઇ રફુચક્કર થયો હતો. કાંતિલાલ પુરોહિતના થેલામાં રૂપિયા 5000 રોકડા, 4.5 તોલાનું મંગળ સુત્ર, 2 તોલા વજનની સોનાની ચેઇન, 4 નંગ સોનાની વીંટી, સોનાના કાનના ઝુમ્મર અને સોનાનો ટીક્કો મળી કુલ્લે રૂપિયા 4.25 લાખનો સામાન હતો. હોટલમાંથી જમીને દંપતિ બસમાં પરત ફર્યા હતા. ત્યારે પોતાનો થેલો જોતા કાપી નાખેલ હાલતમાં જોતા ચોંકી ઉઠ્યા હતા. અને થેલામાં તપાસ કરતા ઘરેણાં અને રોકડ જોવા મળ્યા ન હતા. જેથી તુરતજ બસ ચાલક અને ક્લિનરને જાણ કરી હતી.
આ સાથે આ બનાવની જાણ કરજણ પોલીસને પણ કરવામાં આવતા પોલીસ પણ હોટલ ઉપર દોડી આવી હતી. અને બસમાં તમામ મુસાફરોના થેલાની ચકાસણી કરી હતી. જોકે, ઘરેણાં અને રોકડ નહિ મળી આવતા કાંતિલાલ પુરોહિતે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગઠીયા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે,બે દિવસ પૂર્વે વધુ એક મુસાફરનો સામાન ચોરાયો હતો. જેથી મુંબઇના વેપારીનો સામાન ચોરનાર સ્થાનિક હોવાનું પોલીસનું માનવું છે.
હાઇવેની હોટલ ઉપર ચા નાસ્તો કરવા ઉતરેતા બસ રોકાય હતી ત્યારે બસમાં રહેલા થેલામાંથી ચોરી થઇ
ચા નાસ્તો કરી પરત બસમાં આવેલા વેપારીએ થેલો તપાસ કરતા ચોરી થયાની જાણ થઇ હતી
કરજણ પોલીસએ સ્થાનિક શખ્સ ઉપર શંકા જતાવી તપાસ હાથ ધરી
વડોદરા. હાઇવે ઉપરની હોટલોમાં અવાર-નવાર મુસાફરોના સામાનની ચોરીના બનાવો બને છે. તેવો જ એક કિસ્સો સામે આવ્યો છે. નેશનલ હાઇ-વે 48 ના કરજણ હાઇવેની હોટલ ઉપર ચા-નાસ્તા માટે રોકાયેલી લકઝરી બસમાં મુસાફરી કરી રહેલ મુંબઇના રમકડાંના વેપારીએ સીટની નીચે મુકેલ થેલામાંથી ગિઠયાએ ઘરેણાં અને રોકડ લઇ રફૂચક્કર થઇ ગયો હતો. પત્ની સાથે મુંબઇથી વતનમાં જઇ રહેલા મુસાફરે રૂપિયા 4.25 લાખની ચોરીની ફરિયાદ કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવી છે.
મુંબઇના લેમીગટન રોડ ખાતે રહેતા કાંતિલાલ ધીરારામ પુરોહિત મૂળ ઝાલોર જિલ્લાના ચીત્તલવાણા તાલુકના ખીરોડી ગામના વતની છે. તેઓ મુંબઇમાં રમકડાંનો વેપાર કરે છે. તા.19 ઓક્ટોબરના રોજ ખેતેશ્વર ટ્રાવેલ્સની લકઝરી બસમાં પત્ની સાથે વતન જવા માટે નીકળ્યા હતા.બસમાં કાંતિલાલ સહિત 15 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. રાત્રે 9 થી 10 વાગ્યાના સમયમાં લકઝરી બસ નેશનલ હાઇવે 48ના કરજણ હાઇવે ઉપર આવેલા બાબા રામદેવ હોટલમાં ચા-નાસ્તો કરાવવા માટે રોકાઇ હતી. હોટલ ઉપર બસ ચાલક, કંડક્ટર, તેમજ મુસાફરો ચા-નાસ્તો કરવા ઉતર્યા હતા.
દરમિયાન કાંતિલાલ પુરોહિતે સીટને નીચે મુકેલા થેલાને ગઠીયાએ કાપી થેલામાં રહેલા પત્નીના ઘરેણાં અને રોકડ લઇ રફુચક્કર થયો હતો. કાંતિલાલ પુરોહિતના થેલામાં રૂપિયા 5000 રોકડા, 4.5 તોલાનું મંગળ સુત્ર, 2 તોલા વજનની સોનાની ચેઇન, 4 નંગ સોનાની વીંટી, સોનાના કાનના ઝુમ્મર અને સોનાનો ટીક્કો મળી કુલ્લે રૂપિયા 4.25 લાખનો સામાન હતો. હોટલમાંથી જમીને દંપતિ બસમાં પરત ફર્યા હતા. ત્યારે પોતાનો થેલો જોતા કાપી નાખેલ હાલતમાં જોતા ચોંકી ઉઠ્યા હતા. અને થેલામાં તપાસ કરતા ઘરેણાં અને રોકડ જોવા મળ્યા ન હતા. જેથી તુરતજ બસ ચાલક અને ક્લિનરને જાણ કરી હતી.
આ સાથે આ બનાવની જાણ કરજણ પોલીસને પણ કરવામાં આવતા પોલીસ પણ હોટલ ઉપર દોડી આવી હતી. અને બસમાં તમામ મુસાફરોના થેલાની ચકાસણી કરી હતી. જોકે, ઘરેણાં અને રોકડ નહિ મળી આવતા કાંતિલાલ પુરોહિતે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગઠીયા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે,બે દિવસ પૂર્વે વધુ એક મુસાફરનો સામાન ચોરાયો હતો. જેથી મુંબઇના વેપારીનો સામાન ચોરનાર સ્થાનિક હોવાનું પોલીસનું માનવું છે.