કોરોના નાથવા માટે તંત્ર દ્વારા દિવસ રાત કામગીરી ચાલુ
કોવિડ ગાઇડલાઇન્સના પાલનમાં ચેકીંગ દરમિયાન છીંડા જણાતા ચાર જેટલી દુકાનો સીલ કરાઇ
શહેરમાં આજથી રાત્રી કર્ફ્યુ લાદવામાં આવશે
WatchGujarat. તહેવાર બાદ કોરોનાના કેસો વધતાની સાથે સરકાર એક્શનમાં આવી હતી. અમદાવાદમાં બે દિવસનું સંપુર્ણ કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યું હતું અને વડોદરા, રાજકોટ, અને સુરતમાં રાત્રી કર્ફ્યુ લાદી દેવામાં આવ્યું હતું. રાત્રી કર્ફ્યુ લાગુ કર્યાના બીજા દિવસે પાલીકાની ટીમે કોવિડ ગાઇડલાઇનનું સઘન ચેકીંગ શરૂ કર્યું હતું. જેમાં નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ શનિવારે સવારે ઇલોરાપાર્ક વિસ્તાની ઇલોરા મિલ્ક સેન્ટર સહિતની દુકાનો સીલ કરવામાં આવી હતી.
તહેવાર બાદ રાજ્યના અનેક શહેરોમાં કોરોના પોઝીટીવ કેસોમાં વધારો જોવા મળ્યો હતો. અમદાવાદમાં સ્થિની ન વકરે તે માટે બે દિવસનો સંપુર્ણ કર્ફ્યુ બાદ રાત્રી કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો હતો. જ્યારે ગતરોત રાજ્યના પ્રમુખ શહેરો વડોદરા, અમદાવાદ અને રાજકોટમાં રાત્રી કર્ફ્યુ લગાડવા અંગેની જાહેરાત નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ દ્વારા કરવામાં આવી હતી. શનિવારે સવારથી જ પાલીકાની ટીમે કોવિડ ગાઇડલાઇન્સના અમલવારી અંગેની સઘન ચકાસણી શરૂ કરી દીધી હતી. ઇલોરાપાર્ક વિસ્તારમાં ઇલોરા મિલ્ક સેન્ટર તથા કેશ એન્ડ કેરી વિસ્તારની અન્ય ત્રણ દુકાનોને કોવિડ ગાઇડલાઇન્સના અમલ ન કરવા બદલ સીલ મારી દેવામાં આવ્યું હતું. જેમાં અનાજ કરીયાણાની દુકાનોનો પણ સમાવેશ થાય છે. મોડી સાંજ સુધી વધુ દુકાનો પર કાર્યવાહી થઇ શકે છે.
કોરોના ફેલાતો અટકાવવા માટે વહીવટી તંત્ર દિવસ રાત પ્રયત્નો કરી રહ્યું છે. જેના ભાગ રૂપે કોવિડ ગાઇડલાઇન્સના અમલની ચકાસણી અને રાત્રી કર્ફ્યુ જેવા પગલા લેવામાં આવી રહ્યા છે. આજ રાતથી વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ લાદવામાં આવશે.
કોરોના નાથવા માટે તંત્ર દ્વારા દિવસ રાત કામગીરી ચાલુ
કોવિડ ગાઇડલાઇન્સના પાલનમાં ચેકીંગ દરમિયાન છીંડા જણાતા ચાર જેટલી દુકાનો સીલ કરાઇ
શહેરમાં આજથી રાત્રી કર્ફ્યુ લાદવામાં આવશે
WatchGujarat. તહેવાર બાદ કોરોનાના કેસો વધતાની સાથે સરકાર એક્શનમાં આવી હતી. અમદાવાદમાં બે દિવસનું સંપુર્ણ કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યું હતું અને વડોદરા, રાજકોટ, અને સુરતમાં રાત્રી કર્ફ્યુ લાદી દેવામાં આવ્યું હતું. રાત્રી કર્ફ્યુ લાગુ કર્યાના બીજા દિવસે પાલીકાની ટીમે કોવિડ ગાઇડલાઇનનું સઘન ચેકીંગ શરૂ કર્યું હતું. જેમાં નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ શનિવારે સવારે ઇલોરાપાર્ક વિસ્તાની ઇલોરા મિલ્ક સેન્ટર સહિતની દુકાનો સીલ કરવામાં આવી હતી.
તહેવાર બાદ રાજ્યના અનેક શહેરોમાં કોરોના પોઝીટીવ કેસોમાં વધારો જોવા મળ્યો હતો. અમદાવાદમાં સ્થિની ન વકરે તે માટે બે દિવસનો સંપુર્ણ કર્ફ્યુ બાદ રાત્રી કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો હતો. જ્યારે ગતરોત રાજ્યના પ્રમુખ શહેરો વડોદરા, અમદાવાદ અને રાજકોટમાં રાત્રી કર્ફ્યુ લગાડવા અંગેની જાહેરાત નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ દ્વારા કરવામાં આવી હતી. શનિવારે સવારથી જ પાલીકાની ટીમે કોવિડ ગાઇડલાઇન્સના અમલવારી અંગેની સઘન ચકાસણી શરૂ કરી દીધી હતી. ઇલોરાપાર્ક વિસ્તારમાં ઇલોરા મિલ્ક સેન્ટર તથા કેશ એન્ડ કેરી વિસ્તારની અન્ય ત્રણ દુકાનોને કોવિડ ગાઇડલાઇન્સના અમલ ન કરવા બદલ સીલ મારી દેવામાં આવ્યું હતું. જેમાં અનાજ કરીયાણાની દુકાનોનો પણ સમાવેશ થાય છે. મોડી સાંજ સુધી વધુ દુકાનો પર કાર્યવાહી થઇ શકે છે.
કોરોના ફેલાતો અટકાવવા માટે વહીવટી તંત્ર દિવસ રાત પ્રયત્નો કરી રહ્યું છે. જેના ભાગ રૂપે કોવિડ ગાઇડલાઇન્સના અમલની ચકાસણી અને રાત્રી કર્ફ્યુ જેવા પગલા લેવામાં આવી રહ્યા છે. આજ રાતથી વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ લાદવામાં આવશે.