બે ભેજાબાજાએ મળીને લોકો પાસેથી રૂપિયા પડાવ્યા
14 રહીશો પાસેથી લોન પ્રોસેસ ફી પેટે બે ગઠિયાએ 14 હજાર રૂપિયા ખંખેરીયા
નવાપુરા પોલીસ સ્ટેશનમાં ઠગાઇનો ગુનો નોંધાયો
પોલીસે બંનેની ધરપકડ કરી અન્ય કોઈ સાથે ઠગાઈ થઇ છે કે તે બાબતે તપાસ શરૂ કરી
200 થી વધુ ઠગાયેલા લોકો વિશે જાણ મળી, ઠગાઇનો આંક વધી શકે છે
WatchGujarat. નવાપુરા વિસ્તારના વણકરવાસમાં માઈક્રો ફર્સ્ટ ફાઇનાન્સ કંપનીના એજન્ટ તરીકે ઓળખ આપી રૂ, 1 હજાર ભરી 1 લાખની લોન આપવાનું જણાવી 14 રહીશો પાસેથી લોન પ્રોસેસ ફી પેટે 14 હજાર રૂપિયાનું ઉઘરાણું કરી રફુચક્કર થઈ ગયેલા કરજણના બે ગઠિયાની નવાપુરા પોલીસે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે.
શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલ વણકરવાસમાં મીનાબેન મનોજભાઈ પરમાર પુત્ર સાથે રહે છે. અને એક પુત્રી છે જેના લગ્ન થઇ જતા તાંદલજા સાસરીમાં રહે છે. 13 વર્ષ પહેલા તેમના પતિનું અવસાન થયું હતું. બે મહિના અગાઉ મીનાબેનને પાદરમાં રહેતી બહેન ભાનુબેન પરમારે ફોન પર જણાવ્યું હતું કે, શબ્બીરભાઈ માઈક્રો ફર્સ્ટ ફાઇનાન્સ કંપનીના એજન્ટ છે અને 1 હજાર રૂપિયા ફી ભરાવી રૂ,1 લાખની લોન અપાવે છે. તારે જરૂર હોય તો તેમનો નંબર આપું તેમ કહી શબ્બીરનો નંબર આપ્યો હતો.
મીનાબેને શબ્બીરને ફોન કરતા તમારે લોનની જરૂર હોય તો શબ્બીરે રૂબરૂમાં મળવા આવવાની વાત કહી હતી. મીબનાબેને રૂબરૂ મુલાકાતની હા કહેતા તા. 22 સપ્ટેમ્બરના રોજ શબ્બીર અન્ય એક વ્યક્તિ યાસીન દીવાન સાથે મીનાબેનના ઘરે આવ્યો હતો. અને અન્ય કોઈને પણ લોન જોઇતી હોય તો અપાવી દઈશું તેમ જણાવતા મીનાબેને દીકરી અને આસપાસ રહેતા અન્ય લોકોને વાત કરી ડોક્યુમેન્ટ અને વ્યક્તિદીઠ 1 હજાર લેખે કુલ 6 હજાર રૂપિયા અપાવ્યા હતા.
ત્યારબાદ 2 મહિના સુધી લોન અંગે વાતચીત કરતા પ્રોસેસમાં સમય લાગશે તેમ કહી દિવસો પસાર કરતાં મીનાબેનને શંકા ઉપજી હતી. થોડા દિવસોબાદ મીનાબને ફરીથી ફોન કરતા શબ્બીરે મોબાઈલ ફોન પર ઉદ્ધતાઈભર્યુ વર્તન કર્યું હતું. અને લોન નહીં મળે તમારાથી થાય તેમ કરી લો તેવી ધમકી આપી હતી. આ ઉપરાંત વિસ્તારના અન્ય 8 રહીશો પાસેથી પણ વ્યક્તિ દીઠ 1 હજાર રૂપિયાનું ઉઘરાનું કર્યાનું જાણવા મળ્યું હતું.
મીનાબેને બંને ગહિયાઓ વિરુદ્ધ નવાપુરા પોલીસમાં શબ્બીર તરીકે ખોટી ઓળખાણ આપનાર જીતેન્દ્ર રમેશસિંહ ઠાકોર (રહે,કરજણ) અને તેના સાગરીત યાસીન બચુશા દીવાન(રહે.કરજણ) કોઈ કંપનીનો એજન્ટ ના હોવા છતાં પણ એજન્ટ બની લોકોને વિશ્વાસમાં લઇ 14 લોકો પાસેથી 14 હજારની છેતરપિંડી કરીને લોન નહીં અપાવી ઠગાઇ કરતો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી હતી. અને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બંન્ને ગઠીયાઓએ પોતે જાતે જ કંપની બનાવી હોવાનું બહાર આવ્યું હતું. વધુ તપાસ માટે બંન્ને આરોપીઓને કોર્ટમાં રજુ કરતા નામદાર કોર્ટે બંન્ને ચાર દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે. બીજી તરફ 200 - 300 લોકો સાથે આ ગઠીયાઓએ ઠગાઇ કરી હોવાનું સામે આવ્યું હતું. આગામી સમયમાં છેતરાયેલા લોકોની સંખ્યામાં વધારો થઇ શકે છે.
પોલીસે બંનેની ધરપકડ કરી અન્ય કોઈ સાથે ઠગાઈ થઇ છે કે તે બાબતે તપાસ શરૂ કરી
200 થી વધુ ઠગાયેલા લોકો વિશે જાણ મળી, ઠગાઇનો આંક વધી શકે છે
WatchGujarat. નવાપુરા વિસ્તારના વણકરવાસમાં માઈક્રો ફર્સ્ટ ફાઇનાન્સ કંપનીના એજન્ટ તરીકે ઓળખ આપી રૂ, 1 હજાર ભરી 1 લાખની લોન આપવાનું જણાવી 14 રહીશો પાસેથી લોન પ્રોસેસ ફી પેટે 14 હજાર રૂપિયાનું ઉઘરાણું કરી રફુચક્કર થઈ ગયેલા કરજણના બે ગઠિયાની નવાપુરા પોલીસે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે.
શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલ વણકરવાસમાં મીનાબેન મનોજભાઈ પરમાર પુત્ર સાથે રહે છે. અને એક પુત્રી છે જેના લગ્ન થઇ જતા તાંદલજા સાસરીમાં રહે છે. 13 વર્ષ પહેલા તેમના પતિનું અવસાન થયું હતું. બે મહિના અગાઉ મીનાબેનને પાદરમાં રહેતી બહેન ભાનુબેન પરમારે ફોન પર જણાવ્યું હતું કે, શબ્બીરભાઈ માઈક્રો ફર્સ્ટ ફાઇનાન્સ કંપનીના એજન્ટ છે અને 1 હજાર રૂપિયા ફી ભરાવી રૂ,1 લાખની લોન અપાવે છે. તારે જરૂર હોય તો તેમનો નંબર આપું તેમ કહી શબ્બીરનો નંબર આપ્યો હતો.
મીનાબેને શબ્બીરને ફોન કરતા તમારે લોનની જરૂર હોય તો શબ્બીરે રૂબરૂમાં મળવા આવવાની વાત કહી હતી. મીબનાબેને રૂબરૂ મુલાકાતની હા કહેતા તા. 22 સપ્ટેમ્બરના રોજ શબ્બીર અન્ય એક વ્યક્તિ યાસીન દીવાન સાથે મીનાબેનના ઘરે આવ્યો હતો. અને અન્ય કોઈને પણ લોન જોઇતી હોય તો અપાવી દઈશું તેમ જણાવતા મીનાબેને દીકરી અને આસપાસ રહેતા અન્ય લોકોને વાત કરી ડોક્યુમેન્ટ અને વ્યક્તિદીઠ 1 હજાર લેખે કુલ 6 હજાર રૂપિયા અપાવ્યા હતા.
ત્યારબાદ 2 મહિના સુધી લોન અંગે વાતચીત કરતા પ્રોસેસમાં સમય લાગશે તેમ કહી દિવસો પસાર કરતાં મીનાબેનને શંકા ઉપજી હતી. થોડા દિવસોબાદ મીનાબને ફરીથી ફોન કરતા શબ્બીરે મોબાઈલ ફોન પર ઉદ્ધતાઈભર્યુ વર્તન કર્યું હતું. અને લોન નહીં મળે તમારાથી થાય તેમ કરી લો તેવી ધમકી આપી હતી. આ ઉપરાંત વિસ્તારના અન્ય 8 રહીશો પાસેથી પણ વ્યક્તિ દીઠ 1 હજાર રૂપિયાનું ઉઘરાનું કર્યાનું જાણવા મળ્યું હતું.
મીનાબેને બંને ગહિયાઓ વિરુદ્ધ નવાપુરા પોલીસમાં શબ્બીર તરીકે ખોટી ઓળખાણ આપનાર જીતેન્દ્ર રમેશસિંહ ઠાકોર (રહે,કરજણ) અને તેના સાગરીત યાસીન બચુશા દીવાન(રહે.કરજણ) કોઈ કંપનીનો એજન્ટ ના હોવા છતાં પણ એજન્ટ બની લોકોને વિશ્વાસમાં લઇ 14 લોકો પાસેથી 14 હજારની છેતરપિંડી કરીને લોન નહીં અપાવી ઠગાઇ કરતો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી હતી. અને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બંન્ને ગઠીયાઓએ પોતે જાતે જ કંપની બનાવી હોવાનું બહાર આવ્યું હતું. વધુ તપાસ માટે બંન્ને આરોપીઓને કોર્ટમાં રજુ કરતા નામદાર કોર્ટે બંન્ને ચાર દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે. બીજી તરફ 200 - 300 લોકો સાથે આ ગઠીયાઓએ ઠગાઇ કરી હોવાનું સામે આવ્યું હતું. આગામી સમયમાં છેતરાયેલા લોકોની સંખ્યામાં વધારો થઇ શકે છે.