શહેરમાં કોરોનાના નિયમોમનું અનેક જગ્યાએ ઉલ્લંઘન સામે આવ્યું
નિયમોના ઉલ્લંઘન બદલ દુકાનો સીલ કરાય તો ખાનગી વાહનોમાં કાર્યવાહી ક્યારે ?
WatchGujarat. કારેલીબાગ વિસ્તારમાં આવેલા અમીતનગર સર્કલ પાસેથી અમદાવાદ તરફ જવા માટે મોટી સંખ્યામાં ખાનગી વાહનો મળે છે. જેને લઇને અગાઉ અનેક વખત વિવાદ થઇ ચુક્યા છે. કોરોનાના વધતા કેસો સમયે અમીતનગર સર્કલ પાસે ખાનગી વાહનોમાં લોકોને ખીચોખીચ બેસાડી લઇ જવાતા નવો વિવાદ સપાટી પર આવ્યો છે. વેપારીઓને ત્યાં સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતના નિયમોનું પાલન ન થાય તો તંત્ર તુરંત સીલ મારી દે છે. તો નિયમોનું ધરાર ઉલ્લંઘન કરનાર ખાનગી વાહન ચાલકો સામે ક્યારે કાર્યવાહી કરશે ?
તાજેતરમાં શહેરના એસટી ડેપો પર ભીડ સ્વરૂપે લોકો જોવા મળ્યા હતા. એક તરફ સરકાર દ્વારા લોકો મોટી સંખ્યામાં ભેગા ન થાય તે માટે નાઇટ કર્ફ્યુ સહિતના પગલા લેવામાં આવી રહ્યા છે. તમામ શહેરોમાં કોવિડ ગાઇડલાઇન્સનું ચુસ્ત પણે પાલન કરાવવા માટે સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. તેવા સમયે વડોદરામાં અનેક જગ્યાઓ પર કોરોનાના નિયમોનું ઉલ્લંઘન જોવા મળી રહ્યું છે.
કારેલીબાગ વિસ્તારમાં અમીત નગર સર્કલ પાસે અમદાવાદ તરફ જવા માટે દિવસ ભર ખાનગી વાહનો મળી રહેતા હોય છે. ખાનગી વાહનોમાં લોકો લઇ જવા મામલે અગાઉ અનેક વખત વિવાદ સામે આવ્યા હતા. સોમવારે બપોરે અમીત નગર સર્કલ પાસે લોકોને ખીચોખીચ ભરીને લઇ જવાતા ખાનગી વાહનો નજરે પડ્યા હતા.જેમાં કોરોનાના નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું હતું. જેને કારણે ખાનગી વાહનોને લઇને વધુ એક વિવાદ સપાટી પર આવ્યો છે.
શહેરમાં કોવિડ ગાઇડલાઇન્સનું પાલન વેપારીઓ દ્વારા કરવામાં ન આવે તો તંત્ર દ્વારા દુકાનો સીલ કરી દેવામાં આવે છે. પરંતુ ખાનગી વાહનોમાં ખીચોખીચ ભરીને લઇ જવાતા લોકો મામલે તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. જો તમામ લોકો ભેગા મળીને કોરોનાને અટકાવવાના પ્રયાસો નહિ કરે ત્યાં સુધી નિશ્ચીત પરિણામ મેળવી શકાશે.
શહેરમાં કોરોનાના નિયમોમનું અનેક જગ્યાએ ઉલ્લંઘન સામે આવ્યું
WatchGujarat. કારેલીબાગ વિસ્તારમાં આવેલા અમીતનગર સર્કલ પાસેથી અમદાવાદ તરફ જવા માટે મોટી સંખ્યામાં ખાનગી વાહનો મળે છે. જેને લઇને અગાઉ અનેક વખત વિવાદ થઇ ચુક્યા છે. કોરોનાના વધતા કેસો સમયે અમીતનગર સર્કલ પાસે ખાનગી વાહનોમાં લોકોને ખીચોખીચ બેસાડી લઇ જવાતા નવો વિવાદ સપાટી પર આવ્યો છે. વેપારીઓને ત્યાં સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતના નિયમોનું પાલન ન થાય તો તંત્ર તુરંત સીલ મારી દે છે. તો નિયમોનું ધરાર ઉલ્લંઘન કરનાર ખાનગી વાહન ચાલકો સામે ક્યારે કાર્યવાહી કરશે ?
તાજેતરમાં શહેરના એસટી ડેપો પર ભીડ સ્વરૂપે લોકો જોવા મળ્યા હતા. એક તરફ સરકાર દ્વારા લોકો મોટી સંખ્યામાં ભેગા ન થાય તે માટે નાઇટ કર્ફ્યુ સહિતના પગલા લેવામાં આવી રહ્યા છે. તમામ શહેરોમાં કોવિડ ગાઇડલાઇન્સનું ચુસ્ત પણે પાલન કરાવવા માટે સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. તેવા સમયે વડોદરામાં અનેક જગ્યાઓ પર કોરોનાના નિયમોનું ઉલ્લંઘન જોવા મળી રહ્યું છે.
કારેલીબાગ વિસ્તારમાં અમીત નગર સર્કલ પાસે અમદાવાદ તરફ જવા માટે દિવસ ભર ખાનગી વાહનો મળી રહેતા હોય છે. ખાનગી વાહનોમાં લોકો લઇ જવા મામલે અગાઉ અનેક વખત વિવાદ સામે આવ્યા હતા. સોમવારે બપોરે અમીત નગર સર્કલ પાસે લોકોને ખીચોખીચ ભરીને લઇ જવાતા ખાનગી વાહનો નજરે પડ્યા હતા.જેમાં કોરોનાના નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું હતું. જેને કારણે ખાનગી વાહનોને લઇને વધુ એક વિવાદ સપાટી પર આવ્યો છે.
શહેરમાં કોવિડ ગાઇડલાઇન્સનું પાલન વેપારીઓ દ્વારા કરવામાં ન આવે તો તંત્ર દ્વારા દુકાનો સીલ કરી દેવામાં આવે છે. પરંતુ ખાનગી વાહનોમાં ખીચોખીચ ભરીને લઇ જવાતા લોકો મામલે તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. જો તમામ લોકો ભેગા મળીને કોરોનાને અટકાવવાના પ્રયાસો નહિ કરે ત્યાં સુધી નિશ્ચીત પરિણામ મેળવી શકાશે.