શહેર જીલ્લામાં RTPCR અને એન્ટીજન ટેસ્ટીંગમાં વધારો કરવાની સાથે અન્ય તકેદારીના પગલા લેવામાં આવશે
એસએસજી હોસ્પિટલ અને ગોત્રી મેડીકલ કોલેજમાં આજની સ્થિતિએ 140 કોરોનાના દર્દીઓ દાખલ
WatchGujarat. તહેવાર બાદ કોરોનાના કેસોમાં ઉછાળો આવતા અમદાવાદમાં બે દિવસનું સંપુર્ણ કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો હતો. જેને પગલે વડોદરા સહિતના અન્ય શહેરોમાં વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે. આવતી કાલથી વડોદારામાં કોરોનાને નાથવા માટે વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરાશે. RTPCR અને એન્ટીજન ટેસ્ટીંગમાં વધારો કરવાની સાથે અન્ય તકેદારીના પગલા લેવામાં આવશે.
વડોદરામાં કોરોના કેસોમાં વધારો નોંધાતા રાજ્ય સરકાર દ્વારા OSD તરીકે ડો. વિનોદ રાવની નિમણુંક કરી હતી. તહેવારને લઇને રાજ્યના અનેક શહેરોમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો હતો. સ્થિતીને ધ્યાને રાખીને વડોદરાનું વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. OSD ડો. વિનોદ રાવે વડોદરાની ડેડીકેટેડ કોવિડ ફેસીલીટી ધરાવતી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ અને ગોત્રી મેડીકલ કોલેજમાં વિડીયો કોન્ફરન્સીંગથી સ્થિતીની સમીક્ષા કરી હતી. બંન્ને હોસ્પિટલમાં આજની સ્થિતિએ 140 કોરોનાના દર્દીઓ દાખલ છે. હોસ્પિટલ પાસે કુલ બેડ 550 છે.
તેની સાથે OSD ડો. વિનોદ રાવે ખાનગી ક્લસ્ટર હોસ્પિટલના કર્મીઓ સાથે પણ વિડીયો કોન્ફરન્સીંગથી મુલાકાત કરી હતી. છેલ્લા 5 દિવસમાં તેમાં વધારો જોવા મળ્યો હતો. તમામ હોસ્પિટલોને આગામી 3 - 4 દિવસમાં સંપુર્ણ કાર્યક્ષમતા સાથે કાર્યરત થવા માટે સુચન કરવામાં આવ્યું હતું. હાલ સ્થિતી કાબુમાં છે. શહેરવાસીઓએ કોઇ પણ પ્રકારની ચિંતા નહિ કરવા જણાવાયું છે.
ડોર ટુ ડોર સર્વેલન્સમાં હેલ્થ વર્કર્સની 825 ટીમ શહેરભરમાં ફરી વળશે
કોરોનાને અટકાવવા માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ડોર ટુ ડોર સર્વેલન્સનો વધુ એક તબક્કો શરૂ કરવામાં આવશે. જેમાં શહેરભરમાં હેલ્થ વર્કર્સની 825 ટીમ ફરી વળશે. આગામી 5 દિવસમાં શહેરમાં તમામ ટીમો ફરી વળશે. તેની સાથે ધન્વંતરી રથને સંપુર્ણ ક્ષમતા સાથે ટુંકા ગાળામાં કાર્યરત કરી દેવામાં આવશે. તેની સાથે વડોદરાના શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં એન્ટીજન અને આરટીપીસીઆર ટેસ્ટ વધારવામાં આવશે. વધારે ટેસ્ટ આવતી કાલથી શરૂ કરવામાં આવશે.
શહેરમાં કોરોનાની હાલની સ્થિતી - જાણો
શહેરમાં કોવિડ ફેસીલીટીમાં કુલ 5 હજાર બેડ છે. તેમાંથી 1,500 બેડ ભરાયેલા છે. અને બાકીના 3,500 બેડ ખાલી છે. કુલ કેપેસીટીમાંથી માત્ર 30 ટકા બેડ ભરાયેલા છે. શહેરમાં 500 એડવાન્સ વેન્ટીલેટર આવેલા છે. તેમાંથી માત્ર 165 બેડ ભરાયેલા છે. માત્ર 33 ટકા એડવાન્સ વેન્ટીલેટર ભરાયેલા છે. વડોદરામાં કોરોનાની પ્રથમ વેવ એપ્રીલ થી સપ્ટેમ્બર સુધી હતી. વહીવટી તંત્ર સેકન્ડ વેવ માટે સુસજ્જ છે.
શહેર જીલ્લામાં RTPCR અને એન્ટીજન ટેસ્ટીંગમાં વધારો કરવાની સાથે અન્ય તકેદારીના પગલા લેવામાં આવશે
WatchGujarat. તહેવાર બાદ કોરોનાના કેસોમાં ઉછાળો આવતા અમદાવાદમાં બે દિવસનું સંપુર્ણ કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો હતો. જેને પગલે વડોદરા સહિતના અન્ય શહેરોમાં વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે. આવતી કાલથી વડોદારામાં કોરોનાને નાથવા માટે વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરાશે. RTPCR અને એન્ટીજન ટેસ્ટીંગમાં વધારો કરવાની સાથે અન્ય તકેદારીના પગલા લેવામાં આવશે.
વડોદરામાં કોરોના કેસોમાં વધારો નોંધાતા રાજ્ય સરકાર દ્વારા OSD તરીકે ડો. વિનોદ રાવની નિમણુંક કરી હતી. તહેવારને લઇને રાજ્યના અનેક શહેરોમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો હતો. સ્થિતીને ધ્યાને રાખીને વડોદરાનું વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. OSD ડો. વિનોદ રાવે વડોદરાની ડેડીકેટેડ કોવિડ ફેસીલીટી ધરાવતી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ અને ગોત્રી મેડીકલ કોલેજમાં વિડીયો કોન્ફરન્સીંગથી સ્થિતીની સમીક્ષા કરી હતી. બંન્ને હોસ્પિટલમાં આજની સ્થિતિએ 140 કોરોનાના દર્દીઓ દાખલ છે. હોસ્પિટલ પાસે કુલ બેડ 550 છે.
તેની સાથે OSD ડો. વિનોદ રાવે ખાનગી ક્લસ્ટર હોસ્પિટલના કર્મીઓ સાથે પણ વિડીયો કોન્ફરન્સીંગથી મુલાકાત કરી હતી. છેલ્લા 5 દિવસમાં તેમાં વધારો જોવા મળ્યો હતો. તમામ હોસ્પિટલોને આગામી 3 - 4 દિવસમાં સંપુર્ણ કાર્યક્ષમતા સાથે કાર્યરત થવા માટે સુચન કરવામાં આવ્યું હતું. હાલ સ્થિતી કાબુમાં છે. શહેરવાસીઓએ કોઇ પણ પ્રકારની ચિંતા નહિ કરવા જણાવાયું છે.
કોરોનાને અટકાવવા માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ડોર ટુ ડોર સર્વેલન્સનો વધુ એક તબક્કો શરૂ કરવામાં આવશે. જેમાં શહેરભરમાં હેલ્થ વર્કર્સની 825 ટીમ ફરી વળશે. આગામી 5 દિવસમાં શહેરમાં તમામ ટીમો ફરી વળશે. તેની સાથે ધન્વંતરી રથને સંપુર્ણ ક્ષમતા સાથે ટુંકા ગાળામાં કાર્યરત કરી દેવામાં આવશે. તેની સાથે વડોદરાના શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં એન્ટીજન અને આરટીપીસીઆર ટેસ્ટ વધારવામાં આવશે. વધારે ટેસ્ટ આવતી કાલથી શરૂ કરવામાં આવશે.
શહેરમાં કોરોનાની હાલની સ્થિતી - જાણો
શહેરમાં કોવિડ ફેસીલીટીમાં કુલ 5 હજાર બેડ છે. તેમાંથી 1,500 બેડ ભરાયેલા છે. અને બાકીના 3,500 બેડ ખાલી છે. કુલ કેપેસીટીમાંથી માત્ર 30 ટકા બેડ ભરાયેલા છે. શહેરમાં 500 એડવાન્સ વેન્ટીલેટર આવેલા છે. તેમાંથી માત્ર 165 બેડ ભરાયેલા છે. માત્ર 33 ટકા એડવાન્સ વેન્ટીલેટર ભરાયેલા છે. વડોદરામાં કોરોનાની પ્રથમ વેવ એપ્રીલ થી સપ્ટેમ્બર સુધી હતી. વહીવટી તંત્ર સેકન્ડ વેવ માટે સુસજ્જ છે.