એન્ટીબાયોટિક્સ બેક્ટેરીયાને મારવાની દવા છે, તેની વાઈરસ પર કોઈ અસર થતી નથી
એન્ટીબાયોટિક્સ સંરક્ષણના સિદ્ધાંતોનું પાલન થવું જોઈએ.
કોવિડ-19ના ટેસ્ટીંગના રિઝલ્ટ માટેનો સમય ઓછો કરી શકાય તો પ્રયોગમૂલક એન્ટીબાયોટિક્સનો ઉપયોગ ઘટાડી શકાય
વડોદરા. કોરોના મહામારીના સમયમાં એન્ટીબાયોટિક્સ દવાઓનો વધુ પડતો ઉપયોગ ભવિષ્ય માટે જોખમરૂપ હોવાની ભિતી વ્યક્ત કરતાં ગોત્રી હોસ્પિટલના નોડલ ઓફિસર ડો. શીતલ મિસ્ત્રીએ Watch Gujaratને જણાવ્યું હતું કે, એન્ટીબાયોટિક્સ બેક્ટેરીયાને મારવાની દવા છે પરંતુ તેની વાઈરસ પર કોઈ અસર થતી નથી.
ડો. મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, બીજા વિશ્વયુદ્ધ પછી પેનીસીલીન એન્ટીબાયોટિકના આવિષ્કાર બાદ 1940થી 1970નો સમયગાળો એન્ટીબાયોટિક્સના સંશોધનનો સુવર્ણકાળ હતો. તે દરમિયાન અલગ અલગ વર્ગની તમામ એન્ટીબાયોટિકની શોધ થઈ હતી અને એન્ટીબાયોટિકની શોધના લીધે તબીબી વિજ્ઞાને પ્રગતિના શિખરો હાંસલ કર્યા હતાં. પરંતુ વખત જતાં બેક્ટેરીયામાં કુદરતી રીતે તથા સંપ્રાપ્તી દ્વારા એન્ટીબાયોટિકની વિરુદ્ધમાં પ્રતિકાર (રેઝીસ્ટન્સ) ઉત્પન્ન થવા માંડ્યો. જેને લીધે ઘણાં બેક્ટેરીયા પર એન્ટીબાયોટિકની અસર સમાપ્ત થવા માંડી હતી. આ એન્ટીબાયોટિક રેઝીસ્ટન્સના લીધે તબીબ વિજ્ઞાન પોતાના હેલ્થ ફોર ઓલ ના લક્ષ્યને હાંસલ કરવામાં નિષ્ફળ ગયું છે.
તેમણે ઉમેર્યું હતું કે, આજની તારીખે નવી એન્ટીબાયોટિકના સંશોધનના વેગમાં કમી આવી છે. આમ એન્ટીબાયોટિક્સના સંશોધનના વેગમાં ઘટાડો થતાં, 2011થી WHOએ એન્ટીબાયોટિક્સના સંરક્ષણ માટે નવી રણનીતિ બનાવી છે. (એન્ટીબાયોટિક સ્ટુઅર્ડશિપના સિદ્ધાંતો). એન્ટીબાયોટિક રેઝીસ્ટન્સ ઉત્પન્ન થવાના મુખ્ય કારણોમાં બેક્ટેરીયા પોતે પોતાની કોષ દિવાલ જાડી કરી નાંખે છે, કોષ દિવાલ છિદ્રાળ બનાવી દે છે, પોતાના જીન્સમાં ફેરફાર કરી નાંખે છે, પ્રોટીન્સમાં ફેરફાર કરે છે અથવા એન્ટીબાયોટિક્સને પચાવી નાંખે એવા કેમિકલ ઉત્પન્ન કરે છે. એન્ટીબાયોટિક્સનો ઉપયોગ પોલ્ટ્રી ફાર્મમાં મરઘાના વજન વધારવા તથા એક્વા કલ્ચરમાં માછલી તથા ઝીંગાના રોગ દૂર કરવા તેમજ બીફ અને પોર્કની વધુ આવક મેળવવા માટે એનીમલ હસબન્ડ્રીમાં તથા ખેતીમાં પણ કરવામાં આવે છે. આ ઉપયોગના લીધે પણ એન્ટીબાયોટિક્સ રેઝીસ્ટન્સ ઉત્પન્ન થાય છે. ઘણી એન્ટીબાયોટિક્સ નકામી બની જાય છે.
ડો. મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, કોરોનાની મહામારી દરમિયાન દુનિયાભર કોવિડ-19ના 72% લોકોમાં એન્ટીબાયોટિક્સનો પ્રયોગમૂલક (Empirical) ઉપયોગ કરવામાં આવ્યો છે પરંતુ આમાંથી માત્ર 8% લોકોમાં જ બેક્ટેરીયાનું સંક્રમણ જણઆયું છે. આમ કોવિડ-19 જેવી બિમારીમાં એન્ટીબાયોટિક્સનો વધુ પડતો ઉપયોગ થઈ રહ્યો છે. જેના મુખ્ય કારણો RT – PCR ટેસ્ટના રીઝલ્ટ આવવામાં થતો વિલંબ તેમજ ગંભીર પરિસ્થિતિમાં આવતાં દર્દીઓમાં તબીબી અનિશ્ચિતતા (Clinical uncertainty) છે. કોરોનાનો ડર તથા ગંભીર પરિસ્થિતિને લીધે એન્ટીબાયોટિક્સનો વધુ પડતો ઉપયોગ થઈ રહ્યો છે. જેનાથી એન્ટીબાયોટિક રેઝીસ્ટન્સ બેક્ટેરીયાની સ્ટ્રેઈની ઉભી થવાનો ખતરો છે. જે ભવિષ્યમાં માનવજાત માટે ઘાતક બની શકે છે. હાલની તારીખે દુનિયામાં દર વર્ષે લગભગ 8 લાખ લોકો એન્ટીબાયોટિક રેઝીસ્ટન્ટ બેક્ટેરીયાના સંક્રમણના લીધે મૃત્ય પામે છે. એક અંદાજ મુજબ 2050 સુધીમાં લગભગ આ આંકડો 10 લાખને પાર કરે એમ છે.
ડો. શીતલ મિસ્ત્રી વધુમાં જણાવ્યું હતું કે, મહામારી દરમિયાન ગભરાટ અને ડરના કારણે એન્ટીબાયોટિક સંરક્ષણના તમામ સિદ્ધાંતોને નેવી મુકાઈ દેવાય છે. કોરોનાની મહામારીમાં એઝીથ્રોમાઈસીન, ડોક્સીસાઈક્લીન, સીફાપરેઝોન, મેરોપેનમ, ટીગેસાઈક્લિન, ટીકોપ્લેનીન જેવી ખૂબ અગત્યની દવાઓનો પણ પ્રયોગમૂલક ઉપયોગ થાય છે. જે ખૂબ ગંભીર બાબત છે.
ડો. મિસ્ત્રીના જણાવ્યા પ્રમાણે, આરોગ્યકર્મીઓની લક્ષિત તાલીમ થકી કોરોનાના ગંભીર લક્ષણો તથા બેક્ટેરીય સંક્રમણના લક્ષણો જલ્દી સમજી શકાશે. ઇન્ફેક્શન કંટ્રોલના માપદંડોનું પાલન થશે. મેડીકલ ઇક્વિપમેન્ટનો વિવેકપૂર્ણ ઉપયોગ થશે જેથી એન્ટીબાયોટિક્સનો ઉપયોગ ઘટાડી શકાય. વેક્સીન પ્રોગ્રામ ટીબી કંટ્રોલ પ્રોગ્રામ, HIV કંટ્રોલ પ્રોગ્રામ કે જે આ મહામારીમાં પ્રભાવિત થયા હતા તેને પૂર્વવત્ સામાન્ય કરવાથઈ એન્ટીબાયોટિક રેઝીસ્ટન્સ ઘટાડી શકાશે.
કોવિડ-19ના ટેસ્ટીંગના રિઝલ્ટ માટેનો સમય ઓછો કરી શકાય તો પ્રયોગમૂલક એન્ટીબાયોટિક્સનો ઉપયોગ ઘટાડી શકાય. પર્સનલ હાઈજીન તથા એન્વાર્યમેન્ટલ ક્લીનિંગ માટે જે જીવાણુનાશખ કેમિકલ વપરાય છે તેનો પણ વિવેકપૂણ રીતે ઉપયોગ કરવો પડશે. પ્રોકેલ્સીટોનીન આધારિત આલ્ગોરીધમનો ઉપયોગ કરી એન્ટીબાયોટિક્સ દવાઓના ડોઝ તથા સમય અવધિ ઘટાડી શકાશે.
પ્રોકેલ્સીટોનીન એ ઇન્ફલામેટરી માર્કર છે જે બેક્ટેરીયાના ઇન્ફેક્શનના લીધે શરીરમાં ઉત્પન્ન થાય છે. બ્લડ સેમ્પલથઈ ચેક કરી શકાય છે. જો એનું લેવલ 0.25 માઈક્રોગ્રામ પર લીટર કરતા વધુ હોય તો જ દર્દીને બેક્ટેરીયાનું સંક્રમણ છે એમ ગણી શકાય અને એન્ટીબાયોટિક વાપરવી જોઈએ. આ ટેસ્ટને 3, 5, 7 દિવસે કરીને ચેક કરવું જોઇએ અને જો પ્રોફેલ્સીટોનીનના લેવલમાં 80%થી વધુ ઘટાડો નોંધાય તો એન્ટીબાયોટિક બંધ કરવી જોઈએ.
એકંદરે, કોવિડ – 19 મહામારીની કપરી પરિસ્થિતિમાં પણ એન્ટીબાયોટિક સંરક્ષણના સિદ્ધાંતોનું ચુસ્તપાલન કરવામાં આવશે અને એન્ટીબાયોટિક્સનો વિવેકપૂર્ણ ઉપયોગ થશે તો જ ભવિષ્યના ખતરાને ટાળી શકાશે એમ ડો. શીતલ મિસ્ત્રીનું કહેવું છે.
એન્ટીબાયોટિક્સ બેક્ટેરીયાને મારવાની દવા છે, તેની વાઈરસ પર કોઈ અસર થતી નથી
કોવિડ-19ના ટેસ્ટીંગના રિઝલ્ટ માટેનો સમય ઓછો કરી શકાય તો પ્રયોગમૂલક એન્ટીબાયોટિક્સનો ઉપયોગ ઘટાડી શકાય
વડોદરા. કોરોના મહામારીના સમયમાં એન્ટીબાયોટિક્સ દવાઓનો વધુ પડતો ઉપયોગ ભવિષ્ય માટે જોખમરૂપ હોવાની ભિતી વ્યક્ત કરતાં ગોત્રી હોસ્પિટલના નોડલ ઓફિસર ડો. શીતલ મિસ્ત્રીએ Watch Gujaratને જણાવ્યું હતું કે, એન્ટીબાયોટિક્સ બેક્ટેરીયાને મારવાની દવા છે પરંતુ તેની વાઈરસ પર કોઈ અસર થતી નથી.
ડો. મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, બીજા વિશ્વયુદ્ધ પછી પેનીસીલીન એન્ટીબાયોટિકના આવિષ્કાર બાદ 1940થી 1970નો સમયગાળો એન્ટીબાયોટિક્સના સંશોધનનો સુવર્ણકાળ હતો. તે દરમિયાન અલગ અલગ વર્ગની તમામ એન્ટીબાયોટિકની શોધ થઈ હતી અને એન્ટીબાયોટિકની શોધના લીધે તબીબી વિજ્ઞાને પ્રગતિના શિખરો હાંસલ કર્યા હતાં. પરંતુ વખત જતાં બેક્ટેરીયામાં કુદરતી રીતે તથા સંપ્રાપ્તી દ્વારા એન્ટીબાયોટિકની વિરુદ્ધમાં પ્રતિકાર (રેઝીસ્ટન્સ) ઉત્પન્ન થવા માંડ્યો. જેને લીધે ઘણાં બેક્ટેરીયા પર એન્ટીબાયોટિકની અસર સમાપ્ત થવા માંડી હતી. આ એન્ટીબાયોટિક રેઝીસ્ટન્સના લીધે તબીબ વિજ્ઞાન પોતાના હેલ્થ ફોર ઓલ ના લક્ષ્યને હાંસલ કરવામાં નિષ્ફળ ગયું છે.
તેમણે ઉમેર્યું હતું કે, આજની તારીખે નવી એન્ટીબાયોટિકના સંશોધનના વેગમાં કમી આવી છે. આમ એન્ટીબાયોટિક્સના સંશોધનના વેગમાં ઘટાડો થતાં, 2011થી WHOએ એન્ટીબાયોટિક્સના સંરક્ષણ માટે નવી રણનીતિ બનાવી છે. (એન્ટીબાયોટિક સ્ટુઅર્ડશિપના સિદ્ધાંતો). એન્ટીબાયોટિક રેઝીસ્ટન્સ ઉત્પન્ન થવાના મુખ્ય કારણોમાં બેક્ટેરીયા પોતે પોતાની કોષ દિવાલ જાડી કરી નાંખે છે, કોષ દિવાલ છિદ્રાળ બનાવી દે છે, પોતાના જીન્સમાં ફેરફાર કરી નાંખે છે, પ્રોટીન્સમાં ફેરફાર કરે છે અથવા એન્ટીબાયોટિક્સને પચાવી નાંખે એવા કેમિકલ ઉત્પન્ન કરે છે. એન્ટીબાયોટિક્સનો ઉપયોગ પોલ્ટ્રી ફાર્મમાં મરઘાના વજન વધારવા તથા એક્વા કલ્ચરમાં માછલી તથા ઝીંગાના રોગ દૂર કરવા તેમજ બીફ અને પોર્કની વધુ આવક મેળવવા માટે એનીમલ હસબન્ડ્રીમાં તથા ખેતીમાં પણ કરવામાં આવે છે. આ ઉપયોગના લીધે પણ એન્ટીબાયોટિક્સ રેઝીસ્ટન્સ ઉત્પન્ન થાય છે. ઘણી એન્ટીબાયોટિક્સ નકામી બની જાય છે.
ડો. મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, કોરોનાની મહામારી દરમિયાન દુનિયાભર કોવિડ-19ના 72% લોકોમાં એન્ટીબાયોટિક્સનો પ્રયોગમૂલક (Empirical) ઉપયોગ કરવામાં આવ્યો છે પરંતુ આમાંથી માત્ર 8% લોકોમાં જ બેક્ટેરીયાનું સંક્રમણ જણઆયું છે. આમ કોવિડ-19 જેવી બિમારીમાં એન્ટીબાયોટિક્સનો વધુ પડતો ઉપયોગ થઈ રહ્યો છે. જેના મુખ્ય કારણો RT – PCR ટેસ્ટના રીઝલ્ટ આવવામાં થતો વિલંબ તેમજ ગંભીર પરિસ્થિતિમાં આવતાં દર્દીઓમાં તબીબી અનિશ્ચિતતા (Clinical uncertainty) છે. કોરોનાનો ડર તથા ગંભીર પરિસ્થિતિને લીધે એન્ટીબાયોટિક્સનો વધુ પડતો ઉપયોગ થઈ રહ્યો છે. જેનાથી એન્ટીબાયોટિક રેઝીસ્ટન્સ બેક્ટેરીયાની સ્ટ્રેઈની ઉભી થવાનો ખતરો છે. જે ભવિષ્યમાં માનવજાત માટે ઘાતક બની શકે છે. હાલની તારીખે દુનિયામાં દર વર્ષે લગભગ 8 લાખ લોકો એન્ટીબાયોટિક રેઝીસ્ટન્ટ બેક્ટેરીયાના સંક્રમણના લીધે મૃત્ય પામે છે. એક અંદાજ મુજબ 2050 સુધીમાં લગભગ આ આંકડો 10 લાખને પાર કરે એમ છે.
ડો. શીતલ મિસ્ત્રી વધુમાં જણાવ્યું હતું કે, મહામારી દરમિયાન ગભરાટ અને ડરના કારણે એન્ટીબાયોટિક સંરક્ષણના તમામ સિદ્ધાંતોને નેવી મુકાઈ દેવાય છે. કોરોનાની મહામારીમાં એઝીથ્રોમાઈસીન, ડોક્સીસાઈક્લીન, સીફાપરેઝોન, મેરોપેનમ, ટીગેસાઈક્લિન, ટીકોપ્લેનીન જેવી ખૂબ અગત્યની દવાઓનો પણ પ્રયોગમૂલક ઉપયોગ થાય છે. જે ખૂબ ગંભીર બાબત છે.
ડો. મિસ્ત્રીના જણાવ્યા પ્રમાણે, આરોગ્યકર્મીઓની લક્ષિત તાલીમ થકી કોરોનાના ગંભીર લક્ષણો તથા બેક્ટેરીય સંક્રમણના લક્ષણો જલ્દી સમજી શકાશે. ઇન્ફેક્શન કંટ્રોલના માપદંડોનું પાલન થશે. મેડીકલ ઇક્વિપમેન્ટનો વિવેકપૂર્ણ ઉપયોગ થશે જેથી એન્ટીબાયોટિક્સનો ઉપયોગ ઘટાડી શકાય. વેક્સીન પ્રોગ્રામ ટીબી કંટ્રોલ પ્રોગ્રામ, HIV કંટ્રોલ પ્રોગ્રામ કે જે આ મહામારીમાં પ્રભાવિત થયા હતા તેને પૂર્વવત્ સામાન્ય કરવાથઈ એન્ટીબાયોટિક રેઝીસ્ટન્સ ઘટાડી શકાશે.
કોવિડ-19ના ટેસ્ટીંગના રિઝલ્ટ માટેનો સમય ઓછો કરી શકાય તો પ્રયોગમૂલક એન્ટીબાયોટિક્સનો ઉપયોગ ઘટાડી શકાય. પર્સનલ હાઈજીન તથા એન્વાર્યમેન્ટલ ક્લીનિંગ માટે જે જીવાણુનાશખ કેમિકલ વપરાય છે તેનો પણ વિવેકપૂણ રીતે ઉપયોગ કરવો પડશે. પ્રોકેલ્સીટોનીન આધારિત આલ્ગોરીધમનો ઉપયોગ કરી એન્ટીબાયોટિક્સ દવાઓના ડોઝ તથા સમય અવધિ ઘટાડી શકાશે.
પ્રોકેલ્સીટોનીન એ ઇન્ફલામેટરી માર્કર છે જે બેક્ટેરીયાના ઇન્ફેક્શનના લીધે શરીરમાં ઉત્પન્ન થાય છે. બ્લડ સેમ્પલથઈ ચેક કરી શકાય છે. જો એનું લેવલ 0.25 માઈક્રોગ્રામ પર લીટર કરતા વધુ હોય તો જ દર્દીને બેક્ટેરીયાનું સંક્રમણ છે એમ ગણી શકાય અને એન્ટીબાયોટિક વાપરવી જોઈએ. આ ટેસ્ટને 3, 5, 7 દિવસે કરીને ચેક કરવું જોઇએ અને જો પ્રોફેલ્સીટોનીનના લેવલમાં 80%થી વધુ ઘટાડો નોંધાય તો એન્ટીબાયોટિક બંધ કરવી જોઈએ.
એકંદરે, કોવિડ – 19 મહામારીની કપરી પરિસ્થિતિમાં પણ એન્ટીબાયોટિક સંરક્ષણના સિદ્ધાંતોનું ચુસ્તપાલન કરવામાં આવશે અને એન્ટીબાયોટિક્સનો વિવેકપૂર્ણ ઉપયોગ થશે તો જ ભવિષ્યના ખતરાને ટાળી શકાશે એમ ડો. શીતલ મિસ્ત્રીનું કહેવું છે.