ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ચંદ્રકાંત પટેલે ભાજપનો ખેસ ધારણ કર્યો.
વડોદરા. કરજણ વિધાનસભાની પેટા ચૂંટણી પૂર્વે આજે વેપાર ગામ ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં વડોદરા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ચંદ્રકાત પટેલ (સી.ડી. પટેલ)એ ભાજપાનો ખેસ ધારણ કર્યો હતો. કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, વિધાનસભાના દંડક પંકજ દેસાઈ, મંત્રી યોગશ પટેલ, જિલ્લા પ્રમુખ દિલુભા ચુડાસમા સહિતના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.
કરજણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અક્ષય પટેલના સમર્થનમાં કોંગ્રેસના અગ્રણી અને વડોદરા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભાજપામાં જોડાઈ જતાં ચૂંટણીનાં સમીકરણો બદલાય તેવી શક્યતા જોવાઈ રહી છે. સી.ડી. પટેલ પાટીદાર સમાજમાં વર્ચસ્વ ધરાવે છે તેમજ 12 ગામ પાટીદારના પ્રમુખ પણ છે.
આજે વેમાર ગામ યોજાયેલા કાર્યક્રમમાં પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ખેડૂતોના ગંધારા સુગર ફેકટરીના બાકી નિકળતા નાણાં રૂપિયા ૨૫ કરોડ ઘણા સમયથી અટવાયા હતા અને તે રકમ ખેડુતો ને મળતી ન હતી તે રકમ ભારતીય જનતા પાર્ટીની સરકારે ખેડૂતોની ચિંતા કરી ૨૫ કરોડ જેટલી રકમ ચુકતે કરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારથી દેશનું સુકાન સંભાળ્યું છે ત્યારથી દેશનો વિકાસ થયો છે. ચંદ્રકાંતભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી માં પ્રવેશ મેળવ્યો અને ભાજપના વિચારધારા સાથે જોડાયા છે.
પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે આજે ભાજપા સરકારે લોકહિત ના નિર્ણય કર્યા છે પ્રજાના હિતમાં નિર્ણય કર્યા છે જેના લીધે આજે કરજણની પ્રજાએ ભાજપામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે, ઉમેદવાર અક્ષયભાઇ પટેલને જે રીતે કરજણ તાલુકાની જનતા ઠેરઠેર આવકારી રહી છે તેઓને સમર્થન આપી રહી છે તે જોતાં ભાજપાના ઉમેદવારની જીત નિશ્ચિત છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે કોંગ્રેસમાંથી ધારાસભ્યોની આયાત નહીં કરવામાં આવે તેવું નિવેદન કર્યું હતું.
ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ચંદ્રકાંત પટેલે ભાજપનો ખેસ ધારણ કર્યો.
વડોદરા. કરજણ વિધાનસભાની પેટા ચૂંટણી પૂર્વે આજે વેપાર ગામ ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં વડોદરા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ચંદ્રકાત પટેલ (સી.ડી. પટેલ)એ ભાજપાનો ખેસ ધારણ કર્યો હતો. કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, વિધાનસભાના દંડક પંકજ દેસાઈ, મંત્રી યોગશ પટેલ, જિલ્લા પ્રમુખ દિલુભા ચુડાસમા સહિતના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.
કરજણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અક્ષય પટેલના સમર્થનમાં કોંગ્રેસના અગ્રણી અને વડોદરા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભાજપામાં જોડાઈ જતાં ચૂંટણીનાં સમીકરણો બદલાય તેવી શક્યતા જોવાઈ રહી છે. સી.ડી. પટેલ પાટીદાર સમાજમાં વર્ચસ્વ ધરાવે છે તેમજ 12 ગામ પાટીદારના પ્રમુખ પણ છે.
આજે વેમાર ગામ યોજાયેલા કાર્યક્રમમાં પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ખેડૂતોના ગંધારા સુગર ફેકટરીના બાકી નિકળતા નાણાં રૂપિયા ૨૫ કરોડ ઘણા સમયથી અટવાયા હતા અને તે રકમ ખેડુતો ને મળતી ન હતી તે રકમ ભારતીય જનતા પાર્ટીની સરકારે ખેડૂતોની ચિંતા કરી ૨૫ કરોડ જેટલી રકમ ચુકતે કરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારથી દેશનું સુકાન સંભાળ્યું છે ત્યારથી દેશનો વિકાસ થયો છે. ચંદ્રકાંતભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી માં પ્રવેશ મેળવ્યો અને ભાજપના વિચારધારા સાથે જોડાયા છે.
પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે આજે ભાજપા સરકારે લોકહિત ના નિર્ણય કર્યા છે પ્રજાના હિતમાં નિર્ણય કર્યા છે જેના લીધે આજે કરજણની પ્રજાએ ભાજપામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે, ઉમેદવાર અક્ષયભાઇ પટેલને જે રીતે કરજણ તાલુકાની જનતા ઠેરઠેર આવકારી રહી છે તેઓને સમર્થન આપી રહી છે તે જોતાં ભાજપાના ઉમેદવારની જીત નિશ્ચિત છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે કોંગ્રેસમાંથી ધારાસભ્યોની આયાત નહીં કરવામાં આવે તેવું નિવેદન કર્યું હતું.