કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી 6 મહાનગર પાલિકા, 55 નગરપાલિકા અને 231 તાલુકા પંચાયતોની સામાન ચુંટણી મોકૂફ કરાઈ.
વડોદરા મહાનગર પાલિકાના પર્વતમાન બોર્ડની મુદ્દત 12 ડિસેમ્બરના રોજ પૂરી થઈ રહી છે.
વડોદરા. કોરોના પરિસ્થિતિને પગલે 6 મહાનગર પાલિકા, 55 નગરપાલિકા અને 231 તાલુકા પંચાયતોની સામાન ચુંટણી મોકૂફ કરાઈ છે. વડોદરા મહાનગર સેવાસદનના પર્વતમાન બોર્ડની મુદ્દત 12 ડિસેમ્બરના રોજ પૂરી થઈ રહી છે. ચુંટણી 3 મહિના મોકૂફ રાખવામાં આવી હોવાથી પર્વતમાન બોર્ડની મુદ્દત પૂરી થયા બાદ મહાનગર પાલિકા તંત્રમાં વહીવટદાર (એડમિનિસ્ટ્રેટર)ની નિમણૂંક કરવામાં આવશે. હાલના સંજોગોમાં રાજ્ય સરકાર દ્વારા વડોદરા મહાનગર પાલિકાના એડમિનિસ્ટ્રેટર તરીકે ડો. વિનોદ રાવની નિયુક્તિ કરાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. કારણકે, ગત વર્ષે પૂરની સ્થિતિ વખતે રાજ્ય સરકાર દ્વારા ડો. વિનોદ રાવને વડોદરા મોકલવામાં આવ્યા હતાં. તેમજ કોરોનાની સ્થિતિમાં ઓ.એસ.ડી. તરીકે પણ રાજ્ય સરકારે ડો. વિનોદ રાવને નિયુક્ત કર્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ડો. વિનોદ રાવ વડોદરામાં કલેક્ટર અને મ્યુનિ. કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. આમ, વડોદરાના પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય સરકારનો ડો. રાવ પ્રત્યેનો અનુરાગ જોતાં એડમિનિસ્ટ્રેટર તરીકે તેમની નિયુક્ત કરાય તેવી પ્રબળ શક્યતા છે.
વડોદરા મહાનગર પાલિકામાં છેલ્લે વર્ષ 2005માં 3 માસ માટે ભાગ્યેશ જ્હા એડમિનિસ્ટ્રેટર રહ્યા હતાં. અત્યાર સુધીના એડમિનિસ્ટ્રેટરની યાદી નીચે મુજબ છે.
સમયગાળો
એડમિનિસ્ટ્રેટર
04/03/1974 થી 01/04/1975
એચ. કે ખાન
02/04/1975 થી 30/04/1975
જી. એન. ડીકે
01/05/1975 થી 09/02/1975
આર. પાર્થસારથી
01/11/1993 થી 31/10/1994
બલવંતસિંઘ
01/11/1994 થી 26/05/1995
ડી. રાજગોપાલન
26/05/1995 થી 30/06/1995
પી. કે. મિશ્રા
17/10/2005 થી 25/12/2005
ભાગ્યેશ જહાં
વડોદરા મહાનગર પાલિકાના પર્વતમાન બોર્ડની મુદ્દત 12 ડિસેમ્બરના રોજ પૂરી થઈ રહી છે.
વડોદરા. કોરોના પરિસ્થિતિને પગલે 6 મહાનગર પાલિકા, 55 નગરપાલિકા અને 231 તાલુકા પંચાયતોની સામાન ચુંટણી મોકૂફ કરાઈ છે. વડોદરા મહાનગર સેવાસદનના પર્વતમાન બોર્ડની મુદ્દત 12 ડિસેમ્બરના રોજ પૂરી થઈ રહી છે. ચુંટણી 3 મહિના મોકૂફ રાખવામાં આવી હોવાથી પર્વતમાન બોર્ડની મુદ્દત પૂરી થયા બાદ મહાનગર પાલિકા તંત્રમાં વહીવટદાર (એડમિનિસ્ટ્રેટર)ની નિમણૂંક કરવામાં આવશે. હાલના સંજોગોમાં રાજ્ય સરકાર દ્વારા વડોદરા મહાનગર પાલિકાના એડમિનિસ્ટ્રેટર તરીકે ડો. વિનોદ રાવની નિયુક્તિ કરાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. કારણકે, ગત વર્ષે પૂરની સ્થિતિ વખતે રાજ્ય સરકાર દ્વારા ડો. વિનોદ રાવને વડોદરા મોકલવામાં આવ્યા હતાં. તેમજ કોરોનાની સ્થિતિમાં ઓ.એસ.ડી. તરીકે પણ રાજ્ય સરકારે ડો. વિનોદ રાવને નિયુક્ત કર્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ડો. વિનોદ રાવ વડોદરામાં કલેક્ટર અને મ્યુનિ. કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. આમ, વડોદરાના પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય સરકારનો ડો. રાવ પ્રત્યેનો અનુરાગ જોતાં એડમિનિસ્ટ્રેટર તરીકે તેમની નિયુક્ત કરાય તેવી પ્રબળ શક્યતા છે.
વડોદરા મહાનગર પાલિકામાં છેલ્લે વર્ષ 2005માં 3 માસ માટે ભાગ્યેશ જ્હા એડમિનિસ્ટ્રેટર રહ્યા હતાં. અત્યાર સુધીના એડમિનિસ્ટ્રેટરની યાદી નીચે મુજબ છે.