શેખ બાબુ કસ્ટોડિયલ ડેથ મામલે સીઆઈડી ક્રાઈમ દ્વારા કેનાલમાં શોધખોળ હાથ ધરાઈ હતી.
અંડર વોટર સર્ચ કેમેરાની મદદથી ગંગાનગર ગેટ નં - 2 પાસે છાતી અને કરોડરજ્જુના ભાગ જેવાં હાડપીંજરના અવશેષો મળ્યા હતાં.
એફએસએલ અને વેટરનરી ડોક્ટરોએ તપાસ કરતાં હાડકાં પશુના હોવાનું જાણવા મળ્યું.
વડોદરા. શેખ બાબુ કસ્ટોડીયલ ડેથ પ્રકરણમાં આજે સવારે ગોરવા ગંગાનગર પાસેથી પસાર થતી કેનાલના ગેટ નં. 2 પરથી છાતી અને કરોડરજ્જુના ભાગ જેવાં હાડપીંજરના અવશેષો મળ્યા હતાં. જેને પગલે શેખ બાબુ પ્રકરણમાં નવો વળાંક આવે તેવી આશા જન્મી હતી. જોકે, એફએસએલ દ્વારા કરાયેલી તપાસમાં કંકાલ મનુષ્યનું નહીં પરંતુ કોઈ પશુનું હોય તેમ જણાઈ આવ્યું હતું.
આશરે 8 લાખ શહેરીજનોને પાણી માટે ટળવળતાં રાખીને સીઆઈડી ક્રાઈમ દ્વારા આજે વહેલી સવારે શેખ બાબુ કસ્ટોડીયલ ડેથ પ્રકરણમાં મૃતકની લાશના અવશેષોની શોધખોળ કરવામાં આવી હતી. ફતેગંજ પોલીસ મથક પાસે આવેલી કેનાલમાં શેખ બાબુની લાશનો નિકાલ કરવામાં આવ્યો હોય તેવી આશંકા સાથે કેનાલ ખાલી કરીને શોધખોળ કરાઈ હતી. ફાયર બ્રિગેડ તેમજ એસડીઆરએફની મદદથી હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનમાં અંડર વોટર સર્ચ કેમેરાની મદદ લેવામાં આવી હતી.
શોધખોળ દરમિયાન ગોરવા ગંગાનગર ગેટ નં. 2 પાસેથી પ્રાથમિક દ્રષ્ટિએ મનુષ્યના લાગતાં હાડપીંજરના અવશેષ મળી આવ્યા હતાં. છાતી અને કરોડરજ્જુના હાડકાંઓ મળી આવ્યા હોવાની જાણ થતાં સીઆઈડી ક્રાઈમના ઉચ્ચ અધિકારીઓ સહિત સ્થાનિક પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતાં. એક તબક્કે, હાડપીંજરના અવશેષો શેખ બાબુના હોઈ શકે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
જોકે, હાડપીંજરના અવશેષોની એફ.એસ.એલ. દ્વારા ફોરેન્સિક તપાસ કરવામાં આવી હતી. જેમાં હાડપીંજરના અવશેષ મનુષ્યના નહીં પરંતુ કોઈ પશુના હોવાનું જણાઈ આવ્યું હતું. વેટરનરી ડોક્ટરની મદદથી આ વાતની પુષ્ટી પણ કરી લેવામાં આવી હતી.
એકંદરે, શેખ બાબુ કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં હજી સુધી લાશનો નિકાલ કેવી રીતે કરવામાં આવ્યો? આ પ્રશ્નનો ઉત્તર હજી મળી શક્યો નથી.
શેખ બાબુ કસ્ટોડિયલ ડેથ મામલે સીઆઈડી ક્રાઈમ દ્વારા કેનાલમાં શોધખોળ હાથ ધરાઈ હતી.
અંડર વોટર સર્ચ કેમેરાની મદદથી ગંગાનગર ગેટ નં - 2 પાસે છાતી અને કરોડરજ્જુના ભાગ જેવાં હાડપીંજરના અવશેષો મળ્યા હતાં.
એફએસએલ અને વેટરનરી ડોક્ટરોએ તપાસ કરતાં હાડકાં પશુના હોવાનું જાણવા મળ્યું.
વડોદરા. શેખ બાબુ કસ્ટોડીયલ ડેથ પ્રકરણમાં આજે સવારે ગોરવા ગંગાનગર પાસેથી પસાર થતી કેનાલના ગેટ નં. 2 પરથી છાતી અને કરોડરજ્જુના ભાગ જેવાં હાડપીંજરના અવશેષો મળ્યા હતાં. જેને પગલે શેખ બાબુ પ્રકરણમાં નવો વળાંક આવે તેવી આશા જન્મી હતી. જોકે, એફએસએલ દ્વારા કરાયેલી તપાસમાં કંકાલ મનુષ્યનું નહીં પરંતુ કોઈ પશુનું હોય તેમ જણાઈ આવ્યું હતું.
આશરે 8 લાખ શહેરીજનોને પાણી માટે ટળવળતાં રાખીને સીઆઈડી ક્રાઈમ દ્વારા આજે વહેલી સવારે શેખ બાબુ કસ્ટોડીયલ ડેથ પ્રકરણમાં મૃતકની લાશના અવશેષોની શોધખોળ કરવામાં આવી હતી. ફતેગંજ પોલીસ મથક પાસે આવેલી કેનાલમાં શેખ બાબુની લાશનો નિકાલ કરવામાં આવ્યો હોય તેવી આશંકા સાથે કેનાલ ખાલી કરીને શોધખોળ કરાઈ હતી. ફાયર બ્રિગેડ તેમજ એસડીઆરએફની મદદથી હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનમાં અંડર વોટર સર્ચ કેમેરાની મદદ લેવામાં આવી હતી.
શોધખોળ દરમિયાન ગોરવા ગંગાનગર ગેટ નં. 2 પાસેથી પ્રાથમિક દ્રષ્ટિએ મનુષ્યના લાગતાં હાડપીંજરના અવશેષ મળી આવ્યા હતાં. છાતી અને કરોડરજ્જુના હાડકાંઓ મળી આવ્યા હોવાની જાણ થતાં સીઆઈડી ક્રાઈમના ઉચ્ચ અધિકારીઓ સહિત સ્થાનિક પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતાં. એક તબક્કે, હાડપીંજરના અવશેષો શેખ બાબુના હોઈ શકે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
જોકે, હાડપીંજરના અવશેષોની એફ.એસ.એલ. દ્વારા ફોરેન્સિક તપાસ કરવામાં આવી હતી. જેમાં હાડપીંજરના અવશેષ મનુષ્યના નહીં પરંતુ કોઈ પશુના હોવાનું જણાઈ આવ્યું હતું. વેટરનરી ડોક્ટરની મદદથી આ વાતની પુષ્ટી પણ કરી લેવામાં આવી હતી.
એકંદરે, શેખ બાબુ કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં હજી સુધી લાશનો નિકાલ કેવી રીતે કરવામાં આવ્યો? આ પ્રશ્નનો ઉત્તર હજી મળી શક્યો નથી.