સાવલી ખાતે ઇંટના ભઠ્ઠાના માલિક પાસેથી એડવાન્સ લઈ યુ.પી.નો મજૂર ભાગી રહ્યો હતો.
રિક્ષામાંથી મજૂરને ઉતારી દેવાના મામલે રિક્ષાચાલક અને ઐયુબઅલી વચ્ચે ચકમક ઝરી હતી.
ભરવાડ યુવાનોએ માર મારતાં ગુસ્સે ભરાયેલાં ઐયુબઅલી ઘરે રિવોલ્વર લેવા ગયા.
3 પુત્ર સહિતના શખ્સોને લઈ દુમાડ ચોકડી પહોંચેલાં ઐયુબઅલી પર ભરવાડોએ હુમલો કર્યો.
હુમલો થતાં ગભરાઈ ગયેલાં ઐયુબઅલીએ 2 રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું, 3 મિસ ફાયર થયાં અને 1 ગોળી વાગી.
વડોદરા. શહેર પોલીસની આબરૂના ધજાગરાં ઉડાડનાર દુમાડ ચોકડી ફાયરિંગ પ્રકરણમાં ખરેખર કોઈ રીઢા ગુનેગારો કે કોઈ પહોંચેલા માથાભારે તત્વોની સંડોવણી નથી. જોકે, ઇંટના ભઠ્ઠાના વેપારી અને રીક્ષાચાલક ભરવાડો વચ્ચે થયેલાં મારામારી અને ફાયરિંગના પ્રકરણમાં પોલીસ મૂક સાક્ષી બનીને માત્ર વિડીયો ઉતારીને કામગીરી કર્યાનો સંતોષ માણે એ ખેદજનક તો જરૂર છે જ.
વિશ્વસનિય સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો એવી છે કે, શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલા નતાશા પાર્કમાં રહેતાં ઐયુબઅલી સાવલી ખાતે ઇંટનો ભઠ્ઠો ધરાવે છે. ભઠ્ઠામાં કામગીરી માટે ઉત્તરપ્રદેશથી એક મજૂર આવ્યો હતો. અને તેણે ઐયુબઅલી પાસેથી એડવાન્સ પેટે 40 હજાર જેટલી રકમ મેળવી હતી. એડવાન્સ લીધા બાદ કામ કરવાને બદલે એ મજૂર રીક્ષામાં બેસીને ભાગી છૂટ્યો હતો.
એડવાન્સ લઇને મજૂર ભાગી રહ્યો હોવાની જાણ થતાં ઐયુબઅલી સહિતના શખ્સોએ દુમાડ ચોકડી પાસે રીક્ષાને આંતરી હતી. અને મજૂર નાણાં લઈને ભાગી રહ્યો હોવાથી એને રીક્ષામાંથી ઉતારી દેવા જણાવ્યું હતું. જોકે, રીક્ષાચાલકે પેસેન્જરને ઉતારવાની ના પાડી દેતાં તેઓની વચ્ચે રકઝક થઈ હતી. મજૂરને રીક્ષામાંથી ઉતારી દેવાના મામલે ઉગ્ર બોલાચાલી દરમિયાન ભરવાડોએ ઐયુબઅલી અને તેની સાથેના લોકોને માર માર્યો હતો.
https://youtu.be/4QsgR38Jf8E
ભરવાડોએ માર મારતાં રોષે ભરાયેલા ઐયુબઅલી ઘરે પહોંચ્યા હતાં. અને ઘરેથી લાઈસન્સવાળી રિવોલ્વર લઈને 3 પુત્ર અજમલ, અલ્તાફ, તબરેઝ, ભાણીયો ગુફરાન સહિતના શખ્સોને લઈને પુનઃ દુમાડ ચોકડી ખાતે પહોંચ્યા હતાં. ઐયુબઅલી 10 – 12 શખ્સો સાથે દુમાડ ચોકડી બ્રિજ નીચે પહોંચ્યા ત્યારે ત્યાં 30 – 35નુ ટોળુ હાજર હતુ. જેવા ઐયુબઅલી સહિતના લોકો કારમાંથી ઉતર્યા કે ટોળાએ તેમના પર હુમલો કર્યો હતો. ઐયુબઅલીના આક્ષેપ અનુસાર, ભરવાડોએ ધારીયા – દંડા – લાકડી વડે હુમલો કર્યો હતો.
ટોળાના હુમલાથી ગભરાઈ ગયેલાં ઐયુબઅલીએ લાઈસન્સવાળી રિવોલ્વરથી હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જોકે, તેમ છતાં ટોળાએ હુમલો ચાલુ રાખ્યો હતો જેને પગલે ઐયુબઅલીએ એક શખ્સની સામે ફાયરિંગ કરતાં ગોળી તેના હાથમાં વાગી હતી. જ્યારે 3 રાઉન્ડ મિસ ફાયર થયાં હતાં.
ફાયરિંગ કર્યા બાદ ઐયુબઅલી સહિતના શખ્સો થોડોક સમય દુમાડ ચોકડી ખાતે ઉભા રહ્યા બાદ ત્યાંથી શહેરની ખાનગી હોસ્પિટલ તરફ નિકળી ગયા હતાં. જ્યારે ઇજાગ્રસ્ત ભરવાડ યુવાનોને 108 દ્વારા સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.
એકંદરે, દુમાડ ચોકડી પાસે બે વખત મારામારીના બનાવો બન્યાં.. પરંતુ, ત્યાં ફરજ બજાવતાં પોલીસ કર્મીઓ માત્ર મૂક સાક્ષી બનીને જોતાં રહ્યાં. જે ચિંતાજનક બાબત છે. ઘટના સ્થળેથી અંદાજીત 500 મીટરની દુરી પર પોલીસની તંબુ ચોકી આવેલી છે. જો પોલીસ કર્મીઓ દ્વારા મામલાને પહેલીવારમાં જ ડામી દેવામાં આવ્યો હોત તો.. કદાચ ફાયરિંગ સુધીની નોબત જ આવી ના હોત, એમ સ્થાનિક લોકોનું માનવું છે. તો બીજી તરફ, ઘટનાસ્થળ પાસે સીસીટીવી કેમેરા લાગેલા હોવા છતાં કોઈની નજરે આ ઘટના ના ચડી એ પણ આશ્ચર્યજનક ગણાય.
સાવલી ખાતે ઇંટના ભઠ્ઠાના માલિક પાસેથી એડવાન્સ લઈ યુ.પી.નો મજૂર ભાગી રહ્યો હતો.
રિક્ષામાંથી મજૂરને ઉતારી દેવાના મામલે રિક્ષાચાલક અને ઐયુબઅલી વચ્ચે ચકમક ઝરી હતી.
વડોદરા. શહેર પોલીસની આબરૂના ધજાગરાં ઉડાડનાર દુમાડ ચોકડી ફાયરિંગ પ્રકરણમાં ખરેખર કોઈ રીઢા ગુનેગારો કે કોઈ પહોંચેલા માથાભારે તત્વોની સંડોવણી નથી. જોકે, ઇંટના ભઠ્ઠાના વેપારી અને રીક્ષાચાલક ભરવાડો વચ્ચે થયેલાં મારામારી અને ફાયરિંગના પ્રકરણમાં પોલીસ મૂક સાક્ષી બનીને માત્ર વિડીયો ઉતારીને કામગીરી કર્યાનો સંતોષ માણે એ ખેદજનક તો જરૂર છે જ.
વિશ્વસનિય સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો એવી છે કે, શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલા નતાશા પાર્કમાં રહેતાં ઐયુબઅલી સાવલી ખાતે ઇંટનો ભઠ્ઠો ધરાવે છે. ભઠ્ઠામાં કામગીરી માટે ઉત્તરપ્રદેશથી એક મજૂર આવ્યો હતો. અને તેણે ઐયુબઅલી પાસેથી એડવાન્સ પેટે 40 હજાર જેટલી રકમ મેળવી હતી. એડવાન્સ લીધા બાદ કામ કરવાને બદલે એ મજૂર રીક્ષામાં બેસીને ભાગી છૂટ્યો હતો.
એડવાન્સ લઇને મજૂર ભાગી રહ્યો હોવાની જાણ થતાં ઐયુબઅલી સહિતના શખ્સોએ દુમાડ ચોકડી પાસે રીક્ષાને આંતરી હતી. અને મજૂર નાણાં લઈને ભાગી રહ્યો હોવાથી એને રીક્ષામાંથી ઉતારી દેવા જણાવ્યું હતું. જોકે, રીક્ષાચાલકે પેસેન્જરને ઉતારવાની ના પાડી દેતાં તેઓની વચ્ચે રકઝક થઈ હતી. મજૂરને રીક્ષામાંથી ઉતારી દેવાના મામલે ઉગ્ર બોલાચાલી દરમિયાન ભરવાડોએ ઐયુબઅલી અને તેની સાથેના લોકોને માર માર્યો હતો.
ભરવાડોએ માર મારતાં રોષે ભરાયેલા ઐયુબઅલી ઘરે પહોંચ્યા હતાં. અને ઘરેથી લાઈસન્સવાળી રિવોલ્વર લઈને 3 પુત્ર અજમલ, અલ્તાફ, તબરેઝ, ભાણીયો ગુફરાન સહિતના શખ્સોને લઈને પુનઃ દુમાડ ચોકડી ખાતે પહોંચ્યા હતાં. ઐયુબઅલી 10 – 12 શખ્સો સાથે દુમાડ ચોકડી બ્રિજ નીચે પહોંચ્યા ત્યારે ત્યાં 30 – 35નુ ટોળુ હાજર હતુ. જેવા ઐયુબઅલી સહિતના લોકો કારમાંથી ઉતર્યા કે ટોળાએ તેમના પર હુમલો કર્યો હતો. ઐયુબઅલીના આક્ષેપ અનુસાર, ભરવાડોએ ધારીયા – દંડા – લાકડી વડે હુમલો કર્યો હતો.
ટોળાના હુમલાથી ગભરાઈ ગયેલાં ઐયુબઅલીએ લાઈસન્સવાળી રિવોલ્વરથી હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જોકે, તેમ છતાં ટોળાએ હુમલો ચાલુ રાખ્યો હતો જેને પગલે ઐયુબઅલીએ એક શખ્સની સામે ફાયરિંગ કરતાં ગોળી તેના હાથમાં વાગી હતી. જ્યારે 3 રાઉન્ડ મિસ ફાયર થયાં હતાં.
ફાયરિંગ કર્યા બાદ ઐયુબઅલી સહિતના શખ્સો થોડોક સમય દુમાડ ચોકડી ખાતે ઉભા રહ્યા બાદ ત્યાંથી શહેરની ખાનગી હોસ્પિટલ તરફ નિકળી ગયા હતાં. જ્યારે ઇજાગ્રસ્ત ભરવાડ યુવાનોને 108 દ્વારા સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.
એકંદરે, દુમાડ ચોકડી પાસે બે વખત મારામારીના બનાવો બન્યાં.. પરંતુ, ત્યાં ફરજ બજાવતાં પોલીસ કર્મીઓ માત્ર મૂક સાક્ષી બનીને જોતાં રહ્યાં. જે ચિંતાજનક બાબત છે. ઘટના સ્થળેથી અંદાજીત 500 મીટરની દુરી પર પોલીસની તંબુ ચોકી આવેલી છે. જો પોલીસ કર્મીઓ દ્વારા મામલાને પહેલીવારમાં જ ડામી દેવામાં આવ્યો હોત તો.. કદાચ ફાયરિંગ સુધીની નોબત જ આવી ના હોત, એમ સ્થાનિક લોકોનું માનવું છે. તો બીજી તરફ, ઘટનાસ્થળ પાસે સીસીટીવી કેમેરા લાગેલા હોવા છતાં કોઈની નજરે આ ઘટના ના ચડી એ પણ આશ્ચર્યજનક ગણાય.